Monday, 25 December 2023

વીર બાલ દિવસ ઊજવણી અહેવાલ - ધોળા કૂવા બાકરોલ આણંદ.

વીર બાલ દિવસ ઊજવણી અહેવાલ

નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા બાકરોલ આણંદ.




આજરોજ તારીખ 26/12/2023 ને મંગળવાર; અમારી શાળા ,નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળા કૂવા બાકરોલ આણંદમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ ઉજવણીમાં SMC સભ્યો તથા વાલીગણ પણ ઉપસ્થિત હતાં. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડાએ SMC સભ્યો તથા વાલીગણ ને આવકાર્યા અને સૌનું અભિવાદન કર્યું હતું. બાળકોને પ્રાર્થના સંમેલનમાં શ્રીદેવાંશીબહેને બાળકોને આજના દિવસની ઉજવણી વિષે વાત કરી. શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઈતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે. દેશમાં પ્રથમ વખત આજે 26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વાતથી શાળામાં બાળકોને વાકેફ કર્યા. ત્યારબાદ બાળકોને કોમ્પ્યુટરમાં તેમની જીવન કહાની બતાવવામાં આવી. ચિત્રો અને વિડિઓ બતાવ્યા.ત્યારબાદ બાળકોને ચિત્રો દોરવા આપ્યા. બાળકોએ સુંદર મજાના ચિત્રો દોરી રંગો પૂર્યા.શાળામાં આ ઉપરાંત વીર બાલ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 




શીખ ધર્મના 10 મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબ જાદા જોરાવરસિંહ અને સાહેબ જાદા ફતેસિંગની સહાદતની યાદમાં શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને ગુરુ ગોવિંદસિંહજી વિશે સમજ આપી અને તેમના બંને પુત્રોએ આપેલ બલિદાનની વીર ગાથા ની બાળકોને વાત કરવામાં આવી. ઉપરાંત બાળકોને શૌર્યને વીરતાની વાતો પણ કરવામાં આવી. જેને કારણે બાળકોની અંદર શૌર્ય અને વીરતાના ગુણો વિકસે તેમજ બાળકોને દેશદાજ અને દેશભાવના વિકસે તેવી વાતો કરવામાં આવી અને બાળકોને પોતાના ઘર શેરી ગામ અને સમાજ માટે, તથા સમાજના વિકાસ માટે સારા કાર્યો કરવા માટેની પ્રેરણા આપવામાં આવી. અને અંતે સૌ રાષ્ટ્રને સમર્પિત થઈ અને કામ કરવા માટે પ્રતિબધ્ધતા કેળવી સૌ છુટા પડ્યા .




Saturday, 2 December 2023

બાળવિકાસમાં બાધક એવાં રમકડાં.


બાળ વિકાસમાં બાધક એવાં રમકડાંઓ કયા?

નમસ્કાર, વાચક મિત્રો. છેલ્લાં બે અઠવાડિયાથી બાળકની સ્વપ્ન સૃષ્ટિ એવાં રમકડાં વિષે મારી વાત જણાવી. આ વખતે હું “કેવા પ્રકારના રમકડાં બાળકો માટે ન ખરીદાય અથવા તો બાળકોથી દૂર રખાય? “ આ બાબતની વાત કરવા માંગુ છું. ઘણી વખત એવું બને છે કે, બાળકોને નહી પણ માતા પિતાને ગમે તેવાં રમકડાં ખરીદાય છે. બાળકને ગમે, બાળકનો વિકાસ થાય તેવાં રમકડાં ખરીદવાં જોઈએ.
બાળકો માટે રમકડાં ખરીદતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ. બાળકો માટે રમકડાં ખરીદો તેઓ જરૂરી નથી કે એ મોંધુ હોય, પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે એ રમકડું બાળકની જરૂરિયાતને પુરી કરે છે કે નહી. બાળકોના રમકડાંઓનો તાલમેલ બાળકની વય સાથે હોય છે, જેમ કે નવજાત શિશુ થી એક વર્ષના બાળકને ખાસ પ્રકારના રમકડાંની જરૂર પડે છે. તો ચાલો જાણીએ બાળકોને કેવાં રમકડાંથી દૂર રાખીએ.


શું મોબાઈલ એ બાળકનું રમકડું છે? 

    આજકાલ બાળકોનુ મનપસંદ રમકડું એટલે મોબાઈલ. માતાપિતા આ રમકડું પોતાનાં બાળકોને આપીને નિશ્ચિંત થઈ જાય છે. પરંતું આ રમકડું બાળકોના વિકાસમાં કેટલું ઘાતક બન્યુ છે અથવા બનશે તે માતાપિતાને પાછળથી સમજાશે. મોબાઈલના રમકડાંથી તો બાળકોને શક્ય એટલાં દૂર જ રાખવાં અથવા બાળકો મોબાઇલમાં શું જુવે છે ? કઈ ગેઇમ રમે છે તે ખાસ જુવો. બાળકનો મોબાઈલ માટે એક ચોક્કસ સમય નક્કી કરો.


વિડિયો / કોમ્પ્યુટર ગેમ્સ: 

 આજે બાળક વર્ષનું થાય ત્યાંથી બાળક મોબાઇલમાં ચિત્રો એકીટશે જોવે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ વીડિયો અને કોમ્પુટર કે લેપટોપમાં ગેમ્સ રમવા લાગે છે. બાળકને એક ન છૂટે તેવું વ્યસન લાગી જાય છે. એક વખત વ્યસન થઈ જાય પછી વીડિયો જોયા વિના કે તેના પર ગેમ રમ્યા વિના ન તો ખોરાક ગળામાં ઉતરે છે કે ન તો ઊંઘ આવે છે. આ વ્યસન પણ બાળકનું તન અને મનનું સ્વાસ્થ્ય બગાડે છે. કોમ્પ્યુટર ગેમ્સ કે વીડિયો ગેમ્સના કારણે બાળકો વધુ પડતી સ્પર્ધાત્મક બનવા લાગે છે અને હાઈપર પણ થઈ જાય છે. આ બાળકોને તેમની હાર સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ લાગે છે અને જ્યારે તેઓ હારી જાય છે ત્યારે ઘણી નિરાશા અનુભવે છે. આટલું જ નહીં, આ રમતોના કારણે કેટલાંક બાળકો વધુને વધુ સમય કાલ્પનિક દુનિયામાં વિતાવવા લાગે છે. જ્યારે બાળક વીડિયો ગેમ્સમાં કાર રેસ કરે છે અને એટલી જ ઝડપે વાસ્તવિક દુનિયામાં પણ કરવા પ્રયત્ન કરે છે. શું હાલત થાય?


 આધુનિક ઢીંગલી - બાર્બી ડોલ:

   આપણે પહેલાં નકામા અને જૂના કપડાં માંથી ઢીંગલીઓ બનાવતાં હતાં. રંગીન પેનથી તેનો ચહેરો બનાવતાં હતાં. આ ઢીંગલી એટલે એક સહેલી. કેટલી સુંદર!!! પહેલાંના સમયમાં જે સાદી ઢીંગલી મળતી હતી તે જ ઢીંગલી કહેવાય. અત્યારે આપણે જે બાર્બી ડોલ લાવીએ છીએ તેને ઢીંગલી કહી શકાય? બાર્બી ડોલ એક પુખ્ત વયની યુવતીને નાના સ્વરૂપે બનાવી છે. તમે જે પ્રકારની ઢીંગલી ખરીદી રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપો. બાર્બી વિશ્વભરના બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ આ સુંદર દેખાતી બાર્બી ડોલ તમારા બાળકના કોમળ મન પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. બાર્બી એ એક યુવાન પુખ્ત છોકરીનું રમકડું મૂર્ત સ્વરૂપ છે જે પાતળું ફિગર, તીક્ષ્ણ લક્ષણો, સુંદર લાંબા વાળ ધરાવે છે અને હંમેશાં સારામાં સારાં કપડાં પહેરે છે. બાર્બી ડોલ સાથે રમવાથી બાળકોમા વિકૃતિ આવે છે.


શસ્ત્રો શત્રુ સમા :

   તલવાર, ગદા, ગોફણ, ધનુષ્ય , તીર કે બંદુક જેવાં રમકડાં બાળક બીજા ઉપર ઉગામે જ! એ સિવાય બીજો શો ઉપયોગ? આવાં રમકડાં બાળકોને હિંસક બનાવે છે. આવાં રમકડાં સતત બીજા પર હુમલો કરવાં જ પ્રેરે છે.બાળકો માટે બંદૂક, તલવાર અને ધનુષ અને તીર જેવા હિંસક રમકડાં બિલકુલ યોગ્ય નથી. બાળકો નિર્દોષ હોય છે, તેઓ જે જુએ છે તેનાથી શીખે છે. આવી સ્થિતિમાં તેમને હિંસક વૃત્તિને પ્રોત્સાહન આપતાં બંદૂક કે અન્ય રમકડાં આપવાથી તેઓ હિંસા તરફ ધકેલે છે. રમકડાં સાથે રમતાં રમતાં ક્યારે તેનો દુરુપયોગ થઈ જાય છે તે બાળકને પણ ખબર નથી પડતી.

