Friday, 1 October 2021

ગાંધી બાપુ : નાના નાના પ્રસંગો.



1) ‘તેથી એકલો આવ્યો છું’
 
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
 
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે ગોરાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”

પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
 
2).સ્વચ્છતાનું મહત્વ
 
બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
 
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
 
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
 
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.
 
3. મનુબહેન ગાંધી
 
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
 
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
 
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
 
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
 
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”
 
“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
 
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
 
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
 
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
 
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.




4) નાની નાની બાબતો
 
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
 
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”
 
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
 
5) ગાંધીજી અને બાળકો
 
ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.
 
હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
 
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’
 
ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.

*****************************************

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતમાં પોરબંદર ખાતે એક સામાન્ય હિન્દુ પરિવારમાં થયો હતો.
તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રાજ્ય ના દિવાન હતા.
મહાત્મા ગાંધીએ મે 1883 માં કસ્તુરબાઈ માખણજી કાપડિયા સાથે લગ્ન કર્યા.
4 સપ્ટેમ્બર 1888 ના રોજ, તે ઉચ્ચ વકીલાત ના અભ્યાસ માટે લંડન ગયા.
તે રંગ ભેદભાવ સામે લડતા, 1893 થી 1914 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે લડ્યા હતા.
તે 1915 માં ભારત પાછા ફર્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
ગાંધીજીએ 1917 માં બ્રિટીશ શાસન સામે ચંપારણ સત્યાગ્રહ પ્રથમ આંદોલન શરૂ કર્યું હતું.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી તેમણે 01 ઓગસ્ટ 1920 ના રોજ અસહકાર આંદોલન શરૂ કર્યું.
તેમણે 12 મી માર્ચ 1930 ના રોજ મીઠા નો કાયદો તોડવા દાંડી માર્ચ શરૂ કરી હતી અને 06 મી એપ્રિલ 1930 સુધી ચાલુ રાખ્યું.
ગાંધીજી સાંજ ની આરતી કરવા જતા હતા ત્યારે, નાથુરામ ગોડસેએ નામના વ્યક્તિ એ 30 જાન્યુઆરી, 1948 ના રોજ ગાંધીની હત્યા કરી હતી.

Thursday, 9 September 2021

🎯 ઑનલાઇન ટેસ્ટ ✍️ ધોરણ :૩ થી ૫ પયૉવરણ. કન્યાશાળા બાકરોલ.

૧. મજાની ઇન્દ્રિયો

૨. સાપ અને મદારી 

 પાઠ :૩ સ્વાદ થી પાચન સુઘી

પાઠ :૫ બીજ, બીજ, બીજ

પાઠ :૬ જળ એ જ જીવન 



ધોરણ : ૪ 

પાઠ : ૧ રોજ નિશાળે જઇએ.

 પાઠ :૪ અમૃતાની વાર્તા.


ધોરણ :૩

 પાઠ :૧ પૂનમે શું જોયું ?

પાઠ :૨ વનપરી

પાઠ :૩ પાણી જ પાણી




Sunday, 5 September 2021

*क्षमा*





 *एक सेठ जी ने अपने छोटे भाई को तीन लाख रूपये व्यापार के लिये दिये। उसका व्यापार बहुत अच्छा जम गया, लेकिन उसने रूपये बड़े भाई को वापस नहीं लौटाये*
     
*आखिर दोनों में झगड़ा हो गया, झगड़ा भी इस सीमा तक बढ़ गया कि दोनों का एक दूसरे के यहाँ आना जाना बिल्कुल बंद हो गया। घृणा व द्वेष का आंतरिक संबंध अत्यंत गहरा हो गया। सेठ जी, हर समय हर संबंधी के सामने अपने छोटे भाई की निंदा-निरादर व आलोचना करने लगे*।
      
*सेठ जी अच्छे साधक भी थे, लेकिन इस कारण उनकी साधना लड़खड़ाने लगी। भजन- पूजन के समय भी उन्हें छोटे भाई का चिंतन होने लगा। मानसिक व्यथा का प्रभाव तन पर भी पड़ने लगा। बेचैनी बढ़ गयी। समाधान नहीं मिल रहा था। आखिर वे एक संत के पास गये और अपनी व्यथा सुनायी*।
     
*संतश्री ने कहाः- 'बेटा ! तू चिंता मत कर। ईश्वर कृपा से सब ठीक हो जायेगा। तुम कुछ फल व मिठाइयां लेकर अपने छोटे भाई के यहाँ जाना और मिलते ही उससे केवल इतना कहना, 'अनुज ! सारी भूल मुझसे हुई है, मुझे "क्षमा" कर दो*।'

     *सेठ जी ने कहाः- "महाराज ! मैंने ही उनकी मदद की है और "क्षमा" भी मैं ही माँगू* !"
     
