Saturday, 25 December 2021

⛄ સંતાક્લોઝ બન્યો , 🤩પ્યારો વિહાન !!👌

નાની મારી વાત : ૪૧ 

              જાગૃતિ પંડ્યા,આણંદ.

       આજે  પાંચ વર્ષનો નાનો વિહાન તેની મમ્મી સાથે સાંજના સમયે બજારમાં નીકળ્યો હતો. ત્રણ દિવસનું મીની વેકેશન મળવાથી સૌ ખુશ હતાં. ઘણાં બધાં સમય પછી આવી રજાઓ મળેલ હોઈ વિહાન અને સૌ લાંબુ લચક લિસ્ટ લઈને ખરીદી કરવા નીકળ્યાં હતાં , લિસ્ટમાં સૌથી વધુ વસ્તુઓ તો વિહાન માટેની હતી !!! 

     વિહાને જોયું કે, આજે મોટાભાગના સ્ટોરમાં લાલ કલરના કપડાં પહેરીને એક અંકલ બધાંને ચોકલેટ આપે છે. ફુગ્ગા આપે છે અને ડાન્સ કરીને ખુશ કરે છે. વિહાન તેની સમજણમાં આવ્યાં પછી આ પ્રથમવાર આ બધુ જોઈને ખૂબ જ ઉત્સાહિત હતો.  ઘણો સમય બધું જ જોવામાં વિતાવ્યો. તેણે એ પણ જોયું કે કેટલીક જગ્યાએ તો  વિહાન જેવાં નાનાં નાનાં બાળકો પણ આવો લાલ કોટ પહેરેલાં જોવા મળ્યાં. વિહાને હવે તેની મમ્મી ઉપર પ્રશ્નબાણોનો એક સામટો મારો ચલાવ્યો. 


   મમ્મી ! મમ્મી !! મમ્મી !!!

    

  શું છે આ બધું ? 


આ લાલ કલરનો  લાંબો કોટ અને સફેદ દાઢી વાળા અંકલ કોણ છે ? 


 આ અંકલ કેમ બધાંને ચોકલેટ આપે છે ?


       વિહાનની મમ્મી તેને સમજાવતાં કહે છે : " બેટા , એ અંકલ સંતાકલોઝ છે. આ આખુ અઠવાડિયું ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર નાતાલની  ઊજવણી કરવામાં આવે છે.  દર વર્ષે ૨૫મી ડિસેમ્બરના દિવસે નાતાલની ઊજવણી કરવામાં આવે છે. ૨૫ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. એમના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે નાતાલ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 


      જો બેટા , હવે આગળની વાત સાંભળ. "


 આ તહેવાર નું વિશેષ મહત્વ ખ્રિસ્તી ધર્મ ના લોકો માટે હોય છે, પરંતુ આજકાલ આ તહેવાર નું પ્રચાર અને પ્રસાર એટલું વધારે થઈ ગયું છે કે લગભગ બધા ધર્મ ના લોકો આ તહેવાર ઉજવે છે. ખાસ કરીને બાળકો ના મન માં ક્રિસમસ નો તહેવાર માટે ઉત્સાહ હોય છે, કારણ કે એ લોકો માને છે કે ક્રિસમસ ની રાત્રે સાન્તાક્લોઝ આવશે અને એમની બધી ઇચ્છા પૂરી કરશે. ભગવાન ઈસુ ના જ્ન્મ ના અવસર પર ક્રિસમસ તહેવાર મનાવવા માં આવે છે. હવે કેટલાક દશક પહેલા સુધી ક્રિસમસ વિદેશી લોકો ઉજવતાં હતાં પરંતુ ભારતીયો પણ આ તહેવાર બીજા તહેવારો ની જેમ ઉજવે છે. 


    પ્રાચીન કથા પ્રમાણે ઈસાઈ ધર્મ ની સ્થાપના કરવા વાળા ઇસુ નો જન્મ ક્રિસમસ ના દિવસે થયો હતો. એટલા માટે આખી દુનિયા માં એને ક્રિસમસ ડે કહીને સેલિબ્રેટ કરવા માં આવે છે. ઈસુ એ મરીયમ ના ત્યાં જન્મ લીધો. બતાવવા માં આવે છે કે મરિયમ ને સ્વપ્ન આવ્યું હતું, જેમાં ભવિષ્યવાણી થઈ હતી કે એમને પ્રભુ ના પુત્ર ઈસુ ને જન્મ આપવા નો છે.


થોડા સમય પછી ભવિષ્યવાણી ના પ્રમાણે મરિયમ ગર્ભવતી થઈ. ગર્ભાવસ્થા ના સમયે મરિયમ ને પેથલહમ જવું પડ્યું. રાત હોવાથી ના કારણે એમણે ત્યાં રોકાવાનું વિચાર્યું. પરંતુ એમને ત્યાં રોકાવા ની કોઈ ખાસ જગ્યા દેખાય નહીં. થોડા સમય પછી એમને એક જગ્યા દેખાઈ, જ્યાં પશુ પાલન કરવાવાળા લોકો રહેતા હતા, મરીયમે ત્યાં રોકાવા નો નિર્ણય લીધો અને બીજા દિવસે ત્યાં ઈસુ ભગવાન ને જન્મ આપ્યો.


આ ક્રિસમસ નું પ્રાચીન ઇતિહાસ છે. જાણકારો ની માનીએ તો ક્રિસમસ શબ્દ ની ઉત્પત્તિ ક્રાઈસ્ટ શબ્દો ઉપર થી થઈ છે. દુનિયા માં ક્રિસમસ નો ખાસ તહેવાર રોમ માં ઈસવીસન 336 મનાવવા માં આવ્યો હતો. એના પછી આખી દુનિયા માં આ તહેવાર ની પ્રસિદ્ધિ વધી ગઈ અને આજે બીજા ધર્મ ના લોકો પણ આ તહેવાર ને ધામધૂમ થી ઉજવે છે.


        વિહાનને તો મમ્મીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો. પરંતું વાતો વાતોમાં કયા સમયે વિહાનની મમ્મીએ તેના માટે પણ લાલ કલરના કપડાં અને સફેદ દાઢી સાથેની વેશભૂષા ખરીદી લીધી તે વાતની વિહાનને ખબર નહોતી. મમ્મી સાથે ખૂબ જ મજાની જાણકારી મેળવ્યા બાદ, વિહાનને ઘરે આવીને મમ્મીએ સંતાના કપડાં  પહેરાવ્યા. વિહાનની ખુશીનો પાર ન રહ્યો. વિહાનને પણ આવાં કપડાં જોઈતાં હતાં, પણ  નાતાલની વાતોમાં એટલો બધો રસ પડ્યો હતો કે, તે વાત કરવી ભૂલી ગયો. 


       સંતા કલોઝ બની હવે વિહાન સુંદર મજાના ગીતો ગાય છે અને સૌને ચોકલેટ આપી ખુશ થાય છે. 



   તો, વહાલાં બાળકો ! તમને  પણ વિહાન અને નાતાલની વાત  ગમી ને ? તો ચાલો થઈ જાઓ તૈયાર અને આ વાત તમારાં ઘરે સૌને કરો. 


    સૌને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 


# વિહાનનો વીડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો  :


      ૧) https://youtu.be/IfcIx2GQShM

     ૨) https://youtu.be/RAmALrsIXxA








Saturday, 11 December 2021

ચંદુની બોલબાલા !

ચંદુની બોલબાલા !




        આજે અમારા ઘરે  પપ્પાના મરણ પ્રસંગ નિમિત્તે જમણવાર રાખેલ હતો. શનિવાર હોવાથી મોટા ભાઈ ભાભી શાળામાં ગયા હતા. પ્રસંગ નિમિત્તે ત્યાં વાડી પર સવારથી જ એક મજુર નામે ચંદુ રાખેલો. વાડીમાં સાફ સફાઈ કરવી, પાણી ભરવું, ખુરશીઓ ગોઠવવી, તથા અન્ય કામ હોઈ , ચંદુ સવારથી જ કામમાં વ્યસ્ત.


       ચંદુ ખૂબ જ મહેનતુ. એને કામ સોંપીએ એટલે કામ પાર પડે જ. આખો દિવસ કામ કરે પણ આરામની વાત નહીં, છતાં પણ સાંજ સુધીમાં એટલો જ ફ્રેશ. તેનાં ચહેરા પર કદી થાક જોવા મળે જ નહીં. હંમેશા હસતો ચહેરો. 


    પણ,,, ચંદુને  મોબાઇલ ન આવડે !!!!!


     ચંદુ પાસે મોબાઈલ ખરો. કીપેડ  મોબાઈલ. પણ તેને ફોન કરતાં ન આવડે. 


       ચંદુ તો સવારે વાડીએ ગયો. ઘણો સમય વીત્યો. આવ્યો જ નહીં. મારી મમ્મીને ચિંતા થઈ. ભાવેશને  ચંદુનો સંપર્ક કરવા કહ્યું. ભાવેશ ચંદુને લઈને ઘરે આવ્યો. ચંદુએ માંડીને વાત કરી કે, વાડીમાં ટાંકીમાં પાણી ભરાતું નથી. પ્લંબરને બોલાવવો પડશે. ભાવેશ ચંદુની પૂરી વાત જાણ્યા પછી બોલ્યો, ' હું પલંબરને વાડીએ મોકલું છુ. તું ત્યાં જા અને પ્લમ્બર આવે એટલે મને કૉલ કર. ' બિચારો ચંદુ !!!!!! દયામણું મોં કરીને ભાવેશને કહે :" સાહેબ હું ફોન નહીં કરું, તમે મારો નંબર લો અને મને ફોન કરજો. " ભાવેશે પૂછયું , કેમ ? ચંદુએ જવાબ આપ્યો : " સાહેબ મને ફોન જોડતાં  ' થી  આવડતો !!!" 


      આમ,  ભાવેશે ચંદુનો નંબર લીઘો. મારી મમ્મી થોડી થોડી વારે ભાવેશને યાદ દેવડાવે. 

" ભાવેશ  ચંદુને ફોન કર, 

પ્લમ્બર આવ્યો ? 

કામ કેટલે આવ્યું ?

 પાણી ભરાયુ ?

 સફાઈ થઈ ગઈ ?" 

આવા વારંવારના ફોન ચંદુને કરવાં પડતાં. અંતે,,

 પ્લંબરને રૂપિયા ચૂકવ્યા ? 

એ બાબતે પણ કૉલ! અરે , આજે તો આખો દિવસ ચંદુ જ ચંદુ. બપોરે ચંદુ બાંઠીવાડા શાળામાં બાળકોને આજનાં દિવસે તિથિ ભોજન આપ્યું ત્યાં પણ કામે ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ રૂપલે ચા બનાવી આપી. ચા પીને તરત જ પાછો વાડીએ. આ બાજુ ફરી પછી ચંદુની બોલંબાલા શરૂ ! સાંજ થવા આવી હતી. ધીરે ધીરે  મહેમાનો પણ વધતાં ગયાં. બધાં જ ચંદુના નામથી પરિચીત થઈ ગયા. સાંજે પાછી મમ્મી ફરી ચંદુના નામની માળા રટવા લાગી.


 "હજુ ચંદુ ના આવ્યો. 

ક્યાં ગયો હશે ! 

ક્યારે આવશે! 

વાડીએ જવાનું ચંદુને મોડું થશે. "


એટલામાં રૂપલ આવી કહેવા લાગી, " ચંદુ તો ક્યારનોય ચા પીને વાડીએ જવા નીકળી ગયો છે. " હાસ્યનું મોજું ફરી વળ્યુ.


    હવે તો બધાં જ ચંદુને નામથી પરિચીત થઈ ગયા. રાતે બધાં વાડીએ જમવા ગયા. ચંદુની આખા દિવસની મહા મહેનતને પરિણામે ખૂબ જ સફળતા પૂર્વક  વાડીનું તમામ કામ પૂર્ણ થયું. છેલ્લે વાસણ સફાઈ અને ખુરશીઓ ગોઠવતી વખતે ,,, ફરી પાછી મમ્મીની બૂમ!!!