 
 કિચન સેટ / ડોકટર સેટ :

કિચન સેટ કે ડોક્ટર સેટ નાં રમકડાં જ્યારે બાળક રમે છે ત્યારે બાળકને એ ખબર નથી હોતી કે આ રમકડાં છે. અસલિયતમાં બાળકો કોઈ કેમિકલ સાથે કે અગ્નિ સાથે ઉપયોગ કરે છે ત્યારે ખૂબ જોખમી બને છે. બાળકને ડોક્ટર સેટ સાથે રમતાં માતા પિતા પણ ગૌરવ અનુભવે છે. માતાપિતાનું સ્વપ્ન પણ બાળકોને ડોક્ટર બનાવવાનું હોય છે. અને કદાચ આ જ કારણ છે કે મોટાભાગના બાળકો નાની ઉંમરથી જ આ પ્રશ્નનો જવાબ આપે છે કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે? બાળકોના રમવા માટે ડોક્ટર સેટ ખરીદતી વખતે પેરેન્ટ્સને લાગે છે કે તેઓ બાળકને ડોક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરશે પણ તેઓ આ રીતે બાળપણથી જ બાળક પર ડોક્ટર બનવાનું આડકતરું દબાણ કરવાનું શરૂ કરી દે છે.

Tuesday, 28 November 2023

પરમાત્માની પાઠશાળા 🏞️ - પ્રકૃતિની પાઠશાળા - એક અનોખી શાળા. 🥀🌳🏫 બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી.



શું કહી શકાય ?

પરમાત્માની પાઠશાળા!
દેવાલય!
શિવાલય!
ગુરુકુળ!
તપોભૂમિ!
શાળા!
નિશાળ!
સરસ્વતી માતાનું મંદિર!
ગામનું ઘરેણું!
બાળ સંસ્કાર કેન્દ્ર!
મનગમતી નિશાળ!

    એક અનોખી શાળા. હા, કયું નામ બંધ બેસે? કદાચ ઉપર જણાવેલ બધાં જ. પણ શરૂઆત શા માટે પરમાત્માની પાઠશાળાથી કરી ? આ તપોભૂમિ વિષે આગળ વધુ , એ પહેલાં શાળાનું નામ જણાવી દઉં. શાળાનું નામ છે - બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી. તો હા, પરમેશ્વરની પાઠશાળા !! શા માટે શરૂઆત ત્યાંથી કરી ? પરમેશ્વરની પાઠશાળા કઈ? મા પ્રકૃતિ. મા પ્રકૃતિની ગોદમાં રહીને આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પ્રકૃતિ તમામ આપણને કંઈકને કંઈક શીખવે છે.પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. 


      અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય એક વાર જોયા પછી નજર આગળથી ખસે નહીં તેવુ. મા પ્રકૃતિની કૃપા તો ખરી જ સાથે સાથે મા નર્મદાના નીર શાળાનાં બાળકોને પોષે છે. સુંદર મજાના ખીલેલાં બાગ, પુષ્પો, વનરાઈ અને વૃક્ષોનાં સાનિધ્યમાં જ્યારે શાળાનાં જીવંત ફૂલડાં સમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે જે જ્ઞાન ચિરંજીવી જ રહે! અહીં ગુરુજનો પણ ખૂબ મહેનતુ, ઉત્સાહી, ખંતીલા અને બાળ માનસના જ્ઞાતા હોઈ બાળકોના સર્વાંગી વિકાસમાં કંઈ ન ઘટે!!! 


   દેવ દિવાળીની રાત્રીએ શાળાનાં પટાંગણમાં પ્રવેશતાં જ આ ઊર્જાન્વિત ભૂમિનું આકર્ષણ જણાયુ. આખી શાળા અંધારામાં જોઈ પણ દિવસે જોવાની લાલચ રોકી શકાઈ નહીં. અને ભાઈ - ભાભી ( શ્રી યોગેશ પંડ્યા - શ્રી ભાવના પંડ્યા ) એ કે જેઓના માટે આ શાળા પ્રાણ સમાન છે. આ શિક્ષક દંપતિ - ગુરુ યુગલ શાળાનાં અને શાળાનાં વિકાસ માટે અથાક મહેનત કરી રહ્યા છે. શાળાનાં ઉત્સાહી આચાર્ય શ્રીસચીનભાઈનો સતત સહકાર અને માર્ગદર્શન થકી શાળા એક આદર્શ ગુરુકુળથી કમ નથી. શાળાનાં તમામ શિક્ષકો અને બાળકોના પરિશ્રમથી શાળા નંદનવન બની છે. 


   બીજા દિવસે ભાઈશ્રી યોગેશ પંડ્યા, અમને લઈને ફરીથી શાળાએ આવ્યા. ચારેય બાજુથી શાળાનાં દર્શન કરતાં આત્માએ અનેરો આનંદ અનુભવ્યો. હ્રુદય કૃત કૃત્ય થયું. આ પવિત્ર ભૂમિમાં કામ કરનારા તમામ ગુરુજનોને મનોમન વંદન કર્યા. શાળાનાં વર્ગખંડની મુલાકાત લીધી. ખૂબ જ સંતોષ અને આનંદ થયો. 


    2002-2003 માં આ શાળામાં માનનીય , યશસ્વી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે પધાર્યા હતાં કે જેઓ હાલનાં પ્રધાનમંત્રી છે, તેમણે શાળામાં સીસમના વૃક્ષનું વૃક્ષારોપણ કરેલું. આ સીસમ વૃક્ષ ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. ખૂબ આનંદ થયો શ્રી મોદી સાહેબે વાવેલાં, આ સીસમના વૃક્ષનાં દર્શન કરીને. 


   એવું કહેવાય છે કે, એક બીલીપત્ર વૃક્ષ જ્યાં હોય તે સ્થળ શિવાલય કહેવાય. અહીં શાળામાં એક નહીં પરંતુ અગિયાર અગિયાર બીલીના વૃક્ષો છે. સાક્ષાત શિવની આણ અહીં વર્તાઈ. અને માટે જ શિવાલય - દેવાલય પણ કહી શકાય. 




       અંતે, હું ખાસ જે કામ માટે આવી હતી તે, પ્રાણાયામ અને ધ્યાન!!! મનમોહક સવારનું વાતાવરણ. પ્રાણાયામ દ્વારા,,,,, “ ભરી ભરીને સવાર પીધી”. સૂર્યના કૂણાં તડકામાં બેસીને સોના જેવી સવારમાં થોડીવાર ધ્યાન કર્યુ. ધ્યાન માટે સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ હતું. ઊર્જાન્વિત પર્યાવરણ, હકારાત્મક વાઈબ્રેશન ઠંડી ઠંડી હવા સાથે દોડીને આવે અને મનને ઠંડક અને પ્રેરણા આપી જાય. પંખીઓનો મીઠો કલરવ જાણે કંઇક કહેવા મથતો લાગ્યો. ફૂલોની મહેકે સમગ્ર વાતાવરણને મઘમઘતી કરી દીધેલું. ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં ઝાકળનાં મોતી સૂર્યનાં કિરણો પડવાથી ટમટમી રહ્યાં હતાં. પ્રકૃતિ તમામનું અફાટ સૌંદર્ય પથરાયેલું હતું. આવા મનપસંદ વાતાવરણમાં બેસીને મનપસંદ કામ કરવાનો મોકો મળ્યો,  તે માટે પ્રકૃતિને ધન્યવાદ કરી અંતે મંગલ મૈત્રીની પ્રાર્થના દ્રારા ફૂલો, વૃક્ષો, ઘાસ અને તમામ પ્રકૃતિને મૈત્રીનાં તરંગોથી તરબોળ કર્યા. 
 સાથે સાથે શાળાનાં બાળકોને તથા સ્ટાફને ખૂબ મંગલકામનાઓ સાથે કાર્ય કરવાની શક્તિ આપે. સૌનું મંગલ થાય, તેવી પ્રાર્થના કરી.



અસ્તુ
જય હિંદ - જય ભારત,
જય શિક્ષક - જય બાળક,
જય શાળા - જય મા પ્રકૃતિ.

સબકા મંગલ હો....🙏🌺🙏

જાગૃતિ પંડ્યા ' શિવોહમ્ ' ,
આણંદ.








      



Sunday, 12 November 2023

પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.


પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.
 
 ઈશ્વરને પામવા પ્રાર્થના, પૂજા - અર્ચના, ઘ્યાન હોંશે હોંશે શરુ કરી દઈએ છીએ.ક્યાં સુઘી આપણો પ્રયાસ ચાલુ રહે છે? આપણે જાણીએ છીએ. કોઈ વિરલા જ અંત સુધી સમર્પિત થઈ જાય છે. માટે જ કહ્યું છે કે, " હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને." એક વાત મારા વાંચવામાં આવી હતી તે જોઈએ.
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ શકે. તમારે કઠિન સાધના કરવી પડશે. યાદ રાખો કે સાધના અને સિદ્ધિ વચ્ચે ત્રિરાશિના નિયમનો સંબંધ નથી. આપણા હૃદયની બધી જ શક્તિ ઈશ્વર તરફ અભિપ્રેરિત થવી જોઈએ. આપણે તેમના માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવનું એક ઉદાહરણ લઈએ. સમુદ્ર વચ્ચે ચાલતાં એક વહાણના કૂવાથંભ પર બેઠેલું પક્ષી કિનારે પહોંચવા માટે વારંવાર અલગ અલગ દિશાઓમાં ઊડતું રહે છે, પરંતુ અંતે એ થાકીને આરામ કરવા માટે છેવટે કૂવાથંભ પર જ પાછું ફરે છે. અને જ્યારે વહાણ બંદર પર પહોંચે છે ત્યારે તે અનાયાસ જ કિનારે પહોંચી જાય છે. તે પક્ષીની જેમ આપણે પણ યથાશક્તિ પ્રયત્નો કરી એ અનુભવ કરી લેવો જોઈએ કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહ્યા છીએ. એટલે સમજો કે, સાધના પાંખોને થકાવવા માટે આવશ્યક છે અને તેનાથી આપણો અહં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવો જોઈએ. સંતાકૂકડીની રમત રમાડીને ઈશ્વર આપણા અહંકારનો નાશ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા અધિકાર અને સામર્થ્યની વાત વિચારતા હોઈએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કહીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ, પેલું કરી શકીએ છીએ તથા ઈશ્વરને પોતાના પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે સંસારમાં પોતાના અનુભવ અને અહંભાવથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ છીએ, એટલા માટે ઈશ્વરને પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે આ બધા પ્રયત્નો આપણા મનને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરાભિમુખ બનાવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે એ જરૂરી છે. જો તમે પોતાને સાધનામાં પ્રવૃત્ત ન કરો તો તમે પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત નહીં કરી શકો. આ શરણાગતિ તો ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસથી જ આવે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે, ત્યારે તે સમર્પણ કરે છે. આ જ વાસ્તવિક સ્વભાવ છે અને તે સાધનાના અંતે ખંતથી પ્રાપ્ત થાય છે.

