Wednesday, 16 December 2020

કન્યા શાળા બાકરોલ, ઓનલાઇન ક્લાસ, vertual Activities.

🌻ઑનલાઇન કલાસ.🌺 22/1/2022🌻


૨૧/૧/૨૦૨૨ : શુક્રવાર - ઑનલાઇન કલાસ.ધોરણ : ૪ ગણિત , ( ૧૧- ઘડિયા અને ભાગાકાર.)

Sunday, 6 December 2020

મારી નાની પણ ખૂ...બ મોટી દર્શન શાળા ના સંસ્મરણો

         

અને અંતે જયારે મેં,10 મી ફેબ્રુઆરી 2017 ના રોજ આ તપોભૂમિ સમાન બહારથી દેખાવે નાની નાની અને અંદરના વ્યક્તિઓ ના વ્યક્તિત્વ ના તેજ થી દીપી ઉઠતી મારી દર્શન સોસાયટી, શાળા નંબર,30, બાકરોલ ની શાળામાં મારા અનેક જન્મોના ઋણી એવાં બાળકોના શિક્ષણકાર્ય અર્થે , આ પવિત્ર અને પોઝિટિવ vibrations થી ભરપૂર એવી ધરા પર પગ મૂક્યો ત્યારે એક અલગ જ પ્રકારની અનુભૂતિ થઈ. જાણે વર્ષોથી પરિચિત હોઉં તેમ! 

        સવારની પાળી, સૌ પ્રથમ પ્રાર્થના, અને થોડીઘણી ઠંડી ના વાતાવરણને શાળાનાં પ્રાર્થના હૉલમાં  શાળાનાં બાળકોએ સમગ્ર વાતાવરણને ચેતનવંતુ બનાવી દીધું. First impression. મને નવાઈ લાગી. આટલી સુંદર પ્રાર્થના! આટલી વહેલી સવારે! મોટાભાગના બાળકો હાજર!  પ્રાર્થના સંમેલન એ પણ સંગીતના સાધનો સાથે. બાળકો ખૂબ જ કુશળતા પૂર્વક ઢોલક અને ખંજરી વગાડતાં. મને ખૂબ જ ગમ્યું. મનમાં થયું કે , આ બાળકો ખૂબ ઊર્જાવાન છે.

           પ્રાર્થના સંમેલનમાં શ્રી હીનાબેને મારો પરિચય બાળકોને કરાવ્યો. મારાં પરિચય બાદ , બાળકોએ તાળીઓ અને તે પણ ઢોલક/ ખંજરી ના તાલ સાથે વગાડી. હું તો ખૂબ જ ખૂશ થઈ ગઈ. કેટલો સુંદર સત્કાર! બાળકોના ચહેરા પર, એક નવા ટિચરને આવકારવાની ખુશી જણાઈ આવી. બાળકોને પણ મેં પ્રથમ દિવસે વાર્તા કહી. બાળકો સાથે પ્રથમ દિવસથી જ વાર્તા કહી અને ભાઈબંધી કરી દીધી. ત્યારબાદ બાળકીને મેં કહ્યું, ' મનુષ્ય તું બડા મહાન હૈ ' કવિતા તમે સાંભળી છે? બાળકોએ તો સંગીત સાથે અને સુંદર રાગ/ ઢાળ સાથે ગાઈ સંભળાવી. પ્રથમ દિવસ ખૂબ જ સુંદર રહ્યો.

         ' well begin is half done'  - સાર્થક.

     શાળાનાં આચાર્ય શ્રી રાજેશભાઈ પરમાર. એક અનોખું વ્યક્તિત્વ - અનોખા જીવ. શાળા માટે ખૂબ જ ચિંતિત. સાથે સાથે શાળાનાં બાળકો અને શિક્ષકો માટે પણ હંમેશા તૈયાર. બાળકોને અને શિક્ષકોને કદી ક્યાંય તકલીફ ના પડવા દે. મોટાભાગના કામ જાતે જ કરે. કામ કરીને સૌના દિલ જીતી લીધાં. કદી કામ નું ભારણ તેમના ચહેરા પર જણાય નહીં. સૌનો મદદ કરે. સૌનાં હિતેચ્છુ. શાળાનાં તમામ બાળકોના ઘરે રૂબરૂ મુલાકાતે જાય. કોઈનું ઘર બાકી નહીં. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને તેમાંય સવારની શાળામાં  ૧૦૦% હાજરી , તે અમારા આચાર્યશ્રી ના પ્રતાપે. એકદમ સરળ અને સહજ પ્રકૃત્તિ ધરાવતા  અમારા શ્રી રાજેશસર  ' તોત્તોચાન ના કોબાયાસી સર ની યાદ અપાવી દે તેવાં. સ્વચ્છતાના  આગ્રહી અને ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું  કામ. તેમના માંથી ઘણું બધું શીખી. ખૂબ જ પોઝિટિવ અને દયાળુ. હંમેશા શાળા માટે તૈયાર. બાળકોના પ્રિય. તેમની વાતો કરતા આખો બ્લૉગ પૂરો થાય પણ અમારાં રાજેશસરની વાત પૂરી ના થાય!