*संतश्री ने उत्तर दियाः- "परिवार में ऐसा कोई भी संघर्ष नहीं हो सकता, जिसमें दोनों पक्षों की गलती न हो। चाहे एक पक्ष की भूल एक प्रतिशत हो दूसरे पक्ष की निन्यानवे प्रतिशत, पर भूल दोनों तरफ से होगी*।"
     *सेठ जी की समझ में कुछ नहीं आ रहा था। उसने कहाः- "महाराज ! मुझसे क्या भूल हुई* ?"

    *बेटा ! तुमने मन ही मन अपने छोटे भाई को बुरा समझा– यही है तुम्हारी पहली भूल*।
      *तुमने उसकी निंदा, आलोचना व तिरस्कार किया– यह है तुम्हारी दूसरी भूल*
     *क्रोध पूर्ण आँखों से उसके दोषों को देखा– यह है तुम्हारी तीसरी भूल*।
   *अपने कानों से उसकी निंदा सुनी– यह है तुम्हारी चौथी भूल*।
  * *तुम्हारे हृदय में छोटे भाई के प्रति क्रोध व घृणा है– यह है तुम्हारी आखिरी भूल*।
     *अपनी इन भूलों से तुमने अपने छोटे भाई को दुःख दिया है। तुम्हारा दिया दुःख ही कई गुना होकर तुम्हारे पास लौटा है। जाओ, अपनी भूलों के लिए "क्षमा" माँगों। नहीं तो तुम न चैन से जी सकोगे, न चैन से मर सकोगे। क्षमा माँगना बहुत बड़ी साधना है। ओर तुम तो एक बहुत अच्छे साधक हो*।"
     
*सेठ जी की आँखें खुल गयीं। संतश्री को प्रणाम करके वे छोटे भाई के घर पहुँचे। सब लोग भोजन की तैयारी में थे। उन्होंने दरवाजा खटखटाया। दरवाजा उनके भतीजे ने खोला। सामने ताऊ जी को देखकर वह अवाक् सा रह गया और खुशी से झूमकर जोर-जोर से चिल्लाने लगाः "मम्मी ! पापा !! देखो कौन आये हैं ! ताऊ जी आये हैं, ताऊ जी आये हैं*...।"
     
*माता-पिता ने दरवाजे की तरफ देखा। सोचा, 'कहीं हम सपना तो नहीं देख रहे !' छोटा भाई हर्ष से पुलकित हो उठा, 'अहा ! पन्द्रह वर्ष के बाद आज बड़े भैया घर पर आये हैं।' प्रेम से गला रूँध गया, कुछ बोल न सका। सेठ जी ने फल व मिठाइयाँ टेबल पर रखीं और दोनों हाथ जोड़कर छोटे भाई को कहाः- "भाई ! सारी भूल मुझसे हुई है, मुझे क्षमा करो ।"*

     *“क्षमा" शब्द निकलते ही उनके हृदय का प्रेम अश्रु बनकर बहने लगा। छोटा भाई उनके चरणों में गिर गया और अपनी भूल के लिए रो-रोकर क्षमा याचना करने लगा। बड़े भाई के प्रेमाश्रु छोटे भाई की पीठ पर और छोटी भाई के पश्चाताप व प्रेममिश्रित अश्रु बड़े भाई के चरणों में गिरने लगे।*

     *क्षमा व प्रेम का अथाह सागर फूट पड़ा। सब शांत, चुप, सबकी आँखों से अविरल अश्रुधारा बहने लगी। छोटा भाई उठ कर गया और रुपये लाकर बड़े भाई के सामने रख दिये। बडे भाई ने कहा "भाई! आज मैं इन कौड़ियों को लेने के लिए नहीं आया हूँ। मैं अपनी भूल मिटाने, अपनी साधना को सजीव बनाने और द्वेष का नाश करके प्रेम की गंगा बहाने आया हूँ* ।
     
