Friday, 7 April 2023

ધોરણ 6, એકમ 5 /અગત્યના મુદ્દા.

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
A. બોધિગયા
B. સારનાથ
C. કુશીનારા
D. કપિલવસ્તુ
ઉત્તર:
B. સારનાથ

પ્રશ્ન 2.
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
A. લુમ્બિની
B. કપિલવસ્તુ
C. કુશીનારા
D. સારનાથ
ઉત્તર:
C. કુશીનારા

પ્રશ્ન 3.
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
A. ત્રિશલાદેવી
B. માયાદેવી
C. યશોદા
D. યશોધરા
ઉત્તર:
A. ત્રિશલાદેવી

પ્રશ્ન 4.
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
A. કપિલવસ્તુ
B. કુંડગ્રામ
C. સારનાથ
D. પાવાપુરી
ઉત્તર:
B. કુંડગ્રામ

પ્રશ્ન 5.
મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
A. પાલિ
B. પ્રાકૃત અને અર્ધમાગ્ધી
C. પ્રાકૃત અને પાલિ
D. પાલિ અને અર્ધમાગ્ધી
ઉત્તર:
B. પ્રાકૃત અને અર્ધમાગ્ધી

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતોઃ

આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.
તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે.
ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાનાં કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહિ.
સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ.
પ્રાણીમાત્ર પર દયા રાખવી.

પ્રશ્ન 2.
મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર:
મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન(રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચવ્રતોનો ઉપદેશ આપ્યો હતો:

કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા { કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
હંમેશાં સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો.
ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી.
જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો.
જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
પ્રશ્ન 3.
જૈનધર્મે કયાં પાંચ મહાવ્રતો આપ્યાં?
ઉત્તર:
જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યાં હતાં

અહિંસા,
સત્ય,
બ્રહ્મચર્ય (ઇન્દ્રિયોને સંયમમાં રાખવી),
અસ્તેય (ચોરી ન કરવી) અને
અપરિગ્રહ (સંગ્રહ ન કરવો).
3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
2. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
3. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ઉત્તર:
1. ખરું
2. ખોટું
૩. ખોટું

4. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી?
ઉત્તર:
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતીઃ

બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઈન્કાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે.
તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ.
બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ.
સ્ત્રીઓને પુરુષોની જેમ સમ્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.



Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:


પ્રશ્ન 1.
ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલેએ (ઈ. સ. 1912માં) અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.

પ્રશ્ન 2.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.


પ્રશ્ન 3.
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
ઉત્તર:
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 (સાત) વર્ષનો રાખવો જોઈએ.

પ્રશ્ન 4.
દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
ઉત્તર:
દુર્ગારામ મહેતાએ (ઈ. સ. 1844માં) સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શાં પગલાં ભરવામાં આવ્યાં?
ઉત્તરઃ
સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી.

સર સયાજીરાવ ગાયકવાડનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો.

પ્રશ્ન 2.
ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
ઉત્તર:
ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.


Skip to content
Above Header

GSEB Solutions
Main Menu
GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
January 5, 2022 / By Bhagya
Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Textbook Exercise and Answers.

અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Class 8 GSEB Solutions Social Science Chapter 3
GSEB Class 8 Social Science અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:

પ્રશ્ન 1.
ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલેએ (ઈ. સ. 1912માં) અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.

પ્રશ્ન 2.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.


પ્રશ્ન 3.
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
ઉત્તર:
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 (સાત) વર્ષનો રાખવો જોઈએ.

પ્રશ્ન 4.
દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
ઉત્તર:
દુર્ગારામ મહેતાએ (ઈ. સ. 1844માં) સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શાં પગલાં ભરવામાં આવ્યાં?
ઉત્તરઃ
સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી.

સર સયાજીરાવ ગાયકવાડનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો.

પ્રશ્ન 2.
ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
ઉત્તર:
ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.

GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

પ્રશ્ન 3.
વુડના ખરતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી?
ઉત્તર:
ભારતમાં શિક્ષણ ક્ષેત્રની ‘મેગ્નાકાટ’ કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈ. સ. 1854ના વુડના ખરીતા(વર્ડ્સ ડિસ્પેચ)થી થયો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી:

દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવી.
સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી.
ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રાન્ટ્સ) આપવું.
શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી.
ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો.
દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી.
સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું.
શિષ્યવૃત્તિઓ આપવી.
આ ઉપરાંત, વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.

