Sunday, 2 August 2026

Happy friendship day with God and God's friend.... #NishantPandya


આ સુંદર ફોટો જોઈને મનમાં આ પંક્તિઓ સ્ફુરે છે:

​૧.

"મંદિરના દ્વારે બેઠો છે નિષ્કામ પ્રેમ,

ઈશ્વરની કરુણા જેવો છે આ અનોખો ક્ષેમ."

​૨.

"હાથમાં હાથ દે છે એ મૂંગો જીવ જ્યારે,

સમજાય કે પ્રેમની કોઈ ભાષા હોતી નથી ત્યારે."

​૩.

"તીર્થધામમાં બે જીવોનું આ સ્નેહ-મિલન,

જાણે પ્રભુને પણ પ્રિય એવું એક દ્રશ્ય પાવન."

​૪.

"એક પંજે ઈશ્વરની બંદગી, એક પંજે અબોલ પ્રીત,

મંદિરના આ પ્રાંગણમાં રચાયું અનોખું સંગીત."

Saturday, 24 January 2026

🕉️ શ્રી ગણપતિ અથર્વશીર્ષ 🕉️


🕉️ શ્રી ગણપતિ અથર્વશીર્ષ 🕉️



ૐ ભદ્રં કર્ણેભિઃ શ્રુણુયામ દેવાઃ ।
ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ ।
સ્થિરૈરઙ્ગૈસ્તુષ્ટુવાંસસ્તનૂભિઃ ।
વ્યશેમ દેવહિતં યદાયુઃ ॥
ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ ।
સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ ।
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ ।
સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ॥
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
ૐ નમસ્તે ગણપતયે ।
ત્વમેવ પ્રત્યક્ષં તત્ત્વમસિ ।
ત્વમેવ કેવલં કર્તાસિ ।
ત્વમેવ કેવલં ધર્તાસિ ।
ત્વમેવ કેવલં હર્તાસિ ।
ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ ।
ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ ॥
ઋતં વચ્મિ ।
સત્યં વચ્મિ ॥
અવ ત્વં મામ્ ।
અવ વક્તારમ્ ।
અવ શ્રોતારમ્ ।
અવ દાતારમ્ ।
અવ ધાતારમ્ ।
અવાનૂચાનમવ શિષ્યમ્ ।
અવ પશ્ચાત્તાત્ ।
અવ પુરસ્તાત્ ।
અવોત્તરાત્તાત્ ।
અવ દક્ષિણાત્તાત્ ।
અવ ચોર્ધ્વાત્તાત્ ।
અવાધરાત્તાત્ ।
સર્વતોઽવ મામ્ ।
પાહિ પાહિ સમન્તાત્ ॥
ત્વં વાઙ્મયસ્ત્વં ચિન્મયઃ ।
ત્વં આનંદમયસ્ત્વં બ્રહ્મમયઃ ।
ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ ।
ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ ।
ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોऽસિ ॥
સર્વં જગદિદં ત્વત્તો જાયતે ।
સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ ।
સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ ।
સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ ।
ત્વં ભૂમિરાપોऽનલોઽનિલો નભઃ ।
ત્વં ચત્વારિ વાક્પદાનિ ॥
ત્વં ગુણત્રયાતીતઃ ।
ત્વં અવસ્થાત્રયાતીતઃ ।
ત્વં દેહત્રયાતીતઃ ।
ત્વં કાલત્રયાતીતઃ ।
ત્વં મૂલાધારસ્થિતોऽસિ નિત્યમ્ ।
ત્વં શક્તિત્રયાત્મકઃ ।
ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ ।
ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રઃ ।
ત્વં ઇન્દ્રસ્ત્વં અગ્નિસ્ત્વં વાયુઃ ।
ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ ॥
ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિં તદનન્તરમ્ ।
અનુસ્વારઃ પરતરઃ ।
અર્ધેન્દુલસિતમ્ ।
તારેણ ઋદ્ધમ્ ।
એતત્તવ મનુસ્વરૂપમ્ ।
ગકારઃ પૂર્વરૂપમ્ ।
અકારો મધ્યમરૂપમ્ ।
અનુસ્વારશ્ચાન્ત્યરૂપમ્ ।
બિન્દુરુત્તરરૂપમ્ ।
નાદઃ સંધાનમ્ ।
સંહિતા સંધિઃ ।
સૈષા ગણેશવિદ્યા ।
ગણક ઋષિઃ ।
નિચ્ચૃદ્ગાયત્રી છન્દઃ ।
ગણપતિર્દેવતા ।
ૐ ગં ગણપતયે નમઃ ॥
એકદંતાય વિદ્મહે ।
વક્રતુણ્ડાય ધીમહિ ।
તન્નો દન્તિઃ પ્રચોદયાત્ ॥
એકદંતં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ ।
રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ ।
રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ ।
રક્તગંધાનુલિપ્તાંગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ ।
ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ ।
આવિર્ભૂતં ચ સૃષ્ટ્યાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ ।
એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગવિદ્વરઃ ॥
નમો વ્રાતપતયે ।
નમો ગણપતયે ।
નમઃ પ્રથમપતયે ।
નમસ્તેસ્તુ લમ્બોદરાયૈકદંતાય ।
વિઘ્નનાશિને શિવસુતાય ।
શ્રીવરદમૂર્તયે નમઃ ॥

