Thursday, 18 April 2024

વિપશ્યના સાધના પ્રશ્નોત્તરી

*गुरुदेव के साथ प्रश्नोत्तर*

कोल्हापुर (महाराष्ट्र) के एक साधक ने अपने पत्र में कुछ सामान्य प्रश्न उठाए हैं जो सभी साधकों के लिए उपयोगी हो सकते हैं। अतः प्रश्नोत्तर नीचे प्रस्तुत है-

*प्रश्न:- साधना के दौरान विचार तो मन में आते ही हैं - कभी चिन्ताओं के, कभी अपने कर्तव्यों के संबंध में, कभी जीवन के किसी अन्य भाग पर अथवा किसी ज्वलंत समस्या पर - इनकी अवहेलना कर दें या इन पर गहनता से चिंतन-मनन करें? मेरी समझ में तो इनमें अधिक रस लेना अथवा दमन करना दोनों ही भूल होगी। इस पर प्रकाश डालने की कृपा करें!*
उत्तर:- साधना करते समय जो भी विचार आय उसे गौण मान कर उपेक्षा करें। उस समय साधना यानी संवेदनाओं के प्रति समताभाव रखने को ही प्रमुखता दें। यदि कोई विचारणीय प्रश्न हो तो उस पर साधना के पश्चात चिंतन कर सकते हैं।

*प्रश्न:- शरीर के किसी अंग में संवेदनाओं का निरीक्षण करते समय शरीर के भीतर भी कुछ होता हुआ प्रतीत होता है। क्या इनकी अवहेलना करें? अथवा उस समय की प्रतीक्षा करें जब वहां की संवेदनाएं और प्रत्यक्ष हो जायँ?*
उत्तर:- संवेदनाओं का निरीक्षण करते समय शरीर की गहराई में कोई अनुभूति हो तो थोड़ी देरके लिए रुककर उसकी स्पष्ट जानकारी कर सकते हैं और फिर अपने निश्चित क्रम में लग सकते हैं। बहुत देर तक रुके रह जायँ तो चित्त में अस्थिरता आने का खतरा रहता है। अतः उस ओर से सजग रहें।

*प्रश्न:- विपश्यना वैसे तो शरीर में संवेदनाओं को देखना ही है। पर मान लें कि मुझे किसी समस्या का समाधान करना है। तो क्या मैं सामान्य विपश्यना करने के पश्चात उसी आसन पर बैठे-बैठे समस्या पर गहराई से चिंतन कर लूँ? जब मैं ऐसा करता हूँ तब शरीर के किसी अंग में, साधारणतः सिर में संवेदनाएं मालूम होती रहती हैं। तो क्या इन संवेदनाओं को ध्यानपूर्वक गहराई से देखते हुए संबंधित समस्या के विचार को मन में आने दें?*
उत्तर:- साधना के पश्चात किसी समस्या पर चिंतन करने में कोई दोष नहीं। उस समय संवेदनाएं मालूम होंगी परंतु उनकी उपेक्षा कर मूल समस्या के चिंतन-मनन को ही प्राथमिकता दें।

*प्रश्न:- ध्यानमें किसी अंग-विशेष पर संवेदनाओं का निरीक्षण करते-करते किसी नजदीकी अथवा दूरस्थ अंग में भी संवेदना उठे तो ऐसे में क्या करना चाहिए?*
उत्तर:- साधना के समय किसी अंग-विशेष का निरीक्षण करते समय अन्य अंगों में हो रही संवेदना की उपेक्षा करें और उसकी बारी आने पर ही उसे महत्त्व दें। अन्यथा क्रमबद्ध निरीक्षण कर पाना असंभव हो जायगा।
*प्रश्न:-कभी जीवन के किसी प्रश्न पर खुली आंखों विचार-विमर्श करते समय या किसी गंभीर समस्या पर किसी की बातें सुनते समय सिर में इतनी तीव्र
संवेदनाएं प्रकट होती हैं कि कभी-कभी तो समस्या के स्थान पर उन्हीं पर मन खिंच जाता है। कृपया बताएं कि उस वक्त क्या करें?
उत्तर:- दैनिक जीवन की जिम्मेदारी का काम करते समय यदि संवेदना महसूस होने लगे तो उसकी उपेक्षा करें और सारा ध्यान काम पूरा करने में ही लगाएं। इससे कठिनाई दूर होगी और काम में सफलता मिलेगी। मन दोनों ओर रहेगा तो काम में सफलता मिलने में कठिनाई होगी।

