Friday, 8 September 2023

ચંદ્રયાન ૩ પ્રશ્નોત્તરી



ન . પ્રા શાળા નંબર 31, આણંદ.
 Science Project/ ચંદ્રયાન-3 

માર્ગદર્શક શિક્ષક :
 શ્રી જાગૃતિ પંડ્યા/ શ્રી પાયલ પનારા 

14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્ષેપણ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 2 પરથી થશે. ચંદ્રયાન-3 મિશન વિશે બધું જ જાણો માત્ર 10 સવાલોમાં. 

1. ચંદ્રયાન-3 મિશન શું છે ?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે જે વર્ષ 2019માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. 

ચંદ્રયાન-3 ચંદ્રયાન-2થી કેવી રીતે અલગ છે ?
ચંદ્રયાન-2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3માં ઓર્બિટરને બદલે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. જરૂર પડશે તો ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવામાં આવશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન-3ના લેન્ડર-રોવરને ચંદ્રની સપાટી પર રાખશે, જે ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર ચક્કર લગાવશે. આ સંચાર માટે છે.

3. ચંદ્રયાન-3નો હેતુ શું છે ?
ઈસરોના વૈજ્ઞાનિકો વિશ્વને જણાવવા માંગે છે કે, ભારત અન્ય ગ્રહ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. તમે ત્યાં તમારું રોવર ચલાવી શકો છો. ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવા માટે.

ચંદ્રયાન-3માં કેટલા પેલોડ જઈ રહ્યા છે ?
ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. પેલોડ્સ એટલે એવા સાધનો કે જે કોઈપણ પ્રકારની તપાસ કરે છે. લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે. 

5. ચંદ્રયાન-3 કેટલા દિવસ કામ કરશે ?
ઈસરોના વૈજ્ઞાનિકોને આશા છે કે, લેન્ડર-રોવર એક દિવસ ચંદ્ર પર કામ કરશે. એટલે પૃથ્વીના 14 દિવસ. જ્યાં સુધી પ્રોપલ્શન મોડ્યુલનો સંબંધ છે, તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકે છે. શક્ય છે કે, આ ત્રણ આનાથી વધુ કરી શકે. કારણ કે ઈસરોના મોટાભાગના ઉપગ્રહો અપેક્ષા કરતા વધુ દોડ્યા છે.

કયું રોકેટ ચંદ્રયાનને વહન કરશે ?
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM-3 લોન્ચર એટલે કે રોકેટનો ઉપયોગ કરી રહ્યું છે. તે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170x36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા. અગાઉ તેને GSLV-MK3 કહેવામાં આવતું હતું. જેના છ સફળ પ્રક્ષેપણ થયા છે.

આ મિશનનો સૌથી મુશ્કેલ ભાગ કયો છે ?
લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવું એ સૌથી મુશ્કેલ કામ છે. 2019માં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગને કારણે મિશન બગડી ગયું હતું. ચંદ્રયાન-3ના લેન્ડરના થ્રસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્સર વધુ સંવેદનશીલ સ્થાપિત કરવામાં આવ્યા છે. 

8. લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?
14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થયા પછી, ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. આ દરમિયાન મિશન 10 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

9. વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?
આ પહેલા દુનિયાના ચાર દેશો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરી ચૂક્યા છે. કુલ મળીને 38 વખત સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ બધા સફળ થયા ન હતા.

10. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો સફળતા દર કેટલો છે ?
ચાર દેશો દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં સોફ્ટ લેન્ડિંગનો સફળતા દર માત્ર 52 ટકા છે. એટલે કે સફળતાની અપેક્ષા માત્ર 50 ટકા હોવી જોઈએ.

