Thursday, 30 May 2024

મૂક સેવક, ગુણીજન અને એક સાંસારિક સંત તુલ્ય: શ્રી મિનાક્ષી બેન રાઉલજીને 31/05/2024ની અઢળક શુભેચ્છાઓ. 🌺🙏🎈🌺🙏🎈🎉


31/05/2024 આદરણીય શ્રી મિનાક્ષીબેન રાઉલજી ને શાળા પરિવાર તરફથી ઍક સંભારણા રૂપે ભેટ. 



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


બહેનશ્રી અમારું શબ્દો રૂપી આ સંભારણું ,
શાળા પરિવાર વતી મોકલ્યું છે,
ખાલી થઈ ગયું છે શાળાનું આંગણું,
પ્રેમ હંમેશા યાદ રહે તેવો છે.

શત શત નમન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏






પૂજય  વડીલશ્રી મોટા બેન કહુ કે ખાસ મિત્ર કહું કે ખાસ મારા જીવનની ખાસ વ્યક્તિમાં મારા મા બાપ  અને મારા જીવનસાથીના જેટલું સ્થાન મેળવનાર      મિનાક્ષીબેન આપ છો..
         મારે આણંદમાં આવ્યા ને 25 વર્ષ  પૂર્ણ અને નોકરીના 26 વર્ષ  અને તમારો સાથ પણ મારે  આટલા જ વર્ષથી  એક માર્ગદર્શક,એક મોટી બહેન એક મા ને એક ખાસ અંગત  મિત્ર તરીકેનો છે ... આપે મને દરેક બાબતમાં ખૂબ જ  અંગત રીતે સંભાળી છે....  મારા પરિવારમાં હું સૌથી મોટી બહેન છું અને આપે મારા જીવનમાં આવી મારા મોટા બેન નું સ્થાન મેળવેલ છે.. આપ તો ખરા જ પણ સાથે સાથે કનકસિંહ  અને આપનો પરિવાર  પણ  મને એક મોટા બેન  અને જીજાજીની જેમજ મને અને મારા પરિવાર ની સાથે  આત્મીય સંબંધ થી બંધાયેલ છે.. 
       આટલા વર્ષથી સતત  આપે નોકરી કે ઘર કૌટુંબિક પ્રસંગોમાં આપણે   સહજતાથી બંને સાથે રહીને કામ કર્યું છે... અને હજુ આપ ભલે ને નોકરી માંથી  વય નિવૃત્તિને કારણે નિવૃત થાવ છો ત્યારે આપનો અને આપના પરિવારનો સંગાથ ના સંબધો મારા માટે ક્યારેય નિવૃત થવાના નથી..  
          હવે તો નોકરીના સમયની મર્યાદાને  અને જવાબદારીઓમાંથી મુક્ત થઈને તમે મારી સાથે વધારે અંગત રહેશો...   
        આટલા વર્ષોમાં ક્યારે હું  શાળામાં એકલી ગઈ નથી.. જ્યાં પણ જઈએ સાથે જ 😂😂😂નિશાળમાં, ઓફિસે, ખરીદીમાં કે પછી શાળાના પ્રવાસમાં હોય કે ઘરેથી  કૌટુંબિક પ્રવાસમાં પણ સાથે ને સાથે... શાળામાં ગમે ત્યારે રજા હોય કે શાળા સમય બાદ રોકાવવાનું હોય તો આપે મને ક્યારેય એકલી મૂકી નથી...😂😂  પણ હા ચોક્કસ જરૂર એક કહીશ કે હવે મારે શાળાએ જતા એકલા જવું પડશે... સૌથી મને વધુ દુઃખ લાગે છે.. 😂😂😂 આપ સદાય મારી હિંમત બનીને રહ્યા છો....   અત્યારે જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળ્યો છે તે પણ આપની પ્રેરણા, માર્ગદર્શક  અને આપના પ્રેમના બળે જ  જ સંભાળેલ છે... ને હજુ પણ આપના અને મારા જીવનસાથીના માર્ગદર્શકની હિંમતથી  આ હું કાર્ય કરી રહી છું.... બેન આપના માટે કોઈ ગુણોનું વર્ણન કરી શકાય એમ નથી કેમકે આપતો સર્વગુણ સંપન્ન છો.... આપના જીવનમાંથી   ઘણું બધું શીખી છું..  અને હજુ પણ આપના જીવનમાંથી પ્રેરણા લઈને કંઈક નવું નવું શીખતી રહીશ... અને આપ મારા માર્ગદર્શક બનશો... આપનો THANK YOU શબ્દ તો ક્યારેય ભુલાશે નહીં... 
        આપનો સ્વભાવ  એવો કે સગા સંબંધી હોય કે   અજાણ્યા વ્યક્તિનું કોઈપણ દુઃખ ની વાત સાંભળી ને સૌની ચિંતા કરવા વાળો... સૌના પ્રત્યે લાગણીશીલ અને પ્રેમ ભર્યો સ્વભાવ... ક્યારેય પણ કોઈને આપે મોટા અવાજથી કાંઈ પણ કીધું નથી... આપનો મોટો અવાજ તો સાંભળ્યો જ નથી... કોઈ ગમે તે વાત કહે પણ આપનો તો એક જ જવાબ હોય... આપણે એમના જેવું નહીં થવાનું...

        શાળાના દરેક કાર્યમાં આપ જવાબદારી પૂર્વક  અને નિષ્ઠાથી કાર્ય કરનાર છો.. સૌને સાથે રાખી સૌની ચિંતા કરીને કાર્ય કરનાર આપ  કુશળ શિક્ષક બન્યા  છો....🙏🙏 

       બહેન આપે મારા માટે હંમેશા  સમય અને પૈસાને ક્યારે મહત્વ આપ્યું નથી..
      નિવૃત જીવન આપને ખૂબ જ ભક્તિમય  બનાવે અને આરોગ્ય સારું રહે તેવી માતાજીને આજના શુભ અને મંગલકારી દિવસે મારી  શુભેચ્છા પ્રાર્થના... 