પ્રશ્ન 4.
મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા?
ઉત્તર:
મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા:

મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી.
જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યાકેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી.
મહર્ષિ કર્વેએ ઈ. સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે એસ.એન.ડી.ટી. (શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી) યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.
3. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
ઉત્તર:
બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી.
ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજ’ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મોસમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી:

ઈ. સ. 1821માં “સંવાદ કૌમુદી’ નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1939માં ‘નરબલિ પ્રથા’ અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા.
વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા.
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ.
સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી.
બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો.
આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો

ટૂંક નોંધ 

પ્રશ્ન 1.
બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
ઉત્તર:
બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી.
ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજ’ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મોસમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી:

ઈ. સ. 1821માં “સંવાદ કૌમુદી’ નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1939માં ‘નરબલિ પ્રથા’ અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા.
વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા.
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ.
સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી.
બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો.
આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો.

પ્રશ્ન 4.
સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
ઉત્તર:
સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો:

સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો.
તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રે રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.
તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.”
તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (Service to mankind is service to God.)
તેઓ યુવાનોને કહેતા કે,GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા 3 “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
A. પૂર્ણિમાબહેન પકવાસાનો
B. જુગતરામ દવેનો
C. દુર્ગારામ મહેતાનો
D. ઠક્કરબાપાનો
ઉત્તર:
C. દુર્ગારામ મહેતાનો

પ્રશ્ન 2.
અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
A. વિષયવાર પાઠ્યપુસ્તકો
B. મૌખિક શિક્ષણ
C. તાલીમ પામેલ શિક્ષકો
D. દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
ઉત્તર:
B. મૌખિક શિક્ષણ


ધોરણ. 7 એકમ 17- જાતિગત ભિન્નતા. / અગત્યનાં મુદ્દા.

1. યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરોઃ

1. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે …………………………………… માં જોવા મળે છે.
ઉત્તર :
ગામડાં.

2. ઈ. સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ………… હતું.
ઉત્તર :
940

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
બાળઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તરઃ

ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા-ફરવામાં, આચાર-વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ-અસમાનતા જોવા મળે છે.’
દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી.
કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે.
વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી.
આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક-વિતર્કો પ્રવર્તે છે.
પ્રશ્ન 2.
ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તરઃ
સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે. તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરનાં કામો વધારે કરાવવામાં આવે છે. જેમ કે, છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે. તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે. તેઓ ઘરની સાફ-સફાઈ કરે છે, પાણીનાં વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધુએ છે. છોકરાઓ ઘરનાં કામો માટે સાઇકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે; જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી.’

પ્રશ્ન 3.
રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે?
ઉત્તર:
રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
મહિલા સશક્તીકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે?
ઉત્તર:
મહિલા સશક્તીકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ. મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભૃણહત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ-પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે. વધુમાં, નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે. કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

પ્રશ્ન 2.
કયાં કયાં કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?
ઉત્તર:
દેશનાં સૈન્યો અને પોલીસતંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત, રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં; ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મૅનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે.


પ્રશ્ન 3.
આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી?
ઉત્તર:
આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારનાં આંદોલનો થયાં. કસ્તૂરબા સાથે ગુજરાત 3 સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી.

4. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
નારી સશક્તીકરણ
ઉત્તર:
છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તીકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. હાલમાં નારી સશક્તીકરણ માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે.


મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો અપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે.

પ્રશ્ન 2.
ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા
ઉત્તર:
ભારતના બંધારણે 6થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું : છે. વળી, આજના સમયમાં છોકરા-છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત – કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં, – રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને – શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠ્ઠી પડે છે. : વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી.

સમાજમાં : પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે : છે. બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી – શકતી નથી. ર સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો | આપી રહી છે. આમ છતાં, વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ અપાવવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે. છતાં, આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે.

Monday, 27 March 2023

સાધના

🌷 अधिष्ठान का माहात्म्य 🌷 

🙏 मेरी प्यारी धर्म-पुत्रियो! मेरे प्यारे धर्म-पुत्रो! 🙏 

तुम्हारे भीतर जो धर्म जागा है वह पुष्ट होता जाय, बलवान होता जाय! तुम्हारे भीतर जो प्रज्ञा जागी है, वह पुष्ट होती जाय, बलवती होती जाय! 