**-****/*

ચંદ્રયાન 3ના લોન્ચિંગ દિવસ (14 જુલાઈ, 2023)ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ 2019માં ચંદ્રયાન 2ના ક્રેશ લેન્ડિંગ બાદ ISROની ટીમે ચંદ્રયાન 3 માટે કામગીરી શરૂ કરી દીધી હતી. ચંદ્રયાન 2માં રહી ગયેલી ત્રુટિયો શોધીને ચંદ્રયાન 3માં અંદાજે 21 ફેરફારો કરાયા છે જેમાં અલ્ગોરિધમ પ્રોસેસિંગ, સેન્સર અને હાર્ડવેરમાં કરાયેલાં ફેરફારો સામેલ છે. ચંદ્રયાન 3નું ઘણું કામ અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (એટલે કે, SAC-સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, ઇસરો)માં કરવામાં આવ્યું છે. જે અંગે નિલેશ એમ. દેસાઈ (ડાયરેક્ટર-SAC-ISRO, અમદાવાદ)એ ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી રસપ્રદ માહિતી આપી હતી, જેને શબ્દશઃ અહીં અમે રજૂ કરીએ છીએ.


સવાલઃ ચંદ્રયાન 2 વખતે ઇતિહાસ રચવામાં અસફળ રહ્યા તો ચંદ્રયાન 3માં શું ફેરફાર કર્યા અને તેની વિશેષતા શું છે?
જવાબઃ વર્ષ 2019માં ચંદ્રયાન 2નું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તરત જ ISROમાં ચંદ્રયાન 3 પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૌ પહેલાં ચંદ્રયાન 2માં રહી ગયેલી ત્રુટિ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. આ પછી ચંદ્રયાન 3 માટે ISROએ સેટેલાઇટના પ્રોસેસિંગ અલ્ગોરિધમ માં ફેરફાર કરી સુધારો કર્યો જેનાથી ચંદ્રયાન 3નું પર્ફોમન્સ સુધરશે. આ વખતે LDV (લેસર ડોપલર વેલોસિમીટર) નામનું સેન્સર જે યાનની ગતિ ત્રણ દિશામાં માપશે જેથી સચોટ એક્યુરિસી મળશે. તો લેસર અલ્ટીમીટર, રડાર અલ્ટીમીટરમાં સુધારો અને કેમેરાના રિઝોલ્યૂએશનમાં સુધારો કર્યો છે. આ સાથે હાર્ડવેર, સોફ્ટવેર, પ્રોસેસિંગ અલ્ગોરિધમ અને સેન્સરો પણ બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેસ્ટિંગમાં રહેલી ત્રુટિઓ પણ દૂર કરવામાં આવી હતી.


ચંદ્રયાન 2માં 5 પ્રોપલ્સન એન્જિન હતાં અને તેમાં દરેકની પાવર જનરેટ કરવાની કેપેસિટી 900pps હતી. આ વખતે ચંદ્રયાન 3માં 4 એન્જિન રાખ્યા છે અને તેની દરેકની પાવર જનરેટ કરવાની કેપેસિટી 500pps કરી છે. ટેન્કની કેપેસિટી 390kgથી વધારીને 470kg કરવામાં આવી છે. ટેન્કમાં લિક્વિડ હાઇડ્રોજન બળતણ અને લિક્વિડ ઓક્સિજન હશે. ચંદ્રયાન 3નું લેબમાં અને ઇન્ટિગ્રેટેડ ફિલ્ડમાં ટેસ્ટિંગ કરાયું છે. ફિલ્ડ ટ્રાયલમાં ચંદ્ર પર લેન્ડિંગ થતું હોય એવો સિનેરીઓ તૈયાર કરી 70-100 મીટર ઊંચી ક્રેનથી ચંદ્રયાન 3 નીચે લેન્ડ કરાવી અમદાવાદ, બેંગલુરુ અને શ્રીહરિકોટામાં ટેસ્ટિંગ કર્યું છે. આ ઉપરાંત અલગ-અલગ વાતાવરણમાં મૂન જેવી સાઇટ ક્રિએટ કરીને લેન્ડર ઉતાર્યું છે. જો આ લેન્ડર 3m/sની ગતિથી ચંદ્રની સપાટી પર પછડાશે તો પણ ઊભું રહેશે.