        બહેન આપ ખુબ જ ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો... બસ એ જ માતાજીના ચર કમલમાં પ્રાર્થના. માં ભગવતી આપની સૌ મનોકામના પૂર્ણ કરે.

લિ.
ગાયત્રીબેન નરેન્દ્રસિંહ મહિડા


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

શ્રીજાગૃતિ પંડ્યા  ✍️

શ્રીમિનાક્ષીબેન રાઉલજી એટલે અમારાં મોટાબેન.

વડિલ વ્યક્તિઓની હાજરી આપણને સૌને ઓથ પૂરી પાડતી હોય છે. વડિલોની નીશ્રા એ જ આપણું બળ. આવા જ અમારાં બહેનશ્રીમિનાક્ષીબેન. 

  બહેનશ્રીએ પોતાનાં જીવનનો મોટોભાગ તેઓના કાર્યક્ષેત્રમાં પસાર કર્યો છે. તેઓનો કાર્યકાળ એટલે 40 વર્ષ પૂરા. આટલું સદભાગ્ય સૌને ક્યાં સાંપડે છે? 

 “ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.” 

   આ પંક્તિ બહેનશ્રીને અને તેમનાં કાર્યોને, ગુણોને જોઉં ઍટલે યાદ આવે અને સાચે જ મારુ હ્રુદય તરબતર થઈ જાણે નૃત્ય કરતુ હોય એવી ભાવના થાય. આવા વ્યક્તિત્વનાં સંપર્કમાં રહેવાથી જીવન હકારાત્મકતાથી ભરાઈ જાય. શરીરમાં નવી ચેતના સાથે ઉત્સાહિત કરી મૂકે તેવા તરંગોનું અને કોષોનું નિર્માણ થાય. આમાં જરાય અતિશયોક્તિ નથી. માટે જ સંતોએ કહ્યું છે કે હંમેશાં સદગુણી માણસોનો સંગ કરવો.


   મને મિનાક્ષીબેનનો શાંત સ્વભાવ ખૂબ ગમે. શાંત સ્વભાવની સાથે સાથે તેઓની કાર્યનિષ્ઠા પ્રેરણાદાયી. સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવ. દરેક કામ કરવા માટે વધુમાં વધુ સમય શાળાને આપે. 

  ઉંમર કદી તેમને અને તેમના કામને નડી નથી. જ્યારે જોઈએ ત્યારે કામ કરતાં જ દેખાય. કદી એમ જ બેસી રહેલા મેં જોયાં નથી. 

 વહીવટી કામગીરીમાં માહેર અને ઉત્તમ માર્ગદર્શક. ઉમ્મરબુકનું કામ હોય, પગારબિલ, અન્ય કોઈપણ શાળાકીય કામગીરી અર્થે કરવામાં આવતી અરજી કે કચેરીની ટપાલો હોય મીનાક્ષીબહેન દરેક કામમાં હાજર અને જરુરી સલાહ સૂચન કરે અને તે મુજબ કામ કરીએ. બધુ જ કામ તેઓને આવડે. 58 વર્ષની ઉંમરે કોમ્પુટર ન આવડે તેનું બહુ દુઃખ. સતત મને કહ્યાં કરે, “ આ કોમ્પુટર આવડતું નથી અને તમને બધાંને હેરાન કરું છું! “ 


    બહેનનું કંઈપણ કામ કરીએ કે આપણે નાસ્તો - આઈસ્ક્રીમ કે અન્ય લાવીએ તરત જ ‘ THANK YOU ‘ બોલે. સતત કૃતજ્ઞતા પ્રગટ કર્યા કરે, એમનાં મુખમાંથી સતત સૌનાં માટે આશિર્વાદનો પ્રવાહ વહે! જાણે જીભે સરસ્વતીનો વાસ! અમારા વડિલ એટલે અમારી બધાંની બર્થડે પાર્ટીમાં આવે ખરાં પણ ખાનગીમાં કવર પણ આપે! દાન કરે! ગુપ્ત દાન કરે! એની કોઈ મોટાઈ નહીં. 

  બધાંને મનપસંદ એવી એમની બનાવેલી ખીર અને વઘારેલા મમરા!!!! બધાં માટે અનુકૂળતાએ લાવે જ લાવે. એમને તો ખીર ખવડાવવાનું એક બહાનું જ જોઈએ. ખીર ખવડાવી તેઓ ખુશ અને અમે સૌ ખીર ખાઈને ખુશ. અને હા, ખીર ખાઈને બહેનને તેઓનો મનપસંદ શબ્દ ‘THANK YOU ‘ બોલવો ન ભૂલીએ. 



   આ સ્કૂલમાં મારા આવ્યા પછી આ ત્રીજુ વેકેશન. વેકેશનમાં બહેનનો ફોન આવે જ. સ્ટાફનાં સૌને ખબર લે. વેકેશન સિવાયની રજાઓમાં કે આપણે વધારે રજા પર હોઈએ ત્યારે પણ બહેનનો અચૂક ફોન આવે. એકદમ વ્યવહારુ, બઘી રીતે વ્યવહારુ.

   મને એક વાતનો આનંદ છે કે આવા પ્રેમાળ બહેન જોડે કામ કરવાની - રહેવાની તક મળી પણ સાથે સાથે એ દુઃખ પણ થાય કે ફક્ત થોડો જ સમય રહેવા મળ્યું. હજુ વધારે સમય રહી શકાયું હોત તો ઘણું બધું શીખવા મળત. કાર્યક્ષેત્રે તો ખરું જ પણ જીવનના પાઠો બહેન પાસેથી શીખવા જેવા છે. 

બહેનશ્રીમિનાક્ષીબેન વિષે હજુ ઘણુ લખાય તેમ છે પણ, હવે મને કંઈ સુઝતું નથી. 

બસ, બહેન જેવાં અમે બનીએ, તેઓનાં ગુણો અપનાવીને અમે પણ આદર્શ જીવન જીવીએ એ જ આજનાં દિવસે બહેન માટે કરેલી પ્રસંશા છે!!!


