Sunday, 21 April 2019

પણ હું શું કરું?ટીચર 2 સ્ટાર આપે તો!

      



મારી પડોશમાં રહેતો જૈનિલ.👌 3 વર્ષ નો છે હાલ.આ વર્ષે તેને કે.જી.1 માં ભણવા મૂક્યો.
          દરરોજ સવારે વહેલા ઉઠી ને ભણવા જાય. નવી નવી સ્કુલ, નવી બુક્સ, નવા બૂટ અને જૈનિલ ને સૌથી પ્રિય છે તેનો યુનિફોર્મ.
            બપોરે સ્કૂલે થી આવી ને થોડું ઘણું જમે, સ્કૂલ માં પણ જમવાનું આપે,એટલે ઘરે ઓછું જમે. જમ્યા પછી એની મમ્મી તેને સુવડાવી દે.ઊઠ્યા બાદ દૂધ અને નાસ્તો કરી પછી તેની મમ્મી તેને હોમવર્ક કરાવે.સાંજે સોસાયટી માં રમવા જાય. આવીને નાહી ધોઈને જમ્યા પછી થોડી વાર ટી.વી.જુવે કે મોબાઈલ માં ગેમ રમે. પછી ક્યારેક અમારા ઘરે પણ આવે, અમે તેના ઘરે જઈએ. આ નિત્યક્રમ જૈનિલ નો.
              જૈનિલ ને ડી.માર્ટ જવાનું બહું જ ગમે. એ સિવાય એને ક્યાંય જવું ન ગમે. સિનેમા ઘર માં મૂવી જોવાનું તો તેને બિલકુલ જ ના ગમે.ઘસીને ના પાડી દે.
                જૈનિલ ખૂબ જ એક્ટીવ તેની ઉંમર ના બીજા બાળકો કરતાં બધી જ રીતે સમજનાર,હોંશિયાર, પ્રેમાળ અને મળતાવડો. મારી પાસે આવીને બહું બધી વાતો કરે.મને તેની વાતો સાંભળવી ગમે છે.
              એક દિવસ ની વાત છે. 🤔 જૈનિલ ની સ્કૂલ માં આટલાં નાના બાળકો ની કક્ષા મુજબ  સારું કામ કરનાર ને  (3 )⭐⭐⭐ આપે.3 સ્ટાર થી આગળ નહીં, 1લા ધોરણ પછી 5 સ્ટાર આપે. જૈનિલ ની મમ્મી એ એકવાર હોમવર્ક કરાવતાં તેનું ચિત્રકામ જોયું.જોયું તો જૈનિલ ને આજે ત્રીજા ચિત્ર માં પણ ⭐⭐ આવ્યા.

 જૈનિલ ની મમ્મી ગુસ્સે થઈ ગઈ. અને બોલી, 

" જૈનિલ! આમાં પણ 2 સ્ટાર? તું બરાબર કલર કેમ નથી પૂરતો?જો જો કલર્સ કેવા બહાર નીકળી ગયા છે? તું શાન્તિ થી ઉતાવળ કર્યા વિના કલર પૂરતો હોય તો? તને પણ 3 સ્ટાર મળે ને? મમ્મા ને 3 સ્ટાર ગમે છે. 2 સ્ટાર નથી ગમતા.હવે તારે 3 સ્ટાર જ લાવવા પડશે." 😯

 જૈનિલ તો તેની મમ્મી નું એકીશ્વાસે બોલેલું સાંભળી ને જાણે ઢીલો પડી ગયો. તેને થયું! મમ્મી ને બહું દુઃખ થયું લાગે છે. અને મમ્મી ગુસ્સે છે.હમણાં પીગળે તેમ  લાગતું નથી.

         તો જૈનિલ પણ ટીચર પર ગુસ્સે થયો હોય તેમ બોલ્યો, " પણ હું શું કરું? ટીચર (2) ⭐⭐ આપે છે."

           જૈનિલ નું આમ ગુસ્સે થઇ બોલેલું સાંભળી ગાર્ગી- તેની મમ્મી એ જૈનિલ સામે જોઈને આંખો કાઢી.

