Thursday, 5 September 2024

ચિત્ર વર્ણન કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ( ધોરણ ૫ થી ૮ નાં બાળકો માટે ખાસ)

નમસ્તે વ્હાલા બાળકો,

એક આદર્શ ચિત્ર વર્ણન કેવી રીતે કરી શકાય ? તે જોઈએ. 

* ચિત્ર વર્ણન અર્થ સભર હોવું જોઈએ.
* ચિત્ર વર્ણન ભાવવાહી હોવું જોઈએ.
* લય બદ્ધ હોવું જોઈએ.
* રસપ્રદ હોવું જોઈએ.
* એક સળંગ વાર્તા સ્વરૂપે વર્ણન કરેલું હોવું જોઈએ.
* પાંચ છ અલગ અલગ વાક્યો સ્વરૂપે કરવાં કરતાં એક વાક્ય પછીનું વાક્ય એકબીજા સાથે બંધાયેલું રહે તેમ લખવું.



@  પ્રથમ ચિત્ર જોઈને વર્ણન માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોની એક અલગ જગ્યાએ યાદી બનાવવી. 

@  આ તમામ શબ્દોનો અર્થ સભર ઉપયોગ કરીને અનુબંધિત વાકયો લખવા.

# અહીં એક નમુના માટે ઉપર મુજબ આપેલા ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તમારી રીતે પણ કરી શકો છો. 


( FLN અંતર્ગત લેખનમાં  હોશિયાર બાળકો માટે જો કોઈ જગ્યાએ માર્કસ  કપાય છે તો ફક્ત અને ફકત ચિત્ર વર્ણનમાં. બાળકો બાળકની કક્ષા મુજબ પાંચ છ વાક્યોમાં વર્ણન તો કરે છે, પણ એક શિક્ષક બાળકને પૂરેપૂરા ગુણ આપવા ઈચ્છતા નથી કે આપી શકાય તેમ લખાણ પણ હોતું નથી. તો આવા બાળકોને બે ત્રણ ગુણ ઓછા આવે છે

તો આવાં બાળકો માટે, આ ઉદાહરણ રૂપે તૈયાર કરેલું ચિત્ર વર્ણન છે. તમારા બાળકોનાં ગ્રુપમાં મોકલી શકો છો, જેથી બાળકોને માગૅદશૅન મળી રહે. )

Saturday, 31 August 2024

Congratulations Lot 🎉👏 To Yogesh Pandya. 🌹👏🎉🌹🌹


ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, ભાઈશ્રી ,

શ્રીયોગેશકુમાર નરેન્દ્રભાઇ પંડયા. 
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો. 



હંમેશા નમ્ર બની રહે. 




   નાનપણથી જ જે કામ જોતાં જોતાં મોટાં થયાં હોય તેવા અમારા માતૃછાયા પરિવાર માટે સન્માન, એવોર્ડ એ બધું  ફક્ત સન્માન પૂરતું ન રહેતાં, તેનાં મૂળિયાં સેવા, શિક્ષણ, પરોપકાર, દેશપ્રેમ અને શ્રેષ્ઠ ભાવિ નાગરિકોનું યોગ્ય ઘડતર જ હોય કે બીજુ કંઈ? 

   માતા પિતા પાસેથી જે પામ્યાં છીયે તે અમારી ભાવિ પેઢીને આપીને સંતોષ પામ્યાં છીએ.

માટે જ માતૃછાયા પરિવારને  સન્માન અને એવોર્ડનું ઘમંડ કદી હોતું નથી.  આ પ્રાપ્તિ સહજ નમ્ર બની કરેલાં કાર્યોનું પરિણામ છે. જેની કદી આશા કે નિરાશા નથી હોતી. મળ્યું તો ખુશ ન મળે તો પણ કામમાં વ્યસ્ત રહેવું એ જ આનંદ. 


દેશપ્રેમ:- ગળથૂથીમાં જ. 
સ્વતંત્ર્ય સેનાની નાં પુત્રો, પૌત્રોનું સન્માન.