બહેનશ્રી અમને સૌને પણ  આશીર્વાદ અને માગૅદશૅન આપજો કે અમો તમારાં માર્ગે ઉત્તમ દેખાવ કરી શકીએ.

     આજરોજ 31/05/2024 શ્રી મિનાક્ષીબેનનો નોકરીનો છેલ્લો દિવસ છે ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માને મારા અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું કે, “ હે પ્રભુ , અમારા સૌનાં વ્હાલાં શ્રીમિનાક્ષીબહેનને ખૂબ લાંબુ અને નિરામય જીવન આપજે. શ્રીમિનાક્ષીબહેન એક શિક્ષક હોવાને નાતે બાળકોનાં સર્વાંગીણ વિકાસમાં વ્યસ્ત હોવા છતાં પણ કર્મયોગ સાથે સાથે ભક્તિયોગ સાધવાને પ્રયત્નશીલ રહ્યાં છે પણ હવે શેષ જીવન સંપૂર્ણ સમર્પિત ભક્તિ કરે અને કરી શકે તે માટે અંતિમ શ્વાસ સુધી સ્વસ્થ રાખજો. બહેનની હવે પછીની જે કંઈ પણ મનોકામનાઓ હોય તે સર્વે પરિપૂર્ણ કરાવજો. “ 


Jagruti Pandya.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


તમે અમારી શાળાના એ કલ્પ વૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા અમે બધા ખુશ નસીબ છીએ કે અમને તમારા જેવા ગુરુ મળ્યા. તમારું આચરણ સહકાર સંમતિ સંયમ, અને સદભાવના થી ભરેલું છે જે અમને હંમેશા યાદ રહેશે. તમારુ આવનારું ભવિષ્ય ખૂબ જ સોનેરી અને ઉજવળ રહે તેવી અમારી ભગવાનને પ્રાર્થના💐💐🙏🙏🙏

શ્રી મીનાબેન પ્રજાપતિ.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


હું રોજ તમને માન આપીને મારી મમ્મી કહેતી એ કેમ ભૂલાય દરરો સવારે સ્કૂલ ખુલે ને મારી આંખોમાં આંખો ભરવીને તમે મને જય શ્રી કૃષ્ણ કહેતા એ કેમ ભુલાય મારી દરેક બનાવેલી વાનગીને ખાઈને સૌથી પહેલા તમે મને થેન્ક્યુ કહેતા એ કેમ ભુલાય હંમેશા લાગણીશભર રહીને મને બરડામાં ધબ્બો મારતા એ કેમ ભુલાય પ્રભુ આવતા વર્ષોમાં હંમેશા તમને સુખી સમૃદ્ધિ અને ખુશ રાખે તેવી પ્રાર્થના.

શ્રી નિશાબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



સદાય હસતા એવા અમારા બેન તમારી સદાય અમને હુંફ મળતી હતી સખત મહેનત કરનારા હંમેશા બીજાને મદદ કરનારા તમને ખૂબ ખૂબ અભિનંદન બાકીના વર્ષો તમારા ખૂબ જ તંદુરસ્તીમાં જાય ઈશ્વર તમારી બાકી રહેલી હર એક મનોકામના પૂરી કરે સદાય ખુશ રહો હસતા રહો.

શ્રીવંદનાબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺




શાળામાં સાચા સલાહકાર હતા તમે
વહેતી આ જિંદગીમાં ઘરના સભ્ય જેવા હતા તમે
આટલા વર્ષો સખત મહેનત કર્યા પછી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાના હક્કદાર છો તમે
જે રીતે પ્રોફેશનલ લાઇફમાં કામને એન્જોય કરીને જીવ્યા તે જ રીતે નિવૃત્તિ પછી દરેક ક્ષણ એન્જોય કરીને જીવો અને સદાય ખુશ રહો🙏🏻🙏🏻

શ્રી દેવાંશીબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺





Thursday, 23 May 2024

વિપશ્યના દોહે


धर्म
जागो लोगों जगत के बीती काली रात,
हुआ उजाला धर्म का मंगल हुआ प्रभात ।

आओ प्राणी विश्व के सुनो धर्म का ज्ञान,
इसमें सुख है शांति है मुक्ति मोक्ष निर्वाण ।

यह तो वाणी धर्म की बुद्धि,
ज्ञान की ज्योत, अक्षर अक्षर में भरा मंगल ओत प्रोत ।


मीठी वाणी धर्म की मिसरी के से बोल,
कल्याणी मंगलमयी भरा अमृत रस घोल ।

आओ मानव मानवी चलें धर्म के पंथ, इस पथ,
चलते सत्पुरुष इस पथ चलते संत ।

धर्म पंथ ही शांति पथ धर्म पंथ सुख पंथ,
धर्म पंथ पर जो चले करे दुखों का अंत ।

इस पथ मंगल मूल है इस पथ है कल्याण,
कदम कदम चलते हुए पाये सुखों की खान ।

धर्म धर्म तो सब कहें पर समझे न कोए,
निर्मल मन काया चरण शुद्ध धर्म है सोए ।


मैं भी दुखिया न रहूँ जगत न दुखिया होए
जीवन जीने की कला सत्य धर्म है सोए ।


धर्म न हिन्दू बौद्ध है सिख न मुस्लिम जैन,
धर्म चित्त की शुद्धता धर्म शांति सुख चैन ।

सम्प्रदाय न धर्म है धर्म न बने दीवार,
धर्म सिखाये एकता धर्म सिखाये प्यार ।

जात पात न धर्म है धर्म न छुआ छूत,
धर्म पंथ पर जो चले होवे पावन पूत ।

जाति वरण का गोत्र का जहां भेद न होय,
जो सबका सबके लिए धर्म शुद्ध है सोए ।

मानव मानव में जहां भेद भाव न होए,
निजहित परहित सर्वहित सत्य धर्म है सोय ।


अपना भी होवे भला भला सभी का होए,
जिससे सबका हो भला शुद्ध धर्म है सोए ।


धन्य होयें माता पिता धन्य होयें कुल गोत्र,
धर्म पुरुष जन्मे जहाँ लिए ज्ञान की ज्योत ।