*मेरा आना सफल हो गया, मेरा दुःख मिट गया। अब मुझे आनंद का एहसास हो रहा है।"*

    *छोटे भाई ने कहाः- "भैया ! जब तक आप ये रुपये नहीं लेंगे तब तक मेरे हृदय की तपन नहीं मिटेगी। कृपा करके आप ये रूपये ले लें।*

     *सेठ जी ने छोटे भाई से रूपये लिये और अपने इच्छानुसार अनुज बधू , भतीजे व भतीजी में बाँट दिये । सब कार में बैठे, घर पहुँचे।*

      *पन्द्रह वर्ष बाद उस अर्धरात्रि में जब पूरे परिवार का मिलन हुआ तो ऐसा लग रहा था कि मानो साक्षात् प्रेम ही शरीर धारण किये वहाँ पहुँच गया हो।*

  *सारा परिवार प्रेम के अथाह सागर में मस्त हो रहा था। "क्षमा" माँगने के बाद उस सेठ जी के दुःख, चिंता, तनाव, भय, निराशा रूपी मानसिक रोग जड़ से ही मिट गये और साधना सजीव हो उठी।*
...........

ટીચર બનવાનો ઉમંગ , ખૂબ મજાનાં બાળકો👌🌺🎈 કન્યા શાળા બાકરોલ આણંદ.


* રવિવારે શિક્ષક દિન હોઈ, શનિવારે અચાનક જ થયું કે લાવ આજે પ્રયત્ન કરી જોઉં. આ નાના નાના ટાબરિયાઓ ને વાત કરી જોઉં તો રવિવારનો દિવસે બાળશિબિરનું કામ હોઈ, આજે ઑનલાઇન શિક્ષકદિનની ઉજવણી થઈ જાય તો સારામાં સારું. આમ વિચારીને ધોરણ ૩ થી ૫ નાં બાળકોને શનિવારે સવારે, પ્રાર્થના પછી તરત  ક્લાસમાં આવીને કૉલ કરવા માંડ્યા.

* જે બાળકો નિયમીત ઑનલાઇન ક્લાસમાં જોડાય છે તેવાં બાળકોને કૉલ કર્યાં. બાકીના બાળકોને ગ્રુપમાં મેસેજ કર્યાં. જેથી શક્ય એટલાં વધું બાળકો જોડાય.

* પ્રથમ ધર્મિષ્ઠાને કૉલ કર્યો તે સૂતી હતી તેનાં મમ્મીએ વાત કરી. ટીચરનો કૉલ આવ્યો જાણીને ધર્મિષ્ઠા જાગી ગઈ. તેનાં મમ્મી મારી સાથે વાત કરતા હતા કે, " તેને ખેતરે જવાનું છે. તો કદાચ નહીં જોડાઈ શકે. " તરત જ મેં કહ્યું કે આજે અત્યારે જ ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ છે. બપોરના નથી. એટલામાં જ ધર્મિષ્ઠા બોલી , " મેમ હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું. ચણિયાચોળી પહેરું છું. 


 * બીજાં નંબરે મેં રુહીનને કૉલ કર્યો. તેની મમ્મીએ તો મારી સાથે ખૂબ વાતો કરી. ૫મી સપ્ટેમ્બરે તો રુહીની બર્થડે છે તે પણ જણાવ્યું. હું એ વાત જાણી ખૂશ થઈ ગઈ. તેનાં મમ્મીએ પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો અને રુહીને તૈયાર કરી શાળાએ મોકલું છું તેમ જણાવ્યું. મેં કહ્યું , " શાળામાં નહીં, આપણ
 રોજ ઑનલાઇન ક્લાસ લઈએ છીએ તેમાં જ આવવાનું છે મતલબ ઑનલાઇન ટીચર ડે ની ઉજવણી કરવાની છે.  રુહીનના મમ્મીએ તેને તૈયાર કરી ઑનલાઇન ક્લાસ માટે સમયસર જોડાવાની વાત કરી. 

( આ છે અમારી રુહીન ખલીફા )

* આ જ રીતે તમામ બાળકોને કૉલ કરીને  ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ માટે તૈયાર થઈ જવા જણાવ્યું. ૯:૪૫ પછી તો બાળકોના કૉલ આવવા મોડ્યાં. મેડમ અમે તૈયાર થઈ ગયા છીએ. જોડાઈએ ? મેં બાળકોનાં લીધે લીંકના સમયમાં ફેરફાર કરીને ક્લાસ સમય કરતાં અડધો કલાક વહેલાં શરુ કર્યાં.