रुद्राष्टकम

रुद्राष्टकम 





नमामीशमीशान निर्वाणरूपं
विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्
निजं निर्गुणं निर्विकल्पं निरीहं
चिदाकाशमाकाशवासं भजेहम्

निराकारमोङ्करमूलं तुरीयं
गिराज्ञानगोतीतमीशं गिरीशम् ।
करालं महाकालकालं कृपालं
गुणागारसंसारपारं नतोहम्

तुषाराद्रिसंकाशगौरं गभिरं
मनोभूतकोटिप्रभाश्री शरीरम् ।
स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा
लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा

चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं
प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं
प्रियं शङ्करं सर्वनाथं भजामि

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं
अखण्डं अजं भानुकोटिप्रकाशं ।
त्र्यःशूलनिर्मूलनं शूलपाणिं
भजेहं भवानीपतिं भावगम्यम्

कलातीतकल्याण कल्पान्तकारी
सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्दसंदोह मोहापहारी
प्रसीद प्रसीद प्रभो मन्मथारी

न यावद् उमानाथपादारविन्दं
भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत्सुखं शान्ति सन्तापनाशं
प्रसीद प्रभो सर्वभूताधिवासं

न जानामि योगं जपं नैव पूजां
नतोहं सदा सर्वदा शम्भुतुभ्यम् ।
जराजन्मदुःखौघ तातप्यमानं
प्रभो पाहि आपन्नमामीश शंभो