આ ઉપરાંત બેંગલુરુથી 200 કિમી દૂર આવેલાં ચિત્રદુર્ગમાં હેલિકોપ્ટરની ફ્લાઇટની મદદથી ચંદ્રયાન 3નો 2 કિમી ઉંચાઈથી 150 મીટર નીચે લેન્ડ ટેસ્ટ પણ કરાયો છે. આ ઉપરાંત ચંદ્ર પરની પરિસ્થિતિનો આભાસ ઉભો કરી સેન્સરનો રિઝોલ્યુશન અને લાઇટિંગ કન્ડિશનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

સવાલઃ અમદાવાદના સાયન્ટિસ્ટોનું આ અભિયાનમાં કેટલું યોગદાન અને મહેનત છે?
જવાબઃ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (સૈક-SAC-ISRO) અમદાવાદના સાયન્ટિસ્ટોની ચંદ્રયાન મીશનમાં 4 વર્ષની ભરપૂર મહેનત શામિલ છે. આ સાથે અભિયાનમાં ઈસરોના લગભગ 350 અને સૈકના 70 ડેડિકેટેડ એન્જિનિયર્સ અને કુલ ઈસરોના 1000થી પણ વધારે લોકોનું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ યોગદાન છે. અમદાવાદમાં લેન્ડર પર લાગેલા 4 LI અને રોવર પર લાગેલ RI કેમેરા બનાવવામાં આવ્યા છે. RI કેમેરા લેન્ડર તરફ જોતું રહેશે અને અલગ-અલગ એન્ગલથી ફોટો ક્લિક કરશે. આ ઉપરાંત રોવરના વ્હીલમાં ઇસરોનો લોગો છે જેની છાંપ ચંદ્રની જમીન પર પડશે તેના પણ ફોટો ક્લિક કરીને મોકલશે. આ ઉપરાંત લેન્ડરમાં સામેલ KaRa રડાર અલ્ટીમીટર, હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ (HDA) સીસ્ટમ અને LHDAC કેમેરા પણ સૈક (SAC-ISRO), અમદાવાદમાં જ બનાવવામાં આવેલ છે. આ બધા સેન્સર લેન્ડિંગ સાઇટથી લેન્ડર 8 કિમી દૂર હશે ત્યારે ઓપરેશન શરૂ કરશે અને લેન્ડર ચંદ્રની સપાટી નજીક પહોંચે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે.


સવાલઃ જ્યાં સોફ્ટ લેન્ડિંગ થશે એ સ્થળ કેમ અને કેવી રીતે પસંદ કરાયું તે અંગે જણાવશો?
જવાબઃ ચંદ્ર પર અત્યાર સુધી મોટાભાગના દેશોએ વિષુવવૃત (Equator) પર લેન્ડિંગ કર્યું છે. કારણ કે, ત્યાં ચંદ્રની સપાટી સમતલ છે. ભારત અને ઈસરો એ ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ (South pole) પર સૌથી જોખમી જગ્યાએ સેફ લેન્ડિંગ એરિયા શોધ્યો છે. લેન્ડર ચંદ્રના સાઉથ પોલ 70 ડિગ્રી લેટીટ્યુડ પર લેન્ડ થશે જ્યાં આજ સુધી કોઈએ લેન્ડિંગ કર્યું નથી, માત્ર આ પહેલાં ચીને તેનું લેન્ડર 45 ડિગ્રી લેટીટ્યુડ પર ઉતાર્યું હતું.

જો નક્કી કરેલી પ્રથમ જગ્યા (સાઇટ-SIte) લેન્ડરને યોગ્ય નહીં લાગે તો તેનાથી 60 મીટર બીજી સાઇટ પર લેન્ડ કરશે. આ બંને સાઇટમાં આપણું લેન્ડર લેન્ડ ના કરે તો તે ઓટોનોમસ લેન્ડિંગ કરશે. લેન્ડર જો 12 ડિગ્રી સુધીનાં એલિવેશન પર લેન્ડ કરશે તો પણ ઊભું રહેશે.



No comments:

Post a Comment