यही धर्म की परख है यही धर्म का माप,
जन जन का मंगल करे दूर करे संताप ।

कुदरत का कानून है इससे बचा न कोय,
मल मन व्याकुल रहे निर्मल सुखिया होए |

यह ऋत है यह नियम है सब पर लागु होए
धर्म धार सुखिया रहे छूटे व्याकुल होए |

निर्धन या धनवान हो अनपढ़ या विद्वान,
जिसने मन मैला किया उसके व्याकुल प्राण ।


हिन्दू हो या बौद्ध हो मुस्लिम हो या जैन,
जब जब मन मैला करे तब तब हो बैचैन ।

गोरा काला गेहुआँ मनुज मनुज ही होए,
जो जो मन मैला करे सो ही दुखिया होये ।

वर्ण रंग से मानवी ऊंच नींच न होए,
काली गोरी गाय का दूध एक सा होए ।
धर्मवंत तू है वही शील वंत जो होए,
काया वाणी चित्त की कर्म न दूषित होए ।

काया कर्म सुधार ले वाचक कर्म सुधार,
मन के करम सुधर ले यही धरम का सार ।

सदाचरण ही धर्म है दुराचरण ही पाप,
सदाचरण से सुख जगे दुराचरण दुःख पाप ।

परोपकार ही पुण्य है परपीड़न ही पाप,
पुण्य की सुख ही जगे पाप किये संताप ।

तीन बात बंधन बंधे राग द्वेष अभ्हिमान,
तीन बात बंधन खुले शील समाधी ज्ञान ।

प्रज्ञा शील समाधि की बही त्रिवेणी धार,
डुबकी मारे सो तरे हो भव सागर पार ।

गंगा जमुना सरस्वती शील समाधि ज्ञान,
तीनों का संगम होवे प्रगटे पद निर्वाण ।

शील धर्म पालन भला निर्मल भली समाधि,
प्रज्ञा तो जागी भली दूर करे भव व्याधि ।
शील हमारे पुष्ट हों होव चित अडओल ,
प्रज्ञा जागे बीनती देह ग्रन्थियां खोल ।

धर्म छूटे तो सुख छूटे आकुल व्याकुल हो ये,
धर्म जगे तो सुख जगे हल्कीत पुलकित होए ।

मंगल मंगल धर्म का फल निर्मल होए,
मानस की गांठे खुले अंतर निर्मल होए ।


अंतर गंगा धर्म की लहर लहर लहराय,
राग द्धेष के मोह के मैल सभी धुल जाएं ।

जीयें जीवन धर्म का रहे पाप से दूर,
चित्त द्वारा निर्मल रहे मंगल से भरपूर ।

धर्मवान पुरुष हो धर्मचारिणी नारी,
धर्मवंत संतान हो सुखी रहे परिवार ।

धर्म सदा मंगल करे धर्म करे कल्याण,
धर्म सदा रक्षा करे धर्म बड़ा बलवान ।

धर्म सदृश रक्षक नहीं धर्म सुदृश न ढाल ,
धर्म पालकों की सदा धर्म रहे रखवाल ।

प्रयालंकारी बाढ़ में धर्म सा धृष्ना द्वीप,
काल अँधेरी रात में धर्म सा धृष्ना द्वीप।

धर्म हमारा ईश्वर धर्म हमारा नाथ ,
हम तो निर्भय ही रहे धर्म हमारे साथ ।

धर्म हमारा बंधू है सखा सहायक मीत ,
चले धर्म की रीत ही रहे धर्म से प्रीत ।

धर्म धार निर्मल बने राजा हो या रंक,
रोग शोग चिंता मिटे निर्भय होए निशंख ।

यही धर्म का नियम है यही धर्म की रीत,
जो धारे निर्मल बने पावन बने पुनीत ।

धर्म न मंदिर मे मिले धर्म न हाट बिकाए ,
धर्म न ग्रंथों में मिले जो धारे सो पाये ।

अपना रक्षित धर्म ही अपना रक्षक होए,
धारण करें धर्म को धर्म सहायक होए ।

मन


वाणी तो वष में भली वष में भला शरीर,
जो वष में मन करे वोही सच्चा वीर ।

मन ही दुर्जन मन सुजन मन बैरी मन मीत,
मन सुधरे सब सुधरे हैं कर मन पुनीत ।

मन बंधन का मूल है मन मुक्ति उपाय,
विकृत मन जकड़ा रहे निर्विकार खुल जाए ।

मन चंचल मन चपल है भागे चारों ओर ,
सांस डोर से बाँध कर रोक रक एक ठोर ।

जितना बुरा न कर सके दुश्मन दोषी दोय,
अधिक बुरा यह मन करे जब मन मैला होए ।


जितना भला न कर सके माँ बापू सब कोये,
अधिक भला निज मन करे जब मन निर्मल होए ।

मन के करम सुधार ले मन ही प्रमुख प्रधान,
कायक वाचक कर्म तो मन की ही संतान ।

जो चाहे बंधन खुलें मुक्ति दुःखों से होए,
वश में करले चित्त को, चित के वष मत होए।

चित से चित का दमन करे,
चित्त से चित्त सुधार चित्त स्वछ कर चित्त से
खोल मुक्ति के द्वार ।

चित की जैसी चेतना फल वैसा ही होए,
दुर्मन का फल दुःख सुखद सुमन का होए ।

अपने अपने कर्म के हम ही तो करतार,
अपने सुख के दुःख के हम ही जिम्मेदार ।

जब तक मन में राग है जब तक मन में द्वेष,
तब तक दुःख ही दुःख है मिटे न मन का क्लेश ।