મા પોતાના બાળકને રમકડાં આપી દે છે અને જ્યાં સુધી તે બાળક રમતું રહે છે ત્યાં સુધી પોતાનું કામકાજ કરતી રહે છે. જ્યાં સુધી તે રમતું રહે છે કે થોડું રડે છે, ત્યાં સુધી તે બાળક તરફ ધ્યાન નથી આપતી, પરંતુ જે ક્ષણે કોઈ જોખમ આવવાથી તે બાળક જોરથી રડવા લાગે છે ત્યારે મા એકદમ દોડીને તેની પાસે આવી જાય છે. તે જાણતી હોય છે કે બાળકનું રડવાનું બનાવટી છે કે સાચું છે. તે એ જાણતી હોય છે કે પોતે ત્યાં જવું જોઈએ કે નહીં. એ જ પ્રમાણે, જ્યારે ઈશ્વર માટે આપણું રુદન હૃદયમાંથી નીકળતું હોય ત્યારે તેઓ સાંભળે છે. આનો અર્થ એ છે કે આપણી સમગ્ર શક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે લગાવી દેવી જોઈએ. જેમ પરીક્ષામાં પાસ થવા માટે તમે તમારી બધી જ શક્તિ લગાવી દો છો, તેમ ઈશ્વરપ્રાપ્તિ માટે પણ સમગ્ર શક્તિ લગાવી દેવી જોઈએ.

મહર્ષિ પતંજલિ યોગસૂત્રોમાં ધ્યાનનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરે છે: 

' દીર્ઘકાલ - નિરંતર - સત્કારાસેવિત: ' દીર્ઘકાલ નો અર્થ છે: લાંબા સમય સુધી. નિરંતરનો અર્થ છે : બધો વખત, સતત. અર્થ એ છે કે નિયત સમયે અભ્યાસ કરવાની સાથે સાથે મનને નિરંતર ઈશ્વરમાં જોડી રાખવું જોઈએ. કોઈ નક્કી કરેલા સમયે જ ઈશ્વરનું નિયમિત ધ્યાન કરવા માત્રથી તે શક્ય નહીં બને, પરંતુ મનના એક ભાગને હંમેશાં ઈશ્વરમાં સ્થિત કરવું પડશે. ત્રીજું લક્ષણ છે: સત્કાર. સત્કાર એટલે કે તત્પરતા. કંઈ પણ દેખાડો ન હોવો જોઈએ; જે કંઈ કરો, તે તેમના પ્રતિ પૂર્ણશ્રધ્ધાથી કરવું જોઈએ. સફળતા માટે દીર્ઘ, નિરંતર અને નિષ્કપટ અભ્યાસ આવશ્યક છે.

જ્યારે મનુષ્યના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે ત્યારે તે સમર્પિત થઈ જાય છે.

જાગૃતિ પંડ્યા, આણંદ.

Friday, 13 October 2023

સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ.


સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ


ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ (ક્રિયાઓનો ત્યાગ) તથા ત્યાગ (ઈચ્છાઓનો ત્યાગ), સંસ્કૃતના આ સામાન્યત: ઉપયોગમાં લેવાતા બે શબ્દો અંગેના પ્રશ્ન દ્વારા કરે છે. આ બંને શબ્દો “પરિત્યાગ કરવો” એ અર્થ ધરાવતા મૂળ શબ્દો પરથી આવ્યા છે. સંન્યાસી એ છે કે જે પારિવારિક જીવનમાં ભાગ લેતો નથી તથા સાધના (આધ્યાત્મિક અનુશાસન) ના અર્થે સમાજમાંથી વિરક્ત થઇ જાય છે. ત્યાગી એ છે કે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો રહે છે પરંતુ તે કર્મોના ફળનો આનંદ માણવા અંગેની સ્વાર્થી કામનાઓને ત્યાગી દે છે (ગીતાના શબ્દનો આ સૂચિતાર્થ છે). શ્રીકૃષ્ણ બીજા પ્રકારના ત્યાગ અંગે ભલામણ કરે છે. તેઓ શિખામણ આપે છે કે બલિદાન, દાન, તપસ્યા તથા અન્ય ઉત્તરદાયિત્વના કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાનીને પણ શુદ્ધ કરે છે. બલ્કે, કેવળ ઉત્તરદાયિત્ત્વની દૃષ્ટિએ તેનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ રહિત થઈને તે કરવા આવશ્યક છે.

શ્રીકૃષ્ણ કર્મોને પ્રેરિત કરતા ત્રણ પરિબળો, કર્મોના ત્રણ ઘટકો તથા કર્મોના ફળોમાં યોગદાન આપતા પાંચ પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ આ પ્રત્યેકનું ત્રણ ગુણોના સંદર્ભમાં વર્ણન કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જેઓ અપર્યાપ્ત જ્ઞાન ધરાવે છે, તેઓ પોતાને કેવળ તેમના કર્મોના એકમાત્ર કારણ તરીકે જોવે છે. પરંતુ પ્રબુદ્ધ જીવાત્માઓ, વિશુદ્ધ બુદ્ધિ સાથે, પોતાને ન તો તેમના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોક્તા માને છે. તેઓ જે કંઈ કરે છે, તેના ફળોથી સદૈવ અનાસક્ત રહીને તેઓ કાર્મિક પ્રતિભાવોથી બંધાતા નથી. પશ્ચાત્ આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેમના ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓમાં ભિન્નતા ધરાવે છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર, તે જ્ઞાનનાં પ્રકારો, કર્મોનાં પ્રકારો તથા કર્તાઓની શ્રેણીઓનું વર્ણન કરે છે. પશ્ચાત્ તે બુદ્ધિ, સંકલ્પ અને આનંદ માટે સમાન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. તત્પશ્ચાત્ આ અધ્યાય એવા લોકોનું ચિત્રણ કરે છે કે જેમણે આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે તથા બ્રહ્મ-સાક્ષાત્કારમાં સ્થિત રહે છે. તેઓ ઉમેરે છે કે આવા પૂર્ણ યોગીઓ પણ તેમની અનુભૂતિમાં પૂર્ણતાનો અનુભવ ભક્તિમાં લીન થઈને કરે છે. આ પ્રમાણે, પરમ દિવ્ય પરમાત્માનું રહસ્ય કેવળ પ્રેમા-ભક્તિ દ્વારા જાણી શકાય છે.


શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેમના કર્મો અનુસાર તેમના ભ્રમણનું નિર્દેશન કરે છે. જો આપણે તેમનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેમને સમર્પિત કરી દઈએ, તેમનું શરણ ગ્રહણ કરીને તેમને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેમની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું. પરંતુ, જો અહંકારથી પ્રેરાઈને, આપણે આપણા તરંગો પ્રમાણે કર્મ કરીશું, તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતત: શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે. પરંતુ, આ જ્ઞાન જે લોકો સંયમી કે સમર્પિત નથી, તેઓને પ્રદાન કરવું જોઈએ નહીં કારણ કે તેઓ તેનું ખોટું અર્થઘટન કરે છે અને બેજવાબદારીપૂર્વક કર્મોનો ત્યાગ કરવા માટે તેનો ગેરઉપયોગ કરે છે. પરંતુ જો આપણે આ ગોપનીય જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ પ્રસ્તુત કરીશું, તો તે પ્રેમનું મહાનતમ કર્મ છે અને તે ભગવાનને અતિ પ્રસન્ન-કારક છે.

અર્જુન શ્રીકૃષ્ણને જણાવે છે કે તેનો ભ્રમ દૂર થયો છે તથા તે આદેશ અનુસાર કર્મ કરવા માટે તૈયાર છે. અંતમાં, સંજય કે જે આ સંવાદનું વર્ણન અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, તેઓ નોંધપૂર્વક જણાવે છે કે આ દિવ્ય સંવાદનું શ્રવણ કરીને તેઓ કેટલા વિસ્મિત અને આશ્ચર્યચક્તિ છે. જયારે તેઓ આ પવિત્ર સંવાદ અને ભગવાનના પ્રચંડ વૈશ્વિક રૂપને યાદ કરે છે ત્યારે પરમાનંદના ભાવાવેશમાં તેમના રૂંવાડાં ઉભા થઇ જાય છે. તેઓ એક પ્રગાઢ ઘોષણા સાથે ઉપસંહાર કરે છે કે વિજયશ્રી તેમજ શુભતા, સર્વોપરિતા અને ઐશ્વર્ય સદૈવ ભગવાન તથા તેમના વિશુદ્ધ ભક્તના પક્ષે જ રહેશે કારણ કે સદૈવ પૂર્ણ સત્યના પ્રકાશ દ્વારા અસત્યના અંધકારનો નાશ થશે.

