Wednesday, 30 October 2024

અયોધ્યા વાળી ' દિવાળી ' 🪔🎇🪔




શુભ દીપાવલી 

500 વર્ષ બાદ અયોધ્યામાં દિવાળી પર્વની ઊજવણી કરવામાં આવી તે નિમિત્તે મારી એક ભાવ વંદના...

108  રામ નામ માળા.

 ✍️ જાગૃતિ પંડ્યા, આણંદ 

***********************************************



અયોધ્યા વાળી  ‘ દિવાળી ‘ 


અયોધ્યાના રાજા રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (1)


રામ મંદિરમાં બિરાજે રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (2)


વિક્રમ સંવત 2080ને, અયોઘ્યા માય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (3)


અયોધ્યા ઉજવે દિવાળી ;રામ 

શ્રી રામ જય રામ જય જય રામ.  (4)


મંદિરમાં ઊજવણી થાય ; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (5)


રામ લલ્લાના આશિષ પાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (6)


રંગોળી ને રંગો બિછાવાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (7)


રામજી આજે ખૂબ હરખાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (8)


ઘરે ઘર આજે દિવા થાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (9)


રામ નામના દિવા થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (10)


 આસોપાલવના તોરણ બંધાય;

 શ્રી રામ જય રામ જય જય રામ.  (11)


બોલે સર્વે જય શ્રીરામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (12)


સંતો મહંતોનો હરખ ન માય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (13)


દીધો આશિષ સૌને રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (14)


ઘર ઘર ઘીના દિવા થાય;

 શ્રી રામ જય રામ જય જય રામ.  (15)


અયોધ્યા આખું ઝળકી જાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (16)


અયોધ્યા નગરી સજી સોળ શણગાર, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (17)


સજી નવોઢા એવું થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (18)


રામપાર્કમાં જનમેદની ન મ્યાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (19)


રામ દરબાર એ અદ્ભૂત દેખાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (20)


ગાય ગોબરના દીવા થાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (21)


ગૌમાતા તો રાજી થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (22)


રામનગરીના રાજા રામ ; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (23)


આવે આજે રાજા રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (24)


પુષ્પક વિમાનમાં આવે રામ; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (25)


સીતામાતા લક્ષમણ સાથ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (26)


હનુમાનજીનો સદા સંગાથ; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (27)


પામી સેવા ખૂબ હરખાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (28)


વસ્ત્ર પરિધાન વિશેષ થાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (29)


વૈષ્ણવ ચિહ્નથી અંકિત થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (30)


જાતજાતના ભોગ ધરાવાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (31)


મોં મીઠું રામ લલ્લાનું કરાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (32)


રામનગરીમાં મીઠાઈ વહેંચાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (33)


આ હરખ કહીં ન સમાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (34)


રામમંદિરે લાખ દિવડા થાય; 

શ્રી રામ જય રામ જય જય રામ.  (35)


ભક્તો કેરી ભક્તિ થાય.

શ્રી રામ જય રામ જય જય રામ.  (36)


સરયુનો દૂધે મહાઅભિષેક થાય;

 શ્રી રામ જય રામ જય જય રામ.  (37)


મા આપે છે આશિષ આજ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (38)


સંતો મહંતોથી આરતી થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (39)


સરયુ માતા કાજે થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (40)


આચાર્યો ને શિષ્યો ગાન કરે , 

શ્રી રામ જય રામ જય જય રામ.  (41)


 સંસ્કૃતના શ્લોકો ભણાય , 

શ્રી રામ જય રામ જય જય રામ.  (42)


 મા સરયુના 55 છે ઘાટ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (43)


ઘાટે ઘાટે દીવા થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (44)


28 લાખને 500 દીવા થાય,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (46)


મા અતિશે સુંદર દેખાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (47)


દિવડાઓનો વર્લ્ડ રેકોર્ડ થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (48)


ગ્રીનીચ બુકમાં નામ નોંધાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (49)


ચાર દિવસનો મહા ઉત્સવ કહેવાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (50)


રાજી રાજી સૌ કોઈ થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (51)


દીવડે દીવડે રામ બોલાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (52)


 કરોડો મંત્રોનો જાપ જ થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (53)


રામ મય બન્યુ અયોધ્યાધામ , 

શ્રી રામ જય રામ જય જય રામ.  (54)


રામ નામનું ગુંજન થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (55)


કણ કણમાં છે જય શ્રીરામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (56)


જડ ને ચેતનમાં રામ જ રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (57)


મોદીજીના દિલમાં રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (58)


દિલમાં રામ રાખી સદાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (59)


યોગી આવ્યા રામને દ્વાર, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (60)


રાજ્યપાલ  છે  હારોહાર,

શ્રી રામ જય રામ જય જય રામ.  (61)


30 હજાર સ્વયમ સેવકો જોડાય,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (62)


કર્મયોગી સાથે જોડાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (63)


 500 વર્ષે નીજ મહેલે આવ્યા રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (64)


 દેખી હનુમાનજી ખૂબ હરખાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (65)


શ્રીરામનો રાજ્યાભિષેક થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (66)


સીતામાતા આનંદિત થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (67)


સુગ્રીવ, અંગદ, નલ- નીલ સાથે છેરામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (68)



આનંદ મંગલ સઘળે થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (69)


 હૈયે સૌને આનંદ થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (70)


ઈતિહાસ રચાયો આજે ખાસ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (71)


અવધપુરીના રાજા શ્રીરામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (72)


શ્રીરામજીની જય જય થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (73)


જય સિયારામના નારા થાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (74)


 લખન લલ્લાને સાચવે રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (75)


હનુમાનજી હૈયે હરખાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (76)


રામ નામ સબ તીરથ ધામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (77)


સૌનાં પાર પડે છે કામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (78)


રામ નામનો મહિમા અપાર, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (79)


તરી જશે સૌ કોઈ પાર, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (80)


સનાતન ધર્મનો જય જય કાર 

શ્રી રામ જય રામ જય જય રામ.  (81)


સૌ માં રામનાં દર્શન થાય, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (82)


સીતા માતા બોલે શ્રી રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (83)


લખન ભૈયા ભી કહતે રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (84)


હનુમાનજીના હૃદયે રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (85)


 રોમે રોમમાં રટે શ્રીરામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (86)


સદા સંગાથે સુગ્રીવ રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (87)


 જપે રામ જય રાજા રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (88)


અંગદ આગળ ચાલે રામ,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (89)


અંગદ બોલે જય સીયારામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (90)


નલનીલ સાથે રહેતાં રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (91)


નલ નીલ બોલે જય શ્રીરામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (92)


આશા જેવી શબરીની રામ,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (93)


રાખે હૈયે આવશે રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (94)


ભાવ ભૂખ્યા શબરીના રામ,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (95)


ખાધા એંઠા બોર શ્રીરામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (96)


અહલ્યાને જેમ તારે રામ,

 શ્રી રામ જય રામ જય જય રામ.  (97)


રાખો શ્રદ્ધા રામમાં અપાર,

શ્રી રામ જય રામ જય જય રામ.  (98)


દશરથના લાડકાશ્રી રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (99)


અયોધ્યાના  એ રાજા રામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (100)


રાવણના સંહારક છે રામ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (101)


અંતે રામ નામ એના મુખ માય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (102)


રામનામ છે અમોઘ એક બાણ, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (103)


કાપે સૌનાં દુઃખડા સદાય,

શ્રી રામ જય રામ જય જય રામ.  (104)


રામનામની લૂંટ છે ત્યાં, 

શ્રી રામ જય રામ જય જય રામ.  (105)


લૂંટીને પામો અઢળક સુખ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (106)


દિલમાં રાખો સદા શ્રીરામ,

શ્રી રામ જય રામ જય જય રામ.  (107)


વિના રામ નામ નહીં ઉદ્ધાર,

શ્રી રામ જય રામ જય જય રામ.  (108)

Saturday, 19 October 2024

🌹🌹બાળકો ઈચ્છે છે કે બધાં સાથે રહે, બધાં જ ધર્મોનો સાર એક જ છે. ભગવાનના સ્વરૂપ અલગ છે બાકી, ઈશ્વર એક જ છે. 🙏🙏




“બધાં જ ધર્મો મારા છે, मानवता धर्म हमारा है। ”

બાળક કદી નથી ઇચ્છતું કે, બધાં ધર્મો અલગ હોયકે બધાં ભગવાન અલગ અલગ રહે. બાળકનું પવિત્ર મન અને હૃદય હંમેશા સર્વ ધર્મ સમભાવ ઈચ્છે છે. મનુષ્ય જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ ધીરે ધીરે બધાં પડો ઉમેરાતા જાય છે. 

વર્ગખંડમાં ધીરે ધીરે બધાં ભગવાન ગોઠવાઈ ગયા,
જ્યાં અજાણતા જ બાળકો ઊત્તમ બોધ શીખવી ગયા.

હંમેશાં બાળકોને કંઇક કહેવા કરતાં તેઓ જાતે શું કરે છે તે જોવા જાણવામાં મને વધારે રસ હોય છે. વૈભવીએ માટીકામમાં સુંદર મજાનું શિવલિંગ બનાવ્યું. ઘણાં દિવસો સુધી આ શિવલિંગ તિજોરી પર રહ્યું. ઘણી વખત અન્ય સામાન લેતાં મૂકતાં કદાચ નીચે પડી જવાની બીકે કોઈએ શિવલિંગને, બાજુમાં ગોખલો હતો તેમાં મૂકી દીધું. અત્યાર સુધી સચવાયેલું શિવલિંગ બાળકોએ વઘારે સારી રીતે સચવાય તે માટે પાસેના ગોખલામાં વધારાનો સામાન લઈને સાચવીને મૂકી દીધું હશે. ( મને એવું લાગ્યુ. ) એમ જ ઘણાં દિવસો પસાર થઈ ગયાં. 