जितना गहरा राग है उ तना गहरा द्वेष है
जितना गहरा द्वेष है उतना गहरा क्लेश ।

राग से जागे रोग है द्वेष से जागे
दोष मोह से जागे मूढ़ता धर्म से जागे होश।

क्षण क्षण जागे धर्म ही क्षण क्षण जागे होश
क्षण भर भी ज्ञान में रहे नहीं बेहोश।

क्षण क्षण बीतते जीवन बीता जाए
क्षण क्षण उपयोग कर बीता क्षण नहीं आये।

दृश्य और अदृश्य सब प्राणी सुखिया होए ,
निर्मल हो निर बैर हों सभी निरामय होयें।

जल के थल के गगन के प्राणी सुखिया होयें,
निर्भय हों निरबैर हों सभी निरामय होए।

सुख चाहे संसार में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होए ।
जन जन मंगल होए सबका मंगल होये।

मानव का जीवन मिला धर्म मिला अनमोल ,
अब श्रद्धा से यत्न से मन की गाँठें खोल।

मानव जीवन रत्न सा किया व्यर्थ बर्बाद,
चर्चा करली धर्म की चाख न पाया स्वाद।

जीवन सारा खो दिया ग्रन्थ पडंत पडंत ,
तोते मैना की तरह नाम रटन्त रटंत।

कितने दिन यूँही गए करते वाद विवाद ,
अवसर आया धर्म का चाख मुक्ति का स्वाद।

दुर्लभ जीवन मनुज का दुर्लभ धर्म मिलाप ,
धन्य भाग्य दोनों मिले दूर करें दुःख ताप।

जीवन सारा खो दिया करते बुद्धि विलास ,
बुद्धि विलासों से भला किसकी बुझती प्यास।

चर्चा ही चर्चा करे धारण करें न कोई ,
धर्म बिचारा क्या करे धारे ही सुख होये।

धारण करे तो धर्म है वर्ना कोरी बात ,
सूरज उगे प्रभात है वर्ना काली रात।

आते जाते सांस पर रहे निरंतर ध्यान ,
कर्मों के बंधन कटें होये परम कल्याण।

सांस देखते देखते मन अविचल हो जाए ,
अविचल मन निर्मल बने सहज मुक्त हो जाये।

सांस देखते देखते सत्य प्रकट हो जाये ,
सत्य देखते देखते परम सत्य दिख जाये।

पल पल क्षण क्षण होश रखे अपना कर्म सुधार ,
सुख से जीने की कला अपनी ओर निहार।

क्षण क्षण प्रतिक्षण सजग रह अपना होश संभाल ,
राग द्वेष की प्रतिक्रिया टाल सके तो टाल।

बीते क्षण तो चल दिए आने वाले दूर ,
इस क्षण में जो भी जिए वोही साधक शूर।

समय बड़ा अनमोल है समय न आत बिकाय ,
तीन लोक सम्पद दिए बीता क्षण न पाए।

बीते क्षण को याद करे मत बिरथा अकुड़ाये ,
बीता धन तो मिल सके बीता क्षण न आये।

भूतकाल व्याकुल करे य भविष्य भरमाये ,
वर्तमान में जो जिये तो जीना आ जाये।

प्रतिक्षण अंतरतप चले प्रतिक्षण रहे निष्पाप ,
प्रतिक्षण बंधन मुक्त हो दूर करे भव ताप।

तप रे तप रे मानवी तपे निर्मल ही होये ,
स्वर्ण अग्नि में तपे तप तप कुंदन होये।

नए कर्म बांधे नहीं क्षीण पुरातन होये ,
क्षण क्षण जाग्रत ही रहे सहज मुक्त है सोये।