શ્રેષ્ઠ શિક્ષક કામગીરીના સંસ્કારો પણ ગળથૂથીમાં જ.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની પ્રાપ્તિ.

સમાજ દ્રારા અભિનંદન.


શિક્ષક હંમેશા શીખતો અને શીખવતો જ રહે છે. એમાં જ એની પ્રગતિ થાય છે.  દરેક ક્ષેત્રમાં શીખીને શીખવવું, આગળ વધવું અને શાળાનાં બાળકોને આગળ લઈ જવાં.

શ્રી જાગૃતિ પંડ્યા દ્રારા સવિનય અભિનંદન.
કારણકે  મોટાંને અભિનંદન ન કહેતાં નમસ્કાર કરવાથી નાનાં સન્માનિત થાય અને પ્રેરણા મેળવે.


संगीत है शक्ति ईश्वरकी; हर स्वर में बसे हैं राम,
रागी जो सुनाए रागिन; तो रोगी को मिले आराम।


સંગીતના સંસ્કારો તો ગર્ભના જ સંસ્કારો છે. મમ્મી પાસેથી સંગીત દ્રારા શિક્ષણ મેળવ્યું અને સંગીત દ્રારા શિક્ષણ બાળકોને આપ્યું. એક એક વારસાઈ આગળ વધી રહી છે અને ઉપયોગ પણ થાય છે.


ધર્મના સંસ્કારો:  યોગેશ પંડયા એટલે યોગકુમાર,
દર વર્ષે વિશ્વ યોગ દિવસે આખા ગામને યોગ કરાવે અને યોગના રંગે રંગાવે. 

ધર્મ પત્નિ નો હરહંમેશ સાથ સહકાર. યોગેશનો પડછાયો એટલે જ ભાવના. ભાવના એટલે તમામ પ્રગતિના સહયોગી, સલાહકાર, શુભ ચિંતક અને પડદા પાછળનો મુખ્ય રોલ. કહેવાય છે ને કે, ' દરેક પુરુષની પ્રગતિ પાછળ કોઈ એક સ્ત્રીનો સાથ સહકાર હોય છે ' હા, તે જ ભાવના. 

શાળા પરિવાર પણ હમેશા અડખે પડખે.


શાળાના બાળકો એ જ યોગેશ પંડયાનું સર્વસ્વ. " સાથે રમીએ, સાથે જમીએ સાથે કરીએ સારાં કામ." અહીં સાર્થક જણાય છે. ગાવું, રમવું, ખાવું, ,,,,,, સાથે બાળકો જ હોય.

સંગીત અને સંગીત વાદ્યો પ્રત્યે અનોખો પ્રેમ. બધુ જ થોડાં ઘણાં અંશે વગાડી જાણે. કદાચ  બધામાં, કશાયમાં સંપુર્ણ નહી  હોય તો અપૂર્ણ પણ નહી જ હોય.


ઘરે ભલે સાવરણી ન પકડી હોય પણ શાળામાં તો પકડે જ!!! શા માટે ? બાળકોને માટે. શિક્ષક કરશે તો અને તો જ બાળકોને કહેવું પણ નહી પડે અને કરશે. માટે શાળામાં કરે. 





અરે ભાઈ, આ તો અમારા માતૃછાયા પરિવારનો રાજા છે.

 "  એ તો મારા ઘરનો વાઘ છે." 

મમ્મી પપ્પાનું જોઈને તુ શીખ્યો, તારું જોઈને હું શીખી, અને નાનકો,,,, ( ડૉ. ભાવેશ પંડયા )

નાનકો તો બધાનું  મૂલ્યાંકન કરે!!!!
અમને સૌને તે શીખવે!!!! 