 બાળકોને મેં જણાવ્યું કે તોરણ વિનાનો વર્ગ મને નથી ગમતો માટે આપણે દિવાળી વેકેશન પછી વર્ગ શણગારીશું. બાળકો ખુશ થઈ ગયા. બાળકોને સમજાઈ ગયું કે, શણગારેલો વર્ગ સુંદર લાગે. તો 
વિજ્ઞાનમેળા પછી વધેલા સામાન માંથી કંઇક કાપકૂપ કરીને ચોંટાડતા હતાં પણ કંઈ મેળ પડ્યો નહી. પણ મને એટલી ખબર પડી કે, બાળકોને કઈક કરવું છે. 

ખબર નહીં પણ ક્યાંકથી બાળકો શિવલિંગ વાળો ગોખલો શણગારવા લાગ્યાં. બસ, અત્યાર સુધી આટલું મેં જોયેલું,,,,, એ પછી તાલીમો ને રજાઓ બાદ પંદર દિવસે શાળામાં આવવાનું થયું. આવીને કસોટીઓ તપાસવાની ધૂનમાં બાળકોને મળાયુ નથી…..


અને,,, આજે ( 19 ઓકટોબર ) અચાનક જ વૈભવી અને આયતબાનુ શાળામાં ઓફિસ આગળથી ખોબો ભરીને પાંદડા અને ફૂલો લઈને જતી જોઈ. 



મેં કહ્યું, “ આટલાં બધાં ફૂલ પાંદડા ક્યાં લઈ જાઓ છો? “ 

વૈભવી બોલી, ‘ મેડમ શિવલિંગ પર ચઢાવવાના છે. ‘ 

તરત જ, 

આયતબાનુ રણકી,

 ‘ મેડમ ત્યાં શિવલિંગ પણ છે, મસ્જિદનો ( અલ્લા) ફોટો છે અને ઈસુ ખ્રિસ્તનો ફોટો પણ છે. અમે દરરોજ બધાંને ફૂલો ચઢાવીએ છીએ. ‘

હું તો સાંભાળી જ રહી. મને હવે વર્ગખંડમાં જોવા જવાની ઈચ્છા થઈ. તરત જ ન જઈ શકી પરંતુ થોડા સમય પછી ગઈ ત્યારે જોઈને મને ખૂબ આશ્ચર્ય સાથે હૃદય દ્રવી ઉઠ્યું. મનમાં થયું કે, બાળકો ક્યાં ઇચ્છે છે કે બધાં અલગ અલગ રહે. 

વસુધૈવ કુટુમ્બકમની ઉત્કૃષ્ઠ ભાવના બાળકોમાં જોઈ હૈયુ ખીલી ગયું. 

 ‘ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું નૃત્ય કરે’ આ કળી પ્રાર્થનામાં ગવાતી હતી, પણ આજે અનુભવી પણ ખરી. વાહ! આવી જ ભાવના સૌ માં હોય તો? 

 मजहब नहीं शिखाता आपस में बैर रखना।

“मनुष्य है हम मानव धर्म निभाएंगे। “  

શ્રીનીલાબેને પણ આ દ્રશ્ય જોઈને બાળકોને સમજાવતા કહ્યું, 

“ માનવ ધર્મ મહાન. મોટામાં મોટો ધર્મ એ જ માનવતા. તમને કોઈનું દુઃખ જોઈને દુઃખ થાય એ મનાવતા અને એ જ ધર્મ. “ 


ખરેખર બાળકો આપણને કેટલું બધું શીખવી જાય છે.

 બાળકોમાં આવી ભાવના જોઈ, આજનો દિવસ સફળ થયો.

Really You All are Great 👍 My Lovely Students. બાળ દેવોને શત શત પ્રણામ. 

🌹🙏🌹🙏🌹🙏🌹




Sunday, 13 October 2024

શિવ ભક્ત રાવણ અને શિવ તાંડવ સ્તોત્ર



શિવ ભક્ત રાવણ અને શિવ તાંડવ સ્તોત્ર 


શ્રી રામની તુલનામાં રાવણ ખલનાયક જરૂર હતો પરંતુ તેનામાં ઘણા બધા વિદ્યમાન ગુણ પણ હતા. રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, મહાપરાક્રમી, અત્યંત બળશાળી, અને અનેક શાસ્ત્રોનો પ્રકાંડ જ્ઞાતા હતો. રાવણના શાસન દરમિયાન લંકા નગરીનો વૈભવ ઉપર હતો. વાલ્મીકી રામાયણ અનુસાર, મહર્ષિ પુલત્સ્યના પુત્ર ઋષિ વિશ્ર્વાનો પુત્ર હતો રાવણ. ઋષિ વિશ્ર્વાણી પત્નિ કૈકસીએ અશુભ સમયમાં ગર્ભ ધારણ કર્યું હતું. અને તેના ગર્ભમાંથી રાવણનો જન્મ થયો હતો. એક વાર કૈકસીએ ઋષિ વિશ્ર્વાની ખુબજ સેવા કરી. તેનાથી પ્રસન્ન થઈને તેણે કૈકસીને વરદાન માંગવા કહ્યું. ત્યારે કૈકસીએ કહ્યું કે મને એવા પુત્રનું વરદાન આપો જે દેવતાઓ થી પણ વધુ શક્તિશાળી હોય અને તેમને યુધ્ધમાં પરાજિત કરી શકે. વરદાન મુજબ કૈકસીએ થોડા સમય પછી એક પુત્રને જન્મ આપ્યો. આ બાળકના દસ માથા અને વીસ હાથ હતા. આ બાળક ખૂબજ તેજસ્વી અને ખુબજ સુંદર હતું. જયારે કૈકસીએ પોતાના પતિને પૂછ્યું આ બાળકને આટલા બઘા હાથ અને માથા કેમ છે, ત્યારે ઋષિએ કહ્યું તમે અદભુત બાળક માંગ્યું હતું. આ બાળક જેવું પૃથ્વી પર બીજું કોઈ બાળક નહિ હોય. જન્મના ૧૧ માં દિવસે બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને તેનું નામ રાવણ રાખવામાં આવ્યું. રાવણ તેના પિતા વિશ્ર્વાના આશ્રમમાં જ મોટો થયો હતો. રાવણ ઘણી બધી કલાઓ માં નિપુણ હતો. રાવણ મહાદેવના મહાન ભક્ત હતા, ઘણી વાર્તાઓમાં પ્રચલિત છે કે તે શિવની પૂજા કરવા દૂર દક્ષિણમાં સ્થિત લંકાથી દરરોજ કૈલાશ પર્વત પર આવતો હતો. તે તેની સમક્ષ ભગવાન શિવની સ્તુતિ કરતો હતો. આ ક્રમમાં, રાવણે 1008 શ્લોકો રચ્યા, જે શિવ તાંડવ સ્તોત્ર તરીકે ઓળખાયા. રાવણ સંગીતમાં ખૂબ નિપુણ હતો. શિવની સ્તુતિ સાંભળીને ભોલેનાથ ખૂબ જ ખુશ થયા. શિવ તાંડવ એ એવા વિશેષ મંત્રોનો સંગ્રહ છે, જેના પાઠ કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે એકવાર જ્યારે રાવણ તેના પુષ્પક વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે તે જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. શિવ તે પ્રદેશના પર્વત પર ધ્યાનમાં બેઠા હતા. શિવના ગણ નંદીએ રાવણને રોક્યો અને કહ્યું કે અહીંથી પસાર થવું દરેક માટે પ્રતિબંધિત છે, કારણ કે ભગવાન તપસ્યામાં મગ્ન છે. આ સાંભળીને રાવણ ગુસ્સે થયો. તેણે પોતાનું વિમાન નીચે ઉતારી અને નંદીની સામે ઊભા રહીને નંદીનું અપમાન કર્યું અને પછી શિવ બેઠા હતા તે પર્વતને ઉપાડવાનું શરૂ કર્યું. આ જોઈને શિવએ અંગૂઠા વડે પર્વત દબાવ્યો, જેના કારણે રાવણનો હાથ પણ દબાઇ ગયો અને ત્યારબાદ શિવને, પોતાને મુક્ત કરવાની પ્રાર્થના શરૂ કરી. આ ઘટના પછી તે શિવનો ભક્ત બન્યો. એવું પણ કહેવામાં આવે છે કે એકવાર નારદજીના ઉશ્કેરાટ પર રાવણે પોતાના ભગવાન મહાદેવને કૈલાસ પર્વત સાથે લંકા લાવવાનું વિચારવાનું શરૂ કર્યું. તે પોતાના વિમાનમાં કૈલાસ પર્વત પર ગયો અને ત્યાં ગયા પછી તેણે પર્વતને ઉપાડવાનું શરૂ કર્યું. જ્યારે પર્વત ફરવા લાગ્યો, ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન, આ પર્વત કેમ આગળ વધી રહ્યો છે. ત્યારે શિવએ કહ્યું કે મારો ભક્ત રાવણ મને પર્વત સાથે લંકા લઈ જવા માંગે છે. પછી ભગવાન શંકરે તેમનું વજન વધાર્યું અને તેના અંગૂઠાથી થોડું દબાવ્યું, પછી કૈલાસ પર્વત ફરીથી જ્યાં હતો ત્યાં તે આવી ગયો. આ કારણે રાવણનો હાથ દબાઇ ગયો અને તેણે માફ-‘શંકર-શંકર ‘કહેવાનું શરૂ કર્યું – એટલે કે માફ કરો, માફ કરો અને વખાણ કરવાનું શરૂ કરો. આ માફી અને વખાણ પાછળથી ‘શિવ તંડવ સ્તોત્ર’ કહેવાયા.
શિવ તાંડવ સ્તોત્રમાં શંકરનું રુદ્ર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સ્તોત્ર જણાવે છે કે કેવી રીતે ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડનો નાશ કરે છે અને તેને વશ કરી શકે છે. શિવના આ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તાંડવ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. શિવ તાંડવ સ્તોત્ર ભોલેનાથના અનેક અવતારોનું વર્ણન કરે છે. ઉદાહરણ તરીકે, આ લખાણમાં રાવણે મુખ્યત્વે શિવને ચંદ્રમૌલીશ્વર, નટરાજ અને અર્ધનારીશ્વર કહ્યા છે. ચંદ્રમૌલીશ્વર એ શિવનો મુખ્ય અવતાર છે જે શિવના મુંડમાલામાં ચંદ્રથી શોભે છે. શિવના નૃત્ય સ્વરૂપની પ્રશંસા કરવામાં આવે છે જ્યારે તેમને નટરાજ તરીકે વર્ણવવામાં આવે છે, જે જીવન અને મૃત્યુના ચક્રને વ્યક્ત કરે છે. શિવની વિશિષ્ટતા અર્ધનારીશ્વર સ્વરૂપમાં વર્ણવવામાં આવી છે, જ્યાં તેમનું શરીર અર્ધ નારીશ્વર સ્વરૂપમાં છે.

