ગણેશ ચતુર્થી
શ્રી ગણેશ ભગવાનનો તહેવાર
ભગવાન શ્રી ગણેશનું મુખ આપણને ‘‘ઉચ્ચ વિચાર’’ અને ‘‘લાભ’’ ની પ્રરેણા આપે છે.
ભગવાન શ્રી ગણેશના મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે.
ભગવાન શ્રી ગણેશની નાની આંખો પોતાના લક્ષ્યને વળગી રહેવાની પ્રરેણા આપે છે.
ભગવાન શ્રી ગણેશનું લાંબુ નાક નવું નવું શીખવાની પ્રેરણા આપે છે.
ભગવાન શ્રી ગણેશનું નાનું મુખ ઓછી બોલી, વધારે સાંભળવાની પ્રેરણા આપે છે.
ગણેશને ગણપતિ પણ કહેવામાં આવે છે જે ચાતુર્ય, વિવેકબુદ્ધિ, આત્મોદ્ધારના ભગવાન છે. ‘ગ’ નો અર્થ ‘‘જાણકાર’’, ‘ન’ નો અર્થ ‘‘અંત્યોદ્ધાર’’ અને ‘ઇશ’ અને ‘પતિ’ નો અર્થ ભગવાન થાય છે. ગણેશનો અર્થ ‘‘ગણના દેવતા’’ પણ થાય છે. ગણેશ ભગવાન શીવના પુત્ર છે. દક્ષિણ ભારતમાં ગણેશને પિલ્લાઇવર તરીકે પૂજવામાં આવે છે. ગણેશ કોકંબા, દુંદાળા અને હાથીના મુખવાળા દેવ છે. જેમના ચાર હાથ, હાથદંત તથા સુવર્ણ સમાન વાતો છે. પુરાણોમાં હાથી સત્ય, ધીરજ અને ચાતુર્યનું પ્રતીક છે. તેમના હાથમાં લાડુ, શંખ, કમળ, ગદા હોય છે ગણેશની સવારી ઉંદર છે. જે નાના સાથે મોટાના ભળવાનું પ્રતીક છે. તે સૌથી વધુ પૂજાતા દેવ છે. દરેક ધાર્મિક કાર્ય, ઉત્સવ, યજ્ઞ, પર્વમાં સૌથી પહેલા તેમની પૂજા થાય છે. તેમની તસવીર દરેક શુભેચ્છા પત્રમાં જોવા મળે છે. ૐ ગણેશાય નમઃ દરેક શુભેચ્છા પત્રની શરૂઆતમાં લખાય છે. તેનો અર્થ ગણેશ હું પ્રાર્થના કરું છું થાય છે. ઘણા લોકો, વિદ્યાર્થીઓ, દુકાન માલિકો, ફિલ્મકારો કે પરમાણું વૈજ્ઞાનિકો તેમના કામની શરૂઆત ગણેશની પૂજા કરીને કરે છે. ગણેશના જન્મની જુદી જુદી માન્યતાઓ છે.
ઇ.સ. ૫૦૦ પહેલાના સાહિત્યમાં તેમનો ઉલ્લેખ ઝાઝો જોવા મળતો હતો. પરંતુ મધ્યકાલીન ૧૫ મી સદીમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. પદ્મ પુરાણના અનુસાર ગણેશ શીવ અને પાર્વતીના નાના પુત્ર છે. શીવ પુરાણ અનુસાર ‘મા’ પાર્વતીના શરીરના મેલમાંથી થયો હતો. જ્યારે ભગવાન શીવ ન હતાં. ‘મા’ પાર્વતી તેમના દ્વારની રખેવાળી માટે કોઇક જોઇતું હતું. ‘મા’ પાર્વતીએ તેમના મેલમાંથી એક મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા અને તેનું નામ ગણેશ આપ્યું. ગણેશને ‘મા’ પાર્વતીએ દ્વારની રખેવાળી કરવાનો આદેશ આપ્યો જ્યારે ભગવાન શીવ આવ્યા ત્યારે ગણેશે તેમને અંદર જવા ન દીધા. દલીલો બાદ ભગવાન શીવે ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે ‘મા’ પાર્વતીને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને તેમના બાળકને પાછો લાવવા માટે શીવને કહ્યું. ત્યારબાદ ગણેશના ધડમાં હાથીનું માથું લગાવવામાં આવ્યું અને ગણેશના શરીરમાં પ્રાણ પૂર્યા. પુરાણો કહે છે કે ગણેશની પૂજા કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવે છે. જેનું કારણ હતું કે એકવાર શીવે પોતાના બે પુત્ર ગણેશ અને કાર્તિકેયને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તે હરિફાઇમાં કાર્તિકેય મોરની સવારી કરીને પૃથ્વીના ચક્કર લગાવ્યા. પણ, ગણેશે શીવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ગણેશે તેના માટે કારણ આપ્યું કે એના માત-પિતા જ તેની દુનિયા છે. તે માટે તેણે તેમની પ્રદક્ષિણા કરી. શીવ આ વાત જાણીને ખુશ થયા અને શીવે કોઇપણ શુભ કાર્યનું શરૂઆતમાં ગણેશની પૂજા થાય તેવા આર્શિવાદ આપ્યા. નરસિંહ પુરાણના અનુસાર જો તેમની પૂજા કોઇ કાર્યની શરૂઆતમાં ન કરવામાં આવે તો તે કાર્યમાં વિધ્ન આવે છે. તેના કારણે દરેક શુભ-કાર્યની શરૂઆતમાં