આવો સન્માનીય પરિવાર મેળવી જીવનને ધન્ય સમજુ છું અને પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Once Again A Big Congratulations 🎉 👏 
Mr. Yogesh Pandya. 
Keep it up and Go ahead.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Sunday, 4 August 2024

આત્માની ઓળખ એ જ ઉત્તર

આત્માની ઓળખ એ જ ઉત્તર 

અનેક જન્મોથી આપણે આ મનુષ્ય જન્મ સંચીત કર્મોનો ભોગવટો કરવા માટે મેળવતા આવ્યા છીએ. અને આ જન્મ અને મરણનું કારણ સ્થૂલ-સૂક્ષ્મ અને કારણ શરીર છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તે સ્થૂલ દેહને જ આપણે જીવભાવ આપી દીધો છે. (પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ) તે આ શરીર જડ છે. પ્રકૃતિના પાંચે તત્વો પણ જડ છે. તો આ શરીર પણ જડ તત્વમાંથી બનેલું હોવાથી તે પણ જડ છે.હવે સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે. તે જોઈએ. પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન- બુધ્ધિ- ચિત્ત અને અહંકારમાંથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે.આ ૧૪ તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલ છે. આ સૂક્ષ્મ શરીર પણ જડ છે.હવે કારણ શરીર વિષે જોઈએ તો તે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર વિષેનું જે અજ્ઞાાન છે તેજ કારણ શરીર છે. આ કારણ શરીર પણ જડ છે. આ કારણ શરીરને ન જાણવાથી જ આ જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે.જેના અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય તેને જ આત્માને ઓળખવાની આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવવાની જીજ્ઞાાસા ઉત્પન્ન થાય છે. આ આત્માની ઓળખ તે અનુભવવાની વસ્તુ છે. તેને પ્રત્યક્ષ સ્વરૃપે જોવાનીં વસ્તુ નથી. આપણા અનેક ઋષી મુનિઓના અનેક વર્ષો સ્વરૃપે જોવાની વસ્તુ નથી.આપણા અનેકઋષી મુનિઓના અનેક વર્ષો નીં તપસ્યાના ફળ સ્વરૃપે આ આત્મજ્ઞાાન પ્રભુએ તેમને આપ્યુ અને તેમનીં વાણી દ્વારા સગ્દ્રંથોના ફળ સ્વરૃપે આપણને આજના સમયે પણ સંતો આ જ્ઞાાન પીરસી રહ્યા છે.આ આત્માનું કોઈ પ્રત્યક્ષ સ્વરૃપ નથી. તે ફકત અનુભવવાની જ વસ્તુ છે. આપણો આત્મા એ જ પરમાત્માનોં આત્મા છે. આ આત્મા અજન્મા છે. જન્મ તો શરીરનો થાય છે. અને મૃત્યુ પણ આ જડ શરીરનું થાય છે. આ આત્માતો અજર-અમર છે. તેને જન્મ મૃત્યુ નથી તે સત ચીત્ત અને આનંદ સ્વરૃપ છે. તે નિત્ય છે, અવિભાજ્ય છે. અવિનાશી છે.તેઆ સંસાર ન હતો ત્યારે પણ આ આપણું આત્મસ્વરૃપ ચૈતન્ય હતું. આ સંસાર આત્યારે છે ત્યારે પણ આ આપણું આત્મ સ્વરૃપ રૃપી ચૈતન્ય રહેલું છે અને આ સંસારનો નાશ થશે ત્યારે પણ આ આત્મસ્વરૃપી ચૈતન્ય રહેશેજ. ટૂંકમાં આ ચૈતન્ય પહેલાપણ હતું અત્યારે પણ છે. અને પછી પણ રહેશે. જેનો જન્મ છે. અથવા જેનું સર્જન થયેલું છે તે આ શરીર હોય કે કોઈપણ જડ પદાર્થ હોય તેનું મૃત્યુ અથવા તેનો નાશ છે જ.આ આત્માને જન્મ-મરણ છે જ નહીં. હું જનમ્યો જ નથી તો મારું મૃત્યુ કેવી રીતે હોય. જન્મ મરણ તો આ શરીરનાં છે. આત્માને તો રોગ નથી. દોષ નથી, અપૂર્ણતા નથી. અંત નથી સુખ નથી. દુ: ખ નથી. પોતાનું પારકું નથી ઠંડી કે ગરમી નથી મારું કે તારું નથી. આ આત્માતો અખંડ છે. નિત્ય-શુધ્ધ બુધ્ધ છે. સત્યમ-જ્ઞાાનમ-અનંતમ અને બ્રહ્મસ્વરૃપ છે. આ આત્મસ્વરૃપનું જ્ઞાાન કોઈ આપી શક્તું નથી. આત્માને પણ આત્મા એવું નામ આપણે આપ્યું છે. બાકી તેતો નેતિ-નેતિ છે.તેનો આદિ કે અંત નથી. ભગવાન પ્રસન્ન થાય તો તે પણ જે જોઈએ તે વરદાન આપી દે છે. પરંતુ આત્મસ્વરૃપનું જ્ઞાાન તો ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો જ આપી શકે છે. જેણે આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવી લીધુ તેના જન્મ-મરણ રૃપી ફેરાનો અંત આવી જાય છે.જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે. તેને પાપ પુણ્ય જેવું કાંઈજ રહેતું નથી. વ્યવહાર દ્રષ્ટિએ સંસારના દરેક કાર્યો તથા સંસારની દરેક ફરજો તે બજાવે છે. અને વિદેહી તરીકે જ તે વ્યકિત જીવન જીવે છે. કારણકે સત-ચિત્ત અને આનંદ સ્વરૃપ આત્માને તે વ્યકિતએ ઓળખી લીધો છે. તેથી તે વ્યકિતનો આ છેલ્લો જ જન્મ છે. આત્માને ઓળખનારનો પુનર્જન્મ નથી. પરંતુ આ જન્મમાં જ જો આત્માને ન ઓળખ્યો આત્મ સ્વરૃપનું જ્ઞાાન ન મેળવ્યુ તો તે વ્યકિતનો પુનર્જન્મ છે છે છે અને છે જ. વિજળીના સાધનો પંખો-ટયુબલાઈટ વિગેરે માં જેમ વિજળીના લીધે જ તે પ્રકાશી શકે છે. તેમ આ જડ શરીરમાં આત્માનો પ્રકાશ છે. તેને લીધેજ આ શરીર જીવ ભાવ પ્રાપ્ત કરે છે. આત્માના પ્રકાશ વિના આ શરીર એક સળીના બે કટકા પણ નથી કરી શકતું. અને આત્માના પ્રકાશ વિના આ શરીર મડદા સમાન છે.