देख देख कर चित्त की ग्रंथि सुलझती जाए ,
जागे विमल विपस्सना चित्त मुक्त हो जाये।

बाहर बाहर भटकते दुखिया रहे जहान ,
अंतर मन में खोज ले सुख की खान खदान।

होश जगे जब धर्म का होवे दूर ,
प्रमाद स्वदर्शन करते हुए चखे मुक्ति का स्वाद।

तृष्णा जड़ से खोद करे अनासक्त बन जाएं ,
भव बंधन से छूटन का यही एक उपाय।

भोगत भोगत भोगते बंधन बंधते जाएँ ,
देखत देखत देखते बंधन खुलते जाएं।

ऐसी जगे विपस्सना समता चित्त समाय ,
एक एक कर पाप की परत उतरती जाए।

ज्यों ज्यों अंतर जगत में समता छाती जाए
काया वाणी चित्त की कर्म सुधरते जाएं।

बाहर भीतर एक रस सरल स्वच्छ व्यवहार ,
कथनी करनी एक सी यही धर्म का सार।

कपट रहे न कुटिलता रहे न मिथ्याचार ,
शुद्ध धर्म ऐसा जगे जगे स्वच्छ व्यवहार।

शीलवान के ध्यान से प्रज्ञा जागृत होये ,
चित्त की समता स्थिर रहे उत्तम मंगल होये।

जिसके मन प्रज्ञा जगे होये विनम्र विनीत ,
जिस डाली पर फल लगें झुकने की ही रीत।

धन आये तो बाँवरे मत करे गर्व गुमान ,
यह बालू की बीत है इसका क्या अभिमान।

मत कर मत कर बाँवरे अहंकार अभिमान ,
बड़े बड़ों का मिट गया जग से नाम निशान।

सुख आये नाचे नहीं दुःख आये नहीं रोए ,
दोनों में समरस रहे धर्मवंत है सोए।




सुख दुःख आते ही रहें जो आएं दिन रैन ,
तू क्यों खोए बांवरा अपने मन का चैन।

अनचाहे होवे कभी मनचाही भी होए ,
धूप छायें की ज़िन्दगी क्या नाचे क्या रोए।

जीवन में आते रहें पतझड़ और बसंत ,
चित्त विचलित होवे नहीं मंगल जगे अनंत।

कभी बाग़ वीरान है कभी बसंत बहार ,
समता में प्रमोदित रहे संत निहार निहार।

तन सुख धन सुख मान सुख भले ध्यान सुख होये ,
पर समता सुख परम सुख ऐसा अन्य न कोई।



अंतर में डुबकी लगी भीग गए सब अंग ,
धर्म रंग ऐसा चढ़ा चढ़े न दूजा रंग।

जैसे मेरे दुःख कटे सबके दुःख कट जाएं ,
जैसे मेरे दिन फिरे सबके दिन फिर जाएं।

मेरे सुख में शान्ति में भाग सभी का होये ,
इस मंगलमय धर्म का लाभ सभी को होए।

इस दुखियारे जगत में सुखिया दिखे न कोई ,
शुद्ध धर्म जग में जगे जन जन सुखिया होये।

शुद्ध धर्म इस जगत में पुनः प्रतिष्ठित होये ,
जन जन का होये भला जन जन मंगल होये।

जग में बहती रहे धर्म गंग की धार ,
जन जन का होवे भला हो जन जन उपकार।




भला होये इस जगत का सुखी होएं सब लोग ,
दूर होएं दरिद्र दुःखी दूर होएं सब रोग।

बरसे बरखा समय पर दूर रहे दुष्काल ,
शासन होये धर्म का लोग होएं खुशाल।

शासन में जागे धर्म उखड़े भ्रष्टाचार ,
धनियों में जागे धर्म स्वच्छ होये व्यापार।

जन जन में जागे धर्म जन जन सुखिया होये ,
जन मन के दुखड़े मिटें जन जन मंगल होये।

दुखियारे दुःख मुक्त हों भय त्यागें भयभीत ,
द्वेष छोड़ कर लोग सब करें परस्पर प्रीत।

द्वेष और दुर्भाव का रहे न नामोनिशान ,
स्नेह और सधभाव से भर ले तन मन प्राण।

दूर रहे दुर्भावना द्वेष होएं सब दूर ,
निर्मल निर्मल चित्त में प्यार भरे भरपूर।

ज्यों इकलौते पूत परे उमड़े माँ का प्यार ,
क्यों प्यारा लगता रहे हमें सकल संसार।

दुखी देख करुणा जगे सुखी देख मन मोद ,
मंगल मैत्री से भरे अंतर से ओत्त प्रोत।

दृश्य और अदृश्य सभी प्राणी सुखिया होएं ,
निर्मल हो निरबैर हों सभी निरामय होये।

जल के थल के गगन के प्राणी सुखिया होएं ,
निर्भय हों निर्बैर हों सभी निरामय होये।


जल के थल के गगन के प्राणी सुखिया होएं ,
निर्भय हों निर्बैर हों सभी निरामय होये।

सुख चाहे संसार में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होये।

सुख व्यापे इस जगत में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होये।

जागो लोगों जगत के बीती काली रात,
हुआ उजाला धर्म का मंगल हुआ प्रभात ।

आओ मानव मानवी चलें धर्म के पंथ ,
इस पथ चलते बुद्ध जन इस पथ चलते संत।




Sunday, 19 May 2024

મંગલ મૈત્રી ફાયદા



मंगल मैत्री के 11 लाभ

मन को मंगल कामनाओं से भर देने को भगवान बुद्ध 'मैत्री भावना' कहते हैं !

मैत्री भावना करनेवाला : ---

1. सुख की नीँद सोता है
2. तरोताज़ा जागता है
3. दुःस्वप्न नहीँ आते
4. मनुष्योँ मेँ प्रिय होता है
5. अमनुष्योँ मेँ प्रिय होता है
6. देवता उसकी रक्षा करते है
7. अग्नि,विष,शस्त्र उसे मार नहीं सकते
8. सहज समाधिस्थ हो सकता है
9. मुखाकृति शांत होती है
10. मृत्युशैया पर मूढ़ नहीं मरता
11. मरने पर अच्छी गति होती है 

-🌺🌷भवतु सब्ब मङ्गलम्🌷🌺

मैत्री देते वक्त : ---

अप्रिय, अतिप्रिय, बैरी, विजातीय को पहेले न दें।
खुद को, माँ बाप व आचार्य को, प्रिय मित्र को, अपरिचित को और अंत में बैरी को...इस क्रम में मैत्री दें।
बैरी के लिए मैत्री न जगे तो...
1. बाक़ी आगेवाले सब को बार बार देते रहें ।
2. बुद्ध के मेत्तासुत्तों को याद करें...जिसमें ककचोपमावादसुत्त में कहते हैँ किः मेरे एक एक अंग को आरी से काटे, फिर भी मेरे मन में उसके लिए मेत्ता ही रहे।
3. सोचोः उसने तो मुझे एकबार दुःखी करना चाहा, मैँ खुद को बारबार दुःखी क्यों कर रहा हूँ ?
4. उसने किये हुए उपकारों को याद करें ।
5. सोचोः वह बेचारा ! हम से बैर रखकर भवचक्र में पीसेगा!
6. सोचोः उसने मुझको दुःखी किया वह उसका क्षेत्र, मेरा चित्त तो मेरा क्षेत्र है, मेरे क्षेत्र में मैं मेत्ता जगाऊँ !
7. कर्म का सिद्धांत हैः उसे बैर जगाने का फल मिलेगा...और मैं मेत्ता नहीँ जगाऊँगा तो मुझे भी मिलेगा।
8. सोचोः इस स्थिति में भगवान बुद्ध क्या करते ?
9. सोचोः मेरे अनंत जन्मों में कहीं न कहीं वह मेरा भाई, बहन, माँ, बाप, पति, पत्नी, बेटा, बेटी...रहा होगा ?
10. मेत्ता के फायदे याद करें ।
11. उसके नामरूप का पृथक्करण करके देखें, वह भी तो उत्पादव्यय का पुँज ही तो है! मैं किस पर क्रोध कर रहा हूँ ? उसकी पृथ्वी धातु पर ? अग्नि धातु पर ? वायु धातु पर ? जल धातु पर ? या फिर उसके विञ्ञाण पर ? सञ्ञा, वेदना, संस्कार पर ?
12. फिर भी न जगे तो उसे कोई उपहार दें। यदि वह भी देना चाहे तो सम्यक आजीविका वाला हो तो स्वीकार करें ।

----------------------------------------------------------
🌹🌹🌹 सबका मंगल हो 🌹🌹🌹
----------------------------------------------------------

Friday, 10 May 2024

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો...

શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૧
-------------------

- સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિ માટે ‘ભાષા’ પરસ્પરના વ્યવહારનું એક અત્યંત મહત્ત્વનું સાધન છે. એ સાધનનો પૂરેપૂરો અને ખૂબ જ ઉચિત ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે. આથી આપણી ભાષા દોષ-રહિત હોય એ અત્યંત આવશ્યક ગણાય. આ માટે પ્રત્યેક ભાષક જ્યારે ભાષાને લેખિત સ્વરૂપે મૂકે છે ત્યારે એનો સાવધાનીપૂર્વક ઉપયોગ થાય એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

૧. વર્ણમાળાનો પૂરેપૂરો પરિચય : 

કેટલીકવાર વર્ણો જ અર્થનું ભેદકત્વ રચે છે એટલે યોગ્ય સ્થાને યોગ્ય વર્ણ મૂકાય તે જોવાવું જોઇએ. વર્ણમાળામાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનોની અદલાબદલીને કારણે પણ અર્થભેદ થતો હોય છે. જેમ કે,

ગામ - માણસના વસવાટનું સ્થળ, વતન, રહેઠાણ
ઘામ - તાપ, બફારો, ઉકળાટ, પરસેવો

ગણ - સમૂહ, મંડળ, શિવનો સેવક
ઘણ - મોટો હથોડો

જે૨ - ભૂકો, પરાજિત, વશ
ઝેર - વિષ, અદેખાઈ

જાડ - જાડું, જાડાપણું
ઝાડ - વૃક્ષ, તરુ

જાડી - ચરબીથી ભરેલી; સ્થૂળ
ઝાડી - ઝાડ, વેલા, ઘાસ વગેરે વનસ્પતિનો ભરાવો

રાની - જંગલી, વગડાઉ
રાણી - રાજાની પત્ની

દાન - પુણ્યાર્થે આપવું તે, વારો
દાણ - જકાત

વાર - અઠવાડિયાનો દરેક દિવસ, લંબાઈનું એક માપ, વખત
વાળ - કેશ, બાલ

દર - કોઈ પ્રાણીએ જમીનમાં રહેવા કરેલ કાણું - છિદ્ર, કિંમત
દળ - ફૂલની પાંખડી, સૈન્ય, પર્ણ
-વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


શુદ્ધ લેખન માટે અગત્યની બાબતો - ૨
-------------------

૨. વર્ણોને જોડીએ ત્યારે જોડાતા વર્ણો કઈ રીતે લખાય તે પણ જાણવું જરૂરી છે. ખાસ તો શબ્દકોશમાં એમનો ક્રમ ક્યાં છે તે જાણીએ તો જ આપણે સાચી માહિતી ઝડપથી મેળવી શકીએ.

- નીચેના કેટલાક જોડાક્ષરોમાં જોડાતા વ્યંજનોનો ક્રમ અને એમનાં લિપિચિહ્નો ઓળખી લો.

ક્ષ = ક્ + ષ જેમ કે, 
ક્ષત્રિય, અક્ષર, પરીક્ષા વગેરે.

જ્ઞ = જ્ + ઞ જેમ કે, 
જ્ઞાતિ, વિજ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

દ્ધ = દ્ + ધ જેમ કે, 
યુદ્ધ, અશુદ્ધ, પ્રબુદ્ધ વગેરે.

ધ્ધ = ધ્ + ધ જેમ કે, 
અધ્ધર, સધ્ધર, સુધ્ધાં વગેરે.

દ્મ = દ્ + મ જેમ કે, 
પદ્મ, પદ્મિની, પદ્મા વગેરે.

ક્ર = ક્ + ૨ જેમ કે, 
ક્રમ, ચક્ર, ક્રમિક વગેરે.

દ્દ = દ્ + દ જેમ કે, 
હોદ્દો, રદ્દી, તદ્દન વગેરે.

દ્વ = દ્ + વ જેમ કે, 
દ્વારા, વિદ્વાન, દ્વારપાલ વગેરે.

દ્ય = દ્ + ય જેમ કે, 
વિદ્યા, ઉદ્યાન, અખાદ્ય વગેરે.

ધ્ય = ધ્ + ય જેમ કે, 
ધ્યાન, અધ્યાય, અધ્યયન વગેરે.

દ્ર = દ્ + ૨ જેમ કે, 
દ્રવ્ય, દ્રાક્ષ, દ્રાવણ વગેરે.

***

શુદ્ધ લેખન માટે
 અગત્યની બાબતો - ૩
-------------------

કાર્ય (ર્ + ય), 
નર્મદ(ર્ + મ), 
પૂર્વ (ર્ + વ), 
રિપોર્ટ (ર્ + ટ) 
આદિ શબ્દોમાં ‘ર્’ વ્યંજનની આગળ જોડાયો છે. આવા ‘ર્’ ના સંયોગને આપણે ‘રેફ’ના ચિહ્ન દ્વારા દર્શાવીએ છીએ. એટલે ‘૨’ અન્ય કયા વ્યંજન સાથે જોડાયો છે તે જાણીએ તો જ શુદ્ધ લખાય. અન્યથા ‘નર્મદ’માંથી ‘નમર્દ’ નીવડે.

પ્રણામ (પ્ + ર), 
ક્રમ (ક્ + ર), 
ઉગ્ર (ગ્ + ર), 
નમ્ર (મ્ + ર), 
તીવ્ર,(વ્ + ર),  
ટ્રસ્ટ (ટ્ + ર),  
ટ્રાફિક (ટ્ + ર), 
અને માત્ર (ત્ + ર) 
જેવા શબ્દોમાં ‘૨’ વ્યંજનની પાછળ જોડાયો છે, એને ત્રાંસી રેખાથી દર્શાવાય છે.

