Sunday, 4 August 2024

આત્માની ઓળખ એ જ ઉત્તર

આત્માની ઓળખ એ જ ઉત્તર 

અનેક જન્મોથી આપણે આ મનુષ્ય જન્મ સંચીત કર્મોનો ભોગવટો કરવા માટે મેળવતા આવ્યા છીએ. અને આ જન્મ અને મરણનું કારણ સ્થૂલ-સૂક્ષ્મ અને કારણ શરીર છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તે સ્થૂલ દેહને જ આપણે જીવભાવ આપી દીધો છે. (પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ) તે આ શરીર જડ છે. પ્રકૃતિના પાંચે તત્વો પણ જડ છે. તો આ શરીર પણ જડ તત્વમાંથી બનેલું હોવાથી તે પણ જડ છે.હવે સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે. તે જોઈએ. પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન- બુધ્ધિ- ચિત્ત અને અહંકારમાંથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે.આ ૧૪ તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલ છે. આ સૂક્ષ્મ શરીર પણ જડ છે.હવે કારણ શરીર વિષે જોઈએ તો તે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર વિષેનું જે અજ્ઞાાન છે તેજ કારણ શરીર છે. આ કારણ શરીર પણ જડ છે. આ કારણ શરીરને ન જાણવાથી જ આ જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે.જેના અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય તેને જ આત્માને ઓળખવાની આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવવાની જીજ્ઞાાસા ઉત્પન્ન થાય છે. આ આત્માની ઓળખ તે અનુભવવાની વસ્તુ છે. તેને પ્રત્યક્ષ સ્વરૃપે જોવાનીં વસ્તુ નથી. આપણા અનેક ઋષી મુનિઓના અનેક વર્ષો સ્વરૃપે જોવાની વસ્તુ નથી.આપણા અનેકઋષી મુનિઓના અનેક વર્ષો નીં તપસ્યાના ફળ સ્વરૃપે આ આત્મજ્ઞાાન પ્રભુએ તેમને આપ્યુ અને તેમનીં વાણી દ્વારા સગ્દ્રંથોના ફળ સ્વરૃપે આપણને આજના સમયે પણ સંતો આ જ્ઞાાન પીરસી રહ્યા છે.આ આત્માનું કોઈ પ્રત્યક્ષ સ્વરૃપ નથી. તે ફકત અનુભવવાની જ વસ્તુ છે. આપણો આત્મા એ જ પરમાત્માનોં આત્મા છે. આ આત્મા અજન્મા છે. જન્મ તો શરીરનો થાય છે. અને મૃત્યુ પણ આ જડ શરીરનું થાય છે. આ આત્માતો અજર-અમર છે. તેને જન્મ મૃત્યુ નથી તે સત ચીત્ત અને આનંદ સ્વરૃપ છે. તે નિત્ય છે, અવિભાજ્ય છે. અવિનાશી છે.તેઆ સંસાર ન હતો ત્યારે પણ આ આપણું આત્મસ્વરૃપ ચૈતન્ય હતું. આ સંસાર આત્યારે છે ત્યારે પણ આ આપણું આત્મ સ્વરૃપ રૃપી ચૈતન્ય રહેલું છે અને આ સંસારનો નાશ થશે ત્યારે પણ આ આત્મસ્વરૃપી ચૈતન્ય રહેશેજ. ટૂંકમાં આ ચૈતન્ય પહેલાપણ હતું અત્યારે પણ છે. અને પછી પણ રહેશે. જેનો જન્મ છે. અથવા જેનું સર્જન થયેલું છે તે આ શરીર હોય કે કોઈપણ જડ પદાર્થ હોય તેનું મૃત્યુ અથવા તેનો નાશ છે જ.આ આત્માને જન્મ-મરણ છે જ નહીં. હું જનમ્યો જ નથી તો મારું મૃત્યુ કેવી રીતે હોય. જન્મ મરણ તો આ શરીરનાં છે. આત્માને તો રોગ નથી. દોષ નથી, અપૂર્ણતા નથી. અંત નથી સુખ નથી. દુ: ખ નથી. પોતાનું પારકું નથી ઠંડી કે ગરમી નથી મારું કે તારું નથી. આ આત્માતો અખંડ છે. નિત્ય-શુધ્ધ બુધ્ધ છે. સત્યમ-જ્ઞાાનમ-અનંતમ અને બ્રહ્મસ્વરૃપ છે. આ આત્મસ્વરૃપનું જ્ઞાાન કોઈ આપી શક્તું નથી. આત્માને પણ આત્મા એવું નામ આપણે આપ્યું છે. બાકી તેતો નેતિ-નેતિ છે.તેનો આદિ કે અંત નથી. ભગવાન પ્રસન્ન થાય તો તે પણ જે જોઈએ તે વરદાન આપી દે છે. પરંતુ આત્મસ્વરૃપનું જ્ઞાાન તો ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો જ આપી શકે છે. જેણે આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવી લીધુ તેના જન્મ-મરણ રૃપી ફેરાનો અંત આવી જાય છે.જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે. તેને પાપ પુણ્ય જેવું કાંઈજ રહેતું નથી. વ્યવહાર દ્રષ્ટિએ સંસારના દરેક કાર્યો તથા સંસારની દરેક ફરજો તે બજાવે છે. અને વિદેહી તરીકે જ તે વ્યકિત જીવન જીવે છે. કારણકે સત-ચિત્ત અને આનંદ સ્વરૃપ આત્માને તે વ્યકિતએ ઓળખી લીધો છે. તેથી તે વ્યકિતનો આ છેલ્લો જ જન્મ છે. આત્માને ઓળખનારનો પુનર્જન્મ નથી. પરંતુ આ જન્મમાં જ જો આત્માને ન ઓળખ્યો આત્મ સ્વરૃપનું જ્ઞાાન ન મેળવ્યુ તો તે વ્યકિતનો પુનર્જન્મ છે છે છે અને છે જ. વિજળીના સાધનો પંખો-ટયુબલાઈટ વિગેરે માં જેમ વિજળીના લીધે જ તે પ્રકાશી શકે છે. તેમ આ જડ શરીરમાં આત્માનો પ્રકાશ છે. તેને લીધેજ આ શરીર જીવ ભાવ પ્રાપ્ત કરે છે. આત્માના પ્રકાશ વિના આ શરીર એક સળીના બે કટકા પણ નથી કરી શકતું. અને આત્માના પ્રકાશ વિના આ શરીર મડદા સમાન છે.

No comments:

Post a Comment