નગર પ્રાથમિક શાળા નંબર ૩૧, બાકરોલ આણંદ.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવણી
બાળકોનું ઢોલ નગારાં વગાડી સ્વાગત કરવામાં આવ્યું.
આંગણવાડીનાં બાળકોનું સ્વાગત સન્માન.
મહેમાનોનું સ્વાગત - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.
મહેમાનોનું સ્વાગત - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.
દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
પાઠ્ય પુસ્તક વિતરણ
બાલવાટિકા અને ધોરણ - ૧ માં નવા પ્રવેશપાત્ર બાળકો.
વધુ હાજરી ધરાવતાં બાળકોનું સન્માન
પ્રથમ નંબર મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ.
PSE EXAM પાસ થનારા વિદ્યાર્થીઓનું સન્માન.
બાલવાટિકા બાળકોને કીટ વિતરણ.
નાનાં નાનાં બાળકો...
સાહિત્ય પ્રદર્શન - મુલાકાત ,
ચાલુ વર્ષે ધોરણ ૧ થી ૮ માં અને બાલવાટિકા માં આપવામાં આવેલ સાહિત્ય પ્રદર્શન નિહાળતાં શાળાના બાળકો.
તિથી ભોજન
ઉજ્જવલ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવશોત્સવ. તારીખ 26/6/2024 ને બુધવારના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અમારી નગર પ્રાથમિક શાળા નંબર - 31( ધોળાકૂવા) બાકરોલ, આણંદની પવિત્ર ભૂમિ પર યોજાયો.
મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરણસિંહ પરમાર જેઓ અમારા વોર્ડના કાઉન્સિલર છે . મધુવન ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વિક્રમભાઈ જોગરાણા ઉપસ્થિત હતાં તથા શ્રી રમીલાબેન ,લાયોનેસ ક્લબ આણંદ આવ્યા હતાં.તેમજ દાતાઓ, એસ. એમ. સી. સભ્યો, ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરુઆત શાળાની દીકરીઓ દ્રારા પ્રાર્થનાગીત થી કરવામાં આવી . પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમની શરુઆત કરી. શાળાનાં આચાર્યાશ્રી ગાયત્રીબેન મહિડાએ સૌનું શાબ્દિક ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.
બાલવાટિકાનાં બાળકો તથા ધોરણ - 1 માં સીધો પ્રવેશ, આંગણવાડી, શાળા બહાર ના , અન્ય શાળા માંથી આવેલ તમામ ને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. માથે સરસ મજાની ટોપીઓ અને તિલક સાથે સજ્જ બાળકો ખૂબ સુંદર લાગતા હતા. શાળાનાં આચાર્ય અને શાળા પરિવાર દ્વારા આવેલ દાતાઓનું સન્માન શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી કરવામાં આવ્યું.
ગત વર્ષે લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે, CET પરીક્ષા, જ્ઞાનસાધના પરીક્ષા, NMMS પરીક્ષા તથા PSE પરીક્ષામાં પાસ થનાર તમામ બાળકોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ ૩ થી 8 માં પ્રથમ નંબર મેળવનાર અને સૌથી વધારે હાજરીના દિવસો હોય તેવાં બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. તમામ બાળકોનાં માતાપિતા કે જેઓ એક જાગૃત વાલી છે, બાળકોનાં અભ્યાસ માટે સજાગ છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શાળામાં આજરોજ સરગવો રોપવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તથા સમગ્ર શિક્ષા દ્રારા આવેલ બાલ વાટીકાથી ધોરણ 8 સુઘી તમામ સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજરોજ શાળામાં દાતા દ્વારા બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું.
અંતે શાળા પરિવાર, એસ. એમ. સી. સભ્યો સાથે મળીને સમીક્ષા બેઠક શાળાનાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધા નું ભાવિ આયોજન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.
No comments:
Post a Comment