Sunday, 21 July 2024

બાળક મારો ગુરુ!!!! 🙏🌹🙏✍️📚✍️


              બાળક મારો ગુરુ! 

હું શીખવું થોડું,

      ને 

તું શીખવે ઘણું … બાળક મારો ગુરુ! 

વર્તમાનમાં રહેવું,

     ને 

બધું ભૂલી જવું… બાળક મારો ગુરુ! 

આજની વાત આજે,

    ને 

કાલે નવું નવું…. બાળક મારો ગુરુ! 

કદી રિસાય તો છે,

      ને 

તરત માની જાય તુ… બાળક મારો ગુરુ! 


લડ્યાં ઝગડ્યાં બહું ,

        ને 

ફરી સાંજે રમે ભેળાં… બાળક મારો ગુરુ! 

નિર્દોષ નિખાલસ 

     ને 

સાચે સાચું કહેનાર તું… બાળક મારો ગુરુ! 


કપટ નથી લગીરેય,

      ને 

ભોળું ભટાક તુ… બાળક મારો ગુરુ! 


હસતાં ખેલતાં કૂદતાં 

      ને 

લગીરેય દુઃખી ન થાતાં… બાળક મારો ગુરુ! 










Saturday, 20 July 2024

જીતાડવાનો આનંદ અને હારવાની ખુશી!!!!!!


શાળામાં રમવાના ઘણાં ઓછાં પ્રસંગો બને છે. બાળકો રમે પણ શિક્ષકો કાંતો પ્રેક્ટિશમાં હોય કાંતો નિર્ણાયકમાં.


