*' જો ઉપયોગ લેતાં આવડે તો મનુષ્યનું મન જ અદ્ભૂત બળનો ભંડાર છે.અનુકૂળ મન એટલે જ સુખ અને પ્રતિકૂળ મન એટલે જ દુઃખ.જો કે સુખ,દુઃખ અને મન-આ બધુંય દૃશ્ય પદાર્થો જ છે.પણ સગુણ બ્રહ્મક્ષેત્રે તેનું મહત્વ ઘણું જ છે.પ્રકૃતિ તત્ત્વનું યથાર્થ રહસ્ય જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી પ્રકૃતિનો અતિક્રમ કરી,પ્રકૃતિથી પર પુરુષતત્ત્વમાં સ્થિતિ પમાય નહીં.જો કે પરમાત્મા સર્વનો આધાર છે.તે કોઈનેય ભુલ્યો નથી. ભૂલે તેમ છે પણ નહીં,કેમ કે તે સર્વનો અંતરાત્મા બનીને રહેલો છે.તેની તરફ નજર જવી જોઈએ. પરમાત્મા ખોયો નથી પણ ભુલાયો છે.સર્વની ચિંતા તેને છે કારણ કે તે વિશ્વંભરનાથ છે.તે સર્વનો છે અને સર્વમાં સમાયો છે.તે સર્વ વ્યાપક છે.બધે તે જ છે.તે સ્વયં અમર અસ્તિત્વ છે.આપણે ક્યાં છીએ ?'-પ.પૂ.દયાળુ ભગવાન*
No comments:
Post a Comment