लेकिन धर्म कैसे पुष्ट होता है? प्रज्ञा कैसे पुष्ट होती है ? केवल चाहने मात्र से नहीं होती। चाहते तो सभी हैं। हर समझदार आदमी, हर समझदार साधिका/साधक यह चाहता है कि मेरा धर्म पुष्ट हो जाय, मेरी प्रज्ञा पुष्ट हो जाय, मैं प्रज्ञा में स्थित हो जाऊं, स्थितप्रज्ञ हो जाऊं। लेकिन केवल चाहने से तो दो वक्त का भोजन भी नहीं मिलता। दो वक्त के भोजन के लिए भी मेहनत करनी होती है, परिश्रम करना होता है, पुरुषार्थ करना होता है। और धर्म में पक जाय! प्रज्ञा में पक जाय! और चाहे कि कामना करने से ही पक जायगा तो धोखे की बात हुई भाई! मेहनत करनी है, बहुत मेहनत करनी है। 

देखता हूं, अनेक साधक-साधिकाएं किसी शिविर में शामिल होते हैं, बड़े प्रसन्न होते हैं। धर्मरस की एक बूंद भी चख लें तो प्रसन्नता आयेगी ही। धर्म चखा है न! दस दिन के लिए बुद्धिविलास करने नहीं आते, वाणी-विलास करने नहीं आते, छुट्टियां मनाने नहीं आते, पिकनिक करने नहीं आते, तपने आते हैं। तो हर व्यक्ति जो दस दिन के शिविर में आता है, वह कम या अधिक मेहनत करता ही है। और मेहनत करता है तो धर्म का रस चखता है। जो भी धर्मरस चखेगा, उसे बड़ी प्रसन्नता होगी। उसके मन में बड़ा मोद जागेगा। 

लेकिन दस दिन शिविर कर लेने के बाद फिर उसे भुला दें, घर आकर सुबह-शाम, सुबह-शाम जो पुरुषार्थ करना है, वह करना बंद कर दें, तो धर्म कैसे पुष्ट होगा, प्रज्ञा कैसे पुष्ट होगी? कुछ दिनों के बाद कोई साधक मिलता है, कोई साधिका मिलती है, तो मेरे पास तो एक ही प्रश्न होता है - पूछता हूं, क्यों भाई! साधना हो रही है? क्यों बेटी! साधना चल रही है? तो उनमें से अनेक मुँह लटकाकर जबाब देते हैं - नहीं, कुछ दिन तो चली, फिर छूट गयी; कुछ दिन तो चली, फिर छूट गयी। झूठ बोलते हैं। छूट नहीं गयी, छोड़ दिया। कुछ दिन तो किया, फिर छोड़ दिया। सच्चाई यह है - छोड़ दिया, छूटी नहीं। अपने आप नहीं छूटती। हम छोड़ देते हैं तो छूटती है। 

जब शिविर में आते हैं, तो समझते हैं कि भाई, यह जो दिन में तीन बार एक-एक घंटे का अधिष्ठान ले कर बैठते हो, कितना कठिन मालूम होता है। पहले दिन का अधिष्ठान, विपश्यना देते ही पहला-पहला अधिष्ठान कितनी पीड़ा पैदा करता है! एक घंटे निकालना पांव टूट बड़ा कठिन मालूम होता है। सबका अनुभव है। और फिर भी मन को मजबूत करता है - बैठना ही है मुझे घंटे भर। 

और मान लो - नहीं बैठ पाया, पांव खुल गया तो अच्छा, एक बार खुल गया, दो बार खुल गया। अगली बैठक में नहीं खुलने दूंगा। फिर प्रयत्न करता है। फिर कठिनाई आती है। अगली बैठक में फिर प्रयत्न करता है, फिर कठिनाई आती है। यूं करते-करते आंठवें नौवें दिन तक पहुँचते-पहुँचते घंटे भर बैठने लगता है न! पहले ही दिन कह दें कि बहुत कठिन काम है, हमसे नहीं होता, हम तो नहीं करेगें; तो ऐसा व्यक्ति कभी घंटे भर अधिष्ठान में बैठ ही नहीं पायगा, जीवन भर नहीं बैठ पायगा। 

जब शिविर में आते हैं तो दसवें दिन समझाते हैं न कि एक बरस का अधिष्ठान लेना पड़ेगा। बड़ी कठिनाई आयगी। फिर भी एक वर्ष का व्रत है मेरा, चाहे जो कुछ हो जाय, दुनियादारी के क्षेत्र में चाहे जितना नुकसान हो जाय - और नुकसान होता नहीं, कभी होता नहीं। केवल मन को दृढ़ करने की बात है। जैसे नया-नया साधक विपश्यना की शाम को पालथी मार कर बैठता है और कहता है - चाहे मेरा पांव टूट ही क्यों न जाय, मैं नहीं बदलता। टूटता नहीं न! आज तक किसी का टूटा नहीं। टूट जाय तो हम बैठाये नहीं न! 