   ઘણાં સમય પહેલાં  દેવાંશીબેને મને કહેલું કે, આપણે ચેસ રમીશું. મેં કહ્યું, હા વાર્ષિક પરીક્ષા પરિણામ પછી જો કદાચ સમય મળે તો રમીશું પણ કંઈ મેળ ન પડતો. 


   મને પણ ખૂબ જ ખુશી હતી કે કોઈ સ્ત્રી સાથે રમવાનું છે. અત્યાર સુધી એવું કદી બનેલું નહી કારણકે ઘણી ઓછી સ્ત્રીઓ ચેસ રમતી હોય છે માટે મને દેવાંશી સાથે રમવાનો આનંદ હતો. 


 આજે અચાનક જ ગૌરીવ્રત નિમિત્તે શાળામાં joyful Saturday નું આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોને જમાડ્યા પછી છેલ્લો અડધો કલાક અમે ફ્રી હતાં એમાંય વળી આજે વિશ્વ શતરંજ દિવસ!!!! આજના દિવસે મળેલ તક ગુમાવાય તેમ નહોતી. ભલે ઓછો સમય રહ્યો. 


   શતરંજની બાજી ગોઠવાઈ ગઈ! આમને સામને ખેલાડીઓ ગોઠવાઈ ગયા! ચાલ શરુ થઈ.  બન્ને ખેલાડીઓમાં ભરપૂર આત્મવિશ્ર્વાસ હતો. આત્મ વિશ્વાસ સાથે અને એ પણ ઘણાં વર્ષો પછી બંન્ને રમવા બેઠાં હતાં. બંન્ને ખેલાડીઓ બાળપણમાં રમ્યા હતા. રમતના નિયમો એકબીજાને સમજાવી રમતની શરૂઆત થઈ. વચ્ચે વચ્ચે ઘણાં બધાં ખલેલ સાથે અમે ચાલ ચલાવી જાણતાં હતાં. મને થોડો Over Confidence અને થોડો વધારો ડિસ્ટર્બન્સ પણ ખરો!!!  મારી ઘણી ચાલો ઉતાવળમાં લેવાઈ ગઈ. જાણવા છતાં ઉતાવળિયા પગલાં ભરાઈ ગયાં. હજુ હું મારા જીતવા માટે એટલી ગંભીર નહોતી. મારી સાથે પ્રથમ વખત રમનાર દેવાંશી અને અમારી રમત પણ પહેલી વખત રમાઈ જેથી મેં મારી વ્યવસ્ત્તા વચ્ચે ઢીલું મૂકેલું.


     મને જીતવાનો નહી, જીતાડવાનો આનંદ હતો. દેવાંશીની એકાએક ચાલ પર મારી નજર હતી. એના એકાએક સ્ટેપ પર હું ફિદા હતી. એ કઈ કઈ ચાલો સાથે રમતી હતી તે જોવામાં મને વધારે રસ હતો. એની એકાએક ચાલ એનું વ્યક્તિત્વ છતું થતું હતું. આજ્યારે દેવાંશીના શતરંજજે મારે જીતવું નહોતું પણ next જીતવા માટે એની ચાલ અને સ્ટેપ પર મારી કડી નજર હતી. આમ તો એનાં સ્ટેપ પરફેક્ટ હતાં જ!!! જો એ ધારત તો થોડાક જ સ્ટેપમાં મને હરાવી શકતી. પણ મારે એના બધાં જ સ્ટેપ જોવા હતાં માટે મેં થોડું વધારે ખેંચ્યું!! અને અંતે દેવાંશી વિજેતા બની.  દેવાંશીના જીતવા માટેના સ્ટેપ હું જોતી હતી ત્યારે મને નારદમુનિ સાથે  વિધાતાએ  કર્મોના સ્ટેપની વાત  કરેલી અને એ મુજબ લેવામાં આવતાં સ્ટેપની વાત યાદ આવી ગઈ!!!! 


  આજનાં પ્રસંગને અનુરૂપ નારદમુનિની વાર્તા જોઈએ. 


     

     એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ નક્કી કરી રહ્યા હતા.નારદજી ત્યાં આવ્યા અને પૂછ્યું, ‘શું કરો છો.’ ચિત્રગુપ્તે કહ્યું, ‘બસ, કંઈ નહિ નારદજી, અમે શતરંજ રમી રહ્યા છીએ…’ નારદજીને નવાઈ લાગી કે, ‘અહીં નથી કોઈ શતરંજ બિછાવેલી…નથી કોઈ કાળાં-ધોળાં પ્યાદાં તો પછી આ બધા વિના શતરંજની રમત કઈ રીતે રમી શકાય?’ તેમણે કહ્યું, ‘શા માટે મારી જોડે મજાક કરો છો? અહીં કયાં શતરંજ બિછાવેલી છે કે કયાં કોઈ પ્યાદાં છે તો પછી કઈ રીતે શતરંજ રમી શકાય,તમે શું કરો છો તે તમારે મને ન કહેવું હોય તો ન કહો, પણ આમ ખોટું તો ન બોલો.ન કહેવું હોય તો તમારી મરજી. બાકી મને ખબર છે તમે શતરંજ તો નથી જ રમી રહ્યા….’ આટલું બોલી નારદજી થોડી રીસ સાથે ત્યાંથી જવા લાગ્યા. ચિત્રગુપ્ત અને વિધાતા હસ્યા અને પછી દોડીને નારદજીને અટકાવતા બોલ્યા, ‘દેવર્ષિ, આમ નારાજ ન થાવ.જરા શાંત થઇ બેસો.અમે ખોટું નથી બોલતા.શીતલ જલ પી ને મન શાંત કરો એટલે તમને સમજાવીએ કે અમે સાચે શતરંજ જ રમીએ છીએ.’


નારદજી બેઠા.વિધાતાએ કહ્યું, ‘દેવર્ષિ, તમને સમજાવું આ શતરંજની રમત. આ સૃષ્ટિ આખી શતરંજ છે અને સૃષ્ટિ પર રહેતાં બધાં જીવ પ્યાદાં છે.જીવ – મારી સાથે એટલે કે પોતાના વિધાતા સાથે સતત શતરંજ રમે છે.જીવ જે જે કર્મો કરે છે …જે જે ઈચ્છા કરે છે …જે જે પ્રયત્નો કરે છે …તે બધી તેની શતરંજની ચાલ છે અને જીવ જે જે ચાલ ચાલે છે, જીવનમાં આગળ વધે છે કે સારાં કર્મો કરે છે તે અહીં તેના ખાતામાં પુણ્ય તરીકે લખાય અને જે જે ભૂલો કરે છે..જીવનમાં ખરાબ કર્મો કરે છે તે પાપ કર્મો તરીકે લખાય છે. અને દરેક જીવની તેના જીવનની શતરંજની ચાલ જોઇને અમે સામે અમારી ચાલ ચાલીએ છીએ.અને અમારી ચાલ જ આ દરેક જીવના જીવનની શતરંજની દિશા અને પરિણામ નક્કી કરે છે.જીવ જે ચાલ ચાલે છે તે તેની ઈચ્છા અને પસંદ હોય છે અને અમે સામે જે ચાલ ચાલીએ છીએ તે અમારો ન્યાય અને જીવનનું પરિણામ હોય છે.જોયું દેવર્ષિ, હવે તમને સમજાયું કે અમે ખોટું બોલતા ન હતા.અમે શતરંજ જ રમી રહ્યા હતા.’ ચિત્રગુપ્ત અને વિધાતાએ નારદજીના મનનું સમાધાન કર્યું. જીવનની શતરંજમાં હંમેશા એવી ચાલ ચાલો કે સામે રમનાર વિધાતા સારું પરિણામ આપે.


Saturday, 13 July 2024

Day - 1/ બ્રહ્માકુમારી ડૉ. દામિની બહેન 13 થી 16 જુલાઈ.



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Day - 1 

 Place : World of Silence.            ૧૩/૭/૨૦૨૪
   B.K. દામિની બહેન.                              શનિવાર 


Meditation = જુડના 
લૌકિક યોગ - કોઈ વ્યકિત સાથે 
દેવી દેવતા સાથે - અલૌકિક યોગ 
પરમાત્મા સાથે - રાજયોગ ( સર્વોત્તમ યોગ) 


જીવનયોગ :- માટે આત્મા - શરીર હોવું જરૂરી છે.
૫ તત્વોથી શરીર બન્યું છે, આમાં કોઈ કમી આવે તો કોઈ બીમારી આવે.

મેં - મેરા મેં અંતર હે.
આત્માની બિમારી - ગુસ્સો, આળસ, ઈર્ષ્યા, રાગ - દ્વેષ વગેરે…. 

શરીરમાં કોઇ ગરબડ હૉય તો -  આ ૭ ગુણોની બેટરી લો!!! સમજવી. 

આત્મા ૭ ગુણોથી બની છે - ૭ પ્રણાલી ચેક 

૧. જ્ઞાન - નર્વસ સિસ્ટમ ની બીમારીઓ: ચેતા તંત્ર - સંબંધો 

૨. શાંતિ - ૐ મેં આત્મા, શાંત સ્વરૂપ 
   શાંતિ - શ્વસન પ્રણાલી એને રિલેટીવ ગુણ ઓછા થાય છે ત્યારે 

૩. પ્રેમ - ગુસ્સે થયેલા વ્યક્તિને અંતે શાંતિ જોઇએ જ . 
 પ્રેમ : રક્ત પરિવર્તન પ્રણાલી ને બેલેન્સ કરે છે.
કોઇ મિસ understanding કી વજહ સે પોતાનાં પ્યારનો ગુણ બ્લોક કિયા, એમ ઍક સાથે, બીજાં સાથે,,, એમ બ્લોકેજ બની જતું જાય છે. માટે જ after સર્જરી પ્યારથી વર્તવાનું કહે છે. 
તમે ગમે તેટલા સારા ન્યુટ્રીશ્યન / વિટામિન્સ લો પણ આ સાત ગુણો માં અસમલુતા હશે તો ગરબડ થશે.
કોલેસ્ટરોલ : પ્યારકી બલોકેજ.
આ બધાં જ blokej ની અસર આપણા શરીર પર પડે છે.

૪. પવિત્રતા : આ ઇન્દ્રિયોથી કંઈ અપવિત્ર નહી કરવુ.
 બોલના, દેખના, સુનના - આત્મા કો પવિત્ર કરે છે. 
ગલત ગલત બોલવું, સંભાળવું… આ બધાથી આત્માની પવિત્રતા ઘટે છે. 

પ્રવિત્રતા આત્માનો ગુણ છે.

મેઝિક ઓફ મેડિટેશન એમ જ નથી લખ્યુ - આ સાત ગુણોને બેલેન્સ કરે છે. મેડિટેશન થી પોતાની બિમારી દૂર થાય છે.

ડૉ. રોહિત ગુપ્તા - યું ટ્યુબ જોવું. બ્રેઇન ટયુમર મેડિટેશનથી ઠીક કર્યુ. બહુ મોટી ટયુમર હતું - દોઢ વર્ષ પછી ટયુમર મટી ગયું.

૫. સુખ : પાચન ક્રિયા કમજોર થાય છે. ગેસ        એસિડિટી કોઈ ચિંતાથી થાય છે. 

૬. શક્તિ : મસ્ક્યુલર ગુણ બેલેન્સ 
આત્મિક શક્તિની કમીથી માણસ નિર્બળ બની જાય છે.

૭. ખુશી/ આનંદ: હોર્મોન્સ સિસ્ટમ બેલેન્સ કરે છે. 
ખુશી પોતાની અંદર છે, સાધનોથી નથી મળતી, આપણી પાસે છે જ જે મેડિટેશન થી મેળવવાની છે. 

વિધિ સારી તો સિદ્ધિ મળશે.

