Monday, 12 February 2018

શાશ્વત આનંદ

શાશ્વત આનંદ
અનંત આનંદ
નિત્ય આનંદ
            
              આનંદ અને ખુશી વચ્ચે ઘણો ફરક છે.ખુશી તો ક્ષણિક અને અનિત્ય હોય છે.ખુશી તો આપણને દરેક જગ્યાએથી પ્રાપ્ત થાય છે,જો આપણી દ્રષ્ટિ હકારાત્મક હોય તો.
             આનંદ.આનંદ ની તો વાત જ અનેરી છે.આનંદ નિત્ય,શાશ્વત અને અનંત હોય છે.આનંદ મેળવવા માટે વ્યક્તિ એ વ્યક્તિએ પસંદગી બદલાય છે.કોઈને પ્રવાસમાં તો કોઈને મિત્રો સાથે,કોઈને વાચન માં તો કોઈને ધ્યાનમાં, તો કોઈને બાળકોની સાથે આનંદ મળે છે.
          આનંદિત વ્યક્ત પોતાના દુઃખ - દર્દ બધું જ ભૂલી જઈને અનંત આનંદની પ્રાપ્તિ કરે છે.અસાધ્ય રોગો પણ દૂર થાય છે.
             મિત્રો, આ જ રીતે મને પણ બાળકોની સાથે ખૂબ જ આનંદ આવે છે.નાના નાના બાળકોની સાથે રમવુ, વાતો કરવી,બાળસહજ ચેષ્ટાઓ જોવી ને અલગ અલગ પરિસ્થિતિમાં બાળકોની પ્રતિક્રિયાઓ જોઈ ને બાળમાનસ ને સમજવું મને ગમે છે.એક શિક્ષક હોવાને નાતે આ સ્વાભાવિક જ છે,સાથે સાથે મારા માટે રસપ્રદ છે.
           મિત્રો, મોટેભાગે તો હું આ બ્લૉગ માંબાળકોના મારી સાથેના અનુભવો આપની સાથે શૅર કરીશ,જેમાં મને આનંદ આવ્યો હોય.આશા રાખું છું કે આપને પણ ગમશે જ. આ સિવાય ( બાળકો ) હું મને ગમતું આનંદ આપતું અન્ય પણ શૅર કરીશ,જે આપ સૌને પણ ગમશે.

🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌸
         

No comments:

Post a Comment