આદિત્ય હૃદય સ્તોત્ર



ॐ ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् ।
रावणं चाग्रतो दृष्टवा युद्धाय समुपस्थितम् ॥1॥
दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् ।
उपगम्याब्रवीद् राममगरत्यो भगवांस्तदा ॥2
राम राम महाबाहो श्रृणु गुह्यं सनातनम् ।
येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसे ॥3॥
आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् ।
जयावहं जपं नित्यमक्षयं परमं शिवम् ॥4॥
सर्वमंगलमांगल्यं सर्वपापप्रणाशनम् ।
चिन्ताशोकप्रशमनमायुर्वधैनमुत्तमम् ॥5॥
रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् ।
पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् ॥6॥
सर्वदेवतामको ह्येष तेजस्वी रश्मिभावनः ।
एष देवासुरगणाँल्लोकान् पाति गभस्तिभिः ॥7॥
एष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः ।
महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपां पतिः ॥8॥
पितरो वसवः साध्या अश्विनौ मरुतो मनुः ।
वायुर्वन्हिः प्रजाः प्राण ऋतुकर्ता प्रभाकरः ॥9॥
आदित्यः सविता सूर्यः खगः पूषा गर्भास्तिमान् ।
सुवर्णसदृशो भानुहिरण्यरेता दिवाकरः ॥10॥
हरिदश्वः सहस्रार्चिः सप्तसप्तिर्मरीचिमान् ।
तिमिरोन्मथनः शम्भूस्त्ष्टा मार्तण्डकोंऽशुमान् ॥11॥
हिरण्यगर्भः शिशिरस्तपनोऽहरकरो रविः ।
अग्निगर्भोऽदितेः पुत्रः शंखः शिशिरनाशनः ॥12॥
व्योमनाथस्तमोभेदी ऋम्यजुःसामपारगः ।
घनवृष्टिरपां मित्रो विन्ध्यवीथीप्लवंगमः ॥13॥
आतपी मण्डली मृत्युः पिंगलः सर्वतापनः ।
कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोदभवः ॥14॥
नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः ।
तेजसामपि तेजस्वी द्वादशात्मन् नमोऽस्तु ते ॥15॥
नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ।
ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः ॥16॥
जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः ।
नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः ॥17॥
नम उग्राय वीराय सारंगाय नमो नमः ।
नमः पद्मप्रबोधाय प्रचण्डाय नमोऽस्तु ते ॥18॥
ब्रह्मेशानाच्युतेशाय सूरायदित्यवर्चसे ।
भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः ॥19॥
तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने ।
कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः ॥20॥
तप्तचामीकराभाय हस्ये विश्वकर्मणे ।
नमस्तमोऽभिनिघ्नाय रुचये लोकसाक्षिणे ॥21॥
नाशयत्येष वै भूतं तमेव सृजति प्रभुः ।
पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः ॥22॥
एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः ।
एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम् ॥23 ॥
देवाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च ।
यानि कृत्यानि लोकेषु सर्वेषु परमप्रभुः ॥24॥
एनमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च ।
कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव ॥25॥
पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् ।
एतत् त्रिगुणितं जप्तवा युद्धेषु विजयिष्ति ॥26॥
अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं जहिष्यसि ।
एवमुक्त्वा ततोऽगस्त्यो जगाम स यथागतम् ॥27॥
एतच्छ्रुत्वा महातेजा, नष्टशोकोऽभवत् तदा ।
धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् ॥28॥
आदित्यं प्रेक्ष्य जप्त्वेदं परं हर्षमवाप्तवान् ।
त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् ॥29॥
रावणं प्रेक्ष्य हृष्टात्मा जयार्थे समुपागमत् ।
सर्वयत्नेन महता वृतस्तस्य वधेऽभवत् ॥30॥
अथ रविरवदन्निरीक्ष्य रामं मुदितनाः परमं प्रहृष्यमाणः ।
निशिचरपतिसंक्षयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति ॥31 ॥

॥ श्री राम रक्षा स्तोत्र ॥Shri Ram Raksha Stotrashri raam

   
॥ श्री राम रक्षा स्तोत्र ॥
Shri Ram Raksha Stotra

shri raam


श्रीगणेशायनम: ।

अस्य श्रीरामरक्षास्तोत्रमन्त्रस्य ।

बुधकौशिक ऋषि: ।

श्रीसीतारामचंद्रोदेवता ।

अनुष्टुप् छन्द: ।

सीता शक्ति: ।

श्रीमद्‌हनुमान् कीलकम् ।

श्रीसीतारामचंद्रप्रीत्यर्थे जपे विनियोग: ॥

॥ अथ ध्यानम् ॥

ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्‌मासनस्थं । पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् ॥

वामाङ्‌कारूढ-सीता-मुखकमल-मिलल्लोचनं नीरदाभं । नानालङ्‌कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचंद्रम् ॥

॥ इति ध्यानम् ॥

चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् । एकैकमक्षरं पुंसां महापातकनाशनम् ॥१॥

ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनम् । जानकीलक्ष्मणोपेतं जटामुकुटमण्डितम् ॥२॥

सासितूणधनुर्बाणपाणिं नक्तं चरान्तकम् । स्वलीलया जगत्त्रातुमाविर्भूतमजं विभुम् ॥३॥

रामरक्षां पठेत्प्राज्ञ: पापघ्नीं सर्वकामदाम् । शिरो मे राघव: पातु भालं दशरथात्मज: ॥४॥

कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रिय: श्रुती । घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सल: ॥५॥

जिव्हां विद्यानिधि: पातु कण्ठं भरतवंदित: । स्कन्धौ दिव्यायुध: पातु भुजौ भग्नेशकार्मुक: ॥६॥

करौ सीतापति: पातु हृदयं जामदग्न्यजित् । मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रय: ॥७॥

सुग्रीवेश: कटी पातु सक्थिनी हनुमत्प्रभु: । ऊरू रघुत्तम: पातु रक्ष:कुलविनाशकृत् ॥८॥