* બાળકોએ આજે ક્લાસ સંભાળી લીધા હતા. બાળકો સાડી, ચણિયાચોળી, ડ્રેસ અને નવાં કપડાં પહેરીને તૈયાર થયાં તે  સિવાય શૈક્ષણિક રીતે કોઈ જ તૈયારી નહીં. છતાં પણ બાળકોએ શીઘ્ર તૈયારી કરી ને કોઈએ વાર્તા કહી તો કોઇએ ગીતો ગાયા તો કોઈએ પાઠનું વાંચન કર્યું. બાળકોને ખૂબ મજા પડી. બાળકોએ તેઓના અનુભવો પણ કહ્યાં. 

* સૌએ રુહીને બર્થડે વિશ કર્યું. બર્થડે સોંગ ગાયું. રુહીને પણ સૌનો આભાર માન્યો.

* અંતે બાળકોને વાર્તા અને બાળગીતો સંભળાવ્યા. બાળકોને ખૂબ મજા આવી. 

ખરેખર કોઈ જ તૈયારી વિના આ ઢીંગલીઓએ દોઢ કલાક પૂરો કર્યો. નવાઈની વાત છે. બાળકોનો સહકાર અને ઉત્સાહ પ્રશંસનીય છે. 

બધાં જ બાળકોને નવાં કપડાં નાં ફોટા ગ્રુપમાં  શેર કરવા જણાવ્યું તો, બાળકોએ એક ને બદલે અનેક ફોટા શેર કર્યાં. કેટલો ઉત્સાહ હતો !!!! 

* પછી મને થયુ, કે જો શીઘ્ર આયોજન આટલું સફળ રહ્યું હોય તો વ્યવસ્થિત અગાઉથી આયોજન કર્યુ હોત તો કેટલું સુંદર હોત ! પણ આ વખતે ૨૪ વર્ષ પછી નાનાં બાળકોસાથે કામ કરવાનું અને તેમાંય નવી શાળા , નવા બાળકો .આ નાના બાળકો શું કરશે ? આમ વિચારીને અગાઉ વિચાર્યું નોતું પણ શનિવારે સવારે અચાનક થયું કે લાવ જોવું તો ખરી ? સારું આયોજન નહીં થાય તો બીજી વાર હું ને મારા બાળકો માટે કંઈક સારુ નવું શીખવા મળશે ? પણ આ બાળકો ??? જબરાં હોં....????
 મજાનાં બાળકો.




Wednesday, 1 September 2021

Congratulations 🌺 વ્રજુ 🌺 આટલું સુંદર વર્ણન ! કેમ કરી શક્યો ? તેનું રાજ જાણો.

 * ખરેખર ખૂબ જ આનંદ થયો બેટા ! ખૂબ જ પ્રગતિ કરો અને હજુ આગળ વધીશ તેવી આશા છે.પ્રાર્થનાછે. 
 * " પુત્રનાં લક્ષણ પારણાં માં " નાનપણથી જ તારી મહત્વકાંક્ષાઓને જાણતી હતી. પરંતું જ્યારે તું તારાં અભ્યાસનાં પુસ્તકોને વાંચવાના બાજુ પર રાખી, આઈ. કે. વીજળીવાળા અને બીજાં મારી પાસેથી ચર્ચા કરી અને મેળવેલાં પુસ્તકો વાંચતો, ત્યારે કદી એમ નોતું થયું કે શું કામ વધારાના પુસ્તકો વાંચે છે. તને પુસ્તકો પ્રિય હતાં માટે તું મને વધું પ્રિય હતો. કદાચ, સૌ પ્રથમ વાર તારી પાસેથી જ પુસ્તક મેળવીને મેં આઈ. કે. વીજળીવાળાને સૌ પ્રથમ વાર વાંચ્યા હતા. એવું ઘણું બધું હું તારી પાસેથી શીખી/ જાણ્યું.

  ( હા,, તેનાં બહોળા અને વિશાળ વાંચનને લીધે જ આટલું સુંદર વર્ણન કરી શકવામાં સફળ રહ્યો છે.)

 * ધોરણ ૧૨ માં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી , બિરલા વિશ્વકર્માં મહાવિદ્યાલયમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હૈદરાબાદ જોબ મેળવી પણ તેમાં સંતોષ ન રહેતાં ઘરે પાછો ફરી GPSC ની તૈયારીઓમાં લાગી ગયો. તે સમયે મને પણ થોડું એમ થયું કે, આમ કેમ કર્યુ હશે ? 

