Saturday, 17 February 2018

" અલી,તારે ને મારે સરખું!"

પ્રભુપુરા પ્રા.શાળા, તાબે વડોદ,(આણંદ)ની આ વાત છે.પરાની શાળા આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં શરુ થઈ.શરુઆત પહેલા ધોરણ થી થઈ હશે.પછી ક્રમશઃ બીજુ,ત્રીજુ,ચોથુ ને એમ કરતાં સાત ધોરણ સુધી ખુલ્યાં.શાળાનો વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો,ઓરડા પણ બંધાયા.
           આ શાળામાં  શરુઆત માં શ્રી વિઠ્ઠલભાઈ મોચી સાહેબ હતા.જેઓ નિવૃત્ત થયા બાદ....શાળામાં અતિ ઉત્સાહી,નવયુવાન ને બાળકોના પરમ હિતેચ્છુ શિક્ષક .......
          શ્રી ધર્મેન્દ્ર ઊપાધ્યાય ....આ પ્રભુપુરા શાળાના,સાચા અર્થમાં,કર્મે ને ધર્મે ઊપાધ્યાય બન્યા.શ્રી ઊપાધ્યાય સાહેબના પાવન પગલાં પડતાં જ શાળા, બાળકો ને તમામ પ્રકૃતિ જ જાણે ખીલી ઊઠી.
         શ્રી ઊપાધ્યાય સાહેબ એટલે સાચા અર્થમાં શિક્ષક,મૂકસેવક.ખોટો દેખાડો,બનાવટ કે મોટાઈ બિલકુલ નહિ.તદ્દન સાચુકલા માણસ. હંમેશાં બાળકોનું હિત જ ઈચ્છનારા.શાળા આને શાળાનાં બાળકોનો સર્વાંગી વિકાસ જ કરનાર ઊપાધ્યાય સાહેબ નાં જેટલાં વખાણ કરીએ તેટલા ઓછા.શ્રી ઊપાધ્યાય સાહેબ બાળકોને દરરોજ કંઈક અવનવું બાળકોને શીખવતા.રમત ગમત,શિક્ષણ,સંસ્કાર ને સાંસ્કૃતિક વારસો બાળકો ન ભૂલે તેવા પ્રયત્નો કરતા.આસપાસ ના વિસ્તામાં જઈ ઘરે ઘરની મુલાકાતો લેતા,સાજા-માંદા લોકોની ખબર અંતર પૂછતા.જરુરિયાત મંદોને મદદ કરતા.શાળામાં બાળકોને કપડાં,ગરમકપડાં,શિક્ષણમાં ઊપયોગી ચીજવસ્તુઓ તથા પ્રસાદ પણ બાળકોને કોઈને કોઈ દાતા દ્વારા અપાવતા.
          આ જ રીતે એકવાર બરોડાના આઈ.પી.સી.એલ.પરિવાર ના દાતાઓએ શાળાની બાલિકાઓને ચણિયાચોળી નું દાન આપ્યુ હતુ.માપ લેવા માટે શાળામાં દરજી મોકલ્યો હતો.ચણિયાચોળી તૈયાર થઈ.બાદ શાળાનું પ્રથમ ફંક્શન શાળા પ્રવેશોત્સવ આવ્યો.અમુક છોકરીઓ એે તો પ્રથમવાર જ ચણિયાચોળી જોઈ.પણ મારા માનવા મુજબ શાળામાં પ્રથમવાર જોઈ,એ જ આ સિવાય બીજો કોઈ આઈડિયા આ દિકરીઓને હશે નહિ,એવું મારું માનવું છે,કારણ કે ચણિયા ચોળી પહેર્યા બાદ બાલિકાઓ એકબીજાની સામું કૂતુહલ વશ જોઈ રહી હતી અને અંતે હરખભેર બોલી ગઈ ," અલી, તારે યે સરખુ ને મારેય સરખુ! તારે ને મારે સરખુ?" ( ચણિયાચોળી એક સરખી જોઈ ને....)

           તો આને જ શાશ્વત આનંદ કહેવાય કે ?

           🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

2 comments:

  1. બાળ મનોભાવ સમજે તે સાચો શિક્ષક..

    ReplyDelete
  2. ખુબ જ સુંદર.....પ્રાથમિક શાળાઓ કર્મઠ શિક્ષકોને કારણે જ જીવંત હોય છે...!!💐

    ReplyDelete