जानुनी सेतुकृत्पातु जङ्‌घे दशमुखान्तक: । पादौ बिभीषणश्रीद: पातु रामोSखिलं वपु: ॥९॥

एतां रामबलोपेतां रक्षां य: सुकृती पठॆत् । स चिरायु: सुखी पुत्री विजयी विनयी भवेत् ॥१०॥

पातालभूतलव्योम चारिणश्छद्‌मचारिण: । न द्र्ष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभि: ॥११॥

रामेति रामभद्रेति रामचंद्रेति वा स्मरन् । नरो न लिप्यते पापै भुक्तिं मुक्तिं च विन्दति ॥१२॥

जगज्जेत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् । य: कण्ठे धारयेत्तस्य करस्था: सर्वसिद्धय: ॥१३॥

वज्रपंजरनामेदं यो रामकवचं स्मरेत् । अव्याहताज्ञ: सर्वत्र लभते जयमंगलम् ॥१४॥

आदिष्टवान् यथा स्वप्ने रामरक्षामिमां हर: । तथा लिखितवान् प्रात: प्रबुद्धो बुधकौशिक: ॥१५॥

आराम: कल्पवृक्षाणां विराम: सकलापदाम् । अभिरामस्त्रिलोकानां राम: श्रीमान् स न: प्रभु: ॥१६॥

तरुणौ रूपसंपन्नौ सुकुमारौ महाबलौ । पुण्डरीकविशालाक्षौ चीरकृष्णाजिनाम्बरौ ॥१७॥

फलमूलशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ । पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ ॥१८॥

शरण्यौ सर्वसत्वानां श्रेष्ठौ सर्वधनुष्मताम् । रक्ष:कुलनिहन्तारौ त्रायेतां नो रघुत्तमौ ॥१९॥

आत्तसज्जधनुषा विषुस्पृशा वक्षया शुगनिषङ्ग सङि‌गनौ । रक्षणाय मम रामलक्ष्मणावग्रत: पथि सदैव गच्छताम् ॥२०॥

संनद्ध: कवची खड्‌गी चापबाणधरो युवा । गच्छन्‌ मनोरथोSस्माकं राम: पातु सलक्ष्मण: ॥२१॥

रामो दाशरथि: शूरो लक्ष्मणानुचरो बली । काकुत्स्थ: पुरुष: पूर्ण: कौसल्येयो रघुत्तम: ॥२२॥

वेदान्तवेद्यो यज्ञेश: पुराणपुरुषोत्तम: । जानकीवल्लभ: श्रीमानप्रमेयपराक्रम: ॥२३॥

इत्येतानि जपेन्नित्यं मद्‌भक्त: श्रद्धयान्वित: । अश्वमेधाधिकं पुण्यं संप्राप्नोति न संशय: ॥२४॥

रामं दूर्वादलश्यामं पद्‌माक्षं पीतवाससम् । स्तुवन्ति नामभिर्दिव्यैर्न ते संसारिणो नर: ॥२५॥

रामं लक्ष्मण-पूर्वजं रघुवरं सीतापतिं सुंदरम् । काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकम् ।

राजेन्द्रं सत्यसंधं दशरथनयं श्यामलं शान्तमूर्तिम् । वन्दे लोकभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् ॥२६॥

रामाय रामभद्राय रामचंद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥२७॥

श्रीराम राम रघुनन्दन राम राम । श्रीराम राम भरताग्रज राम राम ।

श्रीराम राम रणकर्कश राम राम । श्रीराम राम शरणं भव राम राम ॥२८॥

श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि । श्रीरामचन्द्रचरणौ वचसा गृणामि ।

श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि । श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ॥२९॥

माता रामो मत्पिता रामचन्द्र: । स्वामी रामो मत्सखा रामचन्द्र: ।

सर्वस्वं मे रामचन्द्रो दयालुर् । नान्यं जाने नैव जाने न जाने ॥३०॥

दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा । पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनंदनम् ॥३१॥

लोकाभिरामं रणरङ्‌गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् । कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥३२॥

मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् । वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॥३३॥

कूजन्तं राम-रामेति मधुरं मधुराक्षरम् । आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ॥३४॥