રામે રાવણને માર્યો


રામે રાવણને માર્યો 

નમસ્તે વ્હાલા બાળકો. આજે વિજયા દશમી એટલે કે દશેરાનો તહેવાર છે. આજે તમે રાવણ દહન જોવા જતાં હશો પણ તેનું શું મહત્ત્વ છે સાથે સાથે રાવણને મારનાર ભગવાનશ્રી રામનું બાળપણની થોડી વાતો જાણીએ.આ શુભ દિવસ પૌરાણિક મહત્વ ધરાવે છે, કારણ કે તે વિજયી ક્ષણ તરીકે માનવામાં આવે છે જ્યારે ભગવાન રામે રાક્ષસ રાજા રાવણ અને તેની દુષ્ટ સેનાને સચ્ચાઈ અને દુષ્ટતાની વચ્ચેની લાંબી લડાઈ પછી પરાજીત કરી હતી. આ વિજયને કારણે દશેરા વિજય દશમી, વિજય દિવસ તરીકે નામ આપવામાં આવ્યું છે. દશેરાએ દિવસનું પણ પ્રતીક છે જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુરની પ્રચંડ સેનાનો સામનો કર્યો અને તેનો નાશ કર્યો હતો, આખરે રાક્ષસનો વધ કર્યો હતો. આ તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે તેની સાથે દુષ્ટતા પર સચ્ચાઈનો વિજય થયો તે સંદેશ આપે છે. દશેરા સાથે સંકળાયેલી બીજી પરંપરા એ પૂતળાંનું ધાર્મિક દહન છે, જે વિરોધીઓની હારનું પ્રતીક છે. રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાઓને સળગાવી દેવામાં આવે છે, જે દુષ્ટતા પર સચ્ચાઈની ભવ્ય જીતને દર્શાવે છે. 'વિજયા દશમી' એ માનવ મનમાં વસતા વિકારો અને કામ-ક્રોધ-લોભ-મોહ-મત્સરનું દહન કરીને આત્મવિજયની પ્રતિષ્ઠા સાથે તેની પ્રસ્થાપનાનું મહાપર્વ છે. વેર-ઝેર અને ઈર્ષ્યાભાવનું જો દહન થશે તો જ વહાલ અને સખાભાવનું પ્રાગટય થાય. આજનાં દિવસે લોકો અસ્ત્ર-શસ્ત્ર અને વાહનનું પૂજન કરે છે.ભગવાન શ્રી રામે રાવણને માર્યા પછી અવધમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આખી અયોધ્યા નગરી શણગારવામાં આવી હતી. અયોધ્યાના લોકો શ્રી રામને ખૂબ પ્રેમ કરતાં હતાં. ઘણાં લોકોએ ચૌદ વર્ષ સુઘી અખંડ ઉપવાસ કરીને રામની અને રાજ્યની પ્રતિક્ષા કરી હતી. આવા ભગવાન શ્રી રામ વિશે પણ થોડું જાણીએ.

    ભગવાન રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો હતો. તેઓ તેમની પ્રથમ પત્ની કૌશલ્યાના એકમાત્ર સંતાન હતા. એવું કહેવાય છે કે રાવણના શ્રાપને કારણે રાજા દશરથ સંતાન પ્રાપ્તિ કરી શક્યા નહોતા, ત્યારપછી તેમણે ગુરુ વશિષ્ઠની સલાહ લઈને વિશેષ અનુષ્ઠાન કર્યું. શ્રીંગી ઋષિના બલિદાન પછી, અગ્નિમાંથી પ્રગટ થયેલા દૈવી પુરુષે દશરથની ત્રણ પત્નીઓને ખીર આપી અને આ પ્રસાદ ચાખ્યા પછી, તેમને ચાર પુત્રો થયા, જેમાંથી રામ સૌથી મોટા હતા. તેમનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે થયો હતો (આ તારીખ હવે રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે). એવું પણ માનવામાં આવે છે કે જ્યાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે તે જ જગ્યાએ શ્રી રામનો જન્મ થયો હતો. ગોસ્વામી તુલસીદાસના શ્રી રામચરિતમાનસના બાલકાંડમાં ઉલ્લેખ છે કે જ્યારે રામનો જન્મ થયો ત્યારે બધી તિથિઓ દુઃખી થઈ ગઈ. તેમની તિથિએ રામનો જન્મ કેમ ન થયો એનું તેમને દુઃખ હતું. ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા. આ જ કારણ છે કે પૃથ્વી પર દુષ્ટતા અને અત્યાચારનો નાશ કરવા માટે તેઓ કૌશલ્યાને નારાયણના રૂપમાં પ્રથમ જન્મ્યા હતા. તે સમયે, તેના ચાર હાથ (હાથ) અને તેનું આખું શરીર પીળા વસ્ત્રોમાં દેખાતું હતું. તે દરમિયાન તે હળવાશથી હસતો હતો. તેમનું રૂપ જોઈને કૌશલ્યાએ પ્રાર્થના કરી અને કહ્યું, "હે ભગવાન! હું તમને બાળકના રૂપમાં જોઈતી હતી. કૃપા કરીને તે રૂપમાં આવો." આ વિનંતી પછી ભગવાન બાળકના રૂપમાં આવ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. રડ્યા પછી, જ્યારે આ સમાચાર દશરથ સુધી પહોંચ્યા, ત્યારે તેમણે બ્રહ્માનંદ (ખૂબ પ્રસન્ન થઈને) પ્રાપ્ત કર્યા. વિવાસવાન ગોત્ર એ શ્રી રામનું નામ હતું જે ઇક્ષ્વાકુ કુળના રઘુવંશ અને સૂર્યવંશના હતા. તેમને રામ નામ તેમના પિતાના ગુરુ વશિષ્ઠ પરથી પડ્યું હતું. રામચરિતમાનસમાં પણ તેનો ઉલ્લેખ છે. આ નામ આપતાં ગુરુ વશિષ્ઠે કહ્યું હતું - જે આનંદનો સાગર છે, જે સુખની રાશિ છે, જેનું એક કણ ત્રણ લોકને સુખી કરે છે, જે જગતને આનંદ આપનાર છે અને જેઓનું ધામ છે. સુખ...તેનું નામ રામ છે.
જ્યારે શ્રી રામ નાના હતા, ત્યારે તેઓ થમ્પ વડે ચાલતા હતા. કાદવમાં રમતી વખતે તે પોતાની જાતને ગંદુ કરી લેતો હતો પરંતુ પ્રેમ અને સ્નેહને કારણે તેના પિતા અને સમ્રાટ દશરથ હજુ પણ તેને ગળે લગાવીને તેની સાથે રમતા હતા. રામ જ્યારે થોડા મોટા થયા ત્યારે તેઓ શિસ્તબદ્ધ રહેવા લાગ્યા. રામ સૌથી મોટા હતાં. દરરોજ સવારે માતા-પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કર્યા પછી જ તેઓ અન્ન જળ લેતા હતા. પોતાના સહિત, તે ચાર ભાઈઓ (લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન) માં સૌથી પ્રતિષ્ઠિત અને બુદ્ધિશાળી હતા. તેનામાં શ્રેષ્ઠ ગુણ એ હતો કે તેને કોઈની ખામી દેખાતી નહોતી.ભગવાન રામે બાળપણમાં પણ ચારિત્ર્ય અને ગૌરવ દર્શાવ્યું હતું. માતાને પૂછ્યા વગર કોઈ કામ ન કર્યું. દરેક વખતે તેના માટે માતાની સંમતિ જરૂરી હતી.

Saturday, 28 September 2024

મૃદુલાબેન પુનમચંદ જોશીના ચરણોમાં મારી ભાવપુષ્પ રૂપી શ્રધ્ધાંજલી. 🙏 મમ્મીનાં પ્રેમ જેટલો જ તારો પ્રેમ, માટે જ મા એટલે માસી


મમ્મીનાં પ્રેમ જેટલો જ તારો પ્રેમ, માટે જ મા એટલે માસી 

મૃદુલાબેન પુનમચંદ જોશીના ચરણોમાં મારી ભાવપુષ્પ રૂપી શ્રધ્ધાંજલી.


માસી,,, તારી સાથે વિતાવેલી પળો કાયમ યાદ રહેશે. હર હંમેશ તુ મને યાદ રહેશે. કેમ? કેમકે મારા જીવન ઘડતરમાં તારો પણ અમૂલ્ય ફાળો છે. તે જે જીવનલક્ષી શિક્ષણ આપ્યુ છે તે મને આજદિન સુધી કામમાં લાગ્યું છે અને તે સમયે તુ યાદ આવે, આવે ને આવે જ.