किसी का पांव तोड़ने के लिए थोड़ी विपश्यना सिखाते हैं। जानते हैं, नहीं टूटता इसीलिए कहते हैं - साल भर तक का अधिष्ठान हो और मन में यह दृढ़ संकल्प हो कि चाहे जितनी हानि हो जाय हमारी, दुनियादारी के क्षेत्र में चाहे जितनी हानि हो जाय, हम अपना अधिष्ठान नहीं तोड़ेंगे, बैठेंगे ही। तो जैसे पांव टूटता नहीं, केवल मन के संकल्प करने की बात है; ऐसे ही दुनियादारी में हानि होती नहीं। 

धर्म जब हम धारण करते हैं, तो केवल परलोक के लिए नहीं करते। जो धर्म हमें केवल यह वायदा करता है कि मरने के बाद तुम्हें ये मिल जायगा, तुम्हें वो मिल जायगा; इस जीवन में तो कुछ नहीं मिलेगा, पर मरने के बाद मिल जायगा, तो समझ लेना चाहिए - धर्म-वर्म नहीं, धोखा है। सचमुच धर्म होगा तो पहले लोक सुधरेगा, परलोक बाद में सुधरेगा। 

लोक सुधारने के लिए धर्म। यहीं हमारा जीवन सुधर रहा है कि नहीं? इसी जीवन में सुख-शांति आ रही है कि नहीं? हमारा लोकीय क्षेत्र अच्छा हो रहा है कि नहीं? इस मापदंड से धर्म मापा जाता है। जिसका लोक सुधरने लगा, उसका परलोक अपने आप सुधर जायगा। धर्म भी पालन करें और लोक भी बिगड़े, ऐसा होता नहीं, कभी होता नहीं।
 तो बस, मन को दृढ़ करने की बात है कि चाहे जो कुछ हो जाय, यह वर्ष भर का अधिष्ठान है; मुझे वर्ष भर सुबह-शाम साधना करनी ही है। और अनेकों का अनुभव हमारे सामने है। जिस-जिस व्यक्ति ने इस प्रकार अधिष्ठान लेकर के वर्ष भर घर में अभ्यास कायम रखा, वह नहीं कहता कि छूट गया, छूट गया, क्योंकि वह छोड़ता नहीं। फिर छोड़ेगा भी नहीं, कभी नहीं छोड़ेगा। और जिसने छोड़ा उसने यह बारह महीने के भीतर ही छोड़ दिया। 

दस दिन में छोड़ दिया, बीस दिन में छोड़ दिया, महीने में छोड़ दिया, दो महीने में छोड़ दिया ... तो छोड़ ही दिया। तो भाई! यह अधिष्ठान जो वर्ष-भर का लेते हो, ऐसा अधिष्ठान लेकर किसी पर एहसान तो नहीं कर रहे न! न अपने मार्गदर्शक पर एहसान करते हैं, न किसी भगवान बुद्ध पर एहसान करते हैं, न किसी अन्य देवी पर, देवता पर, ईश्वर पर, ब्रह्म पर, अल्लाहमियां पर एहसान करते हैं कि देखो! हम अधिष्ठान पूरा कर रहें हैं। भाई, एहसान अपने आप पर करते हैं न! अपने भले के लिए करना है न! 

हर समझदार आदमी को समझना चाहिए कि जब मैं धर्म धारण करता हूं, तो जो लोक मंगल होगा सो तो होगा ही, मेरा मंगल तो होने ही लगा, तत्काल होने लगा। लोक कल्याण होगा सो तो होगा ही, पर मेरा कल्याण तो होने ही लगा; तत्काल होने लगा। आत्ममंगल होने लगा तो सर्व मंगल होने ही लगेगा। आत्मोदय होने लगा तो सर्वोदय होने ही लगेगा। तो किसी पर एहसान नहीं कर रहे, अपने मंगल के लिए, अपने कल्याण के लिए मन को दृढ़ करना है। 

कल्याण मित्र,
✍ सत्य नारायण गोयनका 

(लक्खमसी नप्पू हॉल, बम्बई - जुलाई २०, १९८६)
विपश्यना पत्रिका संग्रह, मार्च 2017 में प्रकाशित। 

भवतु सब्ब मगंलं !!

🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘
     શીલ....!    સમાધિ....!   પ્રજ્ઞા...!