             ફરીથી જૈનિલ ઢીલો થઇ ગયો. તેની મમ્મી ગાર્ગી ને ગળે બંને હાથ વીંટાળીને બોલ્યો, " સારું બસ,મમ્મા! હું ટીચર ને કહીશ.મને 3 ⭐⭐⭐ આપે. ટીચર ને કહીશ કે મમ્મા ને 3 ⭐⭐⭐સ્ટાર ગમે છે તો મને 3 સ્ટાર આપે.
બસ મમ્મા! હવે તને ગમશે ને !"😘

               ગાર્ગી નો ગુસ્સો એકદમ પીગળી ગયો.😍 જૈનિલ ને ખોળામાં લઈને પપ્પી કરી - ખૂબ વહાલ કર્યું. ને કહ્યું, "મારા દિકરા! તુ મને ગમે છે.  3 ⭐⭐⭐ નહીં.

        પછી બંને મા-દીકરો બાગમાં રમવા ગયા.👌

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺



           
        

                  

         
               

Thursday, 15 November 2018

🙏મારા ગુરુ શિક્ષક પિતા ને 75 મા જન્મદિવસ ની શુભેચ્છા.🌹


            જી હા, મારા પિતા એક સાચા અર્થમાં મારા ગુરુ છે. એક શિક્ષક અને પિતા ના નાતે અમારું ઘડતર અને પાયાનું આદર્શ શિક્ષણ અમને આપ્યુ છે.
             બાળપણમાં 3 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી.દાદા પુનમચંદ જે.પંડ્યા સ્વાતંત્ર્ય સેનાની હતા,દેશસેવામાં એવા ઓતપ્રોત કે બાળકો - પત્નિ સામે પણ જોવાનો પણ ટાઈમ નહી. પપ્પા મા ચંચળ ની સાથે ડુંગરાઓ ચઢી ઊતરી ને ગામડે ગામડે ફરી( ભિક્ષા) સીધુ માંગી લાવે.આ રીતે જીવન ગુજારો કરી ભણ્યા ને શિક્ષક બન્યા. લગ્ન પછી મમ્મીને ભણાવી,શિક્ષક બનાવી.
          આજના શિક્ષકોને પ્રેરણા મળે એવા અનોખા ને ઉત્સાહી.શાળામાં સાહેબ,ઘરે પપ્પા.પણ એવા પ્રેમાળ કે ઘરે પપ્પાની બીક ના લાગે,શાળામાં એટલી જ શિસ્તમાં અન્ય બાળકોની જેમ રહેવું પડે.સફાઈ પણ કરવી પડે ,વારા મુજબ આવતી તમામ પ્રવૃત્તિઓ કરવી જ પડે.પ્રાથમિક શિક્ષણ આપવાની અનોખી રીત.પાયાનું જ્ઞાન એટલું દ્રઢ થઈ જાય કે આજીવન ના ભૂલાય.અક્ષર સુંદર આવે તે માટે પત્થરની સ્લેટમાં લોખંડની ખીલ્લી વતી એકબાજુ ડબલ લીટી ને બીજી બાજુ ખાના દોરી આપે.એમાં જ લખવાનું જેથી નાનપણથી જ અક્ષરો મરોડદાર આવે.રોજ રાતે સૂતા સૂતા અમે બધા સાથે ઘડિયાગાન કરતાં કરતાં જ સૂઈ જવાનો નિત્ય નિયમ.

              રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ પ્રાપ્ત કરેલ પંડ્યાજી હંમેશાં શિક્ષણ ક્ષેત્રે અવનવાં સંશોધનો કરતાં રહેતાં.1983 થી 2003 સુધી લગાતાર દર વર્ષે વિજ્ઞાનમેળામાં દ્વિતીય નંબરે રહેતાં.
             નાથાવાસ,ગાયવાછરડા અને વૈયાં ગામમાં ગામલોકોમાં વ્યાપેલ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય રજૂ કરવા ખૂબ મહેનત કરવી પડેલી.એક ભૂવા એ તો સાહેબને ચેલેન્જ કરેલી કે આ તારીખે રાત્રે 12:05 વાગે તમારું મોત થશે,ભૂવાની ચેલેન્જ ખોટી પાડી.ભૂવો કરગરી ગયો પગમાં ,પડી ગયો, માફી માંગી.આ જ રીતે એકવાર ગામલોકોની ના હોવા છતાં પણ( મમ્મી) બેનને લઈને રાતે બાર વાગે જે વડલા નીચે ભૂત આવતુ ત્યાંથી નીકળેલા.રોજરાતે અમૂક જગ્યાએ પત્થરા પડે છે.તેવી અફવા સાંભળી રાતે ટેકરી પરની શાળામાં રોકાઈને પત્થર ફેંકનાર માણસને પકડી પાડ્યો હતો.અંતે 'વિજ્ઞાન જાથા'માં જોડાઈ ને ગામલોકોની અંધશ્રદ્ધા ને ડર દૂર કર્યા હતા.

         અને હા, આ જ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય ને વિજ્ઞાન સાથે સમજાવવા તેઓ જાદુ પણ કરતા.તેમને લોકો જાદુગર પંડ્યાજી પણ કહેતા.

         વેદમાતા ગાયત્રી ના પરમ ઉપાસક અને મેઘરજ ગામના પ્રથમ ગાયત્રી પ્રચારક એવા પંડ્યા સાહેબે ઘણા વર્ષો સુઘી ગાયત્રી અનુષ્ઠાનો કર્યા હતા.શાસ્ત્રોમાં રસ ને જીજ્ઞાસા હોઈ એક કાશીના પંડિત પાસેથી અષ્ટા્ધ્યાયી રુદ્રી શીખ્યા.મને પણ તેમણે રુદ્રી નો એક અંશ (અધ્યાય) શીખવ્યો જે પુરુષ સુક્તમ નામે ઓળખાય છે.ને ત્યારથી તે મારા આધ્યાત્મિક ગુરૂ છે.
    
            સાથે સાથે તેઓ સામાજીક સેવાઓ પણ કરતા.ગામડાના લોકોમાં તે સમયે કુટુંબનિયોજન માટેની સમજ પૂરી પાડી ઑપરેશન માટે પણ સમજાવતા અને સરકારી દવાખાનામાં દાખલ કરવાથી માંડીને છેક રજા આપે ત્યાં સુધી હાજર રહી મદદ કરતા.જમવાની,રહેવાની અને આર્થિક સહાય પણ કરતા.

         હજુ પણ આ ઉંમરે તે એટલા જ સક્રિય છે.હજુ પણ નિયમિત 11 થી 5 શાળા સંભાળી શકે તેટલા સક્ષમ છે.તેઓ ભલે વૃધ્ધ છે પણ તેમના હસ્તાક્ષર તો હજુ એટલા જ જુવાન છે.😀

               સ્વચ્છતા,સુઘડતા,કરકસર ને ચોકસાઈ તો ગાંધીબાપુએ વારસામાં આપ્યું છે.આજની તારીખમાં પણ અંધારામાં પણ તેમના કબાટમાં થી કંઈ પણ વસ્તુ મળે,એ રીતે વ્યવસ્થિત ગોઠવીને રાખેલી હોય.ઊ.દા. પંચ કે કાતર જોઈતી હોય તો પપ્પા કહે કે વચ્ચેના ખાનામાં ડાબી બાજુ જો.😃

           આજે જાદુગર પંડ્યાજીના 75 મા જન્મદિન નિમિત્તે અમે સૌ પરિવાર જનો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તેમને દીર્ઘાયુષ્ય બક્ષે.જીવનની અંતિમ ક્ષણો સુધી સ્વસ્થ રહે.
      मंगल हो 🙏

Saturday, 10 November 2018

Deep

Night story🌝🌝🌝🌝
दीप जगमगा उठे 
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

बिरजू थका हारा अपनी झोंपड़ी में लौटा । उसका उतरा हुआ मुख देखकर उसकी पत्नी ने पूछा आज भी आपको काम नही मिला? उसने कुछ नहीं कहा। झोंपड़ी में अंधियारा छाया था।

बिरजू की पत्नी ने दीपक जलाते हुए कहा' "बहुत जरा सा तेल है, पता नहीं यह दीपक भी कितनी देर जलेगा?"