માસી, આટલી મોટી થયા પછી પણ, તારા ઘરે સ્ટીલના નાના ડૉલકામાં તારું મનપસંદ મેં જાતે બનાવેલું ( ગુંદાનું ભરેલું શાક) આપી અને તારા ઘરે જમીને ડૉલકામાં ભરીને ઘર માટે કંઈક ને કંઈક ખાવાનું લઈ જવું આજે પણ ગમે છે. 


મારા જીવનલક્ષી ઘડતરમાં ફાળો :- 

   ઘરમાં કચરા પોતા ઉત્તમ રીતે કરતાં તો તે જ શીખવ્યા. હું જ્યારે ઝાડુ પોતુ મારુ ત્યારે રસોઈ કરતાં કરતાં તુ જોવા આવે અને બતાવે કે આ રીતે ભાર દઈને કરાય. 

વાસણ નાના છાબડામાં લઈને બહાર રખ્યા, માટી , લીંબુ, ઢેખારો, વપરાયેલી દવાના પિચરક. સાબુ તો ક્યાં એ વખતે હતાં? તેલવાળા કે ચીકણાં વાસણ માટીથી જ કોરા કરીને ઘસાય. એકદમ ચાંદી જેવા અને પિત્તળના વાસણ સોના જેવા ચમકાવવાની મઝા પડે!!! કોરા કરવાના નહી પણ બાજુમાં એક બેસવા માટે લાંબી નાની ઓટલી પણ ઊંધા પાડવાના એટલે તાપમાં સરસ કોરા થઈ જાય.

નદી કિનારે કેવી રીતે કપડાં ધોવાય? વાત્રક નદીએ જવા માટે તારા ઘરની સામે એક નાની ગલી માંથી પસાર થઈને ઢાળ ઉતારવાનો. કપડાં ભરેલું સ્ટીલનું ટબ તે માથે લીધું હોય ને મેં હાથમાં નાની ડોલ, સાબુ બ્રશ અને લાકડાનો પાયો ( ધોકો) પકડ્યો હોય. તુ આગળ અને હું પાછળ ચાલુ. ઢાળ ઊતરીને નદીના વહેતાં પાણીમાં કપડાં ધોવા એ એક માસ્ટરી છે. પત્થર પર સાબુ બ્રશ કરીને પાયા મારવાના અને છુટ્ટા વહેતાં પાણીમાં કપડાં નીતરવાના….. એ પાણીમાં કપડાં છુટ્ટા થાય અને એ કપડાં સાથે રમત કરવાની મને મઝા પડે. છેલ્લે બે ચાર કપડાં હું ધોવા માંગુ. મારાથી કપડાં વહેતાં પાણીમાં તણાઈ જાય અને તે લેવા હું પાણીમાં દોડું. માટે જ માસી મને “મહોતા “ ધોવા આપે એટલે તણાઈ જાય તો પણ વાંધો નહીં. મને એમ થાય કે આવી રીતે વહેતાં પાણીમાં કપડાં ધોતાં મને ક્યારે આવડશે? ( બસ એ સમયે માસી સાથે મહોતા ધોયા પછી કદી નદીમાં કપડાં ધોયા નથી - હા, માસી સાથે હોય ત્યારે જ જવાય. ) 

 તારી સાથે આ નદીએ કપડાં ધોવા જવાનું બહુ ગમતું. 

સરસ મજાની રસોઈ બનાવવી તે શીખવાડી. સંજયભાઈ માટે રોટલી બનાવવાનું આવે ત્યારે ગમે. અંદર નાનું રસોડું, સાંકળી ચોકડી અને એ જ તારી હૂંફ વાળું રસોડું ત્યાં બેસી જમવું અને જમવાનું બનાવવું ખૂબ ગમે. 


 બીમારીમાં માસી જોઈએ જ :-


તાવ આવે કે શરદી સળેખમ થાય, ડૉ.વ્યાસ સાહેબની દવા લઇને સીધુ માસીને ઘરે જ જવાનું. ડોક્ટરની દવાનો અને તારા પ્રેમનો બંન્ને ડોઝ એક સાથે મળી જાય એટલે તરત જ રાહત. જો કોઈ સંજોગોમાં બિમારી વખતે માસીને ઘરે ન જવાયું હોય તો, સંદેશો મોકલાવવો પડે, માસી તુ આવીને માથે હાથ ફેરવે ને ખબર અંતર પૂછે એટલે તરત બેઠા થઈ જવાય. માસી આવે એટલે તરત ચેતના આવી જાય.


નાનપણમાં મને પીળીયો થયેલો ત્યારે એક મહીના સુધી તારા ઘરે રહેવા મળ્યું હતું. તારા હાથના બાજરીના રોટલા અને મગ અને મધ પણ…. જલ્દી જલ્દી આરામ થઈ જાય!!! 


મારા સીમંત પછી માસી અઠવાડિયે બે વખત આવે જ. મારે આ સમયે શું ખાવું, તંદુરસ્ત બાળક માટે કેવો આહાર વિહાર રાખવો તે સમજાવે. મમ્મીને પણ મારા માટે શું ( વસાણું- ગુંદર- મેથીપાક- સૂંઠ/ ગંઠોડા વગેરે…) ખવડાવું અને ડિલિવરી પછી શું તૈયાર રાખવું તે સલાહ આપે. મને ને મમ્મીને ઘણું બધું શીખવે. 


માસીના ઘરે જવું ગમે :-


 દર અઠવાડિયે મમ્મી સાથે માસીના ઘરે જવુ ગમે. ચાલતાં ચાલતાં પાછલા રસ્તે ઘાંચીવાડા માંથી જવાનું. એટલો આનંદ હોય કે ના પૂછો વાત!!! ક્યારેક રાત્રે પણ જઈએ. 

માસીના ઘરે પ્રવેશવા પાછળ નાની બારણી જેવો પ્રવેશ દ્વાર! નાના બારણાં માંથી પ્રવેશી ચાર પાંચ પગથિયાં નીચે ઉતરીને ઘરમાં પ્રવેશ કરવાનો અને સીધું જ હીંચકા પર. આખી દુનિયાનો આનન્દ અને સુખ અહીં જ મળે. 

ચેતુ બેન જીજા આવે ત્યારે અવશ્ય જવાનું. જાતજાતની વાતો કરવાની/ સંભાળવાની અને નવું નવું માસી ખાવાનું બનાવે તે ખાવાનું….. માસી અમારા માટે કંઇક ને કંઇક ખાવાનું રહેવા દે. જે બનાવ્યું હોય તે ખાવાનું અને માસીના હાથનું બધુ જ ભાવે.

સંજયભાઈ સાથે વાંચવા જાઉં ત્યારે માસી અમારા માટે મનગમતા નાસ્તા બનાવે. ઉનાળાના દિવસોમાં, હું ને સંજય રાત્રે શેરીમાં ઓટલા પર કે ખાટલા પર સરકારી સ્ટ્રીટ લાઈટમાં મોડા સુધી વાંચીએ અને લખીએ. અમે ભણીએ અને માસી ખુશ થાય અને અમારી સેવામાં હાજર.

માસી મારી પાસે તો તારી ઘણી બધી વાતો છે પણ મમ્મી સાથેની તમારી વાતો અને સાચા હૃદયનો પ્રેમભાવ અને લાગણીઓ પણ હું જાણું છું. તમારા બંને બહેનોના પ્રેમનો સમુદ્રમાં હંમેશા મેં ભરતી જ જોઈ છે કદી ઓટ નથી જોઈ. અને આ જ પ્રેમ મેં પણ અનુભવ્યો છે. 



આજનાં પ્રસંગે બસ પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે , માસીના આત્માને શાંતિ આપે અને વૈંકુંઠમાં વાસ થાઓ. 








Thursday, 19 September 2024

ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ : 2 નગર પ્રાથમિક શાળા નંબર ૩૩, ભાઈકાકા નગર બાકરોલ આણંદ.૧૯/૯/૨૪

જીસીઇઆરટી , ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , આણંદ
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – ૨૦૨૪ – ૨૫       

          વિજ્ઞાન કૃતિ 

વિભાગ : 2
Transport and communication

નગર પ્રાથમિક શાળા નંબર 33, ભાઈકાકા નગર બાકરોલ આણંદ.


કૃતિનું નામ : સાદો વિદ્યુત પરિપથ 

કૃતિનો સિદ્ધાંત : વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર.



બાળ વૈજ્ઞાનિકોનાં નામ : 

૧. નૌમાન વસિમભાઈ મલેક 
૨. સેફિલ સમીરભાઈ વહોરા 

Saturday, 14 September 2024

બેગલેસ ડે Activites , ન. પ્રા. શાળા નંબર 33, ભાઈકાકા નગર, બાકરોલ આણંદ.

આજરોજ અમારી શાળા શાળા નંબર 33 ભાઈ કાકા નગરમાં બેગલેસ ડે અંતર્ગત બાળકોને માટીકામ અને કુંભારીકામ શીખવવામાં આવ્યું. માટીકામ શીખવવા માટે શાળામાં શ્રીઅશ્વિનભાઇ આવેલ હતા. શ્રી અશ્વિનભાઈ ઘરેથી જરૂરી સામાન લઈને આવ્યા હતા. જેમકે, ચાકડો, માટી અને અન્ય જરૂરી સામાન. સૌ પ્રથમ આ ભાઈએ માટી કેવી રીતે તૈયાર કરવી તેની સમજ આપી.  કેવી માટી પસંદ કરવી. આ બઘી સમજ આપી. માટીને ચાળીને ઝીણી કરતાં શીખવ્યું. માટી કામમાંથી કયા કયા પ્રકારની વસ્તુઓ બને છે તેની  સમજ આપવામાં આવી. ત્યારબાદ બાળકોને  કુંજો, પાણીનો ગ્લાસ,  કુલડીઓ  અને ગલ્લો ચાકડા પર કેવી રીતે બનાવાય તે સમજાવ્યું. 