Wednesday, 11 October 2023

🎉 Happy birthday 🎂🎈 ગાયત્રીબેન. 🌺 મંગલ હો, કલ્યાણ હો, ધન્ય હો!!!!




પ્રિય ગાયત્રીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


ईश्वर: त्वां च सदा रक्षदु।

पुण्यकर्मणा कीर्तिमार्जय।

जीवनम्‌ तव भवतु सार्थकं।

इति सर्वदा मुदम्‌ प्रार्थयामहे।

जन्मदिनशुभेच्छा:।।


अर्थात: ईश्वर सदैव आपकी रक्षा करे समाजोपयोगी कार्यों से यश प्राप्त करे आपका जीवन सबके लिए कल्याणकारी हो हम सभी आपके लिए यही प्रार्थना करते हैं आपके जन्मदिवस की ढेर सारी शुभकामनाएँ।



     શ્રીગાયત્રીબેન મહિડા,

               

           સંસ્કાર, સેવા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ જેમનાં વ્યક્તિત્વમાં છલકાય છે. સાથે સાથે સૌની વ્યક્તિગત કાળજી સાથેનું અનોખું નેતૃત્વ તો ખરું જ. શાળાની, શાળાના બાળકોની અને શિક્ષકો માટે સતત ચિંતિત. પ્રિપ્લાનિંગ અને બેસ્ટ પ્લાનિંગ દ્રારા તમામ કામ ઉત્તમ રીતે પાર પાડનાર. જે રીતે શાળામાં બાળકોના હ્રુદય સુઘી પહોંચવાના કાર્યોમાં પ્રવૃત્ત એજ રીતે ઇશ્વરના હ્રુદય સુઘી પહોંચવા માટે પણ સતત પ્રવૃત્ત. કામ નાનું હોય કે મોટું ખૂબ કાળજી પૂર્વક અને ગંભીરતાથી કરનાર. એક આદર્શ નેતૃત્વ સંભાળનાર કે જે તે વ્યક્તિને પોતપોતાની રસ રુચિ મુજબ અને સરખો કાર્યભાર રહે તે રીતે કામનું સુચારુ સંચાલન કરનાર.


   પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ અને ભક્તિનું ભાથું આપે. યશસ્વી અને કલ્યાણકારી કાર્યો કરાવે. સેવા કાર્યોના નિમિત્ત બનાવી પુણ્ય પ્રબળ બનાવે. તમામ પ્રકારનાં સુખો પ્રાપ્ત થાઓ. બઘી જ મનોકામનાઓ પરિપૂર્ણ થાઓ. દીર્ઘઆયુષ્ય અને આરોગ્ય બળવાન બનાવે.


ખૂબ મંગલ થાઓ.

ખૂબ કલ્યાણ થાઓ.


Tuesday, 19 September 2023

ગણેશ ચતુર્થી





ગણેશ ચતુર્થી

શ્રી ગણેશ ભગવાનનો તહેવાર


 ભગવાન શ્રી ગણેશનું મુખ આપણને ‘‘ઉચ્‍ચ વિચાર’’ અને ‘‘લાભ’’ ની પ્રરેણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશના મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશની નાની આંખો પોતાના લક્ષ્‍યને વળગી રહેવાની પ્રરેણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશનું લાંબુ નાક નવું નવું શીખવાની પ્રેરણા આપે છે.
 ભગવાન શ્રી ગણેશનું નાનું મુખ ઓછી બોલી, વધારે સાંભળવાની પ્રેરણા આપે છે.

ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય, વિવેકબુદ્ધિ, આત્‍મોદ્ધારના ભગવાન છે. ‘ગ’ નો અર્થ ‘‘જાણકાર’’, ‘ન’ નો અર્થ ‘‘અંત્‍યોદ્ધાર’’ અને ‘ઇશ’ અને ‘પતિ’ નો અર્થ ભગવાન થાય છે. ગણેશનો અર્થ ‘‘ગણના દેવતા’’ પણ થાય છે. ગણેશ ભગવાન શીવના પુત્ર છે. દક્ષિણ ભારતમાં ગણેશને પિલ્‍લાઇવર તરીકે પૂજવામાં આવે છે. ગણેશ કોકંબા, દુંદાળા અને હાથીના મુખવાળા દેવ છે. જેમના ચાર હાથ, હાથદંત તથા સુવર્ણ સમાન વાતો છે. પુરાણોમાં હાથી સત્‍ય, ધીરજ અને ચાતુર્યનું પ્રતીક છે. તેમના હાથમાં લાડુ, શંખ, કમળ, ગદા હોય છે ગણેશની સવારી ઉંદર છે. જે નાના સાથે મોટાના ભળવાનું પ્રતીક છે. તે સૌથી વધુ પૂજાતા દેવ છે. દરેક ધાર્મિક કાર્ય, ઉત્‍સવ, યજ્ઞ, પર્વમાં સૌથી પહેલા તેમની પૂજા થાય છે. તેમની તસવીર દરેક શુભેચ્‍છા પત્રમાં જોવા મળે છે. ૐ ગણેશાય નમઃ દરેક શુભેચ્‍છા પત્રની શરૂઆતમાં લખાય છે. તેનો અર્થ ગણેશ હું પ્રાર્થના કરું છું થાય છે. ઘણા લોકો, વિદ્યાર્થીઓ, દુકાન માલિકો, ફિલ્‍મકારો કે પરમાણું વૈજ્ઞાનિકો તેમના કામની શરૂઆત ગણેશની પૂજા કરીને કરે છે. ગણેશના જન્‍મની જુદી જુદી માન્‍યતાઓ છે.

ઇ.સ. ૫૦૦ પહેલાના સાહિત્‍યમાં તેમનો ઉલ્‍લેખ ઝાઝો જોવા મળતો હતો. પરંતુ મધ્‍યકાલીન ૧૫ મી સદીમાં તેમનો ઉલ્‍લેખ જોવા મળે છે. પદ્મ પુરાણના અનુસાર ગણેશ શીવ અને પાર્વતીના નાના પુત્ર છે. શીવ પુરાણ અનુસાર ‘મા’ પાર્વતીના શરીરના મેલમાંથી થયો હતો. જ્યારે ભગવાન શીવ ન હતાં. ‘મા’ પાર્વતી તેમના દ્વારની રખેવાળી માટે કોઇક જોઇતું હતું. ‘મા’ પાર્વતીએ તેમના મેલમાંથી એક મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા અને તેનું નામ ગણેશ આપ્‍યું. ગણેશને ‘મા’ પાર્વતીએ દ્વારની રખેવાળી કરવાનો આદેશ આપ્‍યો જ્યારે ભગવાન શીવ આવ્‍યા ત્‍યારે ગણેશે તેમને અંદર જવા ન દીધા. દલીલો બાદ ભગવાન શીવે ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે ‘મા’ પાર્વતીને આ વાતની જાણ થઇ ત્‍યારે તેઓ ગુસ્‍સે ભરાયા અને તેમના બાળકને પાછો લાવવા માટે શીવને કહ્યું. ત્‍યારબાદ ગણેશના ધડમાં હાથીનું માથું લગાવવામાં આવ્‍યું અને ગણેશના શરીરમાં પ્રાણ પૂર્યા. પુરાણો કહે છે કે ગણેશની પૂજા કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવે છે. જેનું કારણ હતું કે એકવાર શીવે પોતાના બે પુત્ર ગણેશ અને કાર્તિકેયને પૃથ્‍વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તે હરિફાઇમાં કાર્તિકેય મોરની સવારી કરીને પૃથ્‍વીના ચક્કર લગાવ્‍યા. પણ, ગણેશે શીવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ગણેશે તેના માટે કારણ આપ્‍યું કે એના માત-પિતા જ તેની દુનિયા છે. તે માટે તેણે તેમની પ્રદક્ષિણા કરી. શીવ આ વાત જાણીને ખુશ થયા અને શીવે કોઇપણ શુભ કાર્યનું શરૂઆતમાં ગણેશની પૂજા થાય તેવા આર્શિવાદ આપ્‍યા. નરસિંહ પુરાણના અનુસાર જો તેમની પૂજા કોઇ કાર્યની શરૂઆતમાં ન કરવામાં આવે તો તે કાર્યમાં વિધ્‍ન આવે છે. તેના કારણે દરેક શુભ-કાર્યની શરૂઆતમાં ગણેશની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ગણેશને વિધ્‍નહર્તા પણ કહેવામાં આવે છે. જે દરેક વિધ્‍નોને દૂર કરે છે. ગણેશ દરેક વિધ્‍નોને દૂર કરે છે. ભારતીય મહાકાવ્‍ય ‘‘મહાભારત’’ ગણેશે મહર્ષિ વેદવ્‍યાસના કહેવા પ્રમાણે લખ્‍યું હતું. જ્યારે ગણેશે ને તે ‘‘મહાભારત’’ લખવા માટે કહેવામાં આવ્‍યું ત્‍યારે તેમને શરત મૂકી કે તેમની કલમ જ્યાં સુધી અટકશે નહીં કે જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય. તેના જવાબમાં મહર્ષિ વેદ વ્‍યાસે કહ્યું કે ગણેશ વાક્ય ત્‍યારે જ લખશે જ્યારે તેમને આ વાક્ય બરાબર સમજાઇ ગયું હશે. એટલે જ્યારે પણ ગણેશ તે વાક્ય સમજતા ત્‍યાં સુધી મહર્ષિ નવો શ્લોક બનાવી લેતા. ગણેશને ‘એકદંતા’ પણ કહેવામાં આવે છે. કારણે તેમનો એક દાંત તૂટેલો છે. પદ્મ પુરાણ અનુસાર એક દિવસે જ્યારે ભગવાન શીવ સૂતા હતા ત્‍યારે પરશુરામ તેમને મળવા માટે આવ્‍યા. ગણેશે તેમને શીવને મળવા ન દીધા. કારણ તે સમયે શીવ સૂતા હતાં. તેના કારણે પરશુરામ ક્રોધે ભરાયા અને ગુસ્‍સામાં તેમણે ગણેશ પર કુહાડીનો પ્રહાર કર્યો. જે કુહાડી ભગવાન શિવે તેમને આપેલી. તે કુહાડી ભગવાન શીવની છે તેમ જાણતા હોવાને કારણે ગણેશે તેમા પ્રતિકાર ન કર્યોં. તેના કારણે કુહાડીથી તેમનો એક દાંત તૂટી ગયો. પુરાણોના અનુસાર મહિનાના ચોથા દિવસ ને ચતુર્થી તરીકે ઓળખાય છે જે ગણેશની પૂજા માટે શુભદિવસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ભાદરવા મહિનાની ચતુર્થી એ ભગવાન ગણેશનો જન્‍મ થયો. આ દિવસે ચંદ્રના દર્શન કરવા અશુભ મનાય છે. જેનું કારણ એ છે કે એક વખત ગણેશ અને તેમના વાહન ઉંદર ને જોઇએ ચંદ્ર હસ્‍યો હતો. તેના કારણે ગણેશે ચંદ્રને શ્રાપ આપ્‍યો કે જે કોઇ આ દિવસે ચંદ્રને જોશે તેના કામમાં વિધ્‍ન આવશે. લોક માન્‍ય તિલકે મહારાષ્‍ટ્રમાં ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી. ગણેશ ચતુર્થીમાં દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને છેલ્‍લા દિવસે તેમની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે.