आपदामपहर्तारं दातारं सर्वसंपदाम् । लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॥३५॥

भर्जनं भवबीजानामर्जनं सुखसंपदाम् । तर्जनं यमदूतानां रामरामेति गर्जनम् ॥३६॥

रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे । रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नम: ।

रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् । रामे चित्तलय: सदा भवतु मे भो राम मामुद्धर ॥३७॥

राम रामेति रामेति रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥३८॥

इति श्रीबुधकौशिकविरचितं श्रीरामरक्षास्तोत्रं संपूर्णम् ॥ 

॥ श्री सीतारामचंद्रार्पणमस्तु ॥

નારાયણ કવચ



શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે.

વિશ્વરૂપ કહે છે જયારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથપગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખતર ધારણ કરવું.

નારાયણ કવચ:

ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો.

જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.

અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.

અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.

સનત્કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે, તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો.

ભગવાન ધન્વન્તરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિનાં ભયમાંથી મારી રક્ષા કરો. યગ્યાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો.

ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળનાં મળરૂપ કળીયુગથી મારી રક્ષા કરો.

કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્તશક્તિ નારાયણ ભગવાન પ્રાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો.

મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મુર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હૃષીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો.

શ્રીવત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેષર સૂર્યોદય પહેલાનાં કાળમાં મારી રક્ષા કરો.

હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષણ ધારવાળા ચક્ર ! ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો.

હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો.

હે પાંચજન્ય શંખરાજ ! શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ , માંતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો.

હે તીક્ષ્ણ ધારવાળી તલવાર! તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ ! તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરિ લો.

અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો.

બૃહદ્રથંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ્ક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો.

શ્રીહરિના નમ, રૂપ, વાહન અને આયુધો, સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો.ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો.

આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો.

અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો.

નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં ઊંચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો.



નારાયણ કવચનું ફળકથન:

વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર ! આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનાં તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી.



_______________________________________


॥રાજોવાચ॥

યયા ગુપ્તઃ સહસ્ત્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્। ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્॥1॥
ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્। યથાસ્સ્તતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોસ્જયન્મૃધે॥2॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ – વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય ભોગવ્યું તે ‘ નારાયણ કવચ ‘ રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. (1)(2)


॥શ્રીશુક ઉવાચ॥

વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેંદ્રાયાનુપૃચ્છતે। નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ॥3॥

શ્રી શુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને જે નારાયણ કવચ કહેલું તર હવે એકાગ્ર મનથી સાંભળો.


વિશ્વરૂપ ઉવાચધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્ મુખઃ। કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ॥4॥
નારાયણમયં વર્મ સંનહ્યેદ્ ભય આગતે। પાદયોર્જાનુનોરૂર્વોરૂદરે હૃદ્યથોરસિ॥5॥
મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત્। ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા॥6॥


વિશ્વરૂપે કહ્યું : હે દેવરાજ ઇન્દ્ર ! ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરવું.પછી હાથમાં કુશની વીંટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું. પછી કવચ ધારણ પર્યંત બીજું કાંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ” ૐ નમો નારાયાણાય ” અને ” ૐ નમો ભગવતે વાસુદેવાય ” આ મંત્રો દ્વારા હૃદયાદી અંગ ન્યાસ તથા અંગૂષ્ઠાદિકર ન્યાસ કરવા. પહેલા ” ૐ નામો નારાયાણાય ” આ અષ્ટાક્ષર મંત્રના ૐ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ, બે ગોઠણ,બે સાથળ,પેટ,હૃદય, વક્ષ સ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વોક્ત મંત્રના ય કારથી શરૂ કરી ૐ કાર પર્યંત આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા.(4)(5)(6)

કરન્યાસં તતઃ કુર્યાદ્ દ્વાદશાક્ષરવિદ્યયા। પ્રણવાદિયકારંતમંગુલ્યંગુષ્ઠપર્વસુ॥7॥

પછી ૐ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ૐ કારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગુઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જની થી માંડી ડાબા હાથની તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગુઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો.(7)