गरीब बिरजू के दुर्दिन चल रहे थे। एक फैक्टरी में काम करते उसने अपना एक हाथ खो दिया था। अपाहिज बिरजू को अब काम के लाले पड़ गये थे। पत्नी भी उपेक्षा करने लगी थी। तभी पत्नी ने उसे थाली परोसी। दो सूखी रोटियां थाली में उसका मुँह चिढ़ा रही थी। उसने झिझकते हुए पूछा, "बच्चों ने खाना खा लिया?"

पत्नी ने कहा, "हाँ, एक-एक रोटी उन्हें भी दी थी पर छोटू दूध और सब्जी के लिये रोता रहा। रोते-रोते वह सो गया है। कल के खाने के लिए तो कुछ भी नहीं है। उसका मन हुआ कि इस अभाव भरी जिंदगी से अच्छा है कि वह सपरिवार मौत को गले लगा ले। उसके नेत्र भर आये। चुपचाप वह सूखी रोटियाँ निगलने लगा। तभी उसने देखा दीपक की लौ तेज जल रही है । वह उठा और दीपक में तेल देखने लगा। दीपक में तेल नाममात्र को था पर दीपक तेज लौ में जल रहा था। उसने देखा कि दीपक की लौ तेज होती जा रही थी और अचानक दीपक जोरों से भभका और बुझ गया। झोपड़ी में अंधेरा छा गया ।

उसने सोचा कि जब छोटा सा दीपक अपने अस्तित्व के लिये इतना तीव्र संघर्ष कर सकता है। तेल न होने पर भी वह अपनी जलने की गति तीव्र कर देता है और अंत तक संघर्षरत होता है तो वह हार क्यों माने? अब वह संघर्ष करेगा। मरने की बात सोचना कायरता है। बिरजू के मन में आशा और आत्मविश्वास के सैकड़ों दीप जगमगा उठे।
🌹🌹🌹🌹🌹🌹🌹

Buddh

भगवान बुद्ध की एक भिक्षुणी शिष्या थी । उसका नाम था पटाचारा । त्रिपिटक ग्रंथ में उसकी कथा आती है । पटाचारा कुँआरी थी । किसी युवान से उसका मन लग गया । माँ-बाप के न चाहने पर भी उसने उसके साथ शादी कर ली । श्रावस्ती नगरी से बहुत दूर देश में वह अपने पति के साथ रहने लगी ।

★ कालचक्र घुमता गया । वह दो बच्चों की माता हुई । काफी वर्ष गुजरने पर पटाचारा के मन में हुआ कि कुछ भी हो, आखिर माँ-बाप बूढे हो गये होंगे, अब मैं अपने परिवार के जनों से मिलूँ । उन माँ-बाप को रिझा लूँ… मना लूँ ।

★ पटाचारा अपने पति और दो बेटों के साथ चली श्रावस्ती नगरी की ओर । आज से २५०० साल पहले की बात है । गाडी मोटरों की सुविधा न थी । लोग पैदल चलते थे । यात्रा करते करते ये लोग घने जंगल से गुजर रहे थे । रात्रि में पति ने शयन किया और साँप ने उसे काटा । पति मर गया । पटाचारा के सिर परमानो एक दुःख का पहाड गिर पडा ।

★ इतना ही नहीं, रात्रि को तो पति की मृत्यु देख रही है और प्रभात में पुत्र को किसी हिंसक प्राणी ने झपट लिया । वह मौत के घाट उतर गया । अब वह एकलौते बेटे को देख कर मुश्किल से संभल रही है । प्यास के मारे दूसरा बेटा पानी खोजने गया । वह झाड़ियों में उलझ गया और खप गया ।

