Wednesday, 1 May 2024

1 મે - ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ/ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ



નમસ્તે વ્હાલાં બાળકો,
આજે 1લી મે દિન વિશેષ : 1 મે - ગુજરાત સ્થાપના દિવસ .

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ વિષે તથા આજનાં દિવસની અન્ય જાણકારી વિશે વાંચો અને લખો.

ગુજરાત સ્થાપના દિવસ:- 

ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.

ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

 
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત, ભારત, ગુજરાતી ભાષા બોલતા લોકો વડે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.



🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣


1 મે - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ


દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના વિકાસમાં મજૂરો તેમજ કામદારોની મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. લેબર ડે (Labour Day)ને મે ડે (May Day)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા બધા દેશોની કંપનીઓમાં રજા હોય છે.

ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસની રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886ના રોજ થઇ હતી, જ્યારે અમેરિકામાં કેટલાય મજૂર સંઘોએ કામકાજનો સમય 8 કલાકથી વધારે ન રાખવા માટે હડતાલ કરી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ કોણે ફેંક્યો તેની કોઇને પણ ખબર નથી. પરંતુ પ્રદર્શનકારીઓના પ્રદર્શન રોકવા માટે પોલિસે મજૂરો પર ગોળીઓની વર્ષા કરી દીધી જેમાં કેટલાય મજૂરો મૃત્યુ પામ્યા હતા. 

શિકાગો શહેરમાં શહિદ મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હેમાર્કેટમાં માર્યા ગયા નિર્દોષ લોકોની યાદમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે. 





Thursday, 18 April 2024

વિપશ્યના સાધના પ્રશ્નોત્તરી

*गुरुदेव के साथ प्रश्नोत्तर*

कोल्हापुर (महाराष्ट्र) के एक साधक ने अपने पत्र में कुछ सामान्य प्रश्न उठाए हैं जो सभी साधकों के लिए उपयोगी हो सकते हैं। अतः प्रश्नोत्तर नीचे प्रस्तुत है-

*प्रश्न:- साधना के दौरान विचार तो मन में आते ही हैं - कभी चिन्ताओं के, कभी अपने कर्तव्यों के संबंध में, कभी जीवन के किसी अन्य भाग पर अथवा किसी ज्वलंत समस्या पर - इनकी अवहेलना कर दें या इन पर गहनता से चिंतन-मनन करें? मेरी समझ में तो इनमें अधिक रस लेना अथवा दमन करना दोनों ही भूल होगी। इस पर प्रकाश डालने की कृपा करें!*
उत्तर:- साधना करते समय जो भी विचार आय उसे गौण मान कर उपेक्षा करें। उस समय साधना यानी संवेदनाओं के प्रति समताभाव रखने को ही प्रमुखता दें। यदि कोई विचारणीय प्रश्न हो तो उस पर साधना के पश्चात चिंतन कर सकते हैं।

*प्रश्न:- शरीर के किसी अंग में संवेदनाओं का निरीक्षण करते समय शरीर के भीतर भी कुछ होता हुआ प्रतीत होता है। क्या इनकी अवहेलना करें? अथवा उस समय की प्रतीक्षा करें जब वहां की संवेदनाएं और प्रत्यक्ष हो जायँ?*
उत्तर:- संवेदनाओं का निरीक्षण करते समय शरीर की गहराई में कोई अनुभूति हो तो थोड़ी देरके लिए रुककर उसकी स्पष्ट जानकारी कर सकते हैं और फिर अपने निश्चित क्रम में लग सकते हैं। बहुत देर तक रुके रह जायँ तो चित्त में अस्थिरता आने का खतरा रहता है। अतः उस ओर से सजग रहें।

*प्रश्न:- विपश्यना वैसे तो शरीर में संवेदनाओं को देखना ही है। पर मान लें कि मुझे किसी समस्या का समाधान करना है। तो क्या मैं सामान्य विपश्यना करने के पश्चात उसी आसन पर बैठे-बैठे समस्या पर गहराई से चिंतन कर लूँ? जब मैं ऐसा करता हूँ तब शरीर के किसी अंग में, साधारणतः सिर में संवेदनाएं मालूम होती रहती हैं। तो क्या इन संवेदनाओं को ध्यानपूर्वक गहराई से देखते हुए संबंधित समस्या के विचार को मन में आने दें?*
उत्तर:- साधना के पश्चात किसी समस्या पर चिंतन करने में कोई दोष नहीं। उस समय संवेदनाएं मालूम होंगी परंतु उनकी उपेक्षा कर मूल समस्या के चिंतन-मनन को ही प्राथमिकता दें।

*प्रश्न:- ध्यानमें किसी अंग-विशेष पर संवेदनाओं का निरीक्षण करते-करते किसी नजदीकी अथवा दूरस्थ अंग में भी संवेदना उठे तो ऐसे में क्या करना चाहिए?*
उत्तर:- साधना के समय किसी अंग-विशेष का निरीक्षण करते समय अन्य अंगों में हो रही संवेदना की उपेक्षा करें और उसकी बारी आने पर ही उसे महत्त्व दें। अन्यथा क्रमबद्ध निरीक्षण कर पाना असंभव हो जायगा।
*प्रश्न:-कभी जीवन के किसी प्रश्न पर खुली आंखों विचार-विमर्श करते समय या किसी गंभीर समस्या पर किसी की बातें सुनते समय सिर में इतनी तीव्र
संवेदनाएं प्रकट होती हैं कि कभी-कभी तो समस्या के स्थान पर उन्हीं पर मन खिंच जाता है। कृपया बताएं कि उस वक्त क्या करें?
उत्तर:- दैनिक जीवन की जिम्मेदारी का काम करते समय यदि संवेदना महसूस होने लगे तो उसकी उपेक्षा करें और सारा ध्यान काम पूरा करने में ही लगाएं। इससे कठिनाई दूर होगी और काम में सफलता मिलेगी। मन दोनों ओर रहेगा तो काम में सफलता मिलने में कठिनाई होगी।

*प्रश्न:- मुझे शरीर के किसी छोटे से भाग पर मन एकाग्र करना अधिक आसान प्रतीत होता है। जैसे पूरे कान की बजाय कान के किसी एक भाग पर । क्या ऐसा करना ठीक है?*
उत्तर:- सामान्यतः किसी छोटे भाग पर मन टिकाना कठिन होता है। मन ऊबने लगता है। परंतु यदि टिका सकते हों तो अच्छी बात है, अवश्य टिकाएं।

- वर्ष १० मुंबई: बुद्धवर्ष २५२४ आषाढ (अधिक) पूर्णिमा (शक) दि. २८-६-१९८० अंक १३
पुस्तक: विपश्यना पत्रिका संग्रह (भाग-3)
विपश्यना विशोधन विन्यास ।।