   પણ વિધિનું વિધાન તારા માટે કંઇક અલગ જ સર્જ્યું હતું. અને તારા મહેનતી સ્વભાવે અને દ્રઢ મનોબળે આજે તારા સફળતાના શિખરો સર કરાવી દીધાં. 

   ખરેખર ખૂબ જ ખુશી છે તારા નામની આગળ TDO. શ્રી વ્રજ પટેલ ,,,, વાંચી ખૂબ ખૂબ ગમ્યું. પરમકૃપાળુ પરમાત્મા તારી ખૂબ પ્રગતિ કરાવે, તમામ મનોકામનાઓ પૂર્ણ કરાવે. 🙏




    * ( વાંચો ,, હવે તેનું સુંદર લખાણ. ) 

માતાપિતાનાં આશીર્વાદ, ભગવાનની કૃપા અને અથાગ પરિશ્રમનું પરિણામ - GPSC ક્લાસ 1-2 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં TDO (Taluka Development Officer)ના પદ માટે પસંદગી.

આમ તો મેં દિવસ, રાત, સવાર, સાંજ, ઘરની અંદર, બહાર અને ઉંબરા પર પણ બેસીને તનતોડ મહેનત કરી જ છે, જેથી ભગવાન પાસે હિરણ્યકશ્યપ જેવાં કોઈ બહાના આપવાનો અવકાશ જ ના રહે, પરંતુ આમ છતાં આ પરિણામમાં મારો ફાળો એટલો જ છે જેટલો એક લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનો રહેતો હોય છે - ફક્ત પ્રાથમિક કક્ષાનો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માત્ર ઉમેદવાર જ નહીં તેનો આખો પરિવાર કરતો હોય છે. વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે મમ્મી પપ્પા મ્યુટ પર ટીવી જોતાં! આપણા "રીતિ રિવાજ પ્રેમી" સમાજમાં લગભગ તમામ પ્રસંગોમાં મારી ગેરહાજરીનો સમાજનાં મહેણાં ટોણા સાંભળીને પણ તેઓએ બચાવ કર્યો છે. દાદી નાનીએ તો કોણ જાણે કેટલીયે માનતાઓ માનીને પરિણામ મારી તરફેણમાં લાવવા માટે દેવી દેવતાઓને ફરજ પાડી હશે.

અને ત્યાર બાદ મારા જીગરજાન મિત્રો. સૌપ્રથમ તો "મોટા માણસો યાદ પણ નથી કરતાં" જેવાં તીર મારી તરફ ન ફેંકીને સંયમ જાળવવા બદલ આભાર. મિત્રતા નિભાવવા માટે પ્રત્યક્ષ હાજરીની કોઈ જ આવશ્યકતા નથી તેની પ્રતીતિ કરાવનાર હાર્દિક - ગુજરાતીઓના ત્રીજા ગઢ સમા કેનેડાથી આ મિત્ર સાથે તડકા છાંયડાનો ભાગીદાર બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, સાથે સાથે તેના માતા પિતા, માસી માસાથી લઈને સમગ્ર પરિવારની પ્રાર્થનાઓમાં સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નવરાશની પળોમાં ઝીલ, ગજેરા જેવા મિત્રો સાથે બ્રહ્માંડની ઉત્પતિથી અને ભગવાનના અસ્તિત્વથી લઈને પ્રિય પુસ્તકો અને ફિલ્મો વિશે કરેલી ચર્ચાઓ પણ એક રીતે સકારાત્મક અને રચનાત્મક અભિગમ કેળવવામાં ઉપયોગી રહી છે. મિત્રોની યાદી તો ઘણી લાંબી થશે, પરંતુ જો તમે આ વાંચી રહ્યા છો, તો આપણું મળવું પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે મને ઉપયોગી નીવડ્યું છે તેમ માની લેવું.
"ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખ દુઃખોની વાર્તા કે'તા બાથમાં ભીડી બાથ"