અમૃત (મ્ + ઋ), 
કૃષ્ણ (ક્ + ઋ),  
પૃષ્ઠ (પ્ + ઋ), 
સૃષ્ટિ (સ્ + ઋ), 
આદિમાં ‘ૠ’ સ્વરનું જોડાણ છે. 

નીચેના શબ્દોમાં ‘ઊ’ છે. જેમ કે,
ધ્રૂજવું (ધ્ + ર્ + ઊ),  
ક્રૂર (ક્ + ર્ + ઊ), 
પ્રૂફ (પ્ + ર્ + ઊ), 
ગ્રૂપ (ગ્ + ર્ + ઊ) વગેરે.

અશ્વ, વિશ્વ, શ્વેત, શ્વાસ આદિ શબ્દોમાં ‘શ + વ્ ‘ નું જોડાણ છે. 

નિશ્ચિત, નિશ્ચય આદિ શબ્દોમાં ‘શ્ + ચ’ નું જોડાણ છે.

જ્યારે શ્રાવણ, શ્રદ્ધા, શ્રમ, શ્રી જેવા શબ્દોમાં ‘શ્ + ૨’ જોડાયા છે. 

@@@@@@@@@@@@@

શુદ્ધ લેખન માટે 
અગત્યની બાબતો - ૪
-------------------

સ્રાવ, સ્રોત, સહસ્ર, સ્રગ્ધરા - માં 
‘સ્ + ર’ છે.

કેટલીક વાર ‘સ્ર-સ્ત્ર‘નો ભેદ ન જળવાતાં લેખનદોષ થાય છે.
જેમ કે, 
સ્રોતને બદલે સ્ત્રોત, 
સહસ્રને બદલે સહસ્ત્ર વગેરે.

‘સ્ત્ર’માં ‘સ્ + ત્ + ૨’ - એમ જોડાણ છે, તે નોંધો. જેમ કે, 
સ્ત્રી, મિસ્ત્રી, વસ્ત્ર, શસ્ત્ર, શાસ્ત્રી, ઇસ્ત્રી, અસ્ત્ર વગેરે.

તદ્દન, મુદ્દલ, અદ્દલ, મુદ્દો - માં
 ‘દ્ + દ’ નું જોડાણ છે.

બુદ્ધ, શુદ્ધ, યુદ્ધ – માં ‘દ્ + ધ’ નું જોડાણ છે. 

તો દ્યુતિ, વિદ્યુત, વિદ્યા - માં 
‘દ્ + ય’ નું જોડાણ છે. 

દૃશ્ય, દૃઢ, દૃષ્ટિ - માં ‘દ્ + ૠ’ નું જોડાણ છે.

‘હ્ય’ અને ‘હ્મ’ આપણને ભૂલમાં નાખે એવા છે. ‘હ્ય’માં ‘હ્ + ય’ અને ‘હ્મ’માં ‘હ્ + મ’ છે. જેમ કે, બાહ્ય, બ્રહ્મ વગેરે.

‘હૃદય’માં ‘હ્ + ૠ’ છે. જેમ કે, હૃષ્ટપુષ્ટ, હૃષીકેશ વગેરે.

 ક્ + ષ અને ‘જ્ + ઞ’ નું જોડાણ ‘ક્ષ' અને ‘જ્ઞ' રૂપે તદ્દન નવી જ આકૃતિ ધારણ કરે છે. જેમ કે, અક્ષ, ક્ષણિક, જ્ઞાન, પ્રજ્ઞા વગેરે.

આધાર :
---------- 
સરકારી લેખન પદ્ધતિ

પ્રકાશક :
----------- 
ભાષા નિયામકની કચેરી
 
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત 
જિલ્લો : આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦


Sunday, 5 May 2024

Happy birthday 🎂 " શિવાય"


તને જોતાં જ પ્રેમ થઈ ગયો,

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!

કેટલી સુંદર કૃતિ છે કુદરતની,

જોતાં તને અહેસાસ થઈ ગયો!

શિવનો જ અંશ તુ  ‘શિવાય’ ,

મહાદેવના આશિષ પામી ગયો!

જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ,

આજનો દિવસ ફતેહ થઈ ગયો!

શૂટ બૂટમાં સજ્જ ; ઘાટીલો કામણગારો તુ,

પહેલી નજરમાં હૃદયમાં કંડારાઈ ગયો!

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!





Wednesday, 1 May 2024

1 મે - ગુજરાત સ્થાપના દિવસ : મહારાષ્ટ્ર સ્થાપના દિવસ/ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ



નમસ્તે વ્હાલાં બાળકો,
આજે 1લી મે દિન વિશેષ : 1 મે - ગુજરાત સ્થાપના દિવસ .

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ વિષે તથા આજનાં દિવસની અન્ય જાણકારી વિશે વાંચો અને લખો.

ગુજરાત સ્થાપના દિવસ:- 

ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.

ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

 
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તે સાથે જ મહાગુજરાત જનતા પરિષદને પણ વિખેરી નાખવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત, ભારત, ગુજરાતી ભાષા બોલતા લોકો વડે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.



🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣🟣


1 મે - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ


દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના વિકાસમાં મજૂરો તેમજ કામદારોની મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. લેબર ડે (Labour Day)ને મે ડે (May Day)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા બધા દેશોની કંપનીઓમાં રજા હોય છે.

ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસની રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886ના રોજ થઇ હતી, જ્યારે અમેરિકામાં કેટલાય મજૂર સંઘોએ કામકાજનો સમય 8 કલાકથી વધારે ન રાખવા માટે હડતાલ કરી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ કોણે ફેંક્યો તેની કોઇને પણ ખબર નથી. પરંતુ પ્રદર્શનકારીઓના પ્રદર્શન રોકવા માટે પોલિસે મજૂરો પર ગોળીઓની વર્ષા કરી દીધી જેમાં કેટલાય મજૂરો મૃત્યુ પામ્યા હતા. 

શિકાગો શહેરમાં શહિદ મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હેમાર્કેટમાં માર્યા ગયા નિર્દોષ લોકોની યાદમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે.