આજે 1લી મે દિન વિશેષ : 1 મે - ગુજરાત સ્થાપના દિવસ .
ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ વિષે તથા આજનાં દિવસની અન્ય જાણકારી વિશે વાંચો અને લખો.

ગુજરાત સ્થાપના દિવસ:-
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.
ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.
મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત, ભારત, ગુજરાતી ભાષા બોલતા લોકો વડે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.
🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣
1 મે - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના વિકાસમાં મજૂરો તેમજ કામદારોની મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. લેબર ડે (Labour Day)ને મે ડે (May Day)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા બધા દેશોની કંપનીઓમાં રજા હોય છે.
ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસની રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886ના રોજ થઇ હતી, જ્યારે અમેરિકામાં કેટલાય મજૂર સંઘોએ કામકાજનો સમય 8 કલાકથી વધારે ન રાખવા માટે હડતાલ કરી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ કોણે ફેંક્યો તેની કોઇને પણ ખબર નથી. પરંતુ પ્રદર્શનકારીઓના પ્રદર્શન રોકવા માટે પોલિસે મજૂરો પર ગોળીઓની વર્ષા કરી દીધી જેમાં કેટલાય મજૂરો મૃત્યુ પામ્યા હતા.
શિકાગો શહેરમાં શહિદ મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હેમાર્કેટમાં માર્યા ગયા નિર્દોષ લોકોની યાદમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે.
No comments:
Post a Comment