માટીમાંથી બનતાં વાસણો અને માટલાં પણ બનાવી બતાવ્યા. આ તમામ માટીની વસ્તુઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું.  ત્યારબાદ બાળકોને વારાફરતી  બોલાવીને માટીકામ શીખવવામાં આવ્યું હતું. બાળકોએ સૌ પ્રથમ વખત આ રીતે કામ કર્યુ હતુ તો બાળકો ખૂબ જ ઉત્સાહિત હતાં. બાળકોમાં નવું નવું બનાવવાનો, જાણવાનો અને શીખવાનો અનોખો ઉત્સાહ જણાયો. બાળકોએ પણ સરસ મજાનાં નાનાં મોટાં અને વિવિઘ કોડિયાં, ગલ્લા, ગ્લાસ અને કુલડીઓ બનાવી. આવેલ ભાઈ બાળકોને ખૂબ સરસ રીતે શીખવતા હતા. આમ, ઘણી બધી માટીનો ઉપયોગ કરીને બાળકોએ ઘણું સારું કામ કરી બતાવ્યું. માટીમાં રમ્યા પણ ખરાં. અંતે બઘી જ વસ્તુઓનું એક પ્રદર્શન ભરીને બાળકો સાથે એક ગૃપ ફોટો લેવામાં આવ્યો. આ પણ એક એવી કલા છે જેનાં વડે બાળકો ભવિષ્યમાં દ્રવ્ય ઉપાર્જન કરી શકે. આમ, શાળામાં બેગ લેસ ડે અંતર્ગત માટી કલાકારી શીખવવામાં આવી અને માટી કલાકારી કરવામાં આવી. 




બેગલેસડે અહેવાલ 


આર્ટ એન્ડ ક્રાફટ 


આજરોજ અમારી નગર પ્રાથમિક શાળા નંબર 33 માં બેગ લેસ ડે અંતર્ગત આર્ટ એન્ડ ક્રાફટ કરાવવામાં આવ્યું.


  શાળામાં આવેલા બે ભાઇઓએ બાળકોને અગાઉ બનાવેલાં માટીનાં કોડિયાં અને માટીમાંથી બનાવેલ અન્ય વસ્તુઓને કેવી રીતે શણગારવુ તે શીખવાડ્યું. જુદા જુદા રંગો અને પીંછીની મદદથી બાળકોને માટીનાં કોડિયાં રંગ્યા. બાળકોએ પણ પોતાની સૂઝ સમજ વડે અલગ અલગ રંગો વડે આકર્ષક બનાવ્યાં. સુકાઈ ગયા બાદ તેની ઉપર  ગોળ, લંબગોળ અને ચોરસ આકારના કાચના ટુકડાઓ ચોંટાડી સરસ રીતે સજાવ્યાં.


  ઉપરાંત બાળકોને રંગીન કાગળ માંથી કાતર વડે કટિંગ કરીને સુંદર વસ્તુઓ બનાવતાં શીખવાડી. રંગબેરંગી ફૂલો અને કાગળ માંથી બનતી અન્ય વસ્તુઓ બનાવતાં શીખવાડી. બાળકોએ સુંદર મજાની કાગળ માંથી વસ્તુઓ બનાવી. બાળકો આજે આ આર્ટ એન્ડ ક્રાફટ તાલીમ માંથી ઘણું શીખ્યા અને શીખવાડ્યું. બાળકોને ખૂબ આનંદ આવ્યો. કંઇક નવું શીખ્યાનો આનંદ માણ્યો. સૌ બાળકો ખુશ હતાં. આવી તાલીમોથી બાળકો ઘણું શીખે છે અને ભાવિ જીવનમાં ઉપયોગ કરી દ્રવ્ય ઉપાર્જન પણ કરી શકે છે. 


Thursday, 5 September 2024

ચિત્ર વર્ણન કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ( ધોરણ ૫ થી ૮ નાં બાળકો માટે ખાસ)

નમસ્તે વ્હાલા બાળકો,

એક આદર્શ ચિત્ર વર્ણન કેવી રીતે કરી શકાય ? તે જોઈએ. 

* ચિત્ર વર્ણન અર્થ સભર હોવું જોઈએ.
* ચિત્ર વર્ણન ભાવવાહી હોવું જોઈએ.
* લય બદ્ધ હોવું જોઈએ.
* રસપ્રદ હોવું જોઈએ.
* એક સળંગ વાર્તા સ્વરૂપે વર્ણન કરેલું હોવું જોઈએ.
* પાંચ છ અલગ અલગ વાક્યો સ્વરૂપે કરવાં કરતાં એક વાક્ય પછીનું વાક્ય એકબીજા સાથે બંધાયેલું રહે તેમ લખવું.



@  પ્રથમ ચિત્ર જોઈને વર્ણન માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોની એક અલગ જગ્યાએ યાદી બનાવવી. 

@  આ તમામ શબ્દોનો અર્થ સભર ઉપયોગ કરીને અનુબંધિત વાકયો લખવા.

# અહીં એક નમુના માટે ઉપર મુજબ આપેલા ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તમારી રીતે પણ કરી શકો છો. 


( FLN અંતર્ગત લેખનમાં  હોશિયાર બાળકો માટે જો કોઈ જગ્યાએ માર્કસ  કપાય છે તો ફક્ત અને ફકત ચિત્ર વર્ણનમાં. બાળકો બાળકની કક્ષા મુજબ પાંચ છ વાક્યોમાં વર્ણન તો કરે છે, પણ એક શિક્ષક બાળકને પૂરેપૂરા ગુણ આપવા ઈચ્છતા નથી કે આપી શકાય તેમ લખાણ પણ હોતું નથી. તો આવા બાળકોને બે ત્રણ ગુણ ઓછા આવે છે

તો આવાં બાળકો માટે, આ ઉદાહરણ રૂપે તૈયાર કરેલું ચિત્ર વર્ણન છે. તમારા બાળકોનાં ગ્રુપમાં મોકલી શકો છો, જેથી બાળકોને માગૅદશૅન મળી રહે. )

Saturday, 31 August 2024

Congratulations Lot 🎉👏 To Yogesh Pandya. 🌹👏🎉🌹🌹


ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, ભાઈશ્રી ,

શ્રીયોગેશકુમાર નરેન્દ્રભાઇ પંડયા. 
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો. 



હંમેશા નમ્ર બની રહે. 




   નાનપણથી જ જે કામ જોતાં જોતાં મોટાં થયાં હોય તેવા અમારા માતૃછાયા પરિવાર માટે સન્માન, એવોર્ડ એ બધું  ફક્ત સન્માન પૂરતું ન રહેતાં, તેનાં મૂળિયાં સેવા, શિક્ષણ, પરોપકાર, દેશપ્રેમ અને શ્રેષ્ઠ ભાવિ નાગરિકોનું યોગ્ય ઘડતર જ હોય કે બીજુ કંઈ? 

   માતા પિતા પાસેથી જે પામ્યાં છીયે તે અમારી ભાવિ પેઢીને આપીને સંતોષ પામ્યાં છીએ.

માટે જ માતૃછાયા પરિવારને  સન્માન અને એવોર્ડનું ઘમંડ કદી હોતું નથી.  આ પ્રાપ્તિ સહજ નમ્ર બની કરેલાં કાર્યોનું પરિણામ છે. જેની કદી આશા કે નિરાશા નથી હોતી. મળ્યું તો ખુશ ન મળે તો પણ કામમાં વ્યસ્ત રહેવું એ જ આનંદ. 


દેશપ્રેમ:- ગળથૂથીમાં જ. 
સ્વતંત્ર્ય સેનાની નાં પુત્રો, પૌત્રોનું સન્માન.


શ્રેષ્ઠ શિક્ષક કામગીરીના સંસ્કારો પણ ગળથૂથીમાં જ.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની પ્રાપ્તિ.

સમાજ દ્રારા અભિનંદન.


શિક્ષક હંમેશા શીખતો અને શીખવતો જ રહે છે. એમાં જ એની પ્રગતિ થાય છે.  દરેક ક્ષેત્રમાં શીખીને શીખવવું, આગળ વધવું અને શાળાનાં બાળકોને આગળ લઈ જવાં.

શ્રી જાગૃતિ પંડ્યા દ્રારા સવિનય અભિનંદન.
કારણકે  મોટાંને અભિનંદન ન કહેતાં નમસ્કાર કરવાથી નાનાં સન્માનિત થાય અને પ્રેરણા મેળવે.


संगीत है शक्ति ईश्वरकी; हर स्वर में बसे हैं राम,
रागी जो सुनाए रागिन; तो रोगी को मिले आराम।


સંગીતના સંસ્કારો તો ગર્ભના જ સંસ્કારો છે. મમ્મી પાસેથી સંગીત દ્રારા શિક્ષણ મેળવ્યું અને સંગીત દ્રારા શિક્ષણ બાળકોને આપ્યું. એક એક વારસાઈ આગળ વધી રહી છે અને ઉપયોગ પણ થાય છે.


ધર્મના સંસ્કારો:  યોગેશ પંડયા એટલે યોગકુમાર,
દર વર્ષે વિશ્વ યોગ દિવસે આખા ગામને યોગ કરાવે અને યોગના રંગે રંગાવે. 

ધર્મ પત્નિ નો હરહંમેશ સાથ સહકાર. યોગેશનો પડછાયો એટલે જ ભાવના. ભાવના એટલે તમામ પ્રગતિના સહયોગી, સલાહકાર, શુભ ચિંતક અને પડદા પાછળનો મુખ્ય રોલ. કહેવાય છે ને કે, ' દરેક પુરુષની પ્રગતિ પાછળ કોઈ એક સ્ત્રીનો સાથ સહકાર હોય છે ' હા, તે જ ભાવના. 

શાળા પરિવાર પણ હમેશા અડખે પડખે.