     ઓ ,,, ચંદુ !!!!!!

        

       બધાનું જ ધ્યાન ચંદુને જોવામાં. ચંદુ તો બા ની એક જ બુમે હાજર. બધાં જ હસી પડ્યા. 


  ચંદુ પણ. અંતે આજનાં આ યાદગાર દિવસને સફળ બનાવનાર અને આજનાં દિવસે મમ્મીએ સૌથી જેનું વધારે વાખત રટણ કર્યું, તે ચંદુનો ફોટો લેવો સૌને જરૂરી લાગતાં ચંદુનો ફોટો લીધો. ફોટો લેતી વખતે ચંદુ એકદમ અક્કડ થઈને તૈયાર. તે જોઈને ભાવેશને પણ ચંદુ સાથે ફોટો લેવાનું મન થયું. ભાવેશ કહે , મારી સાથે ફોટો લે તો યાદગીરી રહે !!!! 

   આમ, આજનો દિવસ ચંદુ સાથે આનંદમય પસાર થયો. 

  અને અંતે, સુંદર ફોટો લઈ મોકલનાર, ધનંજય જોશીનો ખૂબ ખૂબ આભાર.🙏😀👌


Friday, 29 October 2021

લોખંડી પુરુષ સરદાર પટેલ.



સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.
તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

Sunday, 3 October 2021

ध्यान क्या है ?



 _*"ध्यान" क्या हैं ?*_    

 *ध्यान है...खेलपूर्ण होना।*
   ध्यान है... सृजनात्मक होना।

 *ध्यान है...सजग होना।*
   ध्यान है.. तुम्हारा स्वभाव।

 *ध्यान है... कुछ ना करना।*
    ध्यान है... साक्षी भाव। 

 *ध्यान है... एक छलांग।*
   ध्यान है... वैग्यानिकता।

 *ध्यान है... एक प्रयोग।*
   ध्यान है... मौन।

 *ध्यान है... स्वर्ग।*
    ध्यान है... स्मरण। 
 
 *ध्यान है... परम स्वतंत्रता।*
   ध्यान है... संवेदनशीलता।

 *ध्यान है... विकसित होना।*
   ध्यान है... पलायनवादी न होना।

 *ध्यान है... एक स्वाभाविक या*
 *निर्दोष विधि (नैक)।*
   ध्यान है... पारदर्शिता।

 *ध्यान है... खाली होना।*
   ध्यान है... जानना।

 *ध्यान है... निर्मल होना।*
  ध्यान है... फूल की खिलावट।

 *ध्यान है... होशपूर्ण होना।* 
  ध्यान है... मजाक व एक हास-
  परिहास।

 *ध्यान है... गहरी समझ।*
  ध्यान है... आनंद को बांटना।

 *ध्यान है... तनावरहित या*
 *विश्रामपूर्ण होना।* 
    ध्यान है... उत्तेजनारहित होना।

 *ध्यान है... एकात्म होना।*
   ध्यान है... पुनर्सृजन ।

 *ध्यान है... विश्रामपूर्ण होना।*
   ध्यान है... मालिक बनना।

 *ध्यान है... अंतराल में बने रहना।*                 
    ध्यान है ...वर्तमान में रहना।

 *ध्यान है... एक घटना।*
  ध्यान है... एक रुपान्तरण।

 *ध्यान है... घर वापस लौटना।*
  ध्यान है... आनंदपूर्ण होना।

 *ध्यान है....होश आना।* 
  ध्यान है .... स्व मै स्थापित होना।

 *ध्यान है..... जन्म मरण से मुक्त*
 *होना।*
  ध्यान है.... बस होना।
 
🌹 _*ओशो*_  🌹

❣❣❣❣❣❣❣❣❣❣❣

Friday, 1 October 2021

ગાંધી બાપુ : નાના નાના પ્રસંગો.



1) ‘તેથી એકલો આવ્યો છું’
 
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
 
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે ગોરાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”

પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
 
2).સ્વચ્છતાનું મહત્વ
 
બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
 
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
 
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
 
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.
 
3. મનુબહેન ગાંધી
 
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
 
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
 
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
 
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
 
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”
 
“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
 
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
 
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
 
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
 
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.




4) નાની નાની બાબતો
 
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
 
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”
 
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
 
5) ગાંધીજી અને બાળકો
 
ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.
 
હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
 
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’
 
ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.

*****************************************

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતમાં પોરબંદર ખાતે એક સામાન્ય હિન્દુ પરિવારમાં થયો હતો.
તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રાજ્ય ના દિવાન હતા.
મહાત્મા ગાંધીએ મે 1883 માં કસ્તુરબાઈ માખણજી કાપડિયા સાથે લગ્ન કર્યા.
4 સપ્ટેમ્બર 1888 ના રોજ, તે ઉચ્ચ વકીલાત ના અભ્યાસ માટે લંડન ગયા.
તે રંગ ભેદભાવ સામે લડતા, 1893 થી 1914 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે લડ્યા હતા.
તે 1915 માં ભારત પાછા ફર્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
ગાંધીજીએ 1917 માં બ્રિટીશ શાસન સામે ચંપારણ સત્યાગ્રહ પ્રથમ આંદોલન શરૂ કર્યું હતું.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી તેમણે 01 ઓગસ્ટ 1920 ના રોજ અસહકાર આંદોલન શરૂ કર્યું.
તેમણે 12 મી માર્ચ 1930 ના રોજ મીઠા નો કાયદો તોડવા દાંડી માર્ચ શરૂ કરી હતી અને 06 મી એપ્રિલ 1930 સુધી ચાલુ રાખ્યું.
ગાંધીજી સાંજ ની આરતી કરવા જતા હતા ત્યારે, નાથુરામ ગોડસેએ નામના વ્યક્તિ એ 30 જાન્યુઆરી, 1948 ના રોજ ગાંધીની હત્યા કરી હતી.

Thursday, 9 September 2021

🎯 ઑનલાઇન ટેસ્ટ ✍️ ધોરણ :૩ થી ૫ પયૉવરણ. કન્યાશાળા બાકરોલ.

૧. મજાની ઇન્દ્રિયો

૨. સાપ અને મદારી 

 પાઠ :૩ સ્વાદ થી પાચન સુઘી

પાઠ :૫ બીજ, બીજ, બીજ

પાઠ :૬ જળ એ જ જીવન 



ધોરણ : ૪ 

પાઠ : ૧ રોજ નિશાળે જઇએ.

 પાઠ :૪ અમૃતાની વાર્તા.


ધોરણ :૩

 પાઠ :૧ પૂનમે શું જોયું ?

પાઠ :૨ વનપરી

પાઠ :૩ પાણી જ પાણી




Sunday, 5 September 2021

*क्षमा*





 *एक सेठ जी ने अपने छोटे भाई को तीन लाख रूपये व्यापार के लिये दिये। उसका व्यापार बहुत अच्छा जम गया, लेकिन उसने रूपये बड़े भाई को वापस नहीं लौटाये*
     
*आखिर दोनों में झगड़ा हो गया, झगड़ा भी इस सीमा तक बढ़ गया कि दोनों का एक दूसरे के यहाँ आना जाना बिल्कुल बंद हो गया। घृणा व द्वेष का आंतरिक संबंध अत्यंत गहरा हो गया। सेठ जी, हर समय हर संबंधी के सामने अपने छोटे भाई की निंदा-निरादर व आलोचना करने लगे*।
      
*सेठ जी अच्छे साधक भी थे, लेकिन इस कारण उनकी साधना लड़खड़ाने लगी। भजन- पूजन के समय भी उन्हें छोटे भाई का चिंतन होने लगा। मानसिक व्यथा का प्रभाव तन पर भी पड़ने लगा। बेचैनी बढ़ गयी। समाधान नहीं मिल रहा था। आखिर वे एक संत के पास गये और अपनी व्यथा सुनायी*।
     
*संतश्री ने कहाः- 'बेटा ! तू चिंता मत कर। ईश्वर कृपा से सब ठीक हो जायेगा। तुम कुछ फल व मिठाइयां लेकर अपने छोटे भाई के यहाँ जाना और मिलते ही उससे केवल इतना कहना, 'अनुज ! सारी भूल मुझसे हुई है, मुझे "क्षमा" कर दो*।'

     *सेठ जी ने कहाः- "महाराज ! मैंने ही उनकी मदद की है और "क्षमा" भी मैं ही माँगू* !"
     
*संतश्री ने उत्तर दियाः- "परिवार में ऐसा कोई भी संघर्ष नहीं हो सकता, जिसमें दोनों पक्षों की गलती न हो। चाहे एक पक्ष की भूल एक प्रतिशत हो दूसरे पक्ष की निन्यानवे प्रतिशत, पर भूल दोनों तरफ से होगी*।"
     *सेठ जी की समझ में कुछ नहीं आ रहा था। उसने कहाः- "महाराज ! मुझसे क्या भूल हुई* ?"

    *बेटा ! तुमने मन ही मन अपने छोटे भाई को बुरा समझा– यही है तुम्हारी पहली भूल*।
      *तुमने उसकी निंदा, आलोचना व तिरस्कार किया– यह है तुम्हारी दूसरी भूल*
     *क्रोध पूर्ण आँखों से उसके दोषों को देखा– यह है तुम्हारी तीसरी भूल*।
   *अपने कानों से उसकी निंदा सुनी– यह है तुम्हारी चौथी भूल*।
  * *तुम्हारे हृदय में छोटे भाई के प्रति क्रोध व घृणा है– यह है तुम्हारी आखिरी भूल*।
     *अपनी इन भूलों से तुमने अपने छोटे भाई को दुःख दिया है। तुम्हारा दिया दुःख ही कई गुना होकर तुम्हारे पास लौटा है। जाओ, अपनी भूलों के लिए "क्षमा" माँगों। नहीं तो तुम न चैन से जी सकोगे, न चैन से मर सकोगे। क्षमा माँगना बहुत बड़ी साधना है। ओर तुम तो एक बहुत अच्छे साधक हो*।"
     
*सेठ जी की आँखें खुल गयीं। संतश्री को प्रणाम करके वे छोटे भाई के घर पहुँचे। सब लोग भोजन की तैयारी में थे। उन्होंने दरवाजा खटखटाया। दरवाजा उनके भतीजे ने खोला। सामने ताऊ जी को देखकर वह अवाक् सा रह गया और खुशी से झूमकर जोर-जोर से चिल्लाने लगाः "मम्मी ! पापा !! देखो कौन आये हैं ! ताऊ जी आये हैं, ताऊ जी आये हैं*...।"
     
*माता-पिता ने दरवाजे की तरफ देखा। सोचा, 'कहीं हम सपना तो नहीं देख रहे !' छोटा भाई हर्ष से पुलकित हो उठा, 'अहा ! पन्द्रह वर्ष के बाद आज बड़े भैया घर पर आये हैं।' प्रेम से गला रूँध गया, कुछ बोल न सका। सेठ जी ने फल व मिठाइयाँ टेबल पर रखीं और दोनों हाथ जोड़कर छोटे भाई को कहाः- "भाई ! सारी भूल मुझसे हुई है, मुझे क्षमा करो ।"*

     *“क्षमा" शब्द निकलते ही उनके हृदय का प्रेम अश्रु बनकर बहने लगा। छोटा भाई उनके चरणों में गिर गया और अपनी भूल के लिए रो-रोकर क्षमा याचना करने लगा। बड़े भाई के प्रेमाश्रु छोटे भाई की पीठ पर और छोटी भाई के पश्चाताप व प्रेममिश्रित अश्रु बड़े भाई के चरणों में गिरने लगे।*

     *क्षमा व प्रेम का अथाह सागर फूट पड़ा। सब शांत, चुप, सबकी आँखों से अविरल अश्रुधारा बहने लगी। छोटा भाई उठ कर गया और रुपये लाकर बड़े भाई के सामने रख दिये। बडे भाई ने कहा "भाई! आज मैं इन कौड़ियों को लेने के लिए नहीं आया हूँ। मैं अपनी भूल मिटाने, अपनी साधना को सजीव बनाने और द्वेष का नाश करके प्रेम की गंगा बहाने आया हूँ* ।
     
*मेरा आना सफल हो गया, मेरा दुःख मिट गया। अब मुझे आनंद का एहसास हो रहा है।"*

    *छोटे भाई ने कहाः- "भैया ! जब तक आप ये रुपये नहीं लेंगे तब तक मेरे हृदय की तपन नहीं मिटेगी। कृपा करके आप ये रूपये ले लें।*

     *सेठ जी ने छोटे भाई से रूपये लिये और अपने इच्छानुसार अनुज बधू , भतीजे व भतीजी में बाँट दिये । सब कार में बैठे, घर पहुँचे।*

      *पन्द्रह वर्ष बाद उस अर्धरात्रि में जब पूरे परिवार का मिलन हुआ तो ऐसा लग रहा था कि मानो साक्षात् प्रेम ही शरीर धारण किये वहाँ पहुँच गया हो।*

  *सारा परिवार प्रेम के अथाह सागर में मस्त हो रहा था। "क्षमा" माँगने के बाद उस सेठ जी के दुःख, चिंता, तनाव, भय, निराशा रूपी मानसिक रोग जड़ से ही मिट गये और साधना सजीव हो उठी।*
...........