★ अब अकेली नारी पटाचारा अपने को जैसे तैसे संभालती हुई, रास्ता काटती हुई, कंकडों पत्थरों पर पैर जमाती हुई, दिल को थामती हुई, मनको समझाती हुई मांँ-बाप के दीदार के लिए भागी जा रही है । वह अबला श्रावस्ती नगरी में पहुँचती है तो खबर सुनती है कि जोरों की आँधी चली उसमें उसका मकान गिर गया और बूढे माँ-बाप उसके नीचे दबकर मर गये । पटाचारा के पैरों तले से मानो धरती खिसक रही है । है तो बडी दुःखद घटना मगर ईश्वर न जाने इस दुःख के पीछे कितना सुख देना चाहता है यह पटाचारा को पता न था ।

★ संसार का मोह छुडाकर शाश्वत की ओर ले जानेवाली ईश्वर-कृपा न जाने किस व्यक्ति को किस ढंग की व्यवस्था करके उसे उन्नत करना चाहती है ।
पटाचारा के मन में हुआ कि : ‘आखिर यह क्या ? जिस पति के लिये माँ-बाप छोडे उस पतिको साँप ने डँस मारा, वह चल बसा । बेटों को सम्भाला, पाला-पोसा, बडे होंगे तो सुख देंगे यह अरमान किये । एक बेटे को हिंसक पशु उठाकर ले गया । दूसरा बेटा गायब हो गया । इतना सब दुःख सहते सहते माँ-बाप के लिए आयी, वहाँ के झोंके ने मकान गिरा दिया और वे माँ-बाप दब मरे । क्या यही है जीवन ? क्या यही है हमारे मानव जन्म की उपलब्धि ? पटाचारा की अशांति और मीमांसा दोनों शुरू हुई । वह बुद्ध के पास पहुँची । पटाचारा से बुद्ध ने कहा : ‘‘पटाचारा ! जो कुछ होता है, जीव की उन्नति के लिए, विकास के लिए होता है । तेरे दो पुत्र इस जन्म में तेरे पुत्र थे परंतु न जाने कितनी बार और कितनों के पुत्र हुये और अभी न जाने वे किसकी कोख में होंगे तुझे क्या पता ? तेरा पति इस जन्म में तेरा पति था परंतु करोडों बार न जाने कितनों का पति बना होगा ? पटाचारा ! तू इस जन्म में इस माँ-बाप की बेटी थी, परंतु अगले जन्म के तेरे कौन माँ-बाप हुये होंगे ? कितने माँ-बाप बदल गये होंगे यह तुझे पता नहीं । शायद वह पता दिलाने के लिए परमात्मा ने यह व्यवस्था की हो ।

★ जगत की नश्वरता समझाते हुये बुद्ध ने पटाचारा को उपदेश दिया । पटाचारा ऐसी भिक्षुणी बनी कि उसने एक बार महिलाओं के बीच प्रवचन किया और उसी एक प्रवचन से प्रभावित होकर पाँच सौ महिलायेंँ साध्वी हो गयीं । कहाँ तो जीवन की इतनी भीषण दुःखद अवस्था और कहाँ बुद्ध का मिलना और वह ऐसी भिक्षुणी हो गयी कि पाँच सौ महिलायेंँ एक साथ भिक्षुणी बन पडी । अभी सत्संग में उसकी चर्चा होती है ।

★ *हम समीक्षा करेंगे तो पता चलेगा कि हर दुःख के पीछे कोई नया सुख छिपा है और सुख के पीछे दुःख छिपा है । हम इतने अनजान हैं कि दुःख के भय से दुःखी होते रहते हैं और सुख में लेपायमान होते रहते हैं । सुख और दुःख की अगर ठीक से समीक्षा करेंगे तो ये सुख और दुःख दोनों हमें जगाने का काम करेंगे ।

Wednesday, 19 September 2018

Om namah shivay

શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે.
    શું માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી જ એ પત્થર પત્થર ન રહેતા એક દેહધારી બની જાય છે. શું તે શિવલિંગમાં એવું કોઈ તત્ત્વ હોય છે કે જે તમારી પ્રાર્થનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી તમને તેની પ્રતિક્રિયા રૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા પ્રશ્નો સહેજે થાય છે. અહિં આ મુદ્દે જ વિશેષ છણાવટ આપવામાં આવી છે.

શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં….

ભૌતિક કારણોમાં એવું જણાવવામાં આવે છે કે શિવજીએ વિષપાન કર્યું  હોવાથી તેમનાં શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવો જોઈએ. તો વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ  જે તે ક્ષેત્રમાં નકારાત્મક ઉર્જાને હણીને સકારાત્મક ઉર્જા ફેલાય છે તેવું આપવામાં આવે છે. જ્યારે અધ્યાત્મિક રીતે એવું જણાવવામાં આવે છે કે માથા આજ્ઞા ચક્ર હોય છે. જેમાં શરીરમાં રહેલી નાડીઓ જેવી કે ઈડા અને પિંગળા મળતી હોવાથી તેમાંથી ઉર્જાનું વહન થાય છે. જે તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતાને સંચાલિત કરે છે. જેને શિવસ્થાન કહે છે. તેથી મન શાંત રહે તે માટે શિવને અભિષેક કરવામાં આવે છે.

આ વાત વિજ્ઞાનની મદદથી જાણવા કોશિશ કરવામાં આવી. જેમાં ભારતભરમાં રેડિયો એક્ટિવ સ્થળોનો મેપ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આશ્રર્ય વચ્ચે જ્યાં જ્યાં શિવાલયો હતાં ત્યાં ત્યાં રેડિયો એક્ટિવ તત્ત્વો હોવાનું જાણવા મળ્યું.

આથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર છે. શિવલિંગ અન્ય કઈં નહિં પણ ન્યૂક્લિયર રિએક્ટર્સ જ છે. તેથી જ તો તેના પર જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે. મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે બિલિપત્ર, આંકડો, ધતૂરો, ભાંગ, જાસુદ વિગેરે તમામ ન્યૂક્લિયર એનર્જી શોષનારા તત્ત્વો છે. આ વસ્તુ જ બતાવે છે કે હિંદૂ ધર્મ કેટલો આગળ છે. તેમાં કેટલી હદે વિજ્ઞાન સમાવિષ્ટ છે. શા માટે શિવલિંગને અપૂજ ન રખાય તે વાત આમાંથી જાણવા મળે છે. સાથોસાથ શિવને ચઢાવેલું કેમ સામાન્ય માનવી એ ન ખાવું જોઈએ તે વાત પણ સમજી શકાય છે. કારણ કે તે રેડિયો એક્ટિવ તત્ત્વો ધરાવતું હોય છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિવને ચઢાવેલું એ શિવનિર્માલ્ય થઈ જાય છે. તે પછી સામાન્ય માનવીથી લઈ શકાય નહિં..

શિવલિંગને ચઢાવેલું પાણી પણ રિએક્ટિવ થઈ જાય છે. તેથી જ જળ નિકળતી નાળને લાંધવામાં આવતી નથી. ભાભા એટમિક રિએક્ટરની ડિઝાઈન પણ શિવલિંગ જેવી જ છે. શિવલિંગ પર ચઢાવેલું જળ નદીના વહેતા પાણીમાં સાથે વહીને ઔષધીનું રૂપ લે છે. શિવ પર ચઢતી વસ્તુઓએ એવા એવા વિચિત્ર અને કદાચ હજી વિજ્ઞાન શોધી પણ શક્યું નથી. તેવા રોગોનો મૂળમાંથી ઈલાજ કરે છે. તેથી જ તે અલભ્ય હોવાથી તે શિવ પર ચડાવીને તેનું આ રીતે પેઢી દર પેઢી સંવર્ધન કરવામાં આવે છે. આપણી પરંપરાઓની પાછળ કેટલું ઉંડું વિજ્ઞાન છૂપાયેલું છે, જેને ઘર્મનો આંચળો ઓઢાળવામાં આવ્યો છે. જેથી આવનારી માનવપેઢીઓ અનંત વર્ષો સુધી સુખી રહે તે ભાવના ઉજાગર થયા વગર રહેતી નથી.