એમ માનવામાં આવે છે કે ગણેશનો જન્‍મ કલયુગમાં ‘‘ધૂમકેતુ’’ ના રૂપે થશે. જે રાક્ષસોને મારીને વિશ્વમાં શાંતિ અને સુખ લાવશે.

ગણેશાય નમઃ
ગણેશના ઘણા નામો છે. જેવા કે ગણપતિ, વિધ્‍નહર્તા, વિનાયક (જે અસત્‍ય પર સત્‍ય વિજય ના પ્રતીક છે).

ૐ વિધ્‍નેશ્વરાય નમઃ 
ૐ સમુખાય નમઃ
દરેક કાર્ય કોઇ પણ વિધ્‍ન વગર પૂરું થાય. 
અમોને વિજય, રૂપ અને કિર્તિ પ્રદાન કરો.
ૐ એકાદંતાય નમઃ 
ૐ રાજનાથાય નમઃ
દરેક કાર્ય તેના લક્ષ્‍ય સુધી પહોંચે 
અમોને સારા-નરસાનો વિવેક આપો. વિશાળહૃદય ચેતના સાથે બુદ્ધિ-ચાતુર્ય આપો.
ૐ રાજકરણ્‍ય નમઃ 
ૐ લંબોદરાય નમ
અમને આત્‍મવિશ્વાસ ને આત્‍મબળની શક્તિ આપો. 
અમારી મનોકામના પૂર્ણ થાય ત્‍યાં સુધી અમારામાં શ્રદ્ધા અને ભક્તિ ટકાવી રાખો.
ૐ ધૂમ્રકેતુય નમઃ 
ૐ ભાલચંદ્રાય નમઃ
અમે દિવ્‍ય વિચારોથી સંપન્‍ન બનીએ. 
અમે ઉચ્‍ચ વિચારો સાથે આત્‍મગૌરવ પર સન્‍માન આપતા રહીએ.
ૐ વિકટાય નમઃ 
ૐ વિનાકાય નમઃ
અમોને આર્શિવાદ આપો કે અમે આસુરી શક્તિ સાથે જીત મેળવીએ. 
અમને શ્રેષ્‍ઠ નેતાગીરીના ગુણો આપો.
ૐ ગણકાક્ષાય નમઃ
અમે અમારા શ્રેષ્‍ઠીઓને અનુસરી શકીએ.

ગણેશજીના જમણો હાથ અભય મુદ્રામાં છે. જે માનવ સમાજની સુરક્ષા અને અભય પ્રદાન કરે છે. બીજા હાથમાં અંકુશ ધારણ કર્યું છે. જે આસુરી તત્‍વો માટે સંહાર રૂપ છે. અને ભક્તો માટે તેને નિયમ-શિસ્‍તમાં રાખવા માટેનું છે. ‘મોદક’ એ સ્‍વાશ્રય અને પ્રેમનું પ્રતીક છે. ગણેશજી આપણને નિયમનપૂર્વક જીવનશૈલી શિખવાડે છે. શાસ્‍ત્રો મુજબ જીવન જીવવાનું કરે છે.

જાગૃતિ પંડ્યા, આણંદ.





Wednesday, 13 September 2023

તાલુકા કક્ષાએ તૃતીય ક્રમાંક 🎯 વિજેતા કૃતિ 🎉વિભાગ ૪ કૃતિ, શાળા નંબર ૩૩, 27/9/24- Friday,,,,🌹🌹 ક્લસ્ટર કક્ષાએ - 19/9/24 what is Computation Thinking ? Details of computation Thinking charts /School No. 33 📃📤🌹📚✍️

વિભાગ : ૪ કોમ્પ્યુટેશનલ thinking 
તાલુકા કક્ષાએ શાળા નંબર ૩૩, તૃતીય ક્રમાંક વિજેતા કૃતિ.





વિભાગ : ૪  કોમ્પ્યુટેશનલ thinking 
ક્લસ્ટર કક્ષાએ શાળા નંબર ૩૩, કૃતિ.


*****************************************

અમારી કૃતિ તમને કેવી લાગી ? 

આ qr કોડ સ્કેન કરો.


****************************************

જીસીઇઆરટી , ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , આણંદ
બાળ વૈજ્ઞાનિક – ૨૦૨૪ – ૨૫                 
એપ્રાઇઝલ ફોર્મ

    શાળાનું નામ અને સરનામું: નગર પ્રાથમિક શાળા નંબર 33, ભાઈકાકા નગર , બાકરોલ , આણંદ.

    વિભાગનું નામ : 4 

    કૃતિનું નામ : ગાણિતિક નમૂનાઓ 

    માર્ગદર્શક શિક્ષકનું નામ : શ્રીજાગૃતિબેન 

    અંદાજિત ખર્ચ : ₹ 50


    કૃતિ અંગેની નોંધ : સરળતાથી ગાણિતિક ક્રિયાઓ કરવા માટેના મજાના નમૂનાઓ.

 કૃતિ બનાવવા પાછળનો હેતુ :

 કોમ્પ્યુટેશનલ થિંકીગ એ, પ્રારંભિક બાળપણના વિકાસનો પાયાનો પથ્થર છે, જે બાળકોને સમસ્યા-નિવારણ માટેનો અભિગમ આપે છે જે શ્રેણીબદ્ધ પગલાંને અનુસરીને ઉકેલ વિકસાવે છે.


કૃતિનો વૈજ્ઞાનિક સિધ્ધાંત : રમતાં રમતાં ગમ્મત કરતાં શીખે છે.


કૃતિ બનાવવા વપરાયેલ સાધન-સામગ્રી : 

ચાર્ટ પેપર, ગુંદર, સ્કેચપેન, રંગીન કાગળ, કાતર, કટર, પુશપિન, લોહ ચુંબક, પૂંઠા, વેસ્ટ પ્લાસ્ટિક પાઈપ, ઊન વગેરે…..

કૃતિ તૈયાર કરવાની પધ્ધતિ : 


સરળતાથી ઘડિયા ગાન - ચાર્ટપેપર અને પૂંઠાની મદદથી 1 થી 20 સુધીનાં ઘડિયાગાન માટે સ્કેચપેનની મદદથી સંખ્યા લખી.


ચાલો, ગુણાકાર કરીએ - ગોળ પુંઠું અને ચાર્ટ પેપર કાપીને તૈયાર કરવામાં આવ્યું છે.

             

સરવાળો કરો - સ્થાનકિંમતની સમજ : ચોરસ પૂંઠું કાપીને ચાર્ટ પેપરથી બે બોક્સ લગાવ્યા, જે એકમ - દશક સંખ્યા અને સરવાળો કરવા માટે.


સરવાળાની મજા : એક લંબચોરસ પૂંઠાને કાપીને તેની ઉપર સંખ્યા લખવા માટે ફૂલ આકારના રંગીન કાગળ લગાવીને તૈયાર કરવામાં આવ્યું છે.


કાર્ટુન કરે ગુણાકાર : એક બોક્સ અને નકામી પાઇપોની મદદથી આ એક કાર્ટુન બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે જેની મદદથી મજાના ગુણાકાર કરી શકાય છે.


સંખ્યા જ્ઞાન : એક લંબ ચોરસ પૂંઠા પર રંગીન ચાર્ટ પેપર લગાવીને 1 થી 10 સુધીની સંખ્યા લખી છે. બીજી બાજુ એક પટ્ટી પર 0 થી 9 સુધીની સંખ્યા લખી છે. આની મદદથી સંખ્યા જ્ઞાન મેળવી શકાય છે.


કલાક/મિનિટ જાણો : એક ગોળ પૂંઠા પર રંગીન કાગળ ચોંટાડી ઘડિયાળ બનાવી છે. તેની બહારની બાજુ લાકડાની સળી પર 00 થી 60 સુધીના 5 નાં ગુણાંક વાળા અંકો ઘડિયાળના કાંટા પર લગાવવામાં આવ્યા છે. 



કોને વદી ગણવી? વદી ક્યાં મૂકવી? 

                લંબચોરસ પૂંઠા પર રંગીન કાગળ લગાવીને તૈયાર કરવામાં આવ્યું છે. વદી વાળા સરવાળા માટેની રકમો લખીને એક ગોળ બિલ્લો છે જેનાં પર ચુંબક લગાવવામાં આવ્યું છે. ચુંબક પરની સંખ્યા વદી માટે લેવાના ઉપયોગમાં લેવામાં આવે છે. 

       
સ્થાનકિંમત જાણો : લંબ ચોરસ પૂંઠા પર રંગીન કાગળ લગાવીને તૈયાર કરવામાં આવ્યું છે. પેન્સિલ આકારના ચાર ચાર્ટ પેપર ચોંટાડવામાં આવ્યા છે. આ રીતે સ્થાન કિંમત જાણવા માટે આ સાધન તૈયાર કરવામાં આવ્યું છે. 


 કૃતિની ઉપયોગીતા :

સરળતાથી ઘડિયા ગાન : ઘડિયા સરળતાથી શીખવા માટે.
ચાલો, ગુણાકાર કરીએ : ગમ્મત સાથે જ્ઞાન 
સરવાળો કરો - સ્થાનકિંમતની સમજ : સરવાળાની સમજ અને સ્થાન કિંમત 
સરવાળાની મજા : રમતાં રમતાં સરવાળા કરે.
કાર્ટુન કરે ગુણાકાર : ગુણાકાર કરવા માટે.
સંખ્યા જ્ઞાન : સંખ્યા જ્ઞાનની જાણકારી માટે.
કલાક/મિનિટ જાણો : કેટલાં કલાક અને મિનિટ થઈ તે જાણવા માટે.
કોને વદી ગણવી? વદી ક્યાં મૂકવી? : વદી વાળા દાખલા સાચી અને સરળ રીતે ગણવા માટે.
સ્થાનકિંમત જાણો : સ્થાન કિંમત ઝડપથી શીખવા માટે.



સંદર્ભોની વિગત : ગણિત ગમ્મત પુસ્તિકા, ઓનલાઈન 



       કૃતિનો ફોટોગ્રાફ 






























કોમ્પ્યુટેશનલ વિચારસરણી એ એક સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય સમૂહ છે જે શિક્ષકો યુવાન શીખનારાઓમાં ઉત્તેજન આપી શકે છે. તે પ્રારંભિક બાળપણના વિકાસનો પાયાનો પથ્થર છે, જે બાળકોને સમસ્યા-નિવારણ માટેનો અભિગમ આપે છે જે શ્રેણીબદ્ધ પગલાંને અનુસરીને ઉકેલ વિકસાવે છે: વિઘટન, પેટર્નની ઓળખ, અમૂર્તતા અને અલ્ગોરિધમ ડિઝાઇન.

*****
કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ સમસ્યાઓની રચનામાં સામેલ વિચાર પ્રક્રિયાઓનો સંદર્ભ આપે છે જેથી તેમના ઉકેલોને કોમ્પ્યુટેશનલ સ્ટેપ્સ અને અલ્ગોરિધમ્સ તરીકે રજૂ કરી શકાય. શિક્ષણમાં, CT એ સમસ્યા-નિરાકરણ પદ્ધતિઓનો સમૂહ છે જેમાં સમસ્યાઓ અને તેમના ઉકેલોને એવી રીતે વ્યક્ત કરવામાં આવે છે કે જે કમ્પ્યુટર પણ ચલાવી શકે. 

****

મ્પ્યુટેશનલ વિચારસરણી વધુ મુશ્કેલ હોઈ શકે છે, તેમ છતાં, તે એક મહત્વપૂર્ણ પ્રારંભિક બિંદુ તરીકે સેવા આપી શકે છે.

નાની ઉંમરે કોમ્પ્યુટેશનલ વિચારસરણીનો પરિચય કરવાથી જીવનમાં પાછળથી પૂરતો લાભ થઈ શકે છે. કોયડાઓ અને રમતોનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈપણ પદ્ધતિ કે જે વિદ્યાર્થીઓને સમસ્યાના બિટ્સ અને ઘટકોને કાળજીપૂર્વક જોવામાં જોડે છે તે કોમ્પ્યુટેશનલ વિચારસરણી કુશળતાને સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તેથી, નીચેનો લેખ કેટલીક અરસપરસ રમતો અને પ્રવૃત્તિઓની યાદી આપે છે જે યુવાનોને તેમના જીવનની શરૂઆતમાં કોમ્પ્યુટેશનલ વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.


કોમ્પ્યુટેશનલ વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે મનોરંજક અને આકર્ષક રમતો અને પ્રવૃત્તિઓ
વિશ્લેષણાત્મક માનસિકતા બનાવવા, સમસ્યાઓ ઓળખવા અને ઉકેલોની યોજના બનાવવા માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ કૌશલ્ય જરૂરી છે. અભ્યાસક્રમમાં રમતો અને પ્રવૃત્તિઓનો સમાવેશ સ્પર્ધાત્મક વાતાવરણ તરફ દોરી જાય છે જે વિકાસ, નેતૃત્વ અને શીખવાની જગ્યામાં વ્યસ્ત સમયને પ્રોત્સાહન આપે છે.

કોમ્પ્યુટેશનલ વિચારસરણીમાં સમગ્ર કાર્યને સમજવા માટે પ્રક્રિયાઓના વિઘટનનો સમાવેશ થાય છે. આ રમત કાર્યને વ્યવસ્થિત પગલાઓમાં તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


આ રમત રમવા માટે, વિદ્યાર્થીઓને સેન્ડવીચ માટે સામગ્રી લાવવા કહો
વિદ્યાર્થીઓને દરેક 2 સભ્યોની ટીમમાં વિભાજીત કરો
ટાઈમર શરૂ કરો અને તેમને સેન્ડવીચ બનાવવા માટે કહો
એકવાર થઈ ગયા પછી, તેઓએ સેન્ડવીચ બનાવવાની પગલું-દર-પગલાની પ્રક્રિયા લખવાની જરૂર છે
જે ટીમ પ્રક્રિયા બનાવે છે અને લખે છે તે પ્રથમ રમત જીતે છે
આવી વર્ગખંડની રમત શીખવાના વાતાવરણમાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓ સેન્ડવીચ બનાવવાના પગલાં ઓળખવામાં વધુ ઝડપી બને છે. તેઓ સંકલન કરવાનું પણ શીખે છે અને ઓછામાં ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરે છે.





જ્યારે શૈક્ષણિક રમકડાંની વાત આવે છે ત્યારે બિલ્ડિંગ બ્લોક્સ પ્રખ્યાત છે. આ રમત વિદ્યાર્થીઓને અનુભૂતિ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કોમ્પ્યુટેશનલ વિચારસરણીમાં દરેક પગલું કેવી રીતે મહત્વનું છે.

આ રમત રમવા માટે, બધા વિદ્યાર્થીઓને બિલ્ડિંગ બ્લોક્સ આપો
વિદ્યાર્થીઓને દરેક 3 સભ્યોની ટીમમાં વિભાજીત કરો
હવે, તેમને બિલ્ડીંગ બ્લોક્સના પ્રોટોટાઇપના વિવિધ ચિત્રો સોંપો
ઉદાહરણ તરીકે, જો તે ઘર છે, તો તેને બનાવવા માટે બ્લોક્સનો ઉપયોગ કરવાની જરૂર છે
પ્રથમ તેમનું કાર્ય પૂર્ણ કરનારી ટીમ રમત જીતે છે


જેમ જેમ વિદ્યાર્થીઓને બ્લોક્સ સાથે કામ કરવાની તક મળે છે, તેમ તેઓ મોટર કૌશલ્ય વિકસાવે છે અને વિશાળ કાર્યમાં નાના પગલાઓ ઓળખવાનું પણ શીખે છે. આ કોમ્પ્યુટેશનલ વિચારને વેગ આપે છે અને વિશ્લેષણાત્મક વિચાર સાથે તેમના મનને પોલિશ કરે છે


વિઘટન એ કોમ્પ્યુટેશનલ વિચારસરણીનું એક મહત્વપૂર્ણ પાસું છે. આ રમત વિદ્યાર્થીઓને અંતિમ પરિણામો પર પહોંચવા માટે વર્ગીકરણ અને વિઘટન કરવા શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રમત સમયસર રીતે ક્યાં જાય છે તે સમજવા વિશે છે.