ગણેશની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. જે દરેક વિધ્નોને દૂર કરે છે. ગણેશ દરેક વિધ્નોને દૂર કરે છે. ભારતીય મહાકાવ્ય ‘‘મહાભારત’’ ગણેશે મહર્ષિ વેદવ્યાસના કહેવા પ્રમાણે લખ્યું હતું. જ્યારે ગણેશે ને તે ‘‘મહાભારત’’ લખવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમને શરત મૂકી કે તેમની કલમ જ્યાં સુધી અટકશે નહીં કે જ્યાં સુધી વાર્તા પૂરી ન થાય. તેના જવાબમાં મહર્ષિ વેદ વ્યાસે કહ્યું કે ગણેશ વાક્ય ત્યારે જ લખશે જ્યારે તેમને આ વાક્ય બરાબર સમજાઇ ગયું હશે. એટલે જ્યારે પણ ગણેશ તે વાક્ય સમજતા ત્યાં સુધી મહર્ષિ નવો શ્લોક બનાવી લેતા. ગણેશને ‘એકદંતા’ પણ કહેવામાં આવે છે. કારણે તેમનો એક દાંત તૂટેલો છે. પદ્મ પુરાણ અનુસાર એક દિવસે જ્યારે ભગવાન શીવ સૂતા હતા ત્યારે પરશુરામ તેમને મળવા માટે આવ્યા. ગણેશે તેમને શીવને મળવા ન દીધા. કારણ તે સમયે શીવ સૂતા હતાં. તેના કારણે પરશુરામ ક્રોધે ભરાયા અને ગુસ્સામાં તેમણે ગણેશ પર કુહાડીનો પ્રહાર કર્યો. જે કુહાડી ભગવાન શિવે તેમને આપેલી. તે કુહાડી ભગવાન શીવની છે તેમ જાણતા હોવાને કારણે ગણેશે તેમા પ્રતિકાર ન કર્યોં. તેના કારણે કુહાડીથી તેમનો એક દાંત તૂટી ગયો. પુરાણોના અનુસાર મહિનાના ચોથા દિવસ ને ચતુર્થી તરીકે ઓળખાય છે જે ગણેશની પૂજા માટે શુભદિવસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ભાદરવા મહિનાની ચતુર્થી એ ભગવાન ગણેશનો જન્મ થયો. આ દિવસે ચંદ્રના દર્શન કરવા અશુભ મનાય છે. જેનું કારણ એ છે કે એક વખત ગણેશ અને તેમના વાહન ઉંદર ને જોઇએ ચંદ્ર હસ્યો હતો. તેના કારણે ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો કે જે કોઇ આ દિવસે ચંદ્રને જોશે તેના કામમાં વિધ્ન આવશે. લોક માન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી. ગણેશ ચતુર્થીમાં દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે તેમની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે.
એમ માનવામાં આવે છે કે ગણેશનો જન્મ કલયુગમાં ‘‘ધૂમકેતુ’’ ના રૂપે થશે. જે રાક્ષસોને મારીને વિશ્વમાં શાંતિ અને સુખ લાવશે.
ગણેશાય નમઃ
ગણેશના ઘણા નામો છે. જેવા કે ગણપતિ, વિધ્નહર્તા, વિનાયક (જે અસત્ય પર સત્ય વિજય ના પ્રતીક છે).
ૐ વિધ્નેશ્વરાય નમઃ
ૐ સમુખાય નમઃ
દરેક કાર્ય કોઇ પણ વિધ્ન વગર પૂરું થાય.
અમોને વિજય, રૂપ અને કિર્તિ પ્રદાન કરો.
ૐ એકાદંતાય નમઃ
ૐ રાજનાથાય નમઃ
દરેક કાર્ય તેના લક્ષ્ય સુધી પહોંચે
અમોને સારા-નરસાનો વિવેક આપો. વિશાળહૃદય ચેતના સાથે બુદ્ધિ-ચાતુર્ય આપો.
ૐ રાજકરણ્ય નમઃ
ૐ લંબોદરાય નમ
અમને આત્મવિશ્વાસ ને આત્મબળની શક્તિ આપો.
અમારી મનોકામના પૂર્ણ થાય ત્યાં સુધી અમારામાં શ્રદ્ધા અને ભક્તિ ટકાવી રાખો.
ૐ ધૂમ્રકેતુય નમઃ
ૐ ભાલચંદ્રાય નમઃ
અમે દિવ્ય વિચારોથી સંપન્ન બનીએ.
અમે ઉચ્ચ વિચારો સાથે આત્મગૌરવ પર સન્માન આપતા રહીએ.
ૐ વિકટાય નમઃ
ૐ વિનાકાય નમઃ
અમોને આર્શિવાદ આપો કે અમે આસુરી શક્તિ સાથે જીત મેળવીએ.
અમને શ્રેષ્ઠ નેતાગીરીના ગુણો આપો.
ૐ ગણકાક્ષાય નમઃ
અમે અમારા શ્રેષ્ઠીઓને અનુસરી શકીએ.
ગણેશજીના જમણો હાથ અભય મુદ્રામાં છે. જે માનવ સમાજની સુરક્ષા અને અભય પ્રદાન કરે છે. બીજા હાથમાં અંકુશ ધારણ કર્યું છે. જે આસુરી તત્વો માટે સંહાર રૂપ છે. અને ભક્તો માટે તેને નિયમ-શિસ્તમાં રાખવા માટેનું છે. ‘મોદક’ એ સ્વાશ્રય અને પ્રેમનું પ્રતીક છે. ગણેશજી આપણને નિયમનપૂર્વક જીવનશૈલી શિખવાડે છે. શાસ્ત્રો મુજબ જીવન જીવવાનું કરે છે.
જાગૃતિ પંડ્યા, આણંદ.
No comments:
Post a Comment