 "छोटी सी यह तस्तरी भरे बुद्ध का ज्ञान । 
  फैले सारे विश्व  में होय परम कल्याण।।"

      2600 વર્ષ પુરાણી ભગવાન બુદ્ધની સાધના જે કાળક્રમે ભારતવર્ષમાં વિલુપ્ત થઈ ગયેલી પરંતુ બર્મામાં એ થોડા લોકો પાસે ટકી રહેલી.એ "વિપશ્યના "સાધનાને..... કલ્યાણમિત્ર ગુરુજી સત્યનારાયણ ગોયેન્કા 1955 શીખ્યા. અને 14 વર્ષની તપશ્ચર્યા પછી 1969માં ભારતમાં લાવ્યા.એનો પહેલો શિબિર મુંબઈમાં લગાવ્યો.1976માં ઈગતપુરીમાં નિવાસી સાધનાકેન્દ્ર બન્યું.અને અત્યારે વિશ્વમાં 1500 આચાર્યશ્રીઓ દ્વારા 51 ભાષાઓમાં 206 નિવાસી સાધનાકેન્દ્રો કાર્યરત છે.જેમાં 10,20,30,45,અને 60 દિવસીય નિવાસી શિબિરોમાં એક લાખથી વધારે સાધકો સાધના કરે છે.
           સવારે 4-00 થી રાતે 9-30 સુધીની દિનચર્યામાં 10 કલાક તો ફક્ત પલાંઠી વાળીને બેસીને ધ્યાન કરવાનું છે."પંચશીલ"નું કડકાઈ પૂર્વક પાલન કરવાનું હોય છે.જૂઠું ન બોલવું,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય પાળવું,વ્યસન ના કરવું અને જીવહિંસા ન કરવી.દસ દિવસીય હોય કે વીસ દિવસની મૌન તો પાળવાનું જ હોય છે.
             ચોથા દિવસે' વિપશ્યના' અપાય છે.એનો પૂરતો અભ્યાસ થયા પછી દસમાં દિવસે.'મંગલ મૈત્રી' આપે ત્યાર પછી સાધકનું મૌન પુરું થાય છે.
             આપણને મનની ભીતર શાંતિ અને સમતાનો અનુભવ થાય તથા મનને નિર્મળ બનાવે છે.મનની વ્યાકુળતા અને અશાંતિ દૂર થતાં ઘણી જાતના મનોશારીરિક રોગો દૂર થાય છે.અને સુખની પ્રાપ્તિ થાય છે.
             15/3 થી 26/3 દરમિયાન આ સાધનાનો ભરપૂર લાભ લીધો.કોઈ પણ દાર્શનિક પરંપરા,ધર્મ કે સંપ્રદાયની માન્યતાઓથી મુક્ત આ સાધના કોઈ પણ કરી શકે.
               દસદિવસીય શિબિર પછી મૌન ખુલ્યું અને મોબાઇલ હાથમાં આવ્યો છે, ત્યારે મારી અંતરયાત્રાનો થોડો આનંદ તમને પણ વહેંચું.
                મારી એક ગઝલમાં ત્રણેક નાનકડા સુધારા સાથે વિષયને સુસંગત છે એટલે મૂકું છું.

   ¤¤¤¤!! ભવતુ સબ્બ મંગલં !!¤¤¤¤

*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^
અભ્યાસ કર ને જો પછી.

જાત સાથે વાત કર,વિશ્વાસ કર ને જો પછી,
આ રમત તો છે કઠિન,અભ્યાસ કર ને જો પછી.

એમ અર્થો ના મળે તું ધ્યાન કર, સંવાદ કર,
ભીતરે આતમ તરફ જઇ વાસ કર ને જો પછી.

આપણી અંદર વસે છે હું અને મારું બધું,
એ ફગાવી દે પછી વનવાસ કર ને જો પછી.

જો જરી ચૂકી ગયા તો, ત્યાં નિરાશા પરહરી,
એ યથાતથ જો ફરીથી,પ્રાસ કર ને પછી.

આમ જો સમ્યકપણાંથી મોજ છલકાતી મળે,
ભાવ મૈત્રીનો બધા પર ગ્રાસ કર ને જો પછી.

નાદ ગુંજે જો સતત ભીતર જરા સંભાળ કર,
બસ પરમનો હરપળે અહેસાસ કર ને જો પછી.

        @ નૈષધ મકવાણા ~વડોદરા.

Sunday, 5 March 2023

નાની મારી વાત : ૪૩ 😊સૌમ્યની પહેલી હોળી - ભારતમાં 🤡🤹

નાની મારી વાત : ૪૩

સૌમ્યની પહેલી હોળી - ભારતમાં 





"હોળી આવી હોળી આવી

હોળી આવી રે, !!!!!

તહેવાર આજે હોળીનો આવ્યો રે,

હો …..  આવી ઘેરૈયાટોળી.

મસ્તીથી સૌ રંગો લગાવે રે,

હો … આવી ઘેરૈયા ટોળી."