આમ તો આ ધન્યવાદ પોસ્ટમાં તમામ લોકોનો આભાર માનવાનો હોય, પરંતુ કદાચ ખુશીના આઘાતમાં કેટલાંક નામ ચુકી જવાયા હોય તો માફ કરજો. પરંતુ એક વર્ગ એવો છે જેને કદી ભૂલી ન શકાય - સમગ્ર શિક્ષકગણ, ખાસ કરીને મારી પ્રાથમિક - માધ્યમિક શાળા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનાં શિક્ષકો. ભણતરની સાથે ગણતર શીખવીને એક સર્વગ્રાહી વ્યક્તિત્વના વિકાસમાં આ શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. નસીબજોગે વિજ્ઞાન પ્રવાહમાં પણ એવા શિક્ષકોનો સાથ મળ્યો જેમણે માત્ર બોર્ડની પરીક્ષા પૂરતું કેમેસ્ટ્રી ભણાવવાની સાથે જીવનની કેમેસ્ટ્રીમાં પણ સાતત્ય જળવાઈ રહે તે માટે વિશેષ ધ્યાન આપ્યું.

વર્ષો બાદ આટલું ટાઈપ કરીને થાકેલા મારા હાથ સંદેશ આપે છે કે પોસ્ટ થોડી લાંબી થઈ ગઈ હશે. જો આપ ધીરજ રાખીને અહીં સુધી પહોંચ્યા હો, તો આપનો પણ આભાર.

(માત્ર શાબ્દિક આભારથી અસંતુષ્ટ પાર્ટી ઇચ્છુક વાચકોને અંગતમાં સંપર્ક કરવા વિનંતી.)

Monday, 30 August 2021

માધવ ક્યાં નથી ?



' માધવ ક્યાંય નથી’ કૃતિમાં વ્યક્ત થતું પુરાકલ્પન

‘માધવ ક્યાંય નથી’ નવલકથા હરીન્દ્ર દવે કૃત ૧૯૭૦ માં લખાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણભક્તિ વહાવનારાઓમાં હરીન્દ્ર દવે આગળની હરોળમાં બેસે છે. તેમની આ નવલકથા એ કૃષ્ણને શોધતા ફરતા  નારદની એવી કથા છે જે વાચકને કૃષ્ણવિરહમાં તરબોળ કરી મૂકે છે. સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણની શોધ વર્ણવાઈ છે. કૃષ્ણની શોધ માટે તેની આસપાસના દરેક પાત્રોને જઈજઈને પૂછે છે કૃષ્ણ અહીયાં છે ? પરંતુ કૃષ્ણ અહીયાં છે ? પરતું માધવ ક્યાંય  નથી તેમ છતાં સમગ્ર કૃતિમાં માધવ ની સતત હાજરી અનુભવવાય છે. અહીયાં વ્યક્ત થતાં  પૂરાકલ્પનને તપાસીએ.

સૌ પ્રથમ નારદ બળારામ પાસે જાય છે બળારામ સમાધિમાં હોય તેમ બેઠા હતા. નારદે  તેમના મસ્તક પર હાથ મૂક્યો. તળાવમાં પણ ચેતન ન હતું. ‘બળારામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે.’ નારદ, મનોમન બોલ્યા: ‘બળારામ અત્યારે ક્યાં હશે?’ મૃત્યુ એ સોપો બોલાવી દીધો હતો; કશું જ બચ્યુ ન હતું. નારદે ચમકીને પોતાના હદય પર હાથ મૂકી જોયો! પોતે તો હજી જીવે છે ને? ત્યારપછી એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. તેને નારદે પૂછ્યું : ‘બહેન, તું કોણ છે? અહીં કેમ બેઠી છે? એને કહ્યું, ‘પેલું મોટું ગીધ જેની આંખ ટોચે છે તેની હું પુત્રી છું… પેલાં ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું અને….. ત્યાં જેનો દેહ ઓળખાય નહિ એવો વરવો થઈને પડ્યો છે એની હું પત્ની છું…. અને મારા ઉદરમાં અત્યારે ઝીણું ઝીણું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું….’ નારદે આવી સ્ત્રીને પુછાય કે ન પુછાય એનો વિવેક જાળવ્યા વિના તેમને પૂછ્યું, ‘કૃષ્ણ ક્યાં છે, એ તમને ખબર છે? એ યુવતી ફિક્કું હસી. એ બોલી, ‘કૃષ્ણ અહીં ક્યાંય નથી, આ શબોનાં મૃત્યુમાં પણ કૃષ્ણ નથી, આ જીવતાં ગીધોમાં પણ કૃષ્ણ નથી….

નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુ:ખ નારદ આ ક્ષણે અનુભવી રહયા હતા. પણ પછી તેઓ સ્વસ્થ થઈ જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં ચાલવા લાગ્યા. અચાનક તેમની નજર બે માણસો પર પડી. તેમાં જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ઘવ હતો, બીજો કૃષ્ણનો સારથિ દારૂક હતો. નારદે પૂછ્યું ‘કૃષ્ણ ક્યાં છે ઉદ્ઘવ? આ બધું શું થઈ ગયું?’ ‘સ્વસ્થ થાઓ દેવર્ષિ, આપણે કૃષ્ણ પાસે જ જઇએ છીએ…. અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ….’ ઉદ્ઘવે કહ્યું. નારદ કશું સમજી શક્યા નહી.’ મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી હવે મને વધારે વખત અળગો ન રાખ, ઉદ્ઘવ ! મને જલદી કૃષ્ણ પાસે લઈ જા…. કૃષ્ણએ હમેશાં એક વાત કહી છે – એ રૂપમાં કૃષ્ણ નથી, કૃષ્ણ વ્રજની ગાયોનાં નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્રારીકાના હદયમાં વસે છે, તમારી વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ના હોય તો એ ક્યાંય નથી! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું, સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું? જેમ જેમ કૃષ્ણ મીલનનું સ્થળ નજીક આવતું જાય છે. તેમ તેમ ઉદ્ઘવની વાતો કેમે કરી નારદને સમજાતી નથી

ઉદ્ઘવ નારદને સમજાવે છે. ‘નારદ, તમારાં પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, ગિરિવ્રજ ગયા, ઇન્દ્ર્પ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્રારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હમેશાં જીવતા રહેશે, યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે અને કૃષ્ણની મળવા માટે તમે જે યાતના વેઠી  હતી, એ યાતના કૃષ્ણ પાસે માગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ – યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે. ઉદ્ઘવે કહ્યું: ‘દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને ?’ ‘હા’ નારદે અધીરાઇથી કહ્યું. ‘જુઓ, સામે રહ્યા કૃષ્ણ ! ‘ઉદ્ઘવે આંગળી ચીંધી. નારદે એ દિશામાં ર્દ્ષ્ટિ કરી. અશ્ર્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા, એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતા, તેમનાં નેત્રો મીંચાયેલા હોય એમ લાગતું હતું અને કોઈક ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરધો રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા! એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝંખતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું, એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી…. જેમ નજીક આવતા ગયા, એમ એ શાંતિનાં સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. કૃષ્ણના ચરણોમાં મસ્તક નમાવી દીધું ત્યારે મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડવાથી નારદે જોયું તો કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી હદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું, અને એમાથી રુધિર ઝમી રહ્યું હતું.

નારદ ચીસ પાડી ઊઠે છે ‘કૃષ્ણ…. કૃષ્ણ…..’ નારદના મનમાં ખળભળાટ મચી ગયો. એમની આંખો સામે, ક્ષણમાં કૃષ્ણનાં બંધ નેત્રો, તો ક્ષણમાં રક્તઝરતું હદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ નારદ આ સ્વરૂપથી અકળાઈ ઊઠે છે. ઉદ્ઘવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો: ‘નારદ કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગોયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણ ને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે અને એથીય વધારે તો તમારી હદયવીણાનાં સ્પંદનોમાં શોધશે.

આમ સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણશોધ વર્ણવાઇ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે. દરેક સંવાદમાં વાચકને એમ થશે કે હમણાં કૃષ્ણદર્શન થશે પણ પછી તરત જ કૃષ્ણ ત્યાં નથી એવું જાણવા મળે છે. કૃષ્ણ ક્યાંય નથી છતાં બધે જ છે એવું સમજાય છે. નારદ કૃષ્ણને બધે જ શોધે છે પરતું દરેક જગ્યાએ કૃષ્ણનો મેળાપ થતા થતા રહી જાય છે. ‘માધવ ક્યાંય નથી’ કૃતિમાં હરીન્દ્ર દવેએ કૃષ્ણના પાત્રને પુરકલ્પનની રીતે યોગ્ય નિરૂપ્યું છે. અને કૃષ્ણની આસપાસની દરેક વ્યક્તિને નારદ મળે છે અને કૃષ્ણ વિશે પૂછે છે ત્યારે નારદને ‘અહીયાં નથી ત્યાં છે’ એવો જવાબ મળે છે. અને નકારમાં હકાર સૂચવાય છે. હરીન્દ્ર દવેનું આ જ ભાવને વ્યક્ત કરતું એક ઉર્મિગાન “માધવ ક્યાંય નથી મધુવનમાં !”. કાવ્યની પંક્તિ જોઈએ.

