*'આપ સ્વયં 'પોતાને જ' સમજવા પ્રયત્નશીલ બનો,અભ્યાસી બનો.જેને તમે 'હું છું' કહો છો તે 'હું' શું છે? અગર જો આપણે આપણી અંદરની અંતઃચેતનાને જાગૃત કરવી હોય,એક શાંત રચનાત્મક,ઉચ્ચ ભાવનાત્મક અને દિવ્ય ક્રિયાત્મક ભૂમિકા રચવી હોય તો તે ત્યારે જ બને કે જ્યારે આપણે જાણીએ કે વાસ્તવમાં 'હું કોણ છું'...આ જે હું છે તે સ્ત્રી અને પુરુષ બંનેથી નિરપેક્ષ તત્ત્વ છે,તે દેહ નિરપેક્ષ તત્ત્વ છે.કોઈ પણ પ્રશ્નની નિષેધાત્મક બાજુ ત્યારે જ જોર પકડે કે જ્યારે તેની વિધેયાત્મક બાજુની ઉપેક્ષા કરવામાં આવે.આમ થતાં તેની રચનાત્મક શક્તિ શૂન્ય બની જાય છે.પરંતુ જો રચનાત્મક શક્તિનું અંતસ્તત્ત્વ જાગૃત થઈ જાય છે તો નિષેધાત્મક શક્તિની પોકળતા આપોઆપ ખુલ્લી પડી જાય છે.અગર જો અંતસ્ ચેતના જાગૃત થઈ જાય તો મામુલી માધ્યમ દ્વારા પણ પ્રચંડ કાર્ય થઈ શકે છે.'-પ.પૂ.દયાળુ ભગવાન*
No comments:
Post a Comment