         ઘેરૈયાઓનું ટોળું ઉપર મુજબ ગીત ગાતું ગાતુ આખા ગામમાં ફરતું હતું. દર વર્ષે  ઘનુ અને તેનાં મિત્રો : હનુ, બંસુ , ભોલુ, છોટુ ,, વગેરે ,,, મિત્રોની ટોળી જુદા જુદા રંગો અને પિચકારીઓ લઈને  ઘેર ઘેર ' હોળીની ગોટ - હોળીની ગોત ' બોલતાં બોલતાં જાય છે.


       આ વખતે આ ઘેરૈયાઓની ટોળીમાં વિનુ નહોતો. કારણકે વિનુના ઘરે તેના કાકાનો દીકરો સૌમ્ય આવ્યો હતો.


       વિનુ અને સૌમ્ય કાકાએ અમેરિકાથી મોકલેલ આઈપેડમાં ગેમ્સ રમતાં હતાં. અચાનક જ ઘેરૈયાઓનો ટોળી ' હોળી આવી હોળી આવી ' ગીત ગાતાં ગાતાં વિનુના ઘર આગળ આવી બૂમો પાડવા લાગ્યા. 


      સૌમ્ય તો એકદમ ચોંકીને ઊભો થઈ ગયો. આ ભારતમાં તેની પહેલી હોળી હતી. અમેરિકામાં આવુ બધું કદી તેણે જોયેલું નહીં. રંગોથી રંગાયેલી ઘેરૈયાઓની ટોળી , આવાં હોળીના ગીતો, આવી હોળીની ગોટ અને બાળકોની ચિચીયારીઓ કદી સાંભળી ન હતી. સૌમ્યને તો ખૂબ જ નવાઈ લાગી. 


       સૌમ્ય વિનુને પૂછે છે : " what is this brother ! " અચાનક જ જ્યારે બોલવા જતાં સૌમ્ય અંગ્રેજીમાં બોલી ઉઠ્યો !  સૌમ્ય આગળ પૂછે છે : " ભાઈ ,  કેમ તારા મિત્રો આમ કરે છે ? આ બધું શું છે ?" 


      વિનુએ સૌમ્યને સમજાવતાં કહ્યું : "જો સોમ , આજે હોળીનો તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. હોળીનું પૂજન કર્યાં પછી જ જમે છે. " વિનુ અને સૌમ્ય વાતો કરતાં હતાં ત્યાં જ વિનુના પપ્પા આવ્યા. વિનુના મિત્રોને પાણી, રંગો અને હોળીની ગોટ ( રૂપિયા ) આપ્યાં. તેના મિત્રો આગળ ગયા. 


        વિનુ અને સૌમ્યની વાતો તેના પપ્પાએ સાંભળી હતી. વિનુના પપ્પાએ  નાના સૌમ્યને સમજાય તે રીતે એકદમ ટુંકી અને સરળ વાર્તા કહી. હોળીકાની વાત કરતાં તેમણે કહ્યું : " હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ રાજા હતો. તે ખૂબ જ ઘમંડી અને ક્રૂર હતો. તેને પ્રહલાદ નામે એક પુત્ર હતો. પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. સતત હરિ નામ સ્મરણ કર્યાં કરે. તેના પિતાને તે ગમે નહીં. હું જ ભગવાન છું. મારું સ્મરણ કર. પણ પ્રહલાદ માને નહીં. પ્રહલાદને શ્રીહરિ સ્મરણ છોડાવવા હિરણ્યકશિપુએ ખૂબ જ પ્રયત્નો કર્યાં. છતાં પણ પ્રહલાદ માને નહીં. કંટાળીને તેણે પ્રહલાદને મારી નાંખવા માટે પણ વિવિધ પ્રકારની યુક્તિઓ કરી પણ શ્રીહરિ હંમેશા પ્રહલાદનું રક્ષણ કરતાં. અંતે તે રાક્ષસને હોળીકા નામની એક બહેન હતી. હોલિકાને અગ્નિ બાળી શકે નહીં તેવું વરદાન હતું. પ્રહલાદને મારી નાંખવા માટે રાજાએ તેની બહેનને સળગતાં અગ્નિમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસવા કહ્યું. હોળીકા પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઈ. હોળીકાને વરદાન હતું છતાં પણ શ્રી હરિની કૃપાથી પ્રહલાદને કંઇજ ના થયું અને હોળીકા સળગી ગઈ. આમ, હોળીના તહેવારની વાર્તા છે. પ્રહલાદને કંઈ જ ન થયું તેની ખુશીમાં બીજા દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે. બધાં લોકો એકબીજાને જુદાં જુદાં રંગોથી રંગે છે. ઘણી જગ્યાએ અને મંદિરોમાં કેસૂડાના ફૂલોના રંગો , દહીં , કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવામાં આવે છે. "