શિવની પૂજામાં સાચે જ કહેવામાં આવ્યું છે કે

તં તત્ત્વમ્ ન જાનામિ, શિવ દર્શનમ્ ભવામિ યુગે યુગે.

એટલે કે હે શિવ, તમારા તત્ત્વોનો પાર અમે પામી શકતા નથી. ભવોભવ અમે શિવ દર્શન કરતાં રહીએ.

જ્યાં સુધી શિવ દર્શન અને શિવ પૂજન થતું રહેશે ત્યાં સુધી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો રહેશે.🙏🌺

Monday, 3 September 2018

કાન્હા, હેપ્પી બર્થડે 🌹🎂🌹

विश्वके सबसे बड़े राजनीतिज्ञ , युद्ध विशेषज्ञ , कानून विशेषज्ञ , प्रेम विशेषज्ञ, परिवार विशेषज्ञ , खेल विशेषज्ञ श्री कृष्ण जी को जन्म तिथी जन्माष्टमी की खूब खूब शुभकामनाए |

उनके आशीर्वाद भारत के तमाम लोगो पर बने रहे सबको मार्गदर्शित करे |
जय श्री कृष्णा |

सच्चिदानन्द रूपाय विश्वोत्पत्यादि हेतवे
तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः

जिसका स्वरूप सच्चिदानन्द है, जो इस समस्त विश्वकी उत्पत्ति, पालन एवं संहार करते है, जो उसके भक्तो के लिए तीनो ताप का विनाश करते है, हम सभी वोह श्री राधा कृष्णको नमन करते है,

पद्म पुराण में इस श्लोक से श्रीमद भागवत महात्म्य का प्रारंभ होता है. मेने मेरे गुरदेव एवं अन्य संतोके श्रीमुख से इस श्लोक का विस्तारपूर्वक विवेचन सुना है. मेने मेरी मति अनुसार जो सुना है में वह प्रस्तुत करताहू.

सत – नित्य एवं शास्वत. प्रश्न: सत एवं असत में क्या अंतर है? उत्तर: सत वोह है जिसमे परिवर्तन नहीं होता है. वेदांत दर्शन में सत्य की व्याख्या यही है की जो तत्त्व परिवर्तनशील है वोह नाशवंत है अपितु सत्य नहीं, परन्तु जो प्राकृतिक बंधनों से पर है एवं परिवर्तनशील नहीं है, वोह ही सत्य हो सकता है. भगवद गीता में भी भगवान श्री कृष्ण कहते है की ‘नासतो विद्यते भावो नाभावो विद्यते सतः’, जो असत है उसका अस्तित्व नहीं है एवं जो सत है उसका नाश नहीं होता, क्यूंकि वो नित्य है.

चित – शुद्ध चैतन्य,

आनंद – परम विलास. प्रश्न: सुख एवं आनंद में भेद है? उत्तर: जी है, सुख इस संसार जगत के साथ द्वंद बंधनों से पर नहीं है, क्यूंकि सुख, दुःख के साथ बंधा हुआ है, जेसे हर्ष और शोक, ठंड और गर्मी, ऐसा ही इस संसार माया में द्वंद है परन्तु जो वेदिक शास्त्र जब आनंद की व्याख्या देते हे वोह इस संसार की अनुभूतियो के पर है जिसमे द्वन्द कदापि नहीं है.

रूपाय – जिसका स्वरूप हे,

विश्व – इस सकल संसार जिसमे सभी जल, पृथ्वी, वायु, तेज, अग्निसे बनाया गया है और सर्व सांख्य दर्शन के तत्त्वों जिसका उल्लेख श्रीमद भागवत महापुराण में विस्तारपूर्वक रचना हुई है महाऋषि कपिल और माता देवहुति के संवाद में.

उत्पति – प्रारम्भा, निर्माण. प्रश्न: कृष्ण के पहले और कुछ था? उत्तर: नहीं, श्रीमद भागवतमें भगवान कहते है की ‘अहमेवा समेवाग्रे नान्यद यत सदसत परम’ – ‘मेरे सिवा और कुछ नहीं था, नहीं इस सृष्टि के तत्त्व थे नहीं इस सृष्टि’, यह प्रमाण हे के भगवान कृष्ण के अलावा कुछ नहीं था. वोही इस इस सकल संसार के रचेता है.

