Tuesday, 13 February 2018

સમષ્ટિ-વ્યષ્ટિરુપ સંસાર

ભગવાન શંકરે શ્રી વસિષ્ઠજીને કહ્યું - " હે મુને!જે પ્રમાણે સ્વપ્નમનુષ્ય સ્વપ્ન ના સંસાર ને જુએ છે તે જ પ્રમાણે તે જીવાત્મા પણ પરમ સૂક્ષ્મ માયામય આકાશમાં કર્માનુસાર શરીરોને જુએ છે.આ સમસ્ત જગત વાસ્તવમાં અસત છે,પરંતુ ભ્રમથી સદ્ રુપ પ્રતીત થાય છે.તેથી જગતનું કારણ વાસ્તવમાં અહંકાર જ છે.આ સંસાર ખરેખર સત્ય નથી;ન આ કલ્પિત છે ન ક્ષણિક છે,ન કાંઈ ઉત્પન્ન થાય છે કે ન કાંઈ વિનષ્ટ જ થાય છે.વાસ્તવમાં આનો અત્યંત અભાવ છે.ચેતન જીવાત્મા જ સંપૂર્ણ પ્રપંચની પોતાનામાં સંકલ્પરુપે કલ્પના કરે છે,જેમ મનુષ્ય સ્વપ્નમાં નગરનુ નિર્માણ અને વિનાશ કરે છે પરંતુ જાગ્યા પછી વાસ્તવમાં તેનો સ્વપ્નના દેશ કાળ સાથે કોઈ જ સબંધ હોતો નથી.આ વિનાશવાન સંસારનું વાસ્તવિક સ્વરુપ તત્વથી સમજી લીધા પછી આ માયારુપી સંસારની ભેદસત્તાનો અભાવ થઈ જાય છે.ત્યારપછી જ્ઞાનપૂર્વક ધ્યાનના અભ્યાસથી કલ્યાણમય શિવરુપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.નિત્ય વ્યાપક,અનંત,દ્રઢ અને વિશ્વમાં વ્યાપ્ત અને વિશ્વના કર્તા જે પરબ્રહ્મમાં આ જગત કલ્પિત છે તેવો વિવેક જાગ્રત થતાં જ વાસ્તવિક કાલ્પનિક જગતનો ખ્યાલ આવે છે,
            તમારું કલ્યાણ થાઓ"
           ઓમ નમઃ શિવાય    
            🌴🌴🌴🌴🌴🌴
       

No comments:

Post a Comment