ટીચર બનવાનો ઉમંગ , ખૂબ મજાનાં બાળકો👌🌺🎈 કન્યા શાળા બાકરોલ આણંદ.


* રવિવારે શિક્ષક દિન હોઈ, શનિવારે અચાનક જ થયું કે લાવ આજે પ્રયત્ન કરી જોઉં. આ નાના નાના ટાબરિયાઓ ને વાત કરી જોઉં તો રવિવારનો દિવસે બાળશિબિરનું કામ હોઈ, આજે ઑનલાઇન શિક્ષકદિનની ઉજવણી થઈ જાય તો સારામાં સારું. આમ વિચારીને ધોરણ ૩ થી ૫ નાં બાળકોને શનિવારે સવારે, પ્રાર્થના પછી તરત  ક્લાસમાં આવીને કૉલ કરવા માંડ્યા.

* જે બાળકો નિયમીત ઑનલાઇન ક્લાસમાં જોડાય છે તેવાં બાળકોને કૉલ કર્યાં. બાકીના બાળકોને ગ્રુપમાં મેસેજ કર્યાં. જેથી શક્ય એટલાં વધું બાળકો જોડાય.

* પ્રથમ ધર્મિષ્ઠાને કૉલ કર્યો તે સૂતી હતી તેનાં મમ્મીએ વાત કરી. ટીચરનો કૉલ આવ્યો જાણીને ધર્મિષ્ઠા જાગી ગઈ. તેનાં મમ્મી મારી સાથે વાત કરતા હતા કે, " તેને ખેતરે જવાનું છે. તો કદાચ નહીં જોડાઈ શકે. " તરત જ મેં કહ્યું કે આજે અત્યારે જ ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ છે. બપોરના નથી. એટલામાં જ ધર્મિષ્ઠા બોલી , " મેમ હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું. ચણિયાચોળી પહેરું છું. 


 * બીજાં નંબરે મેં રુહીનને કૉલ કર્યો. તેની મમ્મીએ તો મારી સાથે ખૂબ વાતો કરી. ૫મી સપ્ટેમ્બરે તો રુહીની બર્થડે છે તે પણ જણાવ્યું. હું એ વાત જાણી ખૂશ થઈ ગઈ. તેનાં મમ્મીએ પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો અને રુહીને તૈયાર કરી શાળાએ મોકલું છું તેમ જણાવ્યું. મેં કહ્યું , " શાળામાં નહીં, આપણ
 રોજ ઑનલાઇન ક્લાસ લઈએ છીએ તેમાં જ આવવાનું છે મતલબ ઑનલાઇન ટીચર ડે ની ઉજવણી કરવાની છે.  રુહીનના મમ્મીએ તેને તૈયાર કરી ઑનલાઇન ક્લાસ માટે સમયસર જોડાવાની વાત કરી. 

( આ છે અમારી રુહીન ખલીફા )

* આ જ રીતે તમામ બાળકોને કૉલ કરીને  ૧૦:૩૦ વાગે ઑનલાઇન ક્લાસ માટે તૈયાર થઈ જવા જણાવ્યું. ૯:૪૫ પછી તો બાળકોના કૉલ આવવા મોડ્યાં. મેડમ અમે તૈયાર થઈ ગયા છીએ. જોડાઈએ ? મેં બાળકોનાં લીધે લીંકના સમયમાં ફેરફાર કરીને ક્લાસ સમય કરતાં અડધો કલાક વહેલાં શરુ કર્યાં.

* બાળકોએ આજે ક્લાસ સંભાળી લીધા હતા. બાળકો સાડી, ચણિયાચોળી, ડ્રેસ અને નવાં કપડાં પહેરીને તૈયાર થયાં તે  સિવાય શૈક્ષણિક રીતે કોઈ જ તૈયારી નહીં. છતાં પણ બાળકોએ શીઘ્ર તૈયારી કરી ને કોઈએ વાર્તા કહી તો કોઇએ ગીતો ગાયા તો કોઈએ પાઠનું વાંચન કર્યું. બાળકોને ખૂબ મજા પડી. બાળકોએ તેઓના અનુભવો પણ કહ્યાં. 

* સૌએ રુહીને બર્થડે વિશ કર્યું. બર્થડે સોંગ ગાયું. રુહીને પણ સૌનો આભાર માન્યો.

* અંતે બાળકોને વાર્તા અને બાળગીતો સંભળાવ્યા. બાળકોને ખૂબ મજા આવી. 

ખરેખર કોઈ જ તૈયારી વિના આ ઢીંગલીઓએ દોઢ કલાક પૂરો કર્યો. નવાઈની વાત છે. બાળકોનો સહકાર અને ઉત્સાહ પ્રશંસનીય છે. 

બધાં જ બાળકોને નવાં કપડાં નાં ફોટા ગ્રુપમાં  શેર કરવા જણાવ્યું તો, બાળકોએ એક ને બદલે અનેક ફોટા શેર કર્યાં. કેટલો ઉત્સાહ હતો !!!! 

* પછી મને થયુ, કે જો શીઘ્ર આયોજન આટલું સફળ રહ્યું હોય તો વ્યવસ્થિત અગાઉથી આયોજન કર્યુ હોત તો કેટલું સુંદર હોત ! પણ આ વખતે ૨૪ વર્ષ પછી નાનાં બાળકોસાથે કામ કરવાનું અને તેમાંય નવી શાળા , નવા બાળકો .આ નાના બાળકો શું કરશે ? આમ વિચારીને અગાઉ વિચાર્યું નોતું પણ શનિવારે સવારે અચાનક થયું કે લાવ જોવું તો ખરી ? સારું આયોજન નહીં થાય તો બીજી વાર હું ને મારા બાળકો માટે કંઈક સારુ નવું શીખવા મળશે ? પણ આ બાળકો ??? જબરાં હોં....????
 મજાનાં બાળકો.




Wednesday, 1 September 2021

Congratulations 🌺 વ્રજુ 🌺 આટલું સુંદર વર્ણન ! કેમ કરી શક્યો ? તેનું રાજ જાણો.

 * ખરેખર ખૂબ જ આનંદ થયો બેટા ! ખૂબ જ પ્રગતિ કરો અને હજુ આગળ વધીશ તેવી આશા છે.પ્રાર્થનાછે. 
 * " પુત્રનાં લક્ષણ પારણાં માં " નાનપણથી જ તારી મહત્વકાંક્ષાઓને જાણતી હતી. પરંતું જ્યારે તું તારાં અભ્યાસનાં પુસ્તકોને વાંચવાના બાજુ પર રાખી, આઈ. કે. વીજળીવાળા અને બીજાં મારી પાસેથી ચર્ચા કરી અને મેળવેલાં પુસ્તકો વાંચતો, ત્યારે કદી એમ નોતું થયું કે શું કામ વધારાના પુસ્તકો વાંચે છે. તને પુસ્તકો પ્રિય હતાં માટે તું મને વધું પ્રિય હતો. કદાચ, સૌ પ્રથમ વાર તારી પાસેથી જ પુસ્તક મેળવીને મેં આઈ. કે. વીજળીવાળાને સૌ પ્રથમ વાર વાંચ્યા હતા. એવું ઘણું બધું હું તારી પાસેથી શીખી/ જાણ્યું.

  ( હા,, તેનાં બહોળા અને વિશાળ વાંચનને લીધે જ આટલું સુંદર વર્ણન કરી શકવામાં સફળ રહ્યો છે.)

 * ધોરણ ૧૨ માં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી , બિરલા વિશ્વકર્માં મહાવિદ્યાલયમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હૈદરાબાદ જોબ મેળવી પણ તેમાં સંતોષ ન રહેતાં ઘરે પાછો ફરી GPSC ની તૈયારીઓમાં લાગી ગયો. તે સમયે મને પણ થોડું એમ થયું કે, આમ કેમ કર્યુ હશે ? 

   પણ વિધિનું વિધાન તારા માટે કંઇક અલગ જ સર્જ્યું હતું. અને તારા મહેનતી સ્વભાવે અને દ્રઢ મનોબળે આજે તારા સફળતાના શિખરો સર કરાવી દીધાં. 

   ખરેખર ખૂબ જ ખુશી છે તારા નામની આગળ TDO. શ્રી વ્રજ પટેલ ,,,, વાંચી ખૂબ ખૂબ ગમ્યું. પરમકૃપાળુ પરમાત્મા તારી ખૂબ પ્રગતિ કરાવે, તમામ મનોકામનાઓ પૂર્ણ કરાવે. 🙏




    * ( વાંચો ,, હવે તેનું સુંદર લખાણ. ) 

માતાપિતાનાં આશીર્વાદ, ભગવાનની કૃપા અને અથાગ પરિશ્રમનું પરિણામ - GPSC ક્લાસ 1-2 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં TDO (Taluka Development Officer)ના પદ માટે પસંદગી.

આમ તો મેં દિવસ, રાત, સવાર, સાંજ, ઘરની અંદર, બહાર અને ઉંબરા પર પણ બેસીને તનતોડ મહેનત કરી જ છે, જેથી ભગવાન પાસે હિરણ્યકશ્યપ જેવાં કોઈ બહાના આપવાનો અવકાશ જ ના રહે, પરંતુ આમ છતાં આ પરિણામમાં મારો ફાળો એટલો જ છે જેટલો એક લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનો રહેતો હોય છે - ફક્ત પ્રાથમિક કક્ષાનો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માત્ર ઉમેદવાર જ નહીં તેનો આખો પરિવાર કરતો હોય છે. વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે મમ્મી પપ્પા મ્યુટ પર ટીવી જોતાં! આપણા "રીતિ રિવાજ પ્રેમી" સમાજમાં લગભગ તમામ પ્રસંગોમાં મારી ગેરહાજરીનો સમાજનાં મહેણાં ટોણા સાંભળીને પણ તેઓએ બચાવ કર્યો છે. દાદી નાનીએ તો કોણ જાણે કેટલીયે માનતાઓ માનીને પરિણામ મારી તરફેણમાં લાવવા માટે દેવી દેવતાઓને ફરજ પાડી હશે.

અને ત્યાર બાદ મારા જીગરજાન મિત્રો. સૌપ્રથમ તો "મોટા માણસો યાદ પણ નથી કરતાં" જેવાં તીર મારી તરફ ન ફેંકીને સંયમ જાળવવા બદલ આભાર. મિત્રતા નિભાવવા માટે પ્રત્યક્ષ હાજરીની કોઈ જ આવશ્યકતા નથી તેની પ્રતીતિ કરાવનાર હાર્દિક - ગુજરાતીઓના ત્રીજા ગઢ સમા કેનેડાથી આ મિત્ર સાથે તડકા છાંયડાનો ભાગીદાર બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, સાથે સાથે તેના માતા પિતા, માસી માસાથી લઈને સમગ્ર પરિવારની પ્રાર્થનાઓમાં સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નવરાશની પળોમાં ઝીલ, ગજેરા જેવા મિત્રો સાથે બ્રહ્માંડની ઉત્પતિથી અને ભગવાનના અસ્તિત્વથી લઈને પ્રિય પુસ્તકો અને ફિલ્મો વિશે કરેલી ચર્ચાઓ પણ એક રીતે સકારાત્મક અને રચનાત્મક અભિગમ કેળવવામાં ઉપયોગી રહી છે. મિત્રોની યાદી તો ઘણી લાંબી થશે, પરંતુ જો તમે આ વાંચી રહ્યા છો, તો આપણું મળવું પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે મને ઉપયોગી નીવડ્યું છે તેમ માની લેવું.
"ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખ દુઃખોની વાર્તા કે'તા બાથમાં ભીડી બાથ"

આમ તો આ ધન્યવાદ પોસ્ટમાં તમામ લોકોનો આભાર માનવાનો હોય, પરંતુ કદાચ ખુશીના આઘાતમાં કેટલાંક નામ ચુકી જવાયા હોય તો માફ કરજો. પરંતુ એક વર્ગ એવો છે જેને કદી ભૂલી ન શકાય - સમગ્ર શિક્ષકગણ, ખાસ કરીને મારી પ્રાથમિક - માધ્યમિક શાળા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનાં શિક્ષકો. ભણતરની સાથે ગણતર શીખવીને એક સર્વગ્રાહી વ્યક્તિત્વના વિકાસમાં આ શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. નસીબજોગે વિજ્ઞાન પ્રવાહમાં પણ એવા શિક્ષકોનો સાથ મળ્યો જેમણે માત્ર બોર્ડની પરીક્ષા પૂરતું કેમેસ્ટ્રી ભણાવવાની સાથે જીવનની કેમેસ્ટ્રીમાં પણ સાતત્ય જળવાઈ રહે તે માટે વિશેષ ધ્યાન આપ્યું.

વર્ષો બાદ આટલું ટાઈપ કરીને થાકેલા મારા હાથ સંદેશ આપે છે કે પોસ્ટ થોડી લાંબી થઈ ગઈ હશે. જો આપ ધીરજ રાખીને અહીં સુધી પહોંચ્યા હો, તો આપનો પણ આભાર.

(માત્ર શાબ્દિક આભારથી અસંતુષ્ટ પાર્ટી ઇચ્છુક વાચકોને અંગતમાં સંપર્ક કરવા વિનંતી.)

Monday, 30 August 2021

માધવ ક્યાં નથી ?



' માધવ ક્યાંય નથી’ કૃતિમાં વ્યક્ત થતું પુરાકલ્પન

‘માધવ ક્યાંય નથી’ નવલકથા હરીન્દ્ર દવે કૃત ૧૯૭૦ માં લખાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણભક્તિ વહાવનારાઓમાં હરીન્દ્ર દવે આગળની હરોળમાં બેસે છે. તેમની આ નવલકથા એ કૃષ્ણને શોધતા ફરતા  નારદની એવી કથા છે જે વાચકને કૃષ્ણવિરહમાં તરબોળ કરી મૂકે છે. સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણની શોધ વર્ણવાઈ છે. કૃષ્ણની શોધ માટે તેની આસપાસના દરેક પાત્રોને જઈજઈને પૂછે છે કૃષ્ણ અહીયાં છે ? પરંતુ કૃષ્ણ અહીયાં છે ? પરતું માધવ ક્યાંય  નથી તેમ છતાં સમગ્ર કૃતિમાં માધવ ની સતત હાજરી અનુભવવાય છે. અહીયાં વ્યક્ત થતાં  પૂરાકલ્પનને તપાસીએ.

સૌ પ્રથમ નારદ બળારામ પાસે જાય છે બળારામ સમાધિમાં હોય તેમ બેઠા હતા. નારદે  તેમના મસ્તક પર હાથ મૂક્યો. તળાવમાં પણ ચેતન ન હતું. ‘બળારામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે.’ નારદ, મનોમન બોલ્યા: ‘બળારામ અત્યારે ક્યાં હશે?’ મૃત્યુ એ સોપો બોલાવી દીધો હતો; કશું જ બચ્યુ ન હતું. નારદે ચમકીને પોતાના હદય પર હાથ મૂકી જોયો! પોતે તો હજી જીવે છે ને? ત્યારપછી એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. તેને નારદે પૂછ્યું : ‘બહેન, તું કોણ છે? અહીં કેમ બેઠી છે? એને કહ્યું, ‘પેલું મોટું ગીધ જેની આંખ ટોચે છે તેની હું પુત્રી છું… પેલાં ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું અને….. ત્યાં જેનો દેહ ઓળખાય નહિ એવો વરવો થઈને પડ્યો છે એની હું પત્ની છું…. અને મારા ઉદરમાં અત્યારે ઝીણું ઝીણું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું….’ નારદે આવી સ્ત્રીને પુછાય કે ન પુછાય એનો વિવેક જાળવ્યા વિના તેમને પૂછ્યું, ‘કૃષ્ણ ક્યાં છે, એ તમને ખબર છે? એ યુવતી ફિક્કું હસી. એ બોલી, ‘કૃષ્ણ અહીં ક્યાંય નથી, આ શબોનાં મૃત્યુમાં પણ કૃષ્ણ નથી, આ જીવતાં ગીધોમાં પણ કૃષ્ણ નથી….

નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુ:ખ નારદ આ ક્ષણે અનુભવી રહયા હતા. પણ પછી તેઓ સ્વસ્થ થઈ જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં ચાલવા લાગ્યા. અચાનક તેમની નજર બે માણસો પર પડી. તેમાં જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ઘવ હતો, બીજો કૃષ્ણનો સારથિ દારૂક હતો. નારદે પૂછ્યું ‘કૃષ્ણ ક્યાં છે ઉદ્ઘવ? આ બધું શું થઈ ગયું?’ ‘સ્વસ્થ થાઓ દેવર્ષિ, આપણે કૃષ્ણ પાસે જ જઇએ છીએ…. અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ….’ ઉદ્ઘવે કહ્યું. નારદ કશું સમજી શક્યા નહી.’ મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી હવે મને વધારે વખત અળગો ન રાખ, ઉદ્ઘવ ! મને જલદી કૃષ્ણ પાસે લઈ જા…. કૃષ્ણએ હમેશાં એક વાત કહી છે – એ રૂપમાં કૃષ્ણ નથી, કૃષ્ણ વ્રજની ગાયોનાં નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્રારીકાના હદયમાં વસે છે, તમારી વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ના હોય તો એ ક્યાંય નથી! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું, સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું? જેમ જેમ કૃષ્ણ મીલનનું સ્થળ નજીક આવતું જાય છે. તેમ તેમ ઉદ્ઘવની વાતો કેમે કરી નારદને સમજાતી નથી

ઉદ્ઘવ નારદને સમજાવે છે. ‘નારદ, તમારાં પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, ગિરિવ્રજ ગયા, ઇન્દ્ર્પ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્રારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હમેશાં જીવતા રહેશે, યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે અને કૃષ્ણની મળવા માટે તમે જે યાતના વેઠી  હતી, એ યાતના કૃષ્ણ પાસે માગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ – યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે. ઉદ્ઘવે કહ્યું: ‘દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને ?’ ‘હા’ નારદે અધીરાઇથી કહ્યું. ‘જુઓ, સામે રહ્યા કૃષ્ણ ! ‘ઉદ્ઘવે આંગળી ચીંધી. નારદે એ દિશામાં ર્દ્ષ્ટિ કરી. અશ્ર્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા, એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતા, તેમનાં નેત્રો મીંચાયેલા હોય એમ લાગતું હતું અને કોઈક ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરધો રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા! એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝંખતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું, એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી…. જેમ નજીક આવતા ગયા, એમ એ શાંતિનાં સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. કૃષ્ણના ચરણોમાં મસ્તક નમાવી દીધું ત્યારે મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડવાથી નારદે જોયું તો કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી હદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું, અને એમાથી રુધિર ઝમી રહ્યું હતું.

નારદ ચીસ પાડી ઊઠે છે ‘કૃષ્ણ…. કૃષ્ણ…..’ નારદના મનમાં ખળભળાટ મચી ગયો. એમની આંખો સામે, ક્ષણમાં કૃષ્ણનાં બંધ નેત્રો, તો ક્ષણમાં રક્તઝરતું હદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ નારદ આ સ્વરૂપથી અકળાઈ ઊઠે છે. ઉદ્ઘવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો: ‘નારદ કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગોયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણ ને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે અને એથીય વધારે તો તમારી હદયવીણાનાં સ્પંદનોમાં શોધશે.

આમ સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણશોધ વર્ણવાઇ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે. દરેક સંવાદમાં વાચકને એમ થશે કે હમણાં કૃષ્ણદર્શન થશે પણ પછી તરત જ કૃષ્ણ ત્યાં નથી એવું જાણવા મળે છે. કૃષ્ણ ક્યાંય નથી છતાં બધે જ છે એવું સમજાય છે. નારદ કૃષ્ણને બધે જ શોધે છે પરતું દરેક જગ્યાએ કૃષ્ણનો મેળાપ થતા થતા રહી જાય છે. ‘માધવ ક્યાંય નથી’ કૃતિમાં હરીન્દ્ર દવેએ કૃષ્ણના પાત્રને પુરકલ્પનની રીતે યોગ્ય નિરૂપ્યું છે. અને કૃષ્ણની આસપાસની દરેક વ્યક્તિને નારદ મળે છે અને કૃષ્ણ વિશે પૂછે છે ત્યારે નારદને ‘અહીયાં નથી ત્યાં છે’ એવો જવાબ મળે છે. અને નકારમાં હકાર સૂચવાય છે. હરીન્દ્ર દવેનું આ જ ભાવને વ્યક્ત કરતું એક ઉર્મિગાન “માધવ ક્યાંય નથી મધુવનમાં !”. કાવ્યની પંક્તિ જોઈએ.

        “માધવ ક્યાંય નથી મધુવનમાં !
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વહે ગુંજનમાં….. માધવ ક્યાંય નથી.”

અહીં  ફૂલ ભમરાને કહે છે અને ભમરો તેના ગુંજનમાં કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ અને ભમરાના સંવાદનું સુંદર ચિત્ર આલેખાયું છે. આખી કવિતામાં કાવ્યમાં આવતાં પાત્રો ઢ્રારા  કૃષ્ણવિરહની વેદના પ્રગટ થાય છે. કૃષ્ણ વિરહનું આ ગાન ખરેખર તો સ્મૃતિદંશની વેદનાનું કાવ્ય છે. પરંતુ છેલ્લે કહેવાનું મન થાય છે કે આટઆટલા પડઘા પાડતી “માધવ ક્યાંય નથી” વાળી વાત એ રીતે રજૂ થઈ કે માધવ ન હોવાની વેદના ચારે બાજુ ફેલાઇ જઈને માધવની સતત હાજરીનો અનુભવ કરાવી જાય છે !

આવું જ આપણી કૃતિમાં માધવનું કેન્દ્ર સ્થાન છે. સમગ્ર કૃતિમાં કૃષ્ણ ક્યાંય નથી . નારદ દ્વારા તેની શોધ કરાઈ છે ઉદ્ઘવ કહે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે રાધાના વિરહમાં , યશોદાના વહાલમાં , દેવકીની વાત્સલ્યમાં અને એથીય વધારે તમારી હદયવીણનાં સ્પદનોમાં આમ કૃષ્ણ ન હોવા છતાં તેની સતત હાજરી નો અનુભવ થાય છે અને એટલે જ કહેવું પડે છે કે આ કૃતિનું કેન્દ્ર જાણે “માધવ ક્યાંય નથી !” માંથી ખસીને “માધવ ક્યાં નથી !!” એવું બોલાવી દે છે.

Tuesday, 3 August 2021

osho

*समस्त जगत के प्रति मंगल की भावना*
*आपको भीतर के हर द्वंद और संघर्ष से मुक्त करती है।*

*जिन लोगो ने कभी जीवन को जाना या कभी भी कोई जीवन को जानेगा, तो एक बहुत कीमती बहमूल्य सूत्र उसे दिखाई पड़ेगा।* और वह यह कि अगर मैं सारे जगत को प्रेम कर सकूं, तो जगत से मेरे सारे द्वंद, मेरे सारे संघर्ष विलीन हो जाएंगे। दूसरे व्यक्ति से मेरे संघर्ष की शरुआत वहां है जहां दूसरे व्यक्ति से मेरा प्रेम कम पड़ जाता है। जब भी हम जगत से प्रेम के अलावा किसी दूसरी चीज से संबंधित होते है, तभी जगत एक उपद्रव, तभी जगत एक संघर्ष और कलह का रूप ले लेता है। जब भी मैं प्रेम के अतिरिक्त किसी और मार्ग से किसी भी व्यक्ति से संबंधित हो जाऊंगा, तभी मेरे भीतर वे संबंध अनेक प्रकार के द्वंद, अनेक प्रकार के उत्ताप, अनेक प्रकार की कलह को, अनेक प्रकार के मानसिक संघर्ष और तनाव को पैदा करेंगें।  मनुष्य के भीतर धृणा से ज्यादा, हिंसा से ज्यादा क्रोध से ज्यादा और कोई चीज द्वंद और कोई चीज द्वंद और धुंए को पैदा नहीं करती।

*जीन लोगों को सत्य को जानना हो, जिन लोगों को निज सत्ता को अनुभव करना हो, या जिन्हें पदार्थ के पार के अदृश्य लोग की अनुभूति में प्रतिष्ठित होना हो, उनके लिए प्रेम के अतिरिक्त और कोई मार्ग नहीं है।*

ओशो
प्रेम को प्रार्थना बनाओ

Saturday, 31 July 2021

આખા ગામમાં પાની પાની.


    હું  તો ખૂબ જ નાની હતી. વરસાદમાં પાણી ભરાયા હોય ત્યાં તો બરાબર ચાલતાં પણ ન ફાવે. એવે સમયે રજાના દિવસે પપ્પા મને ઊંચકીને વરસાદ જોવા અને ગામની વાત્રક નદી પર બાંધેલા પુલ પર પાણી જોવા લઈ જતાં. 

   હજુ પણ મને એ ખબર નહીં, પરંતુ અમારાં ત્રણેય ભાઈ બહેનમાં, પપ્પા મને જ પાણી જોવા લઈ જતાં. પપ્પાને હું ખૂબ જ વહાલી. આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય જ. 

  પપ્પા વરસાદ જોવા લઈ જાય. હાથમાં કાળા કલરની મોટી છત્રી, પગે ચોમાસાના ચંપલ પહેરીને અને શર્ટની નીચે લેંઘો પહેરે જે ઊંચે ઢીંચણ નીચે સુધી વાળેલો રાખે. અને ચાલતાં નીકળી પડીએ. ઘણાં વર્ષો પહેલાં ટુ વ્હીલર પણ ઓછા. પપ્પાને એક સાઇકલ હતી, તેનો પણ ઓછો ઉપયોગ કરે. 

    રસ્તામાં વાતો કરતાં કરતાં જઈએ. ચાલુ વરસાદ હોય. કોટનના કાળા કાપડની છત્રીમાંથી ક્યારેક વધારે વરસાદ પડતો હોય તો, ઝીણાં ઝીણાં છાંટા છત્રીમાંથી અમને પલાળે. પપ્પા ઉપર આકાશમાં વાદળ બતાવે જેને લીધે અંધારું છવાયેલું હોય, નીચે તરફ ગંદુ પાણી વહ્યું જતું હોય તે ડહોરીને જવાનું, ક્યારેક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતો હોય અને વૃક્ષો અને તેની ડાળખીઓ પવનમાં વીંઝાતા હોય, કેટલીક જગ્યાએ તો વૃક્ષો પડી ગયા હોય, નદી નાળાં પાણીથી ભરાઈ ગયા હોય જેમાં પપ્પા માછલી અને મગર બતાવે. પુલ પરથી ઊભાં રહીને ધસમસતી નદી વહેતી જોવાનો અનેરો આનંદ સાથે ઊંચેથી પાણી જોવાનો ડર પણ લાગે. પણ પપ્પા સાથે હોય એટલે આપણે બાદશાહ ! કદી પોતે ડરે નહીં અને ડરવાની તો વાત જ નહીં. 

     પપ્પાએ મને ઊંચકી હોય, સાથે છત્રી પણ પકડી હોય. બધે ખૂબ પાણી ભરાયાં હોય અને તેમાં ચાલતાં ચાલતાં જવાનું હોય. છતાં પણ હું ને પપ્પા ખૂશ જ ખૂશ. પપ્પા ચાલતાં ચાલતાં મારી સાથે ખૂબ વાતો કરી. બધુ અવનવું બતાવે. અને ક્યારેક તો ગીતો ગાતા ગાતા મને લઈ જાય. અને એ ગીત કેવું ? વરસાદી ગીત અને એ પણ પપ્પાનું સ્વરચિત. પપ્પા ગાય અને હું ગાઉં. 

હું ને મારા પપ્પા : અમારું વર્ષાગીત.

" પપ્પા : બેટા ! આખા ગામમાં .....

હું : અછાદ અછાદ ...( વરસાદ વરસાદ )

પપ્પા : આખા ગામમાં 

હું : પાની પાની ( પાણી પાણી ) 

પપ્પા : આખા ગામમાં ...

હું : તાદવ તાદવ. ( કાદવ કાદવ )

પપ્પા : આખા ગામમાં...

હું : તિચડ તિચડ. " ( કિચડ કિચડ )


      અમે આ ગીત અવશ્ય ગાતાં. ખબર નહીં, ક્યારે મને આ શીખવ્યું હશે. પણ મને આ રીતે વરસાદમાં ગાવાની ખૂબ જ મજા આવતી. હજૂ પણ એ બાળપણના દિવસો યાદ આવે છે. એ ચોમાસું, એ છત્રી, એ રસ્તા, રોડ પરનું ગંદુ ડહોળાયેલું પાણી, એ ગાંડતુર બનેલી વાત્રક નદી, નદી ઉપરનો પુલ, અને ખાસ તો ..એ ગીત.

Sunday, 4 July 2021

મેડમ ! યોગના ફોટા મોકલું ?🙂🧘 Happy Yoga Day 🧘

   
   * આ વર્ષે યોગ દિવસ પર ત્રણેય વર્ગનાં બાળકોને સૂચના આપી કે, " વ્હાલાં બાળકો , આજે વિશ્વ યોગ દિવસ છે. તો બધાએ યોગ કરવાના છે. અને યોગ કરતાં ફોટા પણ મોકલાવવાના છે. " મારા માટે આ નવી શાળા. બાળકો કેટલો સહકાર આપશે તે કંઈ ખબર જ નહીં. બપોર સુધી કોઈનો પણ ફોટો ન આવ્યો. ફરીથી પાછું ત્રણેય ગ્રુપમાં મેસેજ મોકલ્યો. સાથે સાથે ઓડિયો મેસેજ પણ ત્રણેય ગ્રુપમાં શેર કર્યો. સાંજ સુધીમાં બે બાળાઓએ ખૂબ જ સુંદર ફોટા મોકલ્યા.

      * ધોરણ :૫ ની ધર્મિશ્ઠાએ તો  સરસ યોગાસનો કર્યા. તેનાં સુંદર ફોટાનું  મેં કોલાજ કર્યુ અને ફરીથી મેસેજ કર્યો કે, જૂવો બાળકો, આ ધર્મિષ્ઠાએ કેટલા સરસ યોગા કર્યાં છે. એ પછી તો બીજા ત્રણ - ચાર બાળકોએ યોગ કરતાં ફોટા મોકલ્યા. ખૂબ જ સરસ કામ કર્યુ. 


        બાળાઓ જે સૂચના મોકલીએ તે મૂજબ કામ કરે છે. ભલે બધાં નથી કરી શકતા. બધાંને પણ કરવું હોય છે, પણ તેઓની પાસે મોબાઇલ હોતો નથી. તેઓના વાલી દિવસ દરમ્યાન મોબાઇલ પોતાની સાથે લઈ ગયા હોય છે. આવા સમયે બાળકો અને શિક્ષકો શું કરે ? જેટલું અને જેવું કામ થાય, જેટલાં બાળકો કામ કરે  તેટલાથી સંતોષ માનવો પડે. અત્યારે સમય જ કેવો છે ! બાકીના બાળકો માટે અન્ય રીતે પ્રયત્નો કરવા પડે. પણ ત્યાં સુધીમાં કદાચ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય છે. આ કોરોનાકાળમાંં સૌની હાલત કફોળી થઈ ગઈ છે.

    આ સમયે એક ગીતની પંકિત યાદ આવે છે:

   क्या करे ! कया न करें ये कैसी मुश्किल हाय !
कोई तो बताओ उसका हल ओ मेरे भाई !!!!

     અરે ! હા,,, મૂળ વાત પર પાછા આવી જઇએ. 

     બીજા દિવસે  મારે  ધોરણ - ૩માં ઑનલાઇન ક્લાસ હતો. ક્લાસમાં એક જ મોબાઈલમાં બે દીકરીઓ જોડાઈ હતી. ઑનલાઇન ક્લાસ પૂરા થયા પછી, આલિયા  એકદમ ટહુકી , મેડમ !!! મેં કહ્યું , બોલો બેટા ! શું થયું ? આલિયાએ જવાબ આપ્યો,' મેડમ મારા યોગ કરતાં ફોટા મોકલું ? '  ' હા , હા , મોકલો બેટા !  ' , મેં કહ્યું. તેના અવાજમાં ઉત્સાહ હતો. 

       સાંજે ફોટા આવ્યા. ફોટા જોઈને લાગ્યું કે, ખરેખર તેણે ખૂબ જ મહેનત કરી છે. પરાણે યોગા તો કર્યાં, આસનો કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો તે ફોટા પરથી જણાઈ આવ્યું છે.  અને હા, આ ફોટા ટિચરને મોકલવાના હોઈ કેટલો અદમ્ય ઉત્સાહ !!!!

 ખરેખર નાના બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે. અહીં બાળકો સાથેનો ખુબ જ ઓછો પરિચય છે. પણ બાળકો ખૂબ જ એક્ટિવ છે. બાળકોને કંઇક નવું  કરવું હોય છે.

      હવે તો જલ્દી બાળકોને મળવાનું થાય. બહું થયું ! હે પ્રભુ ! આ કોરોનાનું  કંઇક કરો, તો આપના સ્વરૂપ સમા નિર્દોષ બાળકો સાથે ઘણું બધું રમવું છે, ઘણી બધી વાતો કરવી છે. બાળકોને કંઇક નવું નવું શીખવવું છે અને બાળકો પાસેથી કંઈક  નવું  જાણવું છે, શીખવું છે.


 

Saturday, 26 June 2021

📚" ઈકિગાઈ "📚


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺નાનો અને સુંદર ફક્ત ચાર અક્ષરોનો જાપાનીઝ શબ્દ એટલે "ઈકીગાઈ", જેટલો બોલવામાં મીઠો લાગે છે એથી પણ વધુ મીઠો એનો અર્થ છે. ખ્યાતનામ લેખકો "હેકટર ગાર્સીયા" અને "ફ્રાન્સેસ્ક મીરાલેસ" નું પુસ્તક "ઈકીગાઈ" એટલે જીવનમાં ઈચ્છવા જેવું - જીવનનું લક્ષ્ય ધ્યેય, પુસ્તકમાં લેખકોએ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય લખ્યું છે.

જાપાનીઝ ભાષામાં 'રીટાયર' શબ્દજ નથી.આ પુસ્તકમા જીવનનું ધ્યેય કેવી રીતે ગોતવું, લાબું અને સાર્થક જીવન જીવવા માટે શું શું કરવું? આહાર -વિહાર વગેરેનો સીધો સટ ઉલ્લેખ કરેલ છે એટલે પુસ્તક પણ એના નામ મુજબજ નાનું પણ સંપૂર્ણ છે એકજ બેઠક માં સામાન્ય વાંચક પૂરું કરી નાખે એટલું સરળ છે. જાપાનીઝ લોકોની સરેરાશ આયુ પૃથ્વીમાં સૌથી વધુ છે, એમાય જાપાન ના ઓકિનાવા પ્રદેશના લોકોની સરેરાશ આયુ સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ છે, શું કામ? એ જાણવા વાંચી જાવ પુસ્તક. આવી વિશ્વમાં સર્વોચ્ચ આયુ વાળા વ્યક્તિઓના સાક્ષાતકાર એની જીવન શૈલીનું પણ વર્ણન છે. ઉપરાંત વિકટર ફ્રેન્કલ ની પ્રસિદ્ધ લોગો થેરાપી, સાઈકો થેરાપી બન્ને વચ્ચે નો તફાવત સાથે એનું મહત્વ, ચીનની તાઈ ચી, ભારતીય યોગ, FLOW -પ્રવાહ મા કેમ રહેવું એનું સરળ ને સીધું વર્ણન કરેલ છે.

માણસ સૌથી વધુ નહી પણ સૌથી સરસ કામ કયારે કરી શકે ? જયારે એ FLOW -પ્રવાહમાં હોય ત્યારે. આ FLOW કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વિધીનુ વર્ણન છે. મોટા ભાગના માણસો નિષ્ફ્ળ જાય છે એનું કારણ ફકત એના પ્રયાસ કે સંઘર્ષમાં કચાશ જ નથી હોતી પણ પોતાના ઈકીગાઈ નું અજ્ઞાન હોય છે. જો એકવાર તમને તમારા ઈકીગાઈની ખબર પડી જાય તો 70% જંગ એમનામ જ જીતી જશો. આ વાત ફક્ત મારા આ લખાણ પરથી નહી સમજાય, એ માટે પુસ્તક વાંચવું જ ઉત્તમ રહેશે.

તમે જીવનના કોઈ પણ ક્ષેત્રે હોવ વિદ્યાર્થી હોવ કે વ્યવસાયી, કોઈ પણ દેશમાં રહેતા હોવ તમારા માટે આ પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે. કેવીરીતે અને શા માટે ? જવાબ છે કેમકે એ ઈકીગાઈ છે. દરેકનું ઈકીગાઈ અલગ હોવાનું, શ્રી કૃષ્ણની ભાષામાં કહીએ તો "સ્વધર્મ". આપણો સ્વધર્મ ઈકીગાઈ ગોતવાનો છે.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


#ઇકીગાઈ #

જીવનને સુખી બનાવવા માટેનું જાપાનીઝ રહસ્ય.

તમારી જાતને ક્યારેય પૂછ્યું છે ખરું કે...

ક્યાં ગઈ મારી ઇકીગાઈ ??

વાંચો "શિશિર રામાવત" સરે લખેલો સુપર્બ આર્ટીકલ.

              'સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.' ::- 

બે લેખક દોસ્તારો. એક રહે સ્પેનનાં બાર્સીલોના શહેરમાં ને બીજો રહે જપાની શહેર ટોકિયોમાં. બન્ને એકબીજાનાં કામથી પરિચિત, પણ મળવાનું ભાગ્યે જ બને. આખરે એક દિવસ એમનો મેળાપ થયો. બન્ને વાતોએ વળગ્યા. સાઇકોલૉજી, વેસ્ટર્ન ફિલોસૉફી વગેરેની ચર્ચા થઈ. વાતવાતમાં એક જપાની શબ્દ ઊભર્યોઃ ઇકીગાઈ. આ શબ્દનો અર્થ થાય છે, હંમેશાં સક્રિય રહેવાનો આનંદ. બીજા શબ્દોમાં કહીએ તો, જીવનનો ઉદ્દેશ યા તો પછી સુખી જીવન જીવવાની ચાવી.


જપાનીઓ સામાન્યપણે લાંબું જીવે છે તે આપણે જાણીએ છીએ. દક્ષિણ જપાનમાં ઓકિનાવા નામનો નાના નાના ટાપુઓનો એક સમૂહ છે. કુલ વસ્તી હશે 14.5 લાખ જેટલી. અહીં વસતા દર સો માણસોમાંથી 24 વ્યક્તિઓની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે! દુનિયાના કોઈ પણ હિસ્સા કરતાં આ ઓકિનાવાના નાગરિકોની સરેરાશ ઉંમર વધારે છે. આનું કારણ શું? આ પ્રશ્નનો ઉત્તર શોધવા ઘણાં સંશોધનો થયાં છે. સાદું તારણ એવું નીકળ્યું છે કે પૌષ્ટિક ખાણીપીણી, સરળ જીવન, સમૂહમાં હળીમળીને રહેવાની વૃત્તિ અને સારું હવામાન – આ છે એમના લાંબા અને સુખી જીવનનું રાઝ.


આ બન્ને લેખકોને થયું કે એમ નહીં, આપણે આ વિષયમાં વધારે ઊંડા ઊતરીએ. તેમણે પ્લાન ઘડી કાઢ્યો. ડાયરી-પેન અને કૅમેરા લઈને તેઓ ઓકિનાવા પહોંચી ગયા. સો વર્ષ વટાવી ચુકેલાં સો તંદુરસ્ત સ્ત્રી-પુરુષોના તેમણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા. સૌને પૂછ્યું કે તમારા દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે? ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. લેખકોએ જોયું કે આ તમામ સુપર સિનિયરો ખુશખુશાલ છે. બધા ખૂબ હસમુખા અને હૂંફાળા છે, સતત ખુદની અને એકમેકની મજાક કર્યા કરે છે. તેમનામાંથી જાણે કે ક્યારેય ન ખતમ થતા આનંદનો અખૂટ ઝરો વહે છે. જાણે કે તેઓ કશુંક ‘ભાળી’ ગયા છે.


જે સો લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે તમામેતમામ ઘરમાં શાકભાજી ઊગાડતાં હતા. સૌ કોઈને કોઈ સામાજિક મંડળ કે મિત્રમંડળના સભ્ય હતા, સામાજિક સ્તરે એક્ટિવ હતા. આ સોશિયલ ગ્રુપ્સમાં એમને પરિવાર જેવી જ હૂંફનો અનુભવ થતો હતો. તેઓ હંમેશાં સેલિબ્રેટ કર્યા કરતા. કાં કોઈનો બર્થડે હોય, કાં કોઈક તહેવાર હોય. તેમનું નાચવા-ગાવાનું ચાલતું જ હોય. સંગીત અને નાચગાના જાણે કે એમના દૈનિક જીવનનો એક ભાગ બની ગયો હતો. નાનામાં નાનું કામ પણ તેઓ ખૂબ ઉમંગથી કરે. તેમને પોતાના કલ્ચર અને પરંપરાઓ પ્રત્યે ખૂબ માન. મજાની વાત એ છે કે કોઈ નિષ્ક્રિય ન બેસે. તેઓ તમને સતત બિઝી દેખાય.


સૌની સાથે વાતચીત કરીને, જે કંઈ સામગ્રી મળી એનું વ્યવસ્થિત સંપાદન કરીને વિક્ટર ગાર્શિયા અને ફ્રાન્સિસ મિરેલ્સ નામના આ લેખકોએ સંયુક્તપણે એક અંગ્રેજી પુસ્તક લખ્યુઃ ‘ઇકીગાઈઃ ધ જપાનીઝ સિક્રેટ ટુ અ લોન્ગ એન્ડ હૅપી લાઇફ’. 


જીવનમાં માત્ર વર્ષો ઉમેરતાં જવાનો કશો મતલબ હોતો નથી. આપણે વધારે જીવીએ, પણ દુખી થઈને જીવીએ, બીમાર થઈને જીવીએ, પરિવાર પર બોજ બનીને જીવીએ તો તેમાં કશો અર્થ નથી. તન-મન પૂરેપૂરાં સુખી અને સ્વસ્થ હોય તો જ દીર્ઘ આયુષ્ય સાર્થક બને. તો શું છે લાંબી અને આનંદપૂર્ણ જિંદગી જીવવાનું રહસ્ય? આ રહી પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલી ટિપ્સ. હવે પછીના શબ્દો ઓકિનાવાના અલગ અલગ સુપર સિનિયર સિટીઝનના છે. નામનું મહત્ત્વ નથી. તેઓ શું કહે છે તે ધ્યાનથી સાંભળોઃ  

              

- - સુખી અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે, ચિંતા નહીં કરવાની. મનથી, દિલથી યુવાન રહેવાનું. બુઢા જેવા વિચારો કે લાગણીઓને નજીક ફરકવા પણ નહીં દેવાની. ખડૂસ નહીં બનો. કોઈની પણ સાથે વાત કરો તો દિલથી વાત કરો, ચહેરા પર સ્મિત લાવીને વાત કરો. જો તમે હસમુખા હશો તો તમારા પૌત્રો, પ્રપૌત્રો સહિત સૌ કોઈના પ્રિય બની શકશો.


- - અજંપો જેવું લાગતું હોય, મન ઊચ્ચક થઈ ગયું હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવી જાઓ. આવતા-જતાં સૌ કોઈને ‘કેમ છો? મજામાં?’ કહો. સૌ સાથે હળોમળો. હું આવું રોજ કરું છું. પછી ઘરે આવીને મેં ઊગાડેલા શાકભાજી અને ફળફળાદિની સારસંભાળ લઉં છું. બપોરે મારા દોસ્તારો સાથે સમય પસાર કરું છું.


- - હું રોજ સવારે છ વાગે ઊઠીને પહેલું કામ બારીનો પડદો હડસેલી મારા બગીચામાં નજર ફેરવવાનું કરું છું. પછી બહાર જઈ છોડવાઓને પાણી પાઉં છું. બગીચામાં એક કલાક પસાર કરું એટલે હું રિલેક્સ થઈ જાઉં. પછી હું ઘરમાં જઈ મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરું.


- - મોટી ઉંમરે દિમાગ સતેજ રાખવાની ચાવી તમારી આંગળીઓમાં છે. યાદ રાખો, તમારી આંગળીઓ અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં સુધી તમારી આંગળીઓ એટલે કે હાથ ચાલતા રહેશે ત્યાં સુધી તમારાં તન-મનની ચુસ્તીદુરસ્તી જળવાઈ રહેશે.


- - હું રોજ સવારે ચાર વાગે એલાર્મ વાગતાં જ ઉઠી જાઉં છું. પછી કૉફી બનાવીને પીઉં, હાથ ઊંચાનીચા કરું, બીજી કસરત કરું. આમ કરવાથી મારામાં આખો દિવસ એક્ટિવ રહેવાની એનર્જી આવી જાય છે.      

- - કામ કરો, કામ કરો, કામ કરો. જો તમે એક્ટિવ નહીં રહો તો તમારું શરીર અને મન, બન્ને તંત્ર ખોરવાઈ જશે.


- - હું રોજ સવારે ઉઠીને મારા બાપ-દાદાઓની તસવીરો સામે અગરબત્તી કરું છું. તમારે તમારા પૂર્વજોને ક્યારેય ભુલવા ન જોઈએ. દિવસમાં પહેલું કામ હું એમના પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરવાનું કરું છું.


- - હું રોજ સવારે ઘરમાં એક્સરસાઇઝ કરું છું. થોડુંક ચાલવા પણ જાઉં છું.


- - શાકભાજી ખાઓ. મને લાગે છે કે મારા દીર્ઘાયુષનું આ જ રહસ્ય છે.  


- - સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.


- - મારા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ જ આ છે – દોસ્તો સાથે સમય વીતાવવો. અમે બધા રોજ ભેગા થઈને દુનિયાભરની વાતો કરીએ છીએ. મને ખબર હોય છે કે આ બધા મને રોજ મળવાના છે. મારા જીવનનો આ સૌથી મોટો સધિયારો છે.


- - તમે જેમને ચાહતા હો તે સ્વજનો અને પ્રિયજનો સાથે રોજ વાતચીત કરવી – આ છે દીર્ઘાયુષનું રહસ્ય.


- - હું રોજ સવારે સાડાસાતે ઘરની બહાર શેરીમાં ખુરસી નાખીને બેસું છું. પછી રસ્તે આવતાં-જતાં લોકોનું હાથ હલાવીને, હસીને અભિવાદન કરું. કેમ છો – કેમ નહીં કરું. સ્કૂલે જતાં બાળકોને ‘સંભાળીને જજો, હં’ એવું કહું. એકાદ કલાક પછી ઘરમાં જઈને મારાં કામે વળગી જાઉં.


- - મારી દિનચર્યા કંઈક આવી છે. રોજ સવારે પાંચ વાગ્યે હું ઘરની બહાર નીકળી જાઉં. કલાક-દોઢ કલાક ચાલું. પછી સીધો મારા મિત્રને ઘરે જાઉં. અમે સાથે ચા-પાણી કરીએ. લાંબા આયુષ્યનું આ જ તો સિક્રેટ છે – લોકો સાથે હળીમળીને આનંદ કરવાનો ને ફરતાં રહેવાનું.      


- - હું રોજ હું મારી જાતને કહું છું, ‘મારો આજનો દિવસ એકદમ મજામાં જવાનો, મારી તબિયત ટનાટન રહેવાની. હું આજે પણ ભરપૂર જીવીશ.’


- - હું એકસો બે વર્ષનો થયો, પણ મને નથી લાગતું કે હું વૃદ્ધ છું. મારે તો હજુ કેટલું બધું કરવાનું બાકી છે.


- - હસો. હસતા રહો. હસવા કરતાં વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી.


- - તમારાં પૌત્રો અને પ્રપૌત્રો સાથે નાચો, ગાઓ, રમો. જીવનમાં આનાથી વધારે સુંદર બીજું કશું જ નથી.


- - હું બીજાઓને કામ આવું છું, સ્વયંસેવક તરીકે કામ કરું છું. જેમ કે, કોઈ બીમાર હોય તો મારી કારમાં એને હોસ્પિટલે લઈ જઉં, વગેરે. સમાજે મને ખૂબ આપ્યું છે. મારે હવે સમાજ માટે મારાથી થાય એટલું કરવું છે.   


કેટલી સીધીસાદી અને સરળ વાતો. ન કોઈ ભારેખમ ફિલોસૉફી, ન કોઈ હાઇ ફન્ડા થિયરી. આપણે નાહકનું બધું ગૂંચવી મારતા હોઈએ છીએ. બાકી જીવનનાં મહાનતમ સત્યો ખરેખર સૌથી સરળ હોય છે એવું તમને પણ નથી લાગતું? 

 


Tuesday, 25 May 2021

उपोसथ - व्रत




🌹🌹🌹🌹 "उपोसथ-व्रत" 🌹🌹🌹🌹
                 ( पूर्णिमा/अमावस )
         🙏उपासक/उपासिका-विधि🙏

🙏 प्रात:काल उठकर नहा-धोकर घर में बुद्ध-प्रतिमा या चित्र, या बुद्ध-प्रतीक (पीपल-वृक्ष या बरगद-वृक्ष) के सम्मुख जाकर बैठे, अपने साथ - मोमबत्ती/दीया, अगरबत्ती, धूपबत्ती, फूल व फूल-माला, पानी सहित एक लोटा, सफेद-मोटा-धागा अवश्य रखे । 

🔸मोमबत्ती/दीया को प्रज्वलित करके बुद्ध प्रतीक के सम्मुख रखें, 
🔸अगरबत्ती-धूपबत्ती को जला-बुझाकर सुगंध फैलाने के लिये बुद्ध प्रतीक के सम्मुख रखें, 
🔸पानी से भरे लोटे में तीन/पॉच-पीपल/बर्गद-वृक्ष-की-पत्तियों को डाल दें, 
🔸अब सफेद-मोटे-धागे के एक सिरे को पानी के लोटे से बांध/डाल दें और सफेद-मोटे-धागे को सबसे पहले बुद्ध-प्रतीक के आगे से ले जाकर बुद्ध-प्रतीक के पीछे से घुमाते हुये समस्त उपस्थित, इच्छुक उपासकों/उपासिकाओं के कर-बद्ध 🙏 हाथों के अंगुठे व अंगुलिओं के बीच से मे पकडा़ते हुये सफेद मोटे धागे के दूसरे सिरे को भी पानी से भरे उसी लोटे में डाल दें ।

🔸अब बुद्ध-प्रतीकों को नमन 🙏 करें ।
🔸नमन-विधि (उच्चारण करें) - 

नमो तस्स भगवतो अरहतो सम्मासम्बुद्धस्स ।।
नमो तस्स भगवतो अरहतो सम्मासम्बुद्धस्स ।।
नमो तस्स भगवतो अरहतो सम्मासम्बुद्धस्स ।। 

                  साधु!साधु!!साधु!!!
                       🙏🙏🙏 

🙏 बुद्धानुस्सति 🙏 

"इतिपि सो भगवा अरहं सम्मासम्बुद्धो विज्जाचरणसम्पन्नो सुगतो लोकविदू अनुत्तरो पुरिस-दम्म-सारथी सत्था देवमनुस्सानं बुद्धो भगवा'ति ।" 

🙏 धम्मानुस्सति 🙏 

"स्वाक्खातो भगवता धम्मो सन्दिट्ठिको अकालिको एहिपस्सिको ओपनेय्यिको पच्चत्तं वेदितब्बो विञ्ञूही'ति ।" 

🙏 संघानुस्सति 🙏 

"सुप्पटिपन्नो भगवतो सावकसङ्घो, उजुप्पटिपन्नो भगवतो सावकसङ्घो, ञायप्पटिपन्नो भगवतो सावकसङ्घो, सामीचिप्पटिपन्नो भगवतो सावकसङ्घो, यदिदं चत्तारि पुरिसयुगानि अट्ठपुरिसपुग्गला एस भगवतो सावकसङ्घो, आहुनेय्यो पाहुनेय्यो दक्खिणेय्यो अञ्जलिकरणीयो अनुत्तरं पुञ्ञक्खेत्तं लोकस्सा'ति।" 

                  साधु!साधु!!साधु!!!
                       🙏🙏🙏 

                       🌹ति सरणं🌹
नमो तस्स भगवतो अरहतो सम्मा समबुद्धस्स ।  
नमो तस्स भगवतो अरहतो सम्मा समबुद्धस्स ।  
नमो तस्स भगवतो अरहतो सम्मा समबुद्धस्स । 

               बुद्धं सरणं गच्छामि । 
               धम्म सरणं गच्छामि । 
               संघं सरणं गच्छामि । 
  दुतियं-पि बुद्धं सरणं गच्छामि । । 
  दुतियं-पि धम्म सरणं गच्छामि । ।
  दुतियं-पि संघं सरणं गच्छामि । । 
  ततियं-पि बुद्धं सरणं गच्छामि । । । 
  ततियं-पि धम्म सरणं गच्छामि । । । 
  ततियं-पि संघं सरणं गच्छामि । । । 

                    🌹पञ्च सीलं🌹 

पाणा-ति-पाता वेरमणी सिक्खापदं समादियामि। 
अदिन्ना-दाना वेरमणी सिक्खापदं समादियामि । 
कामेसु-मिच्छा-चारा वेरमणी सिक्खापदं समादियामि । 
मुसा-वादा वेरमणी सिक्खापदं समादियामी । 
सुरा-मेरय-मज्ज पमाद-अट्ठाना वेरमणी सिक्खापदं समादियामी । 

🔸साधु ! 🔸साधु ! ! 🔸साधु ! ! ! 

भवतु सब्ब मङ्गलं रक्खन्तु सब्ब देवता 
सब्ब बुद्धानुभावेन सदा सोत्थि भवन्तु'ते ।। 

भवतु सब्ब मङ्गलं रक्खन्तु सब्ब देवता 
सब्ब धम्मानुभावेन सदा सोत्थि भवन्तु'ते ।। 

भवतु सब्ब मङ्गलं रक्खन्तु सब्ब देवता 
सब्ब संघानुभावेन सदा सोत्थि भवन्तु'ते ।। 

                  साधु!साधु!!साधु!!!
                       🙏🙏🙏
🌷
न'त्थि मे सरणं अञ्ञं, बुद्धो मे सरणं वरम् ,
ऐतेन सच्च-वज्जेन वढ्ढेय्यं सत्थु-सासने ।
बुद्धं मे वन्दमानेन यं पुण्णं पसुतं इध ,
सब्बे पि अन्तराया मेमाहेसुं तस्स तेजसा ।। 

न'त्थि मे सरणं अञ्ञं, धम्मो मे सरणं वरम् ,
ऐतेन सच्च-वज्जेन वढ्ढेय्यं सत्थु-सासने ।
धम्मं मे वन्दमानेन यं पुण्णं पसुतं इध ,
सब्बे पि अन्तराया मेमाहेसुं तस्स तेजसा ।। 

न'त्थि मे सरणं अञ्ञं, संघो मे सरणं वरम् ,
ऐतेन सच्च-वज्जेन वढ्ढेय्यं सत्थु-सासने ।
संघं मे वन्दमानेन यं पुण्णं पसुतं इध ,
सब्बे पि अन्तराया मेमाहेसुं तस्स तेजसा ।। 

                  साधु!साधु!!साधु!!!
                       🙏🙏🙏 

(तदुपरांत उच्चारण करते हुए उपासथ-व्रत कि शपथ लें 👇👇👇) -
            
भगवान् तथागत गोतम बुद्ध ने कहा है -
"अब मैं तुम्हें गृहस्थ-धम्म बताता हूं, जैसा कि करने वाला सावक अच्छा होता है। जो सम्पूर्ण भिक्खु धम्म है, उसका पालन सपरिग्रही (गृहस्थ=उपासक/उपासिका) से नहीं किया जा सकता ।। 

संसार में जो स्थावर और जंगम प्राणी हैं, न उनको जान से मारे, न मरवाये, और न तो उन्हें मारने की अनुमति दे। सभी प्राणियों के प्रति दण्ड त्यागी हो।। 

तब दूसरे की समझी जाने वाली किसी चीज को चुराना त्याग दे, न चुराये, और न चुराने वाले को अनुमति ही दे। सभी प्रकार की चोरी को त्याग दे।। 

जानकार पुरुष जलती हुई आग के गड्ढे की तरह अपब्बजित जीवन को छोड़ दे। पब्बजित जीवन का पालन न कर सकने पर भी पर (पराई) स्त्री/पुरूष का सहवास न करे।। 

सभा या परिषद् में जाकर एक दूसरे के लिए झूठ न बोले, न तो (स्वयं झूठ) बोले और न बोलने वाले को अनुमति दे। सब प्रकार के असत्य-भाषण को त्याग दे।। 

जो गृहस्थ इस धम्म को पसन्द करता हो, वह 'यह उन्मादक है' ऐसा जानकर शराब का पान न करे, न पिलावे और न पीने वाले के लिए अनुमति दे।। 

मूर्ख लोग मद के कारण बुरे कर्म करते हैं और दूसरे प्रमादित लोगों से कराते भी हैं। बुरे कर्म के घर को त्याग दो, जो उन्मादक है, मोहक है, और मूर्खों को प्रिय है।। 

जीव-हिंसा न करे, चोरी न करे, झूठ न बोले और न शराब पिये। अपब्बजित जीवन और मैथुन से विरत रहे और रात्रि में विकाल भोजन न करे।। 

आठ अंगों वाला (अट्ठांगिक-उपोसथ) न माला धारण करे, न गंध का सेवन करे, चौकी, भूमि या जमीन पर सोये । इसे उपोसथ कहते हैं। दुख पारंगत बुद्ध द्वारा यह प्रकाशित किया गया है।। 

प्रत्येक पक्ष की चतुदशी, पूर्णिमा, अट्ठमी और प्रतिहार्य पक्ष को प्रसन्न मन से अट्ठांग उपोसथ का पूर्णरूप से पालन करना चाहिए।। 

तब जानकार पुरुष सुबह उपोसथ ग्रहण कर अपनी शक्ति के अनुसार सद्धापूर्वक अनुमोदन करते हुए प्रसन्नता से भिक्खुसंघ को अन्न और पेय का दान दे।। 