આ રમત યોગ્ય સામગ્રી શોધવા અને તેને સૉર્ટ કરવા વિશે હોવાથી, તે કોમ્પ્યુટેશનલ થિંકિંગ કૌશલ્યો બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી રમત વિદ્યાર્થીઓને વિવિધ શ્રેણીઓ ઓળખવા અને તે મુજબ તેમને ફાળવવામાં સક્ષમ બનાવે છે.


જ્યારે વિદ્યાર્થીઓ વિરામચિહ્ન જેવા ગૂંચવણમાં મૂકનારા તત્વોનો ઉપયોગ જાણતા હોય ત્યારે જ તેઓ કોમ્પ્યુટેશનલ વિચારસરણી વિકસાવી શકે છે. આ પ્રવૃત્તિ નિર્ણાયક વિચારસરણીને વધારે છે અને ધ્યાન કેન્દ્રિત કરે છે.


સંખ્યા સંવેદનાની આ પ્રવૃત્તિ સાથે, વિદ્યાર્થીઓ જટિલ વિચારસરણી વિકસાવે છે અને એક જ વસ્તુને જુદી જુદી રીતે રજૂ કરવાની રીતો શોધે છે. તેઓ સંખ્યાઓમાં પેટર્ન વિકસાવવાનું અને વ્યવહારિક અર્થમાં ગણિતને સમજવાનું પણ શીખે છે.

જ્યારે વિદ્યાર્થીઓને તે સર્જનાત્મક લાગે છે, ત્યારે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને આકારો વચ્ચે સંબંધ બનાવવાની મંજૂરી આપીને કોમ્પ્યુટેશનલ વિચારને વેગ આપે છે. તે પરિણામોમાં વિવિધતા પણ લાવે છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ રોબોટ દોરી શકે છે જ્યારે અન્ય કંઈક અમૂર્ત બનાવી શકે છે.

. કેસ શું છે?
આ એક સરળ ચર્ચા પ્રવૃત્તિ છે, જો કે, તે સમસ્યાનું નિરાકરણ કરવાની માનસિકતાને ઉત્તેજિત કરે છે. તે વિદ્યાર્થીઓને વિચારવાની, સમસ્યાઓને તોડવા અને ઉકેલ લાવવાની શક્તિ આપે છે.


કામના ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જરૂરિયાત હવે હિતાવહ છે. આપણા રાષ્ટ્રની K-12 શાળા પ્રણાલીમાં આવશ્યક 21મી સદીના કૌશલ્યોને સંબોધવા માટે, શિક્ષકો સમસ્યાનું નિરાકરણ માટેના નવા માળખા તરફ વળ્યા છે: કોમ્પ્યુટેશનલ વિચારસરણી.

કોમ્પ્યુટેશનલ વિચારસરણી આપણને વિશ્લેષણાત્મક અને પદ્ધતિસરના અભિગમ દ્વારા આપેલ કોઈપણ પડકારને ઉકેલવા માટે સક્ષમ બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોમ્પ્યુટેશનલ થિંકિંગ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની જેમ માહિતી પર પ્રક્રિયા કરવાનું શીખવે છે. તે ઓપન-એન્ડેડ સમસ્યાઓ ઉકેલવા માટે, અલ્ગોરિધમની જેમ શ્રેણીબદ્ધ પગલાંઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

તે એક પ્રકારની વિચારસરણી છે જે વસ્તુઓને ભાગોમાં વિભાજિત કરે છે, પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સુધારે છે અને મદદરૂપ પેટર્નને ઓળખે છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગના કેટલાક ઉદાહરણોમાં ચેસ વ્યૂહરચના 

સાચો! કોમ્પ્યુટેશનલ વિચારસરણી તમામ પ્રકારના હેતુઓ માટે ટેક્નોલોજીને સમજવા અને તેનો લાભ લેવાની ક્ષમતા સાથે સંબંધિત છે.


આપણે બધા જાણીએ છીએ કે કોમ્પ્યુટર અદ્ભુત વસ્તુઓ કરવામાં સક્ષમ છે, પરંતુ તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની ચાવી માત્ર વધુ જૈવિક મગજની શક્તિમાં રહેલ છે: 

બીજા શબ્દોમાં કહીએ તો, ટેક્નોલોજી સાથે સંપર્ક કરતા કમ્પ્યુટર વૈજ્ઞાનિકની જેમ વિચારવું અને કાર્ય કરવું.


******
यह उस प्रकार की सोच है जो चीजों को भागों में तोड़ती है, प्रक्रियाओं को अधिक कुशल बनाने के लिए परिष्कृत करती है, और सहायक पैटर्न की पहचान करती है। कम्प्यूटेशनल सोच के कुछ उदाहरणों में शतरंज की रणनीति विकसित करना, मानचित्र बनाना और पढ़ना, और प्रबंधनीय दैनिक कार्यों में एक लंबी सूची को व्यवस्थित करना शामिल है।14 મે, 2021


माता-पिता, शिक्षक और छात्र "21वीं सदी के कौशल" शब्द को बहुत बार सुनते हैं, और (अच्छे कारण के साथ) कम्प्यूटेशनल सोच अक्सर उस बातचीत का हिस्सा होती है। तो, आइए इस बहुमुखी कौशल सेट पर करीब से नज़र डालें और प्रचलित शब्दों से आगे निकलें।

सबसे पहले, आप संभवतः मूल अर्थ का अनुमान लगा सकते हैं - "कॉम्प", जैसा कि "कंप्यूटर" और "गणना" में होता है, है ना? 

सही! कम्प्यूटेशनल सोच सभी प्रकार के उद्देश्यों के लिए प्रौद्योगिकी को समझने और उसका लाभ उठाने की क्षमता से संबंधित है। 

हम सभी जानते हैं कि कंप्यूटर आश्चर्यजनक चीजें करने में सक्षम हैं, लेकिन न केवल यह समझने की कुंजी कि वे कैसे काम करते हैं बल्कि वे क्या करने में सक्षम हैं, अधिक जैविक मस्तिष्क शक्ति में निहित है: कम्प्यूटेशनल सोच को एक तकनीकी सोच टोपी के रूप में सोचें!

ये एसटीईएम आँकड़े झूठ नहीं बोलते हैं: कम्प्यूटेशनल सोच में कुशल कार्यबल की जबरदस्त मांग है... तो हम इसे पूरा करने के लिए अगली पीढ़ी को कैसे तैयार कर सकते हैं? शिक्षा, सहभागिता और जागरूकता यह सुनिश्चित करने का हिस्सा हैं कि बच्चे 21वीं सदी में तूफान लाने के लिए तैयार हैं।

कम्प्यूटेशनल सोच परिभाषा
कम्प्यूटेशनल सोच एल्गोरिदम या अन्य चरणों के माध्यम से रणनीतिक विचार और समस्या-समाधान को संदर्भित करती है जिसे कंप्यूटर द्वारा पूरा किया जा सकता है।

दूसरे शब्दों में, प्रौद्योगिकी के साथ बातचीत करने वाले एक कंप्यूटर वैज्ञानिक की तरह सोचना और कार्य करना। 

एल्गोरिदम क्या है ? एक एल्गोरिदम को चरण-दर-चरण निर्देशों के रूप में सोचें जो कोडिंग के माध्यम से एक पैटर्न बनाता है या परिणाम निर्धारित करता है और जानकारी को इस तरह से प्रस्तुत करता है जिसे मनुष्य समझ सकें।

यदि यह उस प्रकार की सोच की तरह लगता है जिसके प्रौद्योगिकी जगत के भीतर और बाहर अनुप्रयोगों की एक विस्तृत श्रृंखला है, तो ऐसा इसलिए है क्योंकि यह बिल्कुल सच है। 

यह उस प्रकार की सोच है जो चीजों को भागों में तोड़ती है, प्रक्रियाओं को अधिक कुशल बनाने के लिए परिष्कृत करती है, और सहायक पैटर्न की पहचान करती है।

कम्प्यूटेशनल सोच के कुछ उदाहरणों में शतरंज की रणनीति विकसित करना , मानचित्र बनाना और पढ़ना, और प्रबंधनीय दैनिक कार्यों में एक लंबी सूची को व्यवस्थित करना शामिल है। यह दैनिक जीवन में हर जगह है, तो क्यों न इस मानसिक मांसपेशी का निर्माण किया जाए? 