ન્યસેદ્ હૃદય ઓંકારં વિકારમનુ મૂર્ધનિ। ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્॥8॥
વેકારં નેત્રયોર્યુંજ્યાન્નકારં સર્વસંધિષુ। મકારમસ્ત્રમુદ્દિશ્ય મંત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ॥9॥
સવિસર્ગં ફડંતં તત્ સર્વદિક્ષુ વિનિર્દિશેત્। ઓં વિષ્ણવે નમ ઇતિ ॥10॥

પછી ” ૐ વિષણવે નમઃ ” એ મંત્રના “ૐ” કારનો હૃદયમાં, “વિ” કારનો મસ્તકમાં, “ષ” કારનો ભ્રકુટીના મધ્યમાં, “ણ” કારનો શીખામાં , “વે” કારનો બન્ને નેત્રમાં અને “ન” કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી રહેલા “મ” કારનો ૐ મહ્ અસ્ત્રાય ફટ કરી દિગબંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે.(8)(9)(10)


આત્માનં પરમં ધ્યાયેદ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ્। વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મંત્રમુદાહરેત ॥11॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય , ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાથ કરવો.(11)


ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેંદ્રપૃષ્ઠે। દરારિચર્માસિગદેષુચાપાશાન્ દધાનોસ્ષ્ટગુણોસ્ષ્ટબાહુઃ ॥12॥

 પાશાત્। સ્થલેષુ માયાવટુવામનોસ્વ્યાત્ ત્રિવિક્રમઃ ખેઽવતુ વિશ્વરૂપઃ ॥13॥

ૐ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા, અણિમાદિ આઠ સિધ્ધિઓથી સેવીત, આઠ બાહુ વાળા શંખ-ચક્ર-ઢાલ-તલવાર-ગદા-બાણ-ધનુષ અને પાશને ધારણ કરતા હરિ ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો.(12)


દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ પાયાન્નૃસિંહોઽસુરયુથપારિઃ। વિમુંચતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥14॥


કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોનાં સેના પતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યાં હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.(14)

રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃ સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ। રામોઽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે સલક્ષ્મણોસ્વ્યાદ્ ભરતાગ્રજોસ્સ્માન્ ॥15॥

પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવ્યવ વાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષમણ સહિત મારી રક્ષા કરજો.(15)


મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદાન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્। દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબંધાત્ ॥16॥

મારણ-મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન, યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલદેવજી કર્મના બંધનથી રક્ષા કરજો.(16)


સનત્કુમારો વતુ કામદેવાદ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત્। દેવર્ષિવર્યઃ પુરૂષાર્ચનાંતરાત્ કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥17॥

ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો.સર્વ પ્રકારના નરકથી કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.(17)

ધન્વંતરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્વંદ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા। યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાંતાદ્ બલો ગણાત્ ક્રોધવશાદહીંદ્રઃ ॥18॥

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્। કલ્કિઃ કલે કાલમલાત્ પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥19॥

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ પાપબહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.(19)


માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્ ગોવિંદ આસંગવમાત્તવેણુઃ। નારાયણ પ્રાહ્ણ ઉદાત્તશક્તિર્મધ્યંદિને વિષ્ણુરરીંદ્રપાણિઃ ॥20॥

સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી-ધારી નારાયણ પૂર્વાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લાઇ મધ્યાહન કાળમાં રક્ષા કરજો.(20)
દેવોસ્પરાહ્ણે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ્। દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોસ્વતુ પદ્મનાભઃ ॥21॥

ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયનકાળે, સૂર્યાસ્ત પછી હ્યષીકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો.(21)



*****************

Sunday, 18 January 2026

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ


શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનો પાઠ ભણાવનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, સ્ફૂર્તિ અને સર્જનાત્મકતાનું બીજ વાવનાર દીવો છે. એવા જ એક દીવાદાંડી સમાન વ્યક્તિત્વ છે — શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા, ઉપશિક્ષક, શ્રી બાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળા, મેઘરજ તાલુકાના અરવલ્લી જિલ્લામાં.


"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" – આ ઉક્તિને સાર્થક કરતા શ્રી યોગેશ પંડ્યા, એક કર્મઠ શિક્ષકે આજે શિક્ષણ જગતમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. 


આપણે વાત કરી રહ્યા છીએ શ્રીબાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા વિશે.