धम्म से माता-पिता का पोषण करे, किसी धम्मिक कार्य में अपने को लगाये। जो अप्रमत्त गृहस्थ इस व्रत का पालन करता है, वह स्वयंपभ नामक (स्वर्ग) लोक में उत्पन्न होता है।" 

(फिर उच्चारण करें) -
"मैं अट्ठंगिक-उपोसथ-व्रत को धारण-कर पूर्ण-रूप से पालन करने की शपथ लेता/लेती हूँ" । 

(अट्ठंगिक-उपोसथ-व्रत को धारण करने के बाद महामङ्गल-सुत्त का उच्चारण करें) -
👇
                 🌹महामङ्गल सुत्तं🌹 

भगवन्तं गाथाय अज्झभासि - 

" बहू देवा मनुस्सा च , मङ्गलानि अचिन्तयु ।
आकङ्घमाना सोत्थानं , ब्रूहि मङ्गलम् उत्तमं"। 

" बहु देवा मनुस्सा च , मगलानि अचिन्तयुं । 
आकंखमाना सोत्थानं , ब्रूहि मङ्गलम् उत्तमं " ।। 

" असेवना च बालानं , पण्डितानं च सेवना । 
पूजा च पूजनीयानं , एतं मङ्गलम् उत्तम ।। 

"पति-रूप-देस-वासो च , पुब्बे च कतपुञ्ञता ।
अत्त-सम्मा-पणिधि च , एतं मङ्गलम् उत्तमं । । 

"बाहु-सच्चं च सिप्पं च, विनयो च सु-सिक्खितो। 
सु-भासिता च या-वाचा , एतं मङ्गलम् उत्तम । । 

"माता-पितु उपट्ठानं , पुत्त-दारस्स सङ्गहो । 
अनाकुला च कम्मन्ता , एतं मङ्गलम् उत्तमं । । 

"दानं च धम्म-चरिया च , ञातकानं च सगहो । 
अनवज्जानि कम्मानि , एतं मङ्गलम् उत्तमं । । 

"आ-रति वि-रति पापा , मज्ज-पाना च संयमो ।
अप्पमादो च धम्मेसु , एतं मङ्गलम् उत्तमं । । 

"गारवो च निवातो च , सन्तुट्ठी च कतञ्ञुता ।
कालेन धम्म-सवणं , एतं मङ्गलम् उत्तमं । । 

"खन्ती च सोव-चस्सता , समणानं च दस्सनं । 
कालेन धम्म-साकच्छा , एतं मङ्गलम् उत्तमं । । 

"तपो च ब्रह्मचरियं च , अरिय-सच्चान दस्सनं । 
निब्बाण-सच्छि-किरिया च, एतं मङ्गलम् उत्तमं। 

"फुट्ठस्स लोक-धम्मे-हि , चित्तं यस्स न कम्पति ।
असोकं विरजं खेमं , एतं मङ्गलम् उत्तम । । 

एतादिसानि कत्वान , सब्बत्थम-पराजिता ।
सब्बत्थ सोत्थिं गच्छन्ति , तं तेसं मङ्गलम् उत्तमन्ति "।। 

            🌲महामङ्गलसुत्तं निट्ठितं🌲 

(तदुपरांत) सफेद-मोटे-धागे को उपस्थित इच्छुक उपासक/उपासिकाओं के कर-बद्ध हाथों से निकाल कर समेट लें, व 

🌹सब्बीतियो विवज्जन्तु , 
                         🌹सब्ब-रोगो विनस्सतु । । 
🌹मा ते भवत्वन्त-रायो , 
                        🌹सुखी दीघायु-को भव । ।
(अनुवाद)
🌹आपकी सभी विपदायें समाप्त हों, 
       🌹आपके सभी रोग विनाश को प्राप्त हों,
🌹आपके मार्ग कि बांधाओं का अंत हो, 
              🌹आप सुखी-दिर्घायू को प्राप्त हों।)
सुत्त का उच्चारण करते हुए, उपोसथ में सम्मिलित समस्त इच्छुक उपासक/उपासिका के दाया (सीधे) हाथ में उस सफ़ेद-मोटा-धागा (परित्त-बंधन = रक्षा-बंधन) को बांधकर कैंची से काटते जाये । ताकि उपासक/उपासिका का ध्यान जब भी अपने दायें हाथ पर बंधे परित्त-बंधन पर जाये, तो उसे "उपोसथ" में लिए गये आठ-सील स्मृत हो जाऐं । 

(अंत में) "महामङ्गल-सुत्त" का प्रादेशिक में, अनुवाद अवश्य सुनाऐं ! 

(अनुवाद - )
                🌹महा-मङ्गल-सूत्त🌹 

🙏 यह निवेदन किया - 

1. " बहुत से देवता एवं मनुष्य , 
      अपने कल्याण हेतु , 
      मङ्गलकामना किया करते हैं , 
      कृपया ( उन पर अनुकम्पा करते हुए )
      किसी उत्तम मङ्गलपाठ का निर्देश करें " । 

( भगवान् बोले - ) 
२ . " मूर्खों की संगत न कर ,
        पण्डित (बुद्धिमान्) की संगत करना, 
        पूजनीय की ही पूजा करना - 
                   - यही उत्तम मङ्गल है
३ . अनुकूल देश में रहना , 
      पूर्वजन्म में किया हुआ पुण्य , 
       किसी भी विषय पर अपना उचित निश्चय
       करने की क्षमता प्राप्त करना - 
                    - यही उत्तम मङ्गल हैं । । 
४ . बहुश्रुत होना (अतिशय विद्वत होना) 
     शिल्प (आजीविका के सम्मानित साधन
     प्राप्त करने हेतु) सीखना ,  
     सुशिक्षित होना , 
     मधुर एवं प्रिय वाणी बोलना -
                  - यही उत्तम मङ्गल हैं । 
५ . माता - पिता की सेवा करना , 
     बच्चों एवं पत्नी/पति आदि का संरक्षण
     करना ,
     कुल-विनास के कर्म न करना - 
                  - यही उत्तम मङ्गल हैं । 
६ . दान देना , धर्माचरण करना ,
     ज्ञातिजनों ( परिजनों ) का संरक्षण करना ,
    आजीविका के साधनों को समाप्त न करना
     (निर्दोष कार्य करना) -
                  - यही उत्तम मङ्गल हैं । 
७ . पापों से दूर रहना , पापों का त्याग करना , 
   मद-पान में संयम , आलस/भूल न करना
   ( धर्माचरण में सदा सावधान रहना)- 
                     - यही उत्तम मङ्गल हैं । 
८ . वृद्धों का सम्मान ( गौरव ) , एकान्तवास ,
   अपने कृत एवं प्राप्त पर सन्तोष करना , 
   किसी के द्वारा किये उपकार के प्रति कृतज्ञता
   प्रकट करना , 
   समय पर धर्म-प्रवचन सुनना तथा उसका
   अभ्यास करना - 
                    - यही उत्तम मङ्गल हैं । 
९ . किसी के द्वारा कृत अपकार (दोष) को
    क्षमा करना , सबके सम्मुख विनम्रता , 
    समण (बौद्ध-भिक्खु) के दर्शन , 
     समय समय पर धर्म का साक्षात्कार करना-
                  - यही उत्तम मङ्गल हैं । 
१० . तपस्या , ब्रह्मचर्य का पालन करना , 
      चार अरिय-सच्चं (आर्य-सत्यों) का
      दर्शन करना (मनन एवं निदिध्यासन), 
     निब्बान का साक्षात्कार करना - 
                 - यही उत्तम मङ्गल हैं ।
११ . जिस पुरुष का चित्त लोकधर्म ( सुख -
         दुःख , यश - अपयश , हानि - लाभ ,
         निन्दा प्रशंसा ) से सम्पर्क होने पर भी
         कुछ भी विचलित नहीं होता ; 
         शोकरहित , 
         निर्मल एवं आनन्दमय ही रहता है - 
                      - यही उत्तम मङ्गल है । 
१२ . ऐसे ( उपर्युक्त ) कर्म करने वाले सत्पुरुष
       स्वयं को सर्वत्र अपराजित ( विजयी )
       अनुभव करते हैं , 
       उनका सर्वत्र कल्याण होता है ;
       यह उनके लिए -
                              - उत्तम मङ्गल है " । 

🔸तदुपरांत अन्न-दान सामर्थ्य-अनुसार कर सकते हैं ।
🔸स्वयं भी भोजन ग्रहण करें ।
🔸दान किसी गरीब-निर्धन-असहाय-बृद्धजन व भिक्खु को कर सकते हैं ।
🔸खीर व खिचड़ी बना कर दान कर सकते हैं । 

{खीर-दान व यवागू-दान (खिचड़ी-दान)} 

🔸खीर व खिचड़ी में औषधिय तत्व होते हैं। जाऊर या तस्मई या यवागू या यागू या खिचड़ी सब पर्यायवाची शब्द हैं। पतली खिचड़ी में दस-गुण देखकर, अन्धकविन्द, राजगह में भगवान् तथागत गोतम बुद्ध ने यवागू (यागू = खिचड़ी) की अनुज्ञा की थी । इसलिए इनका दान करना चाहिए । 

भगवान् ने कहा :-
"उपासक! खिचड़ी के दस महात्म्य हैं। दस गुण हैं- 

🔸1. खिचड़ी देने वाला आयु का दाता होता है।
🔸2. खिचड़ी देने वाला वर्ण, रूप का दाता होता है।
🔸3. खिचड़ी देने वाला सुख का दाता होता है।
🔸4. खिचड़ी देने वाला बल का दाता होता है।
🔸5. खिचड़ी देने वाला प्रतिभा का दाता होता है।
🔸6. उसकी दी खिचड़ी से क्षुधा शान्त होती है।
🔸7. उसकी दी खिचड़ी प्यास का शमन करती है।
🔸8. उसकी दी खिचड़ी वायु को अनुकूल करती है।
🔸9. खिचड़ी पेट को साफ करती है।
🔸10. खिचड़ी न पचे को पचाती है।"
" खिचड़ी के ये दस गुण हैं। जो संयमी, श्रद्धालु दूसरे के दिये भोजन करने वालों को समय पर सत्कारपूर्वक यवागू का दान करता है, उसे ये दस फल मिलते हैं- 

🔹1. आयु
🔹2. रूप-वर्ण 
🔹3. सुख 
🔹4. बल
🔹5. प्रतिभा उत्पन्न होती है।
🔹6. क्षुधा शान्त होती है।
🔹7. प्यास शान्त होती है।
🔹8. वायु विकार नहीं होता, वायु अनुकूल रहती है।
🔹9. पेट का शोधन होता है।
🔹10. पाचन ठीक रहता है।" 

भगवान ने यह भी कहा कि यह औषधि तुल्य है। दिव्य सुख की चाह रखने वाले और सौभाग्य की इच्छा रखने वाले व्यक्ति को खिचड़ी का दाता होना चाहिए। 

🙏 उपरोक्त समस्त विधि को प्रात: 11:00 बजे से पूर्व पूर्ण कर लेना चाहिए, ताकि पूर्वाह्ण से पूर्व ही उपोसथ-व्रत लेने वाले लोग भोजन ग्रहण करके बाकी बचे समय में, 

उपोसथ वाले दिन -
🔸"सिगालोवाद सुत्त" , 
🔸"महानाम सुत्त" , 
🔸"हत्थक सुत्त" , 
🔸"व्यग्घपज्ज" ,
🔸"माघ सुत्त" ,
🔸"दान सुत्त" ,
🔸"पराभव सुत्त" ,
🔸"थपति सुत्त" ; 
🔸आदि-आदि सुत्त जो 
🔹उपासकों/उपासिकाओं को कहें गये सुत्तं हैं उनको दिन-रात मनोसात करते हुए गुजारें । 

🙏रात्रि में भोजन न करें, रात्रि में कुछ पेय-पदार्थ आवश्यकता होने पर ले सकते हैं । 

सबका मंगल हो 👌👌👌 

भवतु सब्ब मंङ्गलं !! 
🙏🙏🙏