શાળાના બાળકો એ જ યોગેશ પંડયાનું સર્વસ્વ. " સાથે રમીએ, સાથે જમીએ સાથે કરીએ સારાં કામ." અહીં સાર્થક જણાય છે. ગાવું, રમવું, ખાવું, ,,,,,, સાથે બાળકો જ હોય.

સંગીત અને સંગીત વાદ્યો પ્રત્યે અનોખો પ્રેમ. બધુ જ થોડાં ઘણાં અંશે વગાડી જાણે. કદાચ  બધામાં, કશાયમાં સંપુર્ણ નહી  હોય તો અપૂર્ણ પણ નહી જ હોય.


ઘરે ભલે સાવરણી ન પકડી હોય પણ શાળામાં તો પકડે જ!!! શા માટે ? બાળકોને માટે. શિક્ષક કરશે તો અને તો જ બાળકોને કહેવું પણ નહી પડે અને કરશે. માટે શાળામાં કરે. 





અરે ભાઈ, આ તો અમારા માતૃછાયા પરિવારનો રાજા છે.

 "  એ તો મારા ઘરનો વાઘ છે." 

મમ્મી પપ્પાનું જોઈને તુ શીખ્યો, તારું જોઈને હું શીખી, અને નાનકો,,,, ( ડૉ. ભાવેશ પંડયા )

નાનકો તો બધાનું  મૂલ્યાંકન કરે!!!!
અમને સૌને તે શીખવે!!!! 

આવો સન્માનીય પરિવાર મેળવી જીવનને ધન્ય સમજુ છું અને પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Once Again A Big Congratulations 🎉 👏 
Mr. Yogesh Pandya. 
Keep it up and Go ahead.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Sunday, 4 August 2024

આત્માની ઓળખ એ જ ઉત્તર

આત્માની ઓળખ એ જ ઉત્તર 

અનેક જન્મોથી આપણે આ મનુષ્ય જન્મ સંચીત કર્મોનો ભોગવટો કરવા માટે મેળવતા આવ્યા છીએ. અને આ જન્મ અને મરણનું કારણ સ્થૂલ-સૂક્ષ્મ અને કારણ શરીર છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તે સ્થૂલ દેહને જ આપણે જીવભાવ આપી દીધો છે. (પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ) તે આ શરીર જડ છે. પ્રકૃતિના પાંચે તત્વો પણ જડ છે. તો આ શરીર પણ જડ તત્વમાંથી બનેલું હોવાથી તે પણ જડ છે.હવે સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે. તે જોઈએ. પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન- બુધ્ધિ- ચિત્ત અને અહંકારમાંથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે.આ ૧૪ તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલ છે. આ સૂક્ષ્મ શરીર પણ જડ છે.હવે કારણ શરીર વિષે જોઈએ તો તે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર વિષેનું જે અજ્ઞાાન છે તેજ કારણ શરીર છે. આ કારણ શરીર પણ જડ છે. આ કારણ શરીરને ન જાણવાથી જ આ જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે.જેના અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય તેને જ આત્માને ઓળખવાની આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવવાની જીજ્ઞાાસા ઉત્પન્ન થાય છે. આ આત્માની ઓળખ તે અનુભવવાની વસ્તુ છે. તેને પ્રત્યક્ષ સ્વરૃપે જોવાનીં વસ્તુ નથી. આપણા અનેક ઋષી મુનિઓના અનેક વર્ષો સ્વરૃપે જોવાની વસ્તુ નથી.આપણા અનેકઋષી મુનિઓના અનેક વર્ષો નીં તપસ્યાના ફળ સ્વરૃપે આ આત્મજ્ઞાાન પ્રભુએ તેમને આપ્યુ અને તેમનીં વાણી દ્વારા સગ્દ્રંથોના ફળ સ્વરૃપે આપણને આજના સમયે પણ સંતો આ જ્ઞાાન પીરસી રહ્યા છે.આ આત્માનું કોઈ પ્રત્યક્ષ સ્વરૃપ નથી. તે ફકત અનુભવવાની જ વસ્તુ છે. આપણો આત્મા એ જ પરમાત્માનોં આત્મા છે. આ આત્મા અજન્મા છે. જન્મ તો શરીરનો થાય છે. અને મૃત્યુ પણ આ જડ શરીરનું થાય છે. આ આત્માતો અજર-અમર છે. તેને જન્મ મૃત્યુ નથી તે સત ચીત્ત અને આનંદ સ્વરૃપ છે. તે નિત્ય છે, અવિભાજ્ય છે. અવિનાશી છે.તેઆ સંસાર ન હતો ત્યારે પણ આ આપણું આત્મસ્વરૃપ ચૈતન્ય હતું. આ સંસાર આત્યારે છે ત્યારે પણ આ આપણું આત્મ સ્વરૃપ રૃપી ચૈતન્ય રહેલું છે અને આ સંસારનો નાશ થશે ત્યારે પણ આ આત્મસ્વરૃપી ચૈતન્ય રહેશેજ. ટૂંકમાં આ ચૈતન્ય પહેલાપણ હતું અત્યારે પણ છે. અને પછી પણ રહેશે. જેનો જન્મ છે. અથવા જેનું સર્જન થયેલું છે તે આ શરીર હોય કે કોઈપણ જડ પદાર્થ હોય તેનું મૃત્યુ અથવા તેનો નાશ છે જ.આ આત્માને જન્મ-મરણ છે જ નહીં. હું જનમ્યો જ નથી તો મારું મૃત્યુ કેવી રીતે હોય. જન્મ મરણ તો આ શરીરનાં છે. આત્માને તો રોગ નથી. દોષ નથી, અપૂર્ણતા નથી. અંત નથી સુખ નથી. દુ: ખ નથી. પોતાનું પારકું નથી ઠંડી કે ગરમી નથી મારું કે તારું નથી. આ આત્માતો અખંડ છે. નિત્ય-શુધ્ધ બુધ્ધ છે. સત્યમ-જ્ઞાાનમ-અનંતમ અને બ્રહ્મસ્વરૃપ છે. આ આત્મસ્વરૃપનું જ્ઞાાન કોઈ આપી શક્તું નથી. આત્માને પણ આત્મા એવું નામ આપણે આપ્યું છે. બાકી તેતો નેતિ-નેતિ છે.તેનો આદિ કે અંત નથી. ભગવાન પ્રસન્ન થાય તો તે પણ જે જોઈએ તે વરદાન આપી દે છે. પરંતુ આત્મસ્વરૃપનું જ્ઞાાન તો ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો જ આપી શકે છે. જેણે આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવી લીધુ તેના જન્મ-મરણ રૃપી ફેરાનો અંત આવી જાય છે.જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે. તેને પાપ પુણ્ય જેવું કાંઈજ રહેતું નથી. વ્યવહાર દ્રષ્ટિએ સંસારના દરેક કાર્યો તથા સંસારની દરેક ફરજો તે બજાવે છે. અને વિદેહી તરીકે જ તે વ્યકિત જીવન જીવે છે. કારણકે સત-ચિત્ત અને આનંદ સ્વરૃપ આત્માને તે વ્યકિતએ ઓળખી લીધો છે. તેથી તે વ્યકિતનો આ છેલ્લો જ જન્મ છે. આત્માને ઓળખનારનો પુનર્જન્મ નથી. પરંતુ આ જન્મમાં જ જો આત્માને ન ઓળખ્યો આત્મ સ્વરૃપનું જ્ઞાાન ન મેળવ્યુ તો તે વ્યકિતનો પુનર્જન્મ છે છે છે અને છે જ. વિજળીના સાધનો પંખો-ટયુબલાઈટ વિગેરે માં જેમ વિજળીના લીધે જ તે પ્રકાશી શકે છે. તેમ આ જડ શરીરમાં આત્માનો પ્રકાશ છે. તેને લીધેજ આ શરીર જીવ ભાવ પ્રાપ્ત કરે છે. આત્માના પ્રકાશ વિના આ શરીર એક સળીના બે કટકા પણ નથી કરી શકતું. અને આત્માના પ્રકાશ વિના આ શરીર મડદા સમાન છે.

Sunday, 21 July 2024

બાળક મારો ગુરુ!!!! 🙏🌹🙏✍️📚✍️


              બાળક મારો ગુરુ! 

હું શીખવું થોડું,

      ને 

તું શીખવે ઘણું … બાળક મારો ગુરુ! 

વર્તમાનમાં રહેવું,

     ને 

બધું ભૂલી જવું… બાળક મારો ગુરુ! 

આજની વાત આજે,

    ને 

કાલે નવું નવું…. બાળક મારો ગુરુ! 

કદી રિસાય તો છે,

      ને 

તરત માની જાય તુ… બાળક મારો ગુરુ! 


લડ્યાં ઝગડ્યાં બહું ,

        ને 

ફરી સાંજે રમે ભેળાં… બાળક મારો ગુરુ! 

નિર્દોષ નિખાલસ 

     ને 

સાચે સાચું કહેનાર તું… બાળક મારો ગુરુ! 


કપટ નથી લગીરેય,

      ને 

ભોળું ભટાક તુ… બાળક મારો ગુરુ! 


હસતાં ખેલતાં કૂદતાં 

      ને 

લગીરેય દુઃખી ન થાતાં… બાળક મારો ગુરુ! 










Saturday, 20 July 2024

જીતાડવાનો આનંદ અને હારવાની ખુશી!!!!!!


શાળામાં રમવાના ઘણાં ઓછાં પ્રસંગો બને છે. બાળકો રમે પણ શિક્ષકો કાંતો પ્રેક્ટિશમાં હોય કાંતો નિર્ણાયકમાં.


   ઘણાં સમય પહેલાં  દેવાંશીબેને મને કહેલું કે, આપણે ચેસ રમીશું. મેં કહ્યું, હા વાર્ષિક પરીક્ષા પરિણામ પછી જો કદાચ સમય મળે તો રમીશું પણ કંઈ મેળ ન પડતો. 


   મને પણ ખૂબ જ ખુશી હતી કે કોઈ સ્ત્રી સાથે રમવાનું છે. અત્યાર સુધી એવું કદી બનેલું નહી કારણકે ઘણી ઓછી સ્ત્રીઓ ચેસ રમતી હોય છે માટે મને દેવાંશી સાથે રમવાનો આનંદ હતો. 


 આજે અચાનક જ ગૌરીવ્રત નિમિત્તે શાળામાં joyful Saturday નું આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોને જમાડ્યા પછી છેલ્લો અડધો કલાક અમે ફ્રી હતાં એમાંય વળી આજે વિશ્વ શતરંજ દિવસ!!!! આજના દિવસે મળેલ તક ગુમાવાય તેમ નહોતી. ભલે ઓછો સમય રહ્યો. 


   શતરંજની બાજી ગોઠવાઈ ગઈ! આમને સામને ખેલાડીઓ ગોઠવાઈ ગયા! ચાલ શરુ થઈ.  બન્ને ખેલાડીઓમાં ભરપૂર આત્મવિશ્ર્વાસ હતો. આત્મ વિશ્વાસ સાથે અને એ પણ ઘણાં વર્ષો પછી બંન્ને રમવા બેઠાં હતાં. બંન્ને ખેલાડીઓ બાળપણમાં રમ્યા હતા. રમતના નિયમો એકબીજાને સમજાવી રમતની શરૂઆત થઈ. વચ્ચે વચ્ચે ઘણાં બધાં ખલેલ સાથે અમે ચાલ ચલાવી જાણતાં હતાં. મને થોડો Over Confidence અને થોડો વધારો ડિસ્ટર્બન્સ પણ ખરો!!!  મારી ઘણી ચાલો ઉતાવળમાં લેવાઈ ગઈ. જાણવા છતાં ઉતાવળિયા પગલાં ભરાઈ ગયાં. હજુ હું મારા જીતવા માટે એટલી ગંભીર નહોતી. મારી સાથે પ્રથમ વખત રમનાર દેવાંશી અને અમારી રમત પણ પહેલી વખત રમાઈ જેથી મેં મારી વ્યવસ્ત્તા વચ્ચે ઢીલું મૂકેલું.


     મને જીતવાનો નહી, જીતાડવાનો આનંદ હતો. દેવાંશીની એકાએક ચાલ પર મારી નજર હતી. એના એકાએક સ્ટેપ પર હું ફિદા હતી. એ કઈ કઈ ચાલો સાથે રમતી હતી તે જોવામાં મને વધારે રસ હતો. એની એકાએક ચાલ એનું વ્યક્તિત્વ છતું થતું હતું. આજ્યારે દેવાંશીના શતરંજજે મારે જીતવું નહોતું પણ next જીતવા માટે એની ચાલ અને સ્ટેપ પર મારી કડી નજર હતી. આમ તો એનાં સ્ટેપ પરફેક્ટ હતાં જ!!! જો એ ધારત તો થોડાક જ સ્ટેપમાં મને હરાવી શકતી. પણ મારે એના બધાં જ સ્ટેપ જોવા હતાં માટે મેં થોડું વધારે ખેંચ્યું!! અને અંતે દેવાંશી વિજેતા બની.  દેવાંશીના જીતવા માટેના સ્ટેપ હું જોતી હતી ત્યારે મને નારદમુનિ સાથે  વિધાતાએ  કર્મોના સ્ટેપની વાત  કરેલી અને એ મુજબ લેવામાં આવતાં સ્ટેપની વાત યાદ આવી ગઈ!!!! 


  આજનાં પ્રસંગને અનુરૂપ નારદમુનિની વાર્તા જોઈએ. 


     

     એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ નક્કી કરી રહ્યા હતા.નારદજી ત્યાં આવ્યા અને પૂછ્યું, ‘શું કરો છો.’ ચિત્રગુપ્તે કહ્યું, ‘બસ, કંઈ નહિ નારદજી, અમે શતરંજ રમી રહ્યા છીએ…’ નારદજીને નવાઈ લાગી કે, ‘અહીં નથી કોઈ શતરંજ બિછાવેલી…નથી કોઈ કાળાં-ધોળાં પ્યાદાં તો પછી આ બધા વિના શતરંજની રમત કઈ રીતે રમી શકાય?’ તેમણે કહ્યું, ‘શા માટે મારી જોડે મજાક કરો છો? અહીં કયાં શતરંજ બિછાવેલી છે કે કયાં કોઈ પ્યાદાં છે તો પછી કઈ રીતે શતરંજ રમી શકાય,તમે શું કરો છો તે તમારે મને ન કહેવું હોય તો ન કહો, પણ આમ ખોટું તો ન બોલો.ન કહેવું હોય તો તમારી મરજી. બાકી મને ખબર છે તમે શતરંજ તો નથી જ રમી રહ્યા….’ આટલું બોલી નારદજી થોડી રીસ સાથે ત્યાંથી જવા લાગ્યા. ચિત્રગુપ્ત અને વિધાતા હસ્યા અને પછી દોડીને નારદજીને અટકાવતા બોલ્યા, ‘દેવર્ષિ, આમ નારાજ ન થાવ.જરા શાંત થઇ બેસો.અમે ખોટું નથી બોલતા.શીતલ જલ પી ને મન શાંત કરો એટલે તમને સમજાવીએ કે અમે સાચે શતરંજ જ રમીએ છીએ.’


નારદજી બેઠા.વિધાતાએ કહ્યું, ‘દેવર્ષિ, તમને સમજાવું આ શતરંજની રમત. આ સૃષ્ટિ આખી શતરંજ છે અને સૃષ્ટિ પર રહેતાં બધાં જીવ પ્યાદાં છે.જીવ – મારી સાથે એટલે કે પોતાના વિધાતા સાથે સતત શતરંજ રમે છે.જીવ જે જે કર્મો કરે છે …જે જે ઈચ્છા કરે છે …જે જે પ્રયત્નો કરે છે …તે બધી તેની શતરંજની ચાલ છે અને જીવ જે જે ચાલ ચાલે છે, જીવનમાં આગળ વધે છે કે સારાં કર્મો કરે છે તે અહીં તેના ખાતામાં પુણ્ય તરીકે લખાય અને જે જે ભૂલો કરે છે..જીવનમાં ખરાબ કર્મો કરે છે તે પાપ કર્મો તરીકે લખાય છે. અને દરેક જીવની તેના જીવનની શતરંજની ચાલ જોઇને અમે સામે અમારી ચાલ ચાલીએ છીએ.અને અમારી ચાલ જ આ દરેક જીવના જીવનની શતરંજની દિશા અને પરિણામ નક્કી કરે છે.જીવ જે ચાલ ચાલે છે તે તેની ઈચ્છા અને પસંદ હોય છે અને અમે સામે જે ચાલ ચાલીએ છીએ તે અમારો ન્યાય અને જીવનનું પરિણામ હોય છે.જોયું દેવર્ષિ, હવે તમને સમજાયું કે અમે ખોટું બોલતા ન હતા.અમે શતરંજ જ રમી રહ્યા હતા.’ ચિત્રગુપ્ત અને વિધાતાએ નારદજીના મનનું સમાધાન કર્યું. જીવનની શતરંજમાં હંમેશા એવી ચાલ ચાલો કે સામે રમનાર વિધાતા સારું પરિણામ આપે.


Saturday, 13 July 2024

Day - 1/ બ્રહ્માકુમારી ડૉ. દામિની બહેન 13 થી 16 જુલાઈ.



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Day - 1 

 Place : World of Silence.            ૧૩/૭/૨૦૨૪
   B.K. દામિની બહેન.                              શનિવાર 


Meditation = જુડના 
લૌકિક યોગ - કોઈ વ્યકિત સાથે 
દેવી દેવતા સાથે - અલૌકિક યોગ 
પરમાત્મા સાથે - રાજયોગ ( સર્વોત્તમ યોગ) 


જીવનયોગ :- માટે આત્મા - શરીર હોવું જરૂરી છે.
૫ તત્વોથી શરીર બન્યું છે, આમાં કોઈ કમી આવે તો કોઈ બીમારી આવે.

મેં - મેરા મેં અંતર હે.
આત્માની બિમારી - ગુસ્સો, આળસ, ઈર્ષ્યા, રાગ - દ્વેષ વગેરે…. 

શરીરમાં કોઇ ગરબડ હૉય તો -  આ ૭ ગુણોની બેટરી લો!!! સમજવી. 

આત્મા ૭ ગુણોથી બની છે - ૭ પ્રણાલી ચેક 

૧. જ્ઞાન - નર્વસ સિસ્ટમ ની બીમારીઓ: ચેતા તંત્ર - સંબંધો 

૨. શાંતિ - ૐ મેં આત્મા, શાંત સ્વરૂપ 
   શાંતિ - શ્વસન પ્રણાલી એને રિલેટીવ ગુણ ઓછા થાય છે ત્યારે 

૩. પ્રેમ - ગુસ્સે થયેલા વ્યક્તિને અંતે શાંતિ જોઇએ જ . 
 પ્રેમ : રક્ત પરિવર્તન પ્રણાલી ને બેલેન્સ કરે છે.
કોઇ મિસ understanding કી વજહ સે પોતાનાં પ્યારનો ગુણ બ્લોક કિયા, એમ ઍક સાથે, બીજાં સાથે,,, એમ બ્લોકેજ બની જતું જાય છે. માટે જ after સર્જરી પ્યારથી વર્તવાનું કહે છે. 
તમે ગમે તેટલા સારા ન્યુટ્રીશ્યન / વિટામિન્સ લો પણ આ સાત ગુણો માં અસમલુતા હશે તો ગરબડ થશે.
કોલેસ્ટરોલ : પ્યારકી બલોકેજ.
આ બધાં જ blokej ની અસર આપણા શરીર પર પડે છે.