        વહાલાં બાળકો , અન્ય તહેવારની જેમ જ હોળીના તહેવારનુ પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ છે. શિયાળામાં અતિશય ઠંડીને કારણે કફ, શરદી અને છાતીમાં - ફેફસાંમાં કફ જામી ગયો હોય છે. હોળીની પ્રદક્ષિણા ફરવાથી બધો  કફ છૂટો પડી જાય છે. સાથે સાથે ધાણી,  ચણા અને ખજૂર પણ ખાવાનો રિવાજ છે. તે પણ કફ તોડવા માટે ખાવું જરૂરી છે. ધુળેટીના દિવસે કેસુડો, દહીં, કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવાથી ચામડીના રોગો દૂર થાય છે. એકદમ અનુભવાતી ગરમીમાં રાહત મળે છે. 


      આ રીતે હોળી ધુળેટીનો તહેવાર દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવાર ગણાય છે. આપણાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સારી રીતે ઊજવણી કરવામાં આવે છે. અમુક જગ્યાએ તો એક અઠવાડિયા સુધી ઊજવણી કરવામાં આવે છે.


   હોળી - ધુળેટીની વાતો સાંભળી સૌમ્ય ખૂશ ખૂશ થઈ ગયો. વિનુ અને સૌમ્ય મિત્રો સાથે હોળી રમવા ગયાં.


      બાળકો , તમને હોળીની વાર્તા ગમીને ? 


     સૌ બાળમિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 


     ખૂબ જ કાળજી રાખીને , પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને રંગોત્સવ પર્વ મનાવજો. 


જાગૃતિ પંડ્યા,

 આણંદ.

Monday, 20 February 2023

વિશ્વ માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે ? જાણો.


વિશ્વ માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે

દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ?
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Friday, 17 February 2023

નાની મારી વાત : અપ્પુ હાથીની શિવ ભક્તિ 🙏🌺🙏


       અપ્પુ હાથી અને પ્યારો પપ્પુ, બંને પાક્કા મિત્રો. હંમેશા સાથે ને સાથે જ. અપ્પુને પાણીમાં રમવું ખૂબ જ ગમે. દરરોજ ગામની પાદરે આવેલી નદીએ ન્હાવા જાય. પરંતું ઠંડીના દિવસોમાં પાણી ઠંડુ હોવાથી તે ઠંડા પાણીમાં નહાવા ન જઈ શકે. ઠંડી ઓછી થાય તેની રાહ જુવે. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં ઠંડીનું જોર ધીરે ધીરે ઘટવા લાગે. હવે અપ્પુ તેનો મિત્ર પપ્પુની રાહ જોઈને બેઠો હોય. ક્યારે પાંચ વાગે અને પપ્પુની શાળા છૂટે. અપ્પુ તો પાંચ વાગે પપ્પુની શાળા બહાર રાહ જોઈને બેઠો હોય. શાળા છૂટયા પછી બંને જણાં સીધાં જ ગામના પાદરે નદી કિનારે ન્હાવા જાય. અગાઉથી જ અપ્પુએ પપ્પુ માટે તાજા ફળો જેમકે, કેળાં, સફરજન, ચીકુ અને કેરી લાવી રાખ્યા હોય. પપ્પુ એકબાજુ દફતર મૂકી હાથ- પગ ધોઈને પહેલાં ફળાહાર કરે. પછી બંને જણાં સાથે નદી કિનારે ન્હાવા જાય. પાણીમાં ખૂબ જ રમત કરે, ગમ્મત કરે અને એકબીજા પર પાણી છાંટીને નવડાવે. બંનેનો આ જ નિત્યક્રમ.

      ગુજરાતી મહા મહિનો પૂરો થવાની આરે હતો. રોજના નિત્ય નિયમ મુજબ સાંજે અપ્પુ અને પપ્પુ નદી કિનારે ન્હાવા ગયા. આજે પપ્પુને શાળાએ રજા હતી જેથી મોડે સુધી નદીકિનારે રમવાનું નક્કી કર્યું. સંધ્યા સમય થઈ ગયો હતો. નદીકિનારે આવેલા શિવ મંદિરમાં આરતી થઈ અને ત્યાં ઘણાં બધાં લોકોની ભીડ સવારથી જ હતી. અપ્પુ પણ નાનો હતો, તેણે આવું કદી જોયેલું નહીં. તે પપ્પુને પૂછે છે : " આજે કેમ અહીં આટલી બધી ભીડ છે ? શું છે આજે ? આજે રાત્રે પણ કેમ લોકો જળાભિષેક કરે છે ? આજે રાત્રે પણ કેમ પૂજા થાય છે ? " 

      પપ્પુએ અપ્પુને સમજાવતાં કહ્યું :" મારા મિત્ર ! આજે મહાશિવરાત્રિનો તહેવાર છે. આજે મહા શિવરાત્રિના તહેવારની અમારી શાળામાં રજા છે. મહા શિવરાત્રિનો તહેવાર મહા વદ ચૌદશના દિવસે આવે છે. આ દિવસે રાત્રિ પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે. પપ્પુએ આગળ જણાવતાં કહ્યું કે, આજના દિવસે જો કોઈ વ્યક્તિ જાણે અજાણે પણ આખી રાત જાગરણ કરીને શિવપૂજા કરે છે તેની ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે. તેનાં તમામ સંકટો દૂર થાય છે. આજે ચાર પ્રહરની પૂજા કરવાની હોય છે. આજે બધાં ઉપવાસ કરે છે. ફળાહાર કરે છે અને શિવપૂજા કરે છે."

       " જો આગળ સાંભળ, મારા દાદાજીએ મને એકવાર મહા શિવરાત્રિની વાર્તા કહેલી તે હું તને આજે ટુંકમાં કહું છું, તો શાંતિથી સાંભળ. એક શિકારી હતો. તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત ની વાત છે, આખો દિવસ શિકારી જંગલમાં ખૂબ ફર્યો; ભૂખ્યો - તરસ્યો ભટક્યો પણ તેને કોઈ જ શિકાર મળ્યો નહીં. સાંજે એક હરણનું બચ્ચું જોઈને તેના પર બાણ ચઢાવ્યું. હરણના બચ્ચાએ વિનંતી કરી કે, હું મારા માતા - પિતાને મળીને આવુ છું. શિકારી હરણના બચ્ચાની રાહ જોઈને આખી રાત જંગલમાં એક ઝાડ પર બેસી રહ્યો. ઝાડનું એક એક પાંદડું તોડી તોડીને નીચે નાખે. એમ કરતાં કરતાં રાત પસાર કરી. સવાર થતાં જ હરણનું બચ્ચું તેનાં માતા પિતા સાથે આવી ગયું. હરણનાં માતા પિતાએ કહ્યું : " અમને પણ મારી નાંખો. અમે અમારાં બાળક વિના કેવી રીતે જીવી શકીશું ?" શિકારીનું મન પીગળી ગયું. તેને તેનાં બાળકો યાદ આવ્યાં અને હથિયાર હેઠે મૂક્યાં. ત્યાં જ સાક્ષાત મહાદેવ પ્રગટ થયા અને શિકારી ઉપર પ્રસન્ન થયા. શિકારીને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં અને એક વરદાન માંગવા કહ્યું.

      અપ્પુ ! અજાણતાંમાં જ તે શિકારીએ મહા શિવરાત્રીની રાતનું જાગરણ કર્યુ. શિકારી જે ઝાડ પર બેઠો હતો તે બીલીપત્રનું ઝાડ હતું. બીલીના પાન તોડી તોડીને નીચે નાંખતો હતો જ્યાં શિવલિંગ હતું. આ બઘું જ અજાણતાં જ બનેલું. મહાદેવે શિકારીને વરદાન આપ્યું. તેને સુખી કર્યો અને કદી શિકાર નહીં કરવાનું વચન લીધું. હરણના પરિવારને મુકત કર્યો. આમ, આ રીતે મહા શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે.

      પપ્પુની વાર્તા સાંભળી અપ્પુ બહુ ખુશ થયો. અપ્પુ એ કહ્યું જો સાંભળ આજે મને સવારથી જ પેટમાં દુઃખતું હતું. મેં કંઈપણ ખાધું નથી. ઉપવાસ કરવાથી અત્યારે મને સારુ છે. હવે આજે રાત્રે પણ હું ફળાહાર કરીશ. ચાલ આપણે બંને શિવ પૂજા કરવા જઈએ. અપ્પુ અને પપ્પુ બંન્ને સ્નાન કરી જળ, બીલીપત્ર, પુષ્પ અને ફળો લઈને મહાદેવની પૂજા કરવા ગયાં. આખી રાત જાગરણ કરી ' ૐ નમ: શિવાય' ના મંત્રજાપ કરી ખુશ થયાં મહાદેવના કૃપાપાત્રી બન્યા. 

      તો જોયુને બાળકો , મહાશિવરાત્રી પર્વનું મહત્ત્વ ! તો આપણે સૌ પણ આ રીતે મહાદેવને પ્રસન્ન કરીને આપણું તથા આપણાં મિત્રોનું કલ્યાણ કરીએ.