વીર બાલ દિવસ ઊજવણી અહેવાલ
નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા બાકરોલ આણંદ.
આજરોજ તારીખ 26/12/2023 ને મંગળવાર; અમારી શાળા ,નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળા કૂવા બાકરોલ આણંદમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ ઉજવણીમાં SMC સભ્યો તથા વાલીગણ પણ ઉપસ્થિત હતાં. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડાએ SMC સભ્યો તથા વાલીગણ ને આવકાર્યા અને સૌનું અભિવાદન કર્યું હતું. બાળકોને પ્રાર્થના સંમેલનમાં શ્રીદેવાંશીબહેને બાળકોને આજના દિવસની ઉજવણી વિષે વાત કરી. શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઈતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે. દેશમાં પ્રથમ વખત આજે 26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વાતથી શાળામાં બાળકોને વાકેફ કર્યા. ત્યારબાદ બાળકોને કોમ્પ્યુટરમાં તેમની જીવન કહાની બતાવવામાં આવી. ચિત્રો અને વિડિઓ બતાવ્યા.ત્યારબાદ બાળકોને ચિત્રો દોરવા આપ્યા. બાળકોએ સુંદર મજાના ચિત્રો દોરી રંગો પૂર્યા.શાળામાં આ ઉપરાંત વીર બાલ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શીખ ધર્મના 10 મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબ જાદા જોરાવરસિંહ અને સાહેબ જાદા ફતેસિંગની સહાદતની યાદમાં શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને ગુરુ ગોવિંદસિંહજી વિશે સમજ આપી અને તેમના બંને પુત્રોએ આપેલ બલિદાનની વીર ગાથા ની બાળકોને વાત કરવામાં આવી. ઉપરાંત બાળકોને શૌર્યને વીરતાની વાતો પણ કરવામાં આવી. જેને કારણે બાળકોની અંદર શૌર્ય અને વીરતાના ગુણો વિકસે તેમજ બાળકોને દેશદાજ અને દેશભાવના વિકસે તેવી વાતો કરવામાં આવી અને બાળકોને પોતાના ઘર શેરી ગામ અને સમાજ માટે, તથા સમાજના વિકાસ માટે સારા કાર્યો કરવા માટેની પ્રેરણા આપવામાં આવી. અને અંતે સૌ રાષ્ટ્રને સમર્પિત થઈ અને કામ કરવા માટે પ્રતિબધ્ધતા કેળવી સૌ છુટા પડ્યા .
No comments:
Post a Comment