*प्रश्न:- मुझे शरीर के किसी छोटे से भाग पर मन एकाग्र करना अधिक आसान प्रतीत होता है। जैसे पूरे कान की बजाय कान के किसी एक भाग पर । क्या ऐसा करना ठीक है?*
उत्तर:- सामान्यतः किसी छोटे भाग पर मन टिकाना कठिन होता है। मन ऊबने लगता है। परंतु यदि टिका सकते हों तो अच्छी बात है, अवश्य टिकाएं।

- वर्ष १० मुंबई: बुद्धवर्ष २५२४ आषाढ (अधिक) पूर्णिमा (शक) दि. २८-६-१९८० अंक १३
पुस्तक: विपश्यना पत्रिका संग्रह (भाग-3)
विपश्यना विशोधन विन्यास ।।

Tuesday, 26 March 2024

" બોલતી દિવાલો" નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળો કૂવો, બાકરોલ, આણંદ.


“ ખુલ્લાં ખેતર અડખેપડખે
માથે નીલું આભ,
વચ્ચે મારી નિશાળ બેઠી 
ક્યાં આવો છે લાભ ?

 અવનવાં રંગોથી ચીતર્યા,
અહીં મજાનાં મોભ,
નાનાં નાનાં બાલુડાંને
આવવું ગમે રોજ!!!


પ્રથમ વખત જ્યારે કોઈપણ બાળક શાળાએ પગ મૂકે છે ત્યારે સૌથી આકર્ષણનું કેન્દ્ર બને તેવી કોઈ વસ્તુ હોય તો તે છે ચિત્રો!!!! 



બાળકનાં કુતૂહલો વચ્ચે એક પછી એક ચઢિયાતા ચિત્રો બાળકની કલ્પના શક્તિમાં વધારો કરે છે. ચિત્રકલા ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે.ચિત્રકલા મંગલમય છે અને માનવને ઉચ્ચ સાંસ્કૃતિક આનંદ પ્રદાન કરનારી કળા છે. ચિત્રોથી સર્વત્ર ર્સૌદર્ય દર્શન થાય છે.
 શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે , નીતિ, સદાચાર, શિક્ષણ, સંસ્કારના વાહક તરીકે કલાઓનું ખૂબ જ મહત્ત્વ છે. ચિત્રો જ બાળક્ને વિચારવા, લખવા, વાંચવાં અને ચીતરવા મજબૂર કરે છે અને બાળક તેની કલ્પનાઓ કંડારવા લાગી જાય છે. 




માટે જ,,, અમારી નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળોકૂવો, બાકરોલ આણંદમાં ‘ બોલતી દિવાલો ‘ બનાવવામાં આવી. બાળકો શીખશે જ સાથે સાથે અન્યોને પણ પ્રેરણા મળે તેવા ચિત્રો, જેમકે, અભ્યાસનું મહત્વ, સ્વરછતાનું મહત્ત્વ, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો, જળ એ જ જીવન તથા બેટી બચાઓ બેટી પઢાઓ,,, જેવાં ચિત્રો જરૂર સમાજમાં જાગૃતિ લાવશે અને આ દેશનાં ભાવિ નાગરિકો એવાં બાળકોનાં મન પર પણ એક ઊંડી છાપ પડશે.






“ ખુલ્લાં ખેતર અડખેપડખે
માથે નીલું આભ,
વચ્ચે મારી નિશાળ બેઠી 
ક્યાં આવો છે લાભ ?

 અવનવાં રંગોથી ચીતર્યા,
અહીં મજાનાં મોભ,
નાનાં નાનાં બાલુડાંને
આવવું ગમે રોજ!!!

     
      પ્રથમ વખત જ્યારે કોઈપણ બાળક શાળાએ પગ મૂકે છે ત્યારે સૌથી આકર્ષણનું કેન્દ્ર બને તેવી કોઈ વસ્તુ હોય તો તે છે ચિત્રો!!!! 

     બાળકનાં કુતૂહલો વચ્ચે એક પછી એક ચઢિયાતા ચિત્રો બાળકની કલ્પના શક્તિમાં વધારો કરે છે. ચિત્રકલા ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે.ચિત્રકલા મંગલમય છે અને માનવને ઉચ્ચ સાંસ્કૃતિક આનંદ પ્રદાન કરનારી કળા છે. ચિત્રોથી સર્વત્ર ર્સૌદર્ય દર્શન થાય છે.
 શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે , નીતિ, સદાચાર, શિક્ષણ, સંસ્કારના વાહક તરીકે કલાઓનું ખૂબ જ મહત્ત્વ છે. ચિત્રો જ બાળક્ને વિચારવા, લખવા, વાંચવાં અને ચીતરવા મજબૂર કરે છે અને બાળક તેની કલ્પનાઓ કંડારવા લાગી જાય છે. 

*****************************************
( વિડિયો લિંક ) 


*****************************************



       માટે જ,,, અમારી નગર પ્રાથમિક શાળા નંબર 31, ધોળોકૂવો, બાકરોલ આણંદમાં ‘ બોલતી દિવાલો ‘ બનાવવામાં આવી. બાળકો શીખશે જ સાથે સાથે અન્યોને પણ પ્રેરણા મળે તેવા ચિત્રો, જેમકે, અભ્યાસનું મહત્વ, સ્વરછતાનું મહત્ત્વ, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો, જળ એ જ જીવન તથા બેટી બચાઓ બેટી પઢાઓ,,, જેવાં ચિત્રો જરૂર સમાજમાં જાગૃતિ લાવશે અને આ દેશનાં ભાવિ નાગરિકો એવાં બાળકોનાં મન પર પણ એક ઊંડી છાપ પડશે.

Wednesday, 20 March 2024

NMMS OLD PAPERS 📋 Collection by Jagruti Pandya, Anand.🎯

પ્રેક્ટિસ પેપર



 NMMS 2011


NMMS 2012




NMMS 2013



NMMS 2014



NMMS 2015


NMMS 2016



NMMS 2017


NMMS 2018


NMMS 2019



NMMS 2021



NMMS 2022




NMMS 2023




****************

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પ્રશ્નપત્ર

1) 

2) 





મારી વ્હાલી ભાભી 🥰 ને જન્મ દિવસની શુભેચ્છાઓ.🎂

* નામ પ્રમાણે ગુણ હોવા એ સદ્ ભાગ્યની વાત છે.

ભાવનાની બળવત્તર ભાવના.
ઘરમાં બાળકો કહે છે "ઝાંસીની રાણી",
તુ તો છે માતૃછાયા પરિવારની મહારાણી.
સૌથી વહેલી ઊઠે ને નિયમીત રેડિયો સાંભળે,
પ્રાત:કાળે ભજન - પ્રભાતિયાં વર્ષોથી એ સાંભળે.
કદીના થાકે આખો દિવસ કામ કરતી રહેતી કામ,
નિત નવી - પસંદની રસોઈ બનાવી સૌનુ રાખે ધ્યાન.

Monday, 29 January 2024

🙍બાલવૃંદ 😊 / ધોરણ - 8 / નગર પ્રાથમિક શાળા નંબર. 31, આણંદ. 🙋💁🙆🙅🤷



💥Peer Learning એટલે શું?


પીઅર લર્નિંગ એ વિદ્યાર્થીઓની એકબીજા સાથે અને તેમની પાસેથી શીખવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ જેમ કે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વર્કશોપ, અભ્યાસ જૂથો, પીઅર-ટુ-પીઅર લર્નિંગની ભાગીદારી અને જૂથ કાર્યના માધ્યમથી સુવિધા આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પીઅર-ટુ-પીઅર લર્નિંગ ત્યારે થાય છે જ્યારે એક અથવા વધુ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને શીખવે.


બાલવૃંદની રચના

ધોરણ 3 થી 12 ના તમામ બાળકોને ભેદભાવ વિના ચાર જૂથમાં વહેંચવામાં આવશે. તેથી દરેક ધોરણમાં ચાર જૂથ હશે.

દરેક કિન્ડરગાર્ટનમાં ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રમાણસર સંખ્યા રાખવામાં આવશે.

શક્ય હોય ત્યાં સુધી, દરેક વર્ગમાં તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લેવા માટે કિન્ડરગાર્ટન્સમાં જૂથો બનાવવામાં આવશે. હોશિયાર વિદ્યાર્થીઓની જેમ, વિશેષ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ અને રમતગમત અને કલામાં એકસરખું સારું પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને દરેક જૂથમાં વિભાજિત કરવામાં આવશે.

વિવિધ રસ ધરાવતા બાળકોને કિન્ડરગાર્ટન જૂથમાં સમાન રીતે વહેંચવામાં આવશે.

શાળામાં એ જ રીતે તે ધોરણના ચારેય જૂથના વિદ્યાર્થીઓને જોડીને બાળકોના ચાર જૂથ બનાવવામાં આવશે.

અહીં નોંધ કરો કે કોમ્યુનિકેશન જૂથના નામ દરેક ધોરણમાં સમાન છે. ઉદાહરણ તરીકે, જો દરેક વર્ગમાં એક જૂથનું નામ આર્યભટ્ટ હોય તો શાળાના આર્યભટ્ટ જૂથમાં દરેક પ્રકારના આર્યભટ્ટ જૂથની તમામ વિગતો હોય છે. તે જ રીતે બાકીના ત્રણ જૂથો પણ તે શાળામાં આ જ નામથી કાર્યરત થશે.



બાલવૃંદની સમજ

બાલવૃંદને લીધે શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સહભાગિતા વધારી શિક્ષકોનું કાર્ય સરળ બનાવશે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જૂથ ભાવના, જવાબદારીની ભાવના, આત્મ વિશ્વાસ વગેરે જેવાં અનેક કૌશલ્યો ખીલવી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરશે.
કિન્ડરગાર્ટન એ શાળાની નિયમિત અને સહ-અભ્યાસિક સુવિધાઓમાં વિદ્યાર્થીઓને તેમની રુચિઓ અને ક્ષમતાઓના આધારે વિવિધ જૂથોમાં વિભાજીત કરીને તેમની પ્રવૃત્તિમાં વધારો કરવા અને વર્ષ દરમિયાન વિવિધ વિષયો અને વૃદ્ધિ વિકસાવવા માટેની સિસ્ટમ છે.


કિન્ડરગાર્ટનને શાળાકીય શિક્ષણના નવા સ્વરૂપ તરીકે નહીં પરંતુ શાળામાં રોજબરોજની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં જૂથ કાર્યમાં વિદ્યાર્થીઓને વધુ સક્રિય રીતે સામેલ કરવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવશે. કિન્ડરગાર્ટન એવી વ્યવસ્થા છે જેમાં ધોરણ 3 થી 12 ના તમામ બાળકોને જૂથોમાં વહેંચવામાં આવે છે અને આ જૂથો અનુસાર વર્ગખંડ અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. બાળકોમાં જૂથોમાં રહેવાની જન્મજાત વૃત્તિ અને વિવિધ જૂથો વચ્ચે સકારાત્મક તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે.


*****************************************

બાલવૃંદની રચના ધો. 3થી 12 માટે 


બાલવૃંદ અંતર્ગત પાયાગત વાચન, લેખન, ગણન તેમજ સામયિક મૂલ્યાંકન કસોટીઓની પૂર્વ તૈયારી, વિષયવસ્તુ આધારિત ક્વીઝ વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
બાલવૃંદના માધ્યમથી પ્રાર્થનાસભા, વિશેષ દિન અને તહેવારની ઉજવણી, રમતગમત વગેરે જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે.


બાલવૃંદમાં ધોરણ ૩ થી 8ના સપ્રમાણ વિદ્યાર્થીઓ રાખવા.

બાલવૃંદમાં દરેક ધોરણ-વર્ગના તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લેતાં જૂથ તૈયાર કરવાનાં રહેશે.

જેમકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, વિવિધ રસ-રૂચિ ધરાવતાં વિદ્યાર્થીઓ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં વિદ્યાર્થીઓ, રમતગમત અને કલામાં સારું પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ-સૌને સમાન રીતે દરેક જૂથમાં વહેંચવા.

શાળામાં પણ એજ રીતે જે તે ધોરણનાં તમામ ચાર જૂથોનાં વિદ્યાર્થીઓને ભેગા કરી શાળાના બાલવૃંદનાં કુલ ચાર જૂથ તૈયાર કરવાના રહેશે.

દરેક ધોરણનાં ચારેય જુથનાં નામ સમાન રાખવાં
એક ગાળામાં ધોરણ 3 થી 8 ના કુલ 200 વિદ્યાર્થીઓ છે. તો દરેક જૂથમાં 50-50 વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.

શાળાના બધાં જ બાળકોનો સમાવેશ કરવો.
છોકરા અને છોકરીઓનું પ્રમાણ સરખું રહે તે રીતે જૂથની રચના કરવી.

એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓ રમતમાં રસ ધરાવતાં હોય તો દરેક જૂથમાં એક વિદ્યાર્થી આવે તેનું ધ્યાન રાખવું.
વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકીનો પણ જૂથમાં સમાવેશ કરવો.

 એક જૂથનું નામ શિક્ષક વિદ્યાર્થી તેમજ આચાર્ય સાથે મળીને નક્કી કરવું.
સમગ્ર વર્ષ દરમિયાન બાલવૃંદની કરવાની થતી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર તૈયાર કરવું.








Wednesday, 3 January 2024

school Twining Programme/School No. 31, આણંદ. 3-4/1/2024

 School Twining Programme

4/1/2024 /  ગુરુવાર 


નગર પ્રાથમિક શાળા નંબર 31,,, આણંદ.




અહેવાલ : 

School Twinning અહેવાલ ભાગ - 1


નગર પ્રાથમિક શાળા નંબર 33 માં 31 નંબરનાં બાળકો.

શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ ,પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉંમદા હેતુથી, શાળાઓ વચ્ચે ભાગીદારી ( Twinning of Schools ) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઈ , વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી ) બીજી શાળા (યજમાન શાળા ) સાથે જોડી બનાવે છે.

તો ચાલો જાણીએ,,,,,,,, શાળા ભાગીદારી અહેવાલ દ્વારા 


 આજરોજ તારીખ 3/1/24 ને બુધવારના રોજ અમારી શાળા નંબર 31, ધોળાકુવા, બાકરોલ નાં બાળકો School Twinning કાર્યક્રમ અંતર્ગત નગર પ્રાથમિક શાળા નંબર 33, ભાઈકાકા નગર શાળામાં લઈ જવામાં આવ્યા હતાં. 

   શાળાનાં આચાર્ય શ્રી ગાયત્રીબેન મહિડા અને શાળાનાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલ આયોજન મુજબ બાળકોને લઈ જવામાં આવ્યા. બાળકોની સાથે બે શિક્ષકો - શ્રીનિશાબેન તથા શ્રીદેવાંશીબેન ગયાં હતાં. ત્યાં ગયાં બાદ પ્રાર્થના સંમેલન યોજાયું. અમારી શાળાના બાળકો તથા શિક્ષકોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. શાળા નંબર 33ના આચાર્ય શ્રી રજનીભાઈ ગાંધી સાહેબે સૌનું સ્વાગત પ્રવચન કર્યું અને સૌને આવકાર્યા. આ શાળામાં અમારી શાળાનાં પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ વિવિધતા છે અને કઈ રીતે અલગ પડે છે તે તારણ બાળકોએ જાતે જ કાઢ્યું અને આ મુજબ અમારી શાળામાં વધારે સારું પ્રાર્થના સંમેલન થાય તે બાબતે બાળકો દ્વારા ચર્ચા કરવામાં આવી. 

    ત્યારબાદ બાળકોને એક શૈક્ષણિક રમત રમાડવામાં આવી. બાળકોને ત્યાંના શિક્ષકોએ વિજ્ઞાનના પ્રયોગો અને પાઠોનું નિદર્શન કરાવવામાં આવ્યું. 

 શાળા નંબર 33 નાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ સરસ કાર્યક્રમ બતાવ્યો. બપોરે બાળકોને જમાડવામાં આવ્યાં. ત્યારબાદ બાળકોને કોમ્પુટર લેબમાં લઈ જઈને ગેમ્સ રમાડવામાં આવી. બાળકોને ખૂબ મજા આવી. ત્યારબાદ બધાં જ ધોરણ 6 થી 8નાં વર્ગો, રસોડું, રમતનું મેદાન, ઔષધીય બાગની મુલાકાતે લઈ જવામાં આવ્યા. અંતે બધાં જ બાળકોને ભેગા કરીને એક જૂથ ચર્ચા કરવામાં આવી. આ શાળામાં અમારી શાળાનાં બાળકોને શું ગમ્યું? કઈ વસ્તુઓ માટેનો ફેરફાર પોતાની શાળામાં કરશો ? આવી અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી. અંતે શાળા નંબર 33 ના શ્રી નીલાબેને સૌનો આભાર માન્યો. આ રીતે અમારી શાળાનો શાળા નંબર 33 માં થયેલો Twinning કાર્યક્રમ સરસ રીતે થયો.



****************************************


School Twinning અહેવાલ ભાગ - 2


નગર પ્રાથમિક શાળા નંબર 31 માં 33 નંબરનાં બાળકો.

શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ ,પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉંમદા હેતુથી, શાળાઓ વચ્ચે ભાગીદારી ( Twinning of Schools ) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઈ , વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી ) બીજી શાળા (યજમાન શાળા ) સાથે જોડી બનાવે છે.

તો ચાલો જાણીએ,,,,,,,, શાળા ભાગીદારી અહેવાલ દ્વારા 


 આજરોજ તારીખ 4/1/2024 ને ગુરુવારના રોજ અમારી શાળા યજમાન શાળા હતી. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડા અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ આયોજન મુજબ ‘શાળા ભાગીદારી ‘ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

   મુલાકાતી શાળા - શાળા નંબર 33, સમયસર અમારી શાળામાં બાળકો આવી ગયા હતા. શાળામાં બાળકો ખુશ હતાં. બાળકોને અને શિક્ષકોને પ્રાર્થના સંમેલનમાં જોડ્યા. બાળકોએ સરસ મજાની પ્રાર્થના, ભજન, ધૂન રજૂ કર્યા. પ્રાર્થના સંમેલનમાં નિયમિત રજૂ થતાં આજનું પંચાંગ, સમાચાર, સુવિચાર, જાણવાજેવું, ઘડિયાગાન, આજનો દિપક અને આજનું ગુલાબ ક્રમશ: રજૂ થયાં. શાળાનાં આચાર્ય શ્રી ગાયત્રીબેન મહિડા એ મુલાકાતી શાળાનાં શિક્ષકો શ્રી પિનલબેન અને શ્રી અમીષાબેનને Wel Come કાર્ડ આપી આવકાર્યા. મુલાકાતી શાળાનાં બાળકોને પણ શાળાનાં આચાર્ય શ્રી અને શિક્ષકો દ્વારા Wel Come કાર્ડ આપી આવકાર્યા. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું અને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. 

 ત્યારબાદ અમારી શાળા નંબર 31નાં બાળકોએ ધોરણ 7માં હિન્દી વિષય માં આવેલ પાઠ ‘ सच्चा हीरा ’ પાઠનું નાટયકરણ પદ્ધતિ દ્વારા રજૂ કર્યું. પ્રાર્થના સંમેલન અંતે રાષ્ટ્રગાન કરી બધાં જ બાળકોને પ્રથમ વર્ગખંડમાં બેસાડીને ઓનલાઈન હાજરી પૂર્યા બાદ ફરીથી મેદાનમાં ગોઠવવામાં આવ્યા. ત્યારબાદ બંને શાળાનાં બાળકોને રમત માટે તૈયાર કરવામાં આવ્યા. આ રમત સૌ પ્રથમ અમારી શાળા નંબર 31 નાં બાળકોને રમાડવામાં આવી જેથી કરીને મુલાકાતી શાળા સમજી શકે કે કેવી રીતે આ રમત રમી શકાય. આ એકાગ્રતા, ચપળતા અને ઝડપની રમત હતી. બાળકો રમ્યા બાદ શાળા નંબર 33 નાં બાળકોને આ રમત માટે આમંત્રણ આપવામાં આવ્યું. એક સાથે 30 બાળકો રમી શકે અને ચપળતાથી આગળ વધી શકે તેવી આ રમતમાં મુલાકાતી શાળાનાં બાળકોને પ્રથમ રાઉન્ડ રમાડવામાં આવ્યો. પહેલા રાઉન્ડમાં બાળકોને મઝા પડી પણ સાથે સાથે તકલીફ પણ પડી. બાળકોની ઈચ્છાથી બીજી વખત આ રમત રમાડવામાં આવી. છેલ્લે બાળકો સરસ શીખી ગયા હોઈ ત્રીજી વખત બંને શાળાનાં બાળકોને એક સાથે રમત રમાડી. બાળકોને જમવાનો સમય થતાં બધાં જ બાળકોને જમવા લઈ ગયા. જમ્યા બાદ ફરીથી બાળકોને શૈક્ષણિક શબ્દ સંગીત ખુરસી રમાડવામાં આવી. આ શૈક્ષણિક ખુરસીમાં અઘરા શબ્દો અને ગાણિતિક પ્રક્રિયાઓનાં કાર્ડ દ્વારા સંગીત ખુરસી રમાડવામાં આવી. પ્રથમ શાળા નંબર 31 નાં બાળકોને સંગીત ખુરસી રમાડી. આ શાળાનાં બાળકો અઘરા શબ્દ વાચન રમતમાં 4 રાઉન્ડમાં સાત બાળકો આઉટ થયાં હતાં. ત્યારબાદ મુલાકાતી શાળાનાં બાળકોને આ શૈક્ષણિક સંગીત ખુરસી રમાડવામાં આવી. અહીં પણ બાળકોને રમવામાં ખૂબ મજા પડી. અહીં પણ બાળકોએ ચાર રાઉન્ડ રમ્યા અને સાત બાળકો આઉટ થયાં. બંને શાળાઓના બાળકો વચ્ચે રસાકસી ભરી રમત બની. બંને શાળાઓને જીતીને બીજીને હરાવવા હતાં. આવી હરિફાઈ ન રાખતાં બીજા ગાણિતિક રાઉન્ડમાં કોઈ જ પોઇન્ટ વગર બાળકોને રમાડવામાં આવ્યાં. અહીં ગાણિતિક સંગીત ખુરસીમાં બાળકોને ખૂબ મજા પડી. ત્યારબાદ શાળામાં બાળકોને શ્રી પાયલબેને શાળા બાગની મુલાકાત સમયે બાળકોને વૃક્ષ, પર્ણ, પુષ્પ, ક્ષુપ, છોડ, ફૂલમણી અને મૂળ વિશે સમજ આપી અને ચર્ચા/ પ્રશ્નોત્તરી કરી. બાળકોને ઔષધીય બાગની મુલાકાત કરાવી અને આ ઔષધિઓનો ઉપયોગ કયા કયા રોગોમાં થાય છે, તેનાથી શું ફાયદા થાય અને તેને વાપરવાની રીત જણાવી. તુલસી, અજમો, અરડૂસી, મેંથી, કુંવારપાઠું, શતાવરી જેવાં ઔષધીય છોડ બતાવવામાં આવ્યા. બાળકોને કોમ્પુટર લેબ અને વર્ગખંડોનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું. બાળકોને સ્માર્ટબોર્ડ પર એક પ્રવૃત્તિનો વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ બધાં જ બાળકોને ભેગા કરીને શ્રીજાગૃતિ પંડ્યા એ બાળકોને પત્તાનો જાદુ બતાવ્યો. ગંજીફાના પાનનાં ચાર પાંચ જાદુ બતાવવામાં આવ્યા. બાળકોને ખૂબ મજા આવી.

 અંતે મુલાકાતી શાળાનાં બાળકોએ આજનાં દિવસના પોતાના અનુભવો અને આ શાળામાંથી શું શીખ્યા? પોતાની શાળામાં જઈને કયા કયા ફેરફારો લાવીશું? આ ચર્ચાઓ કરી. બંને શાળાનાં બાળકો બે દિવસથી એકબીજાના પરિચયમાં આવ્યા અને સારા મિત્રો બન્યા. 
 અંતે શાળાનાં શિક્ષકશ્રી પાયલબેન પટેલે સૌનો આભાર માન્યો. સૌ બાળકો ફરીથી મળવાના વાયદાઓ સાથે છૂટા પડ્યા. 

  આ રીતે તારીખ 3 અને 4 જાન્યુઆરી 2024 ના રોજ ‘ School Twinning ‘ નું આયોજન કરવામાં આવ્યું જે સફળ રહ્યું. 





 School Twining/ ઉદ્દેશ્યો: 

ભાગીદાર શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી
જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા નિર્માણ.

પીઅર-ટુ-પીઅર અને ગ્રૂપ લર્નિંગ સાથે વિદ્યાર્થીઓને હાથથી શીખવા માટે સક્ષમ બનાવવું.


બંને ભાગીદાર શાળાઓને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા સક્ષમ કરો.

પોતાની અને અન્યની શક્તિ અને નબળાઈઓનો સંપર્ક કરે અને સંયુક્ત રીતે શીખે.

શિક્ષણ સમુદાયને વધુ સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવાની તકો પ્રદાન કરે.

પોતાના નવા ચરણ તેમજ અન્ય શાળાના નવા ચાર ની જાણી યોગ્ય સંકલન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ સાધી શકાય.




બાળકોને આપવાનું કાર્ડ.

શિક્ષકો ને આપવાનું કાર્ડ.