कम्प्यूटेशनल सोच के लाभ
कम्प्यूटेशनल सोच के लाभों को समझने के लिए, पहले इसके चार व्यापक रूप से स्वीकृत उपसमूहों की पहचान करना महत्वपूर्ण है: पैटर्न पहचान, अपघटन, अमूर्तता और एल्गोरिदम डिजाइन। इनमें से प्रत्येक क्षेत्र अपने आप में मूल्यवान है, लेकिन साथ में, वे बच्चों के लिए स्कूल, भविष्य के करियर और सामान्य रूप से जीवन में आवेदन करने के लिए एक विशेष रूप से उपयोगी उपकरण बनाते हैं। 

पैटर्न मान्यता
क्या समान है? क्या अलग है? एक रचनात्मक समाधान सीखे गए पाठों को कैसे शामिल कर सकता है? यह सब सीधे तौर पर पैटर्न पहचान से संबंधित है।

प्रोग्रामर समस्याओं को हल करने के सबसे कुशल साधन खोजने के लिए हर समय पैटर्न पहचान का उपयोग करते हैं, और यह डेटा विज्ञान, मशीन लर्निंग और कृत्रिम बुद्धिमत्ता जैसे क्षेत्रों के लिए आवश्यक है। 

कुशल, व्यावहारिक पैटर्न पहचान बच्चों के लिए फायदेमंद है, चाहे वे नवीनतम ऐप के उपयोगकर्ता अनुभव में सुधार कर रहे हों या अपने शतरंज के खेल को समतल कर रहे हों। 

सड़न 
कम्प्यूटेशनल सोच का यह क्षेत्र चीजों को अलग-अलग करने के बारे में है, इसलिए टिंकरर्स खुश होते हैं! उभरते इंजीनियर इस मानसिकता के व्यावहारिक अनुप्रयोगों को खोजने में प्रसन्न हो सकते हैं क्योंकि वे एक समय में एक कदम पर जटिल सामग्री की अपनी समझ का निर्माण और विकास करते हैं।

एसटीईएम के बाहर, नई भाषा सीखने, सामाजिक मुद्दों से निपटने और ऐतिहासिक घटनाओं के दूरगामी प्रभावों को समझने में अपघटन कम्प्यूटेशनल कौशल काम में आते हैं। इसलिए, भले ही आपका बच्चा अधिक मानविकी-उन्मुख हो, फिर भी वे इस मानसिकता को इस तरह से लागू कर सकते हैं जो उनके लिए सार्थक हो। 

मतिहीनता
कृपया केवल प्रासंगिक जानकारी। कम्प्यूटेशनल सोच के संदर्भ में अमूर्तन का अर्थ केवल किसी विचार के सबसे आवश्यक घटकों पर ध्यान केंद्रित करना है।

सर्वोत्तम संभव दिशानिर्देश देते समय या वास्तव में संचार के किसी भी रूप में जो दक्षता को महत्व देता है, आप इसे क्रियान्वित होते हुए देखेंगे। यह जानना कि अतिरिक्त समय या संसाधन खर्च किए बिना केवल आवश्यक चीजों को कैसे संप्रेषित किया जाए, एसटीईएम और उससे आगे के क्षेत्रों में महत्वपूर्ण है। 

ये कौशल उद्यमियों और उभरते बिजनेस मुगलों के लिए आवश्यक हैं; आख़िरकार, बातचीत करने और निवेशकों पर जीत हासिल करने के लिए उत्कृष्ट संचार की आवश्यकता होती है। चाहे बच्चे पिच बना रहे हों या कोई संगठन बनाना चाह रहे हों, अमूर्तता के माध्यम से कम्प्यूटेशनल सोच अभ्यास करने की एक बड़ी क्षमता है। 

एल्गोरिथम डिज़ाइन
अधिक मेहनत से नहीं, बल्कि होशियारी से काम करें, है न? एल्गोरिदम डिज़ाइन का मतलब यही है: वांछित परिणाम प्राप्त करने का सबसे तेज़, सबसे सुव्यवस्थित साधन ढूंढना।

बेशक, कोडिंग एल्गोरिदम के बारे में सीखना कंप्यूटर विज्ञान की खोज शुरू करने का एक शानदार तरीका है, और वे कई कोडिंग नौसिखियों के विश्वास से कहीं अधिक सरल हैं! शुरुआती लोगों के लिए सर्वश्रेष्ठ प्रोग्रामिंग भाषाएं एल्गोरिदम का सरल परिचय प्रदान करती हैं, और यह देखना बहुत रोमांचक है कि 1 और 0 के फॉर्मूले एक इंटरैक्टिव गेम, वेबसाइट या ऐप में बदल जाते हैं।

कम्प्यूटेशनल सोच के उदाहरण
क्या आप अपने बच्चे को कम्प्यूटेशनल कौशल विकसित करने में मदद करना चाहते हैं? इस मूल्यवान कौशल के साथ शुरुआत करने के लिए यहां कुछ विचार दिए गए हैं:

कोडन
उन कम्प्यूटेशनल सोच कौशल का निर्माण शुरू करने के लिए, प्रोग्रामिंग की खोज करना एक निश्चित तरीका है। निःसंदेह, यह कई कारणों में से एक है कि क्यों बच्चों को कोड करना सीखना चाहिए ।

हालाँकि, यदि आपको या आपके बच्चे को अतिरिक्त प्रोत्साहन की आवश्यकता है, तो यह इन अविश्वसनीय रूप से बहुमुखी सोच कौशल में निहित है! एक प्रोग्रामर के रूप में सफल होने के लिए आवश्यक मानसिकता और अनुभव का एसटीईएम दुनिया के बाहर भी बहुत महत्व है। 

रोबोटिक
यदि आपका बच्चा इस प्रकार का शिक्षार्थी है, तो शायद उसे स्कूल में रोबोटिक्स क्लब या टीम में शामिल होना चाहिए! FIRST रोबोटिक्स जैसे संगठन न केवल प्रतिस्पर्धा के लिए मज़ेदार अवसर प्रदान करते हैं, बल्कि वे एक बेहतरीन सहयोगी वातावरण भी प्रदान करते हैं जिसमें इन सोच कौशलों का पोषण और विकास किया जा सकता है। 

एसटीईएम और गणित प्रतियोगिताएं
ये घटनाएँ कम्प्यूटेशनल सोच के लिए कई अवसर प्रदान करती हैं। एल्गोरिदम के उपयोग से लेकर वास्तविक दुनिया की समस्याओं के इंजीनियरिंग रचनात्मक समाधान और जटिल गणित समस्याओं को हल करने तक, प्रतियोगिताएं कई कम्प्यूटेशनल कौशल बनाने के लिए एक मजेदार वातावरण प्रदान करती हैं! एसटीईएम प्रतियोगिताओं और गणित प्रतियोगिताओं की हमारी विस्तृत सूची देखें । 

3 डी प्रिंटिग
3डी-मुद्रित उत्कृष्ट कृति बनाने के लिए, बच्चों को अपने अपघटन कम्प्यूटेशनल कौशल और बहुत कुछ का उपयोग करने की आवश्यकता है। साथ ही, नवीनतम 3डी प्रिंटिंग सॉफ्टवेयर और टूल का उपयोग करना सीखकर, बच्चे इंजीनियरिंग को क्रियान्वित होते देख सकते हैं और उन अद्भुत तरीकों के बारे में सीख सकते हैं जिनसे 3डी प्रिंटिंग दुनिया को बदल रही है । 

जटिल निर्देशों का पालन करें
भगवान का शुक्र है कि एल्गोरिदम मौजूद हैं, अन्यथा इंटरनेट और रसोई हर जगह गड़बड़ हो जाती। वे जानकारी को इस तरह से व्यवस्थित करते हैं कि इसे सबसे उपयोगी एप्लिकेशन में डाला जा सके, जैसे कि आप Google में जो खोज रहे हैं उसे ठीक से ढूंढना या रास्ते में खोए बिना दादी की प्रसिद्ध लज़ान्या को फिर से बनाना। खाना पकाने से लेकर लेगो के जटिल सेट को एक साथ रखना या बीजगणित समीकरण को हल करना, चरण-दर-चरण प्रक्रिया से निपटना कम्प्यूटेशनल कौशल बनाने का एक शानदार तरीका है। 

निर्माता आंदोलन में शामिल हों
"मेकर" उन सभी प्रकार के तकनीकी विशेषज्ञों के लिए एक लोकप्रिय शब्द है जो स्वयं निर्माण करने में सफल होते हैं। हाल के वर्षों में, एक पूर्ण आंदोलन उभरा है, जिसमें देश भर के समुदायों में जीवंत "निर्माता मेले" उभर रहे हैं। चुनौती के आधार पर, बच्चों को कम्प्यूटेशनल सोच कौशल की एक श्रृंखला विकसित करने की आवश्यकता होगी: योजना बनाने से लेकर किसी प्रोजेक्ट को परिष्कृत करने से लेकर प्रोजेक्ट प्रस्तुत करने तक, बच्चे अपनी कम्प्यूटेशनल शक्तियों की खोज कर सकते हैं। ये आयोजन सभी उम्र के रचनाकारों के लिए सहयोगी प्रदर्शन के रूप में काम करते हैं। अपने नजदीक एक मेकर फ़ेयर ढूंढें ।

लेखन एवं संपादन 
हां, तुमने उसे ठीक पढ़ा। चाहे कोड की एक पंक्ति को पूर्ण करना हो या किसी लिखित उत्कृष्ट कृति को संपादित करना हो, अमूर्तता तब काम आती है जब बच्चों को बिना उलझे ध्यान केंद्रित करने की आवश्यकता होती है। कम्प्यूटेशनल सोच सबसे महत्वपूर्ण विवरणों पर ध्यान केंद्रित करने के लिए जानकारी को छांटने के बारे में है। 

कम्प्यूटेशनल सोच के साथ शुरुआत करें 
अपनी कम्प्यूटेशनल सोच विकसित करके, बच्चे अधिक प्रभावी संचारक, योजनाकार, आलोचनात्मक विचारक और समस्या-समाधानकर्ता बन जाएंगे। वे देखेंगे कि कोडिंग में सभी प्रकार के रोमांचक अनुप्रयोग और उनके पसंदीदा अन्य विषयों से कनेक्शन हैं। 

तो आप किस बात की प्रतीक्षा कर रहे हैं? आज ही आरंभ करें !


कम्प्यूटेशनल सोच हमें किसी भी निर्दिष्ट मुद्दे को व्यवस्थित तरीके से तोड़ने की अनुमति देती है