 ° શિક્ષણ, સેવા અને સંસ્કારોનો સેતુ: 

   શ્રી યોગેશ પંડ્યા, એક સ્વાતંત્ર્ય સેનાનીના પૌત્ર. જેમની રગોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર સેવાનું રક્ત દોડી રહ્યું છે. પિતાશ્રી સ્વ. નરેન્દ્રભાઈ પંડ્યા પણ એક શ્રેષ્ઠ શિક્ષક હતા. લોકસેવક હતા. માતા પણ શ્રેષ્ઠ શિક્ષક હતા. માતાના ગર્ભમાંથી જ યોગેશભાઈએ શિક્ષક બનવાના સંસ્કારો કેળવી લીધા હતા કારણકે યોગેશ પંડ્યા જ્યારે માતા હરીશબાળાના ગર્ભમાં હતા ત્યારે માતાએ પ્રાથમિક શિક્ષક તાલીમનો અભ્યાસ મેળવ્યો હતો. માતા પિતા પણ એક આદર્શ શિક્ષક દંપતિ હતા. માતાપિતાએ આજીવન શિક્ષણ અને સેવાના કાર્યો કર્યા છે. યોગેશ પંડ્યાના માતા કે જેઓ સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી અને આકાશવાણી કલાકાર હતા. માતાપિતાના સંસ્કારોને સાથે લઈને ચાલનાર શ્રી યોગેશ પંડ્યા માટે આવા સદગુણો સહજ છે. 



 ° ૨૪ વર્ષનું અવિરત જ્ઞાનતપ:- 

     છેલ્લા ૨૪ વર્ષથી શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્થિર રહીને બાળકોના ભવિષ્યને કંડારવું એ આજના સમયમાં ખૂબ જ વિરલ ઘટના છે. શ્રી યોગેશકુમારે બાંઠીવાડા પ્રાથમિક શાળાને માત્ર પોતાની નોકરીનું સ્થળ નહીં, પણ પોતાની કર્મભૂમિ બનાવી છે. ૨૪ વર્ષની આ દીર્ઘકાલીન સેવા દરમિયાન તેમણે હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો બાળકોનો પ્રેમ જીતીને બાળકોના હૃદય સુધી પહોંચ્યા છે. બાળકોની સાથે ગાવુ, ખાવુ, રમવુ ભણવુ - ભણાવવુ અને શીખવુ - શીખવવું અને બાળદેવો સાથે લીન રહેવું. “ મને જે આવડે છે તે મારા બાળકોને આવડવું જ જોઈએ, જે મને ઓછું ફાવે છે તે પણ હું શીખીને મારા બાળકોને પ્રવીણ બનાવીશ. “ આ વિધાન સાર્થક કરવા સતત મથતાં રહે છે. 


 ° બહુમુખી પ્રતિભાના સ્વામી:- 

કોઈએક વિશિષ્ટ પ્રતિભા સાથે પ્રતિભાશાળી હોવું એ ઈશ્વરની વિશિષ્ટ ભેટ છે જ્યારે બહુમુખી પ્રતિભાના સ્વામી હોવું એ ઈશ્વરની આપણી સાથેની સતત હાજરી છે. 

શ્રી યોગેશભાઈ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતા મર્યાદિત શિક્ષક નથી, પણ તેઓ એક સાચા 'કેળવણીકાર' છે. તેમની પ્રતિભાના અનેક પાસાઓ છે: જેમકે, 

રમતગમત અને યોગ: વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે.

કલા અને સંગીત: ગીત, સંગીત અને કલાના માધ્યમથી શિક્ષણને રસપ્રદ બનાવવાની તેમની કળા અજોડ છે. બાળકોને સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી છે. 

વિજ્ઞાન અને ગણિત: જટિલ વિષયોને પ્રવૃત્તિઓ દ્વારા સરળ બનાવી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ તેમની ખાસિયત છે. 

જાદુ કલાના પ્રયોગો: 

        બાળકોને આશ્ચર્ય સાથે શિક્ષણ આપવા માટે તેઓ જાદુના પ્રયોગોનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. સાથે સાથે ગામડાઓમાં પ્રચલિત અંધશ્રદ્ધાઓને જાદુના ખેલ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરી દરેકની સાથે જોડાયેલું વિજ્ઞાન છે જેની યોગ્ય સમજ આપે છે. 