आदि – वगेरे, का पोषण एवं संहार, इस शब्द जब हम श्लोक के स्थूल रूप में लिया तो शब्दार्थ होता है ‘वगेरे’, परन्तु जब हम उसके भावार्थ को समजे तो लिखा हुआ है ‘पोषण एवं संहार’. क्यूंकि उत्पति की पहले व्याख्याकी है तो सरल है की पोषण एवं संहार ही होना चाहिए. प्रश्न: पोषण एवं संहार कौन करता है? उत्तर: मूल तत्त्व केवल भगवान कृष्ण है परन्तु इस सकल संसार के लिया अन्य देवी देवता भगवान की आज्ञा से सृष्टि सेवा में व्यस्त है.

हेतवे – जिसका हेतु, निर्माता, बिज, करता,

त्रय – तीनों,

ताप – दुःख का विभाजन: अध्यात्मिक, अधिदैविक एवं अधिभौतिक,

विनाशाय – संपूर्ण नष्ट करता है,

श्री – श्री राधा. प्रश्न: यह राधा का नाम क्युं? उत्तर: वेदिक धर्मं अनुसार, जब हम प्रभु के नाम लहते है, उसके पहले हम उसके देविशक्ति का आवाहन एवं स्मरण करते है. श्रीमती राधारानी, श्री कृष्ण की अविछिन ह्लादिनी शक्ति है. श्री राधाजिकी कृपा से ही जीव श्री कृष्ण प्रेम को अनुभव कर सकते है. ,

कृष्णाय – उस कृष्णको जो पूर्ण पुरुषोत्तम भगवान है,

वयम – हम सब जीव,

नुमः – नमन करते है

हम जब इस श्लोक की विभाजन करते है तो श्री कृष्ण के तिन लक्षणों के दर्शन होते है, वोह है स्वरूप, कार्य और स्वभाव. सत, चित और आनंद, श्री कृष्णकी स्वरूप दर्शन है. श्री कृष्ण का कार्य दर्शन है इस सकल संसारकी उत्पत्ति, पालन एवं अंत में संहार, एवं तीसरा दर्शन है भगवान का स्वभाव, जो संतो, भक्तो एवं साधको के तीनों दुःख को मूल से विनाश करदेते है

                                 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Friday, 31 August 2018

Man

*' જો ઉપયોગ લેતાં આવડે તો મનુષ્યનું મન જ અદ્ભૂત બળનો ભંડાર છે.અનુકૂળ મન એટલે જ સુખ અને પ્રતિકૂળ મન એટલે જ દુઃખ.જો કે સુખ,દુઃખ અને મન-આ બધુંય દૃશ્ય પદાર્થો જ છે.પણ સગુણ બ્રહ્મક્ષેત્રે તેનું મહત્વ ઘણું જ છે.પ્રકૃતિ તત્ત્વનું યથાર્થ રહસ્ય જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી પ્રકૃતિનો અતિક્રમ કરી,પ્રકૃતિથી પર પુરુષતત્ત્વમાં સ્થિતિ પમાય નહીં.જો કે પરમાત્મા સર્વનો આધાર છે.તે કોઈનેય ભુલ્યો નથી. ભૂલે તેમ છે પણ નહીં,કેમ કે તે સર્વનો અંતરાત્મા બનીને રહેલો છે.તેની તરફ નજર જવી જોઈએ. પરમાત્મા ખોયો નથી પણ ભુલાયો છે.સર્વની ચિંતા તેને છે કારણ કે તે વિશ્વંભરનાથ છે.તે સર્વનો છે અને સર્વમાં સમાયો છે.તે સર્વ વ્યાપક છે.બધે તે જ છે.તે સ્વયં અમર અસ્તિત્વ છે.આપણે ક્યાં છીએ ?'-પ.પૂ.દયાળુ ભગવાન*