        “માધવ ક્યાંય નથી મધુવનમાં !
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વહે ગુંજનમાં….. માધવ ક્યાંય નથી.”

અહીં  ફૂલ ભમરાને કહે છે અને ભમરો તેના ગુંજનમાં કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ અને ભમરાના સંવાદનું સુંદર ચિત્ર આલેખાયું છે. આખી કવિતામાં કાવ્યમાં આવતાં પાત્રો ઢ્રારા  કૃષ્ણવિરહની વેદના પ્રગટ થાય છે. કૃષ્ણ વિરહનું આ ગાન ખરેખર તો સ્મૃતિદંશની વેદનાનું કાવ્ય છે. પરંતુ છેલ્લે કહેવાનું મન થાય છે કે આટઆટલા પડઘા પાડતી “માધવ ક્યાંય નથી” વાળી વાત એ રીતે રજૂ થઈ કે માધવ ન હોવાની વેદના ચારે બાજુ ફેલાઇ જઈને માધવની સતત હાજરીનો અનુભવ કરાવી જાય છે !

આવું જ આપણી કૃતિમાં માધવનું કેન્દ્ર સ્થાન છે. સમગ્ર કૃતિમાં કૃષ્ણ ક્યાંય નથી . નારદ દ્વારા તેની શોધ કરાઈ છે ઉદ્ઘવ કહે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે રાધાના વિરહમાં , યશોદાના વહાલમાં , દેવકીની વાત્સલ્યમાં અને એથીય વધારે તમારી હદયવીણનાં સ્પદનોમાં આમ કૃષ્ણ ન હોવા છતાં તેની સતત હાજરી નો અનુભવ થાય છે અને એટલે જ કહેવું પડે છે કે આ કૃતિનું કેન્દ્ર જાણે “માધવ ક્યાંય નથી !” માંથી ખસીને “માધવ ક્યાં નથી !!” એવું બોલાવી દે છે.

Tuesday, 3 August 2021

osho

*समस्त जगत के प्रति मंगल की भावना*
*आपको भीतर के हर द्वंद और संघर्ष से मुक्त करती है।*

*जिन लोगो ने कभी जीवन को जाना या कभी भी कोई जीवन को जानेगा, तो एक बहुत कीमती बहमूल्य सूत्र उसे दिखाई पड़ेगा।* और वह यह कि अगर मैं सारे जगत को प्रेम कर सकूं, तो जगत से मेरे सारे द्वंद, मेरे सारे संघर्ष विलीन हो जाएंगे। दूसरे व्यक्ति से मेरे संघर्ष की शरुआत वहां है जहां दूसरे व्यक्ति से मेरा प्रेम कम पड़ जाता है। जब भी हम जगत से प्रेम के अलावा किसी दूसरी चीज से संबंधित होते है, तभी जगत एक उपद्रव, तभी जगत एक संघर्ष और कलह का रूप ले लेता है। जब भी मैं प्रेम के अतिरिक्त किसी और मार्ग से किसी भी व्यक्ति से संबंधित हो जाऊंगा, तभी मेरे भीतर वे संबंध अनेक प्रकार के द्वंद, अनेक प्रकार के उत्ताप, अनेक प्रकार की कलह को, अनेक प्रकार के मानसिक संघर्ष और तनाव को पैदा करेंगें।  मनुष्य के भीतर धृणा से ज्यादा, हिंसा से ज्यादा क्रोध से ज्यादा और कोई चीज द्वंद और कोई चीज द्वंद और धुंए को पैदा नहीं करती।

*जीन लोगों को सत्य को जानना हो, जिन लोगों को निज सत्ता को अनुभव करना हो, या जिन्हें पदार्थ के पार के अदृश्य लोग की अनुभूति में प्रतिष्ठित होना हो, उनके लिए प्रेम के अतिरिक्त और कोई मार्ग नहीं है।*

ओशो
प्रेम को प्रार्थना बनाओ