ભગવાન ભી હમારે કરમમે હસ્ત ક્ષેપ નહી કરતાં.

જે માણસની પાસે બેસવાથી સારુ લાગે - પાવર બેગ કહેવાય 

આપણે આપણા પાસે પાવર બેગ રાખીએ છીએ સમયાંતરે ચાર્જ કરવુ જોઈએ.

માખણ અને વેપારીની કથા. : આપણે જે આપીએ છીએ તે જ મળશે.

દરેક શરીરમાં ૩ ફેકલ્ટી: 

 ૧) મન - વિચાર કરવો. નોર્મલ મન ૫૦,૦૦૦ વિચારો પેદા થાય છે જે વધી રહ્યા છે.ઓવર થીંકિંગ ડિપ્રેશન વધી ગયું છે. હકારાત્મક વિચાર, નકારાત્મક વિચાર, વ્યર્થ વિચાર, આવશ્યક વિચાર. 
પરિસ્થિતિ કોઇપણ હોય હું સકારાત્મક વિચારીશ. 
નાનાં નાનાં બાળકોને સોચના શિખાદો.
જેસી સોચ - સૃષ્ટી બનતી હે.

 ૨) બુદ્ધિ - નિર્ણય લેવાનું કામ કરે છે. બુદ્ધિ જ્ઞાન આધારે નિર્ણય લે છે. પહેલી વખત જૂઠ બોલવું ડર લાગે છે. વારંવાર બનતાં તે સંસ્કાર બની જાય છે.

 ૩) સંસ્કાર - 

 Original સંસ્કાર - સાત ગુણો વાળા સંસ્કાર.
પૂર્વ જન્મ કે સંસ્કાર - જે લઇને આવીએ છીએ.
વારસાગત સંસ્કાર - મમ્મી પપ્પાથી મળેલાં 
સંગત સે સંસ્કાર - મિત્રોથી મળેલાં 
દ્રઢતા કે સંસ્કાર - સારે પ્રોબ્લેમ સોલ્વ થાય છે. 

એક ટીચર - એક શિક્ષા 
દ્રઢતા કે સંસ્કાર કે આધાર પર બેટરી ચાર્જ કરવાની છે.

૭ ગુણો માંથી કોઈ એક ગુણ આગામી ૨૪ કલાક ગુણ કેળવવાનો છે.

 ઉ.દા. પ્રેમ..... પ્રેમ : ભીતર સે હોના ચાહીયે. તમારી શક્તિ વધશે જે મેજિક કરશે. એક ગુણ પાછળ બધાં જ ગુણો પાછળ આવશે જ. 

ઉપવાસ કરીએ ત્યારે જ સારી સારી ચીજો મળે છે. 
માટે જ આજે લીધેલો સંકલ્પનો ફાયદો થશે.

 * આત્મા શરીરમાં રહેવાનું સ્થાન - હાઇપો પિટયુટરી ગ્લેન્ડ વચ્ચે - ભ્રુકુટી   વચ્ચે 

 આત્મા એ શરીરનો ડ્રાઇવર છે. 

ડ્રાઈવર એક જ શીટ પર બેસીને ડ્રાઇવ કરે છે. રિવર્સ માટે પાછલી સીટ પર જતાં નથી.

 આત્માનું સ્વરૂપ - જ્યોતિ 

એડ્રેસ - 

મેરા દર્શન કરના હૈ, તો મેરે જેસા બનકે આઓ. 

મેં કૌન હુ… આ સમજી જાઓ તો અડધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

 * રિયલ ઓળખ સાથે જીવવાનું શરુ કરો.

પ્રેમ સ્વરૂપ આત્મા 
શાંત સ્વરૂપ આત્મા 
આનંદ સ્વરૂપ આત્મા 
શક્તિ સ્વરૂપ આત્મા 
સુખ સ્વરૂપ આત્મા 
પવિત્ર સ્વરૂપ આત્મા 
જ્ઞાન સ્વરૂપ આત્મા 

આ જ આત્માનાં સાચા સ્વરૂપો છે.