૪. પવિત્રતા : આ ઇન્દ્રિયોથી કંઈ અપવિત્ર નહી કરવુ.
 બોલના, દેખના, સુનના - આત્મા કો પવિત્ર કરે છે. 
ગલત ગલત બોલવું, સંભાળવું… આ બધાથી આત્માની પવિત્રતા ઘટે છે. 

પ્રવિત્રતા આત્માનો ગુણ છે.

મેઝિક ઓફ મેડિટેશન એમ જ નથી લખ્યુ - આ સાત ગુણોને બેલેન્સ કરે છે. મેડિટેશન થી પોતાની બિમારી દૂર થાય છે.

ડૉ. રોહિત ગુપ્તા - યું ટ્યુબ જોવું. બ્રેઇન ટયુમર મેડિટેશનથી ઠીક કર્યુ. બહુ મોટી ટયુમર હતું - દોઢ વર્ષ પછી ટયુમર મટી ગયું.

૫. સુખ : પાચન ક્રિયા કમજોર થાય છે. ગેસ        એસિડિટી કોઈ ચિંતાથી થાય છે. 

૬. શક્તિ : મસ્ક્યુલર ગુણ બેલેન્સ 
આત્મિક શક્તિની કમીથી માણસ નિર્બળ બની જાય છે.

૭. ખુશી/ આનંદ: હોર્મોન્સ સિસ્ટમ બેલેન્સ કરે છે. 
ખુશી પોતાની અંદર છે, સાધનોથી નથી મળતી, આપણી પાસે છે જ જે મેડિટેશન થી મેળવવાની છે. 

વિધિ સારી તો સિદ્ધિ મળશે.

ભગવાન ભી હમારે કરમમે હસ્ત ક્ષેપ નહી કરતાં.

જે માણસની પાસે બેસવાથી સારુ લાગે - પાવર બેગ કહેવાય 

આપણે આપણા પાસે પાવર બેગ રાખીએ છીએ સમયાંતરે ચાર્જ કરવુ જોઈએ.

માખણ અને વેપારીની કથા. : આપણે જે આપીએ છીએ તે જ મળશે.

દરેક શરીરમાં ૩ ફેકલ્ટી: 

 ૧) મન - વિચાર કરવો. નોર્મલ મન ૫૦,૦૦૦ વિચારો પેદા થાય છે જે વધી રહ્યા છે.ઓવર થીંકિંગ ડિપ્રેશન વધી ગયું છે. હકારાત્મક વિચાર, નકારાત્મક વિચાર, વ્યર્થ વિચાર, આવશ્યક વિચાર. 
પરિસ્થિતિ કોઇપણ હોય હું સકારાત્મક વિચારીશ. 
નાનાં નાનાં બાળકોને સોચના શિખાદો.
જેસી સોચ - સૃષ્ટી બનતી હે.

 ૨) બુદ્ધિ - નિર્ણય લેવાનું કામ કરે છે. બુદ્ધિ જ્ઞાન આધારે નિર્ણય લે છે. પહેલી વખત જૂઠ બોલવું ડર લાગે છે. વારંવાર બનતાં તે સંસ્કાર બની જાય છે.

 ૩) સંસ્કાર - 

 Original સંસ્કાર - સાત ગુણો વાળા સંસ્કાર.
પૂર્વ જન્મ કે સંસ્કાર - જે લઇને આવીએ છીએ.
વારસાગત સંસ્કાર - મમ્મી પપ્પાથી મળેલાં 
સંગત સે સંસ્કાર - મિત્રોથી મળેલાં 
દ્રઢતા કે સંસ્કાર - સારે પ્રોબ્લેમ સોલ્વ થાય છે. 

એક ટીચર - એક શિક્ષા 
દ્રઢતા કે સંસ્કાર કે આધાર પર બેટરી ચાર્જ કરવાની છે.

૭ ગુણો માંથી કોઈ એક ગુણ આગામી ૨૪ કલાક ગુણ કેળવવાનો છે.

 ઉ.દા. પ્રેમ..... પ્રેમ : ભીતર સે હોના ચાહીયે. તમારી શક્તિ વધશે જે મેજિક કરશે. એક ગુણ પાછળ બધાં જ ગુણો પાછળ આવશે જ. 

ઉપવાસ કરીએ ત્યારે જ સારી સારી ચીજો મળે છે. 
માટે જ આજે લીધેલો સંકલ્પનો ફાયદો થશે.

 * આત્મા શરીરમાં રહેવાનું સ્થાન - હાઇપો પિટયુટરી ગ્લેન્ડ વચ્ચે - ભ્રુકુટી   વચ્ચે 

 આત્મા એ શરીરનો ડ્રાઇવર છે. 

ડ્રાઈવર એક જ શીટ પર બેસીને ડ્રાઇવ કરે છે. રિવર્સ માટે પાછલી સીટ પર જતાં નથી.

 આત્માનું સ્વરૂપ - જ્યોતિ 

એડ્રેસ - 

મેરા દર્શન કરના હૈ, તો મેરે જેસા બનકે આઓ. 

મેં કૌન હુ… આ સમજી જાઓ તો અડધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

 * રિયલ ઓળખ સાથે જીવવાનું શરુ કરો.

પ્રેમ સ્વરૂપ આત્મા 
શાંત સ્વરૂપ આત્મા 
આનંદ સ્વરૂપ આત્મા 
શક્તિ સ્વરૂપ આત્મા 
સુખ સ્વરૂપ આત્મા 
પવિત્ર સ્વરૂપ આત્મા 
જ્ઞાન સ્વરૂપ આત્મા 

આ જ આત્માનાં સાચા સ્વરૂપો છે. 











Wednesday, 26 June 2024

लाओ तुम्हारे बच्चें हम इंसान बना देंगे, लोग पूजेंगे इस हम महान बना देंगे। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - ન. પ્રા. શાળા નંબર ૩૧, ધોળોકૂવો બાકરોલ આણંદ.

નગર પ્રાથમિક શાળા નંબર ૩૧, બાકરોલ આણંદ. 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવણી 
 




બાળકોનું  ઢોલ નગારાં વગાડી સ્વાગત કરવામાં આવ્યું.  


આંગણવાડીનાં બાળકોનું સ્વાગત સન્માન.


મહેમાનોનું સ્વાગત  - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.


મહેમાનોનું સ્વાગત - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.


દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.


પાઠ્ય પુસ્તક વિતરણ 


બાલવાટિકા અને ધોરણ - ૧ માં નવા પ્રવેશપાત્ર બાળકો.



વધુ હાજરી ધરાવતાં બાળકોનું સન્માન 




પ્રથમ નંબર મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ.


PSE EXAM પાસ થનારા વિદ્યાર્થીઓનું સન્માન.


બાલવાટિકા બાળકોને કીટ વિતરણ.


નાનાં નાનાં બાળકો...


સાહિત્ય પ્રદર્શન - મુલાકાત ,
ચાલુ વર્ષે ધોરણ ૧ થી ૮ માં અને બાલવાટિકા માં આપવામાં આવેલ સાહિત્ય પ્રદર્શન નિહાળતાં શાળાના બાળકો. 


તિથી ભોજન 




 

     ઉજ્જવલ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવશોત્સવ. તારીખ 26/6/2024 ને બુધવારના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અમારી નગર પ્રાથમિક શાળા નંબર - 31( ધોળાકૂવા) બાકરોલ, આણંદની પવિત્ર ભૂમિ પર યોજાયો.


   મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરણસિંહ પરમાર જેઓ અમારા વોર્ડના કાઉન્સિલર છે . મધુવન ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વિક્રમભાઈ જોગરાણા ઉપસ્થિત હતાં તથા શ્રી રમીલાબેન ,લાયોનેસ ક્લબ આણંદ આવ્યા હતાં.તેમજ દાતાઓ, એસ. એમ. સી. સભ્યો, ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરુઆત શાળાની દીકરીઓ દ્રારા પ્રાર્થનાગીત થી કરવામાં આવી . પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમની શરુઆત કરી. શાળાનાં આચાર્યાશ્રી ગાયત્રીબેન મહિડાએ સૌનું શાબ્દિક ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. 

 બાલવાટિકાનાં બાળકો તથા ધોરણ - 1 માં સીધો પ્રવેશ, આંગણવાડી, શાળા બહાર ના , અન્ય શાળા માંથી આવેલ તમામ ને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. માથે સરસ મજાની ટોપીઓ અને તિલક સાથે સજ્જ બાળકો ખૂબ સુંદર લાગતા હતા. શાળાનાં આચાર્ય અને શાળા પરિવાર દ્વારા આવેલ દાતાઓનું સન્માન શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી કરવામાં આવ્યું. 

     ગત વર્ષે લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે, CET પરીક્ષા, જ્ઞાનસાધના પરીક્ષા, NMMS પરીક્ષા તથા PSE પરીક્ષામાં પાસ થનાર તમામ બાળકોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ ૩ થી 8 માં પ્રથમ નંબર મેળવનાર અને સૌથી વધારે હાજરીના દિવસો હોય તેવાં બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. તમામ બાળકોનાં માતાપિતા કે જેઓ એક જાગૃત વાલી છે, બાળકોનાં અભ્યાસ માટે સજાગ છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. 
      
       મુખ્ય મહેમાન દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શાળામાં આજરોજ સરગવો રોપવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તથા સમગ્ર શિક્ષા દ્રારા આવેલ બાલ વાટીકાથી ધોરણ 8 સુઘી તમામ સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજરોજ શાળામાં દાતા દ્વારા બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું.

 અંતે શાળા પરિવાર, એસ. એમ. સી. સભ્યો સાથે મળીને સમીક્ષા બેઠક શાળાનાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધા નું ભાવિ આયોજન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.