 ° સફળતાના શિખરો: 

     એવોર્ડની હેટ્રિક….

      તેમની નિષ્ઠા અને મહેનતની સુવાસ છેક ગાંધીનગર અને ચિત્રકૂટ સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમને મળેલા સન્માન તેમની શ્રેષ્ઠતાની સાબિતી પૂરી પાડે છે:

વર્ષ ૨૦૨૩: તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૪: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૬: 'ચિત્રકૂટ એવોર્ડ’ 

       ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના પવિત્ર દિવસે પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે 'ચિત્રકૂટ એવોર્ડ' આપીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. પૂજ્ય બાપુના હસ્તે મળેલો આ એવોર્ડ માત્ર યોગેશભાઈ માટે જ નહીં, પણ સમગ્ર અરવલ્લી જિલ્લા અને શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ છે. 2026નો આ ચિત્રકૂટ એવોર્ડ તેમની સફળતાની હેટ્રિક સમાન છે.


 ° આદર્શ દંપતી અને સહયોગી જીવનસાથી:

    કહેવાય છે કે ' દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' યોગેશભાઈના કિસ્સામાં તેમના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન જોશી તેમના પડછાયા બનીને ઊભા રહ્યા છે. ભાવનાબેન પણ એ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને યોગેશભાઈની દરેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. આ દંપતી ખરા અર્થમાં 'શિક્ષક દંપતી'નો આદર્શ પૂરો પાડે છે.


° અન્ય સિદ્ધિઓ: 

  શ્રી યોગેશ પંડ્યા, તેઓના વિસ્તારના પ્રસિદ્ધ યોગી છે. દર વર્ષે યોગ દિવસે તેઓના સાનિધ્યમાં આખું મેઘરજ ગામ યોગ કરવા આવે છે.

સાથે સાથે તેઓ એક સારા ક્રિકેટર પણ છે. તેમના જિલ્લાની ટીમમાં તેઓ પૂર્વ કેપ્ટન તરીકે કામ કરતા હતા. તેઓના નેતૃત્વ હેઠળ અનેક વખત ટીમ વિજેતા બનેલ છે.

      શિક્ષણ ક્ષેત્રે તેઓએ ચાલુ વર્ષે ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ' ગિજુભાઈ બધેકા અને NET 2020 ‘ વિષય પર રિસર્ચ પેપર રજૂ કરી નૅશનલ કોન્ફરન્સમા ભાગ લીધો હતો. શિક્ષણમાં તેઓએ ક્રિયાત્મક સંશોધનો પણ કર્યા છે.

ભાષા વિષય શિક્ષક તરીકેની તેઓની કાબેલિયતને લીધે તેઓશ્રી આર. પી. ની રાજ્ય કક્ષાની તાલીમોમાં જઈ માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરે છે. 

ગીત સંગીતના શોખીન શ્રી યોગેશ પંડ્યાની યુ ટ્યૂબ ચેનલ પર તેઓના અનેક ગીતો ગાયેલા છે. બાળકો સાથે ગાયેલી કવિતાઓ, પ્રાર્થનાઓ અને ભજનો પણ છે. સ્ટાર મેકર પર 6000 કરતાં વધારે ગીતો ગાયેલા છે. 

માતા પિતા તરફથી મળેલ ધાર્મિક સંસ્કારોની ગરિમા જાળવી રાખનાર, યોગેશ પંડ્યા મેઘરજ ગામમાં, પોલીસ સ્ટેશન થતી નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિ અને આરતી ગાન છેલ્લા વીસેક વર્ષથી કરે છે. 


  યોગેશકુમાર પંડ્યાએ પોતાની કર્તવ્યનિષ્ઠાથી બાંઠીવાડા ગામ અને શાળાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. તેમની આ સફર આવનારા અનેક યુવાન શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શિક્ષણ પ્રત્યેનું તેમનું આ સમર્પણ અવિરત ચાલતું રહે તેવી અનેક શુભેચ્છાઓ!

શ્રી યોગેશકુમાર પંડ્યાને ચિત્રકૂટ એવોર્ડ બદલ ખૂબ ખૂબ અભિનંદન!