         શરૂઆતમાં મને તો એમ જ કે આ શાળામાં કેવી રીતે કામ કરીશ? સવારની પાળી અને ઝૂંપડપટ્ટી વિસ્તાર ના બાળકો. કેમનું મારું કામ અને તે પણ મારું ધાર્યું કામ કરી શકાશે? ધીરે ધીરે જેમ જેમ પ્રસંગો ઉપસ્થિત થતાં ગયાં તેમ સમજાઈ ગયું કે, આ બાળકો તો ખરેખર ખૂબ જ એક્ટિવ છે! બાળસહજ તમામ વૃત્તિઓથી  ભરપૂર છે! આવાં વિસ્તારમાંથી આવેલાં બાળકો આવી બધી જ રીતે કેળવાયેલા હશે! તે  નો'તી ખબર. તો આ તમામ પ્રકારની કેળવણી , જેમકે,,, સફાઈ, સંગીત, પ્રાર્થના, શિક્ષણ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ગણિત/ વિજ્ઞાન મેળો, ઉત્સવો ની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓમાં ભાગીદારી અને ક્યારેક ઉત્તમ પ્રદર્શન!!!! આ બધું ક્યાંથી!!! આ શાળાનાં આચાર્યશ્રી અને તમામ શિક્ષકોના સાથ અને સહકારથી આ બાળકો નું યોગ્ય ઘડતર થયું હતું. 

            મેદાન વિનાની નાની શાળા , રિસેશમાં  બાળકો, ,,, ની પ્રવૃત્તિઓ જોઈ નવાઈ પામી. પ્રથમ તો બાળકો ચેસ રમતા. ચેસ રમતાં બાળકીને જોઇને થયું કે, બાળકો સાચી રીતે રમતાં હશે? કે પછી એમ જ નિયમો અને રમવાની રીત જાણ્યા વિના રમતાં હશે? બાળકોની પાસે જઈને જોયું અને જાણ્યું કે બાળકો સાચી રિતે ચેસ રમતાં હતાં. મારી પણ પ્રિય રમત હોઈ શરૂઆત માં એકવાર બાળકો સાથે રમી અને જીતી પણ ગઇ. બાળકોને ખૂબ મઝા આવી. બાળકોએ રોજ રમવાનું આમંત્રણ આપી દીધું પણ પછી કદી રમવા ગઈ નથી. બાળકોની વિવિધ રમતો જોઇ મને એ તમામ રમતોને શિક્ષણ સાથે જોડી અને શિક્ષણકાર્ય કેવી રીતે આપી શકાય? તે આયોજન મગજમાં ગોઠવતી ગઈ. 
  આમ, શાળાનાં બાળકો ખૂબ જ તરવરાટ વાળા અને જિજ્ઞાસુ હતાં.  આપણે જે ઈચ્છીએ તે ધારેલું કામ પાર પાડી શકીએ તેવો સહકાર મળે તેવા બાળકો! 

🥰  Miss you all my lovely students  🥰

       સાથે સાથે શાળામાં જે ઉષ્મા ભર્યું અને પરિવાર જેવું લાગે તેવા વાતાવરણનું  નિર્માણ કરનાર ત મામ શિક્ષકો ની ઊંચી સૂઝ અને સમજ ને દાદ આપવી ઘટે!👌 દરેકમાં કંઇકને કંઇક, આપણને ઉપયોગી અને જીવનમાં શીખવા મળે તેવાં શિક્ષકો! સૌને ઘર જેટલી જ શાળા વહાલી. ઘર જેટલી જ સારસંભાળ રાખે. સૌ બાળકોને ખૂબ સાચવે. પ્રાર્થના સંમેલનમાં બાળકો માટે કંઇક નવું નવું લઈને આવે જે  નાના - મોટા સૌને ગમે.

         ખરેખર હું આ શાળામાં આમતો , ત્રણ વર્ષ અને દશ માસ રહી. 
    એમાં હું ચૌદ માસ ધોળાકૂવા શાળામાં રહી. ( ધોળાકૂવા શાળાની વાત અલગ થી કરીશ. ત્યાં પણ ખૂબ જ સરસ બાળકો અને સ્ટાફ છે. જે આ અગાઉ વાત કરવાની હતી પણ આળસમાં!! )  
    આમ, ટોટલ તો બે વર્ષ અને આઠ માસ નો સમયગાળો આ શાળામાં ગળ્યો. 

ઘણું શીખી. 
ઘણો સાથ- સહકાર મળ્યો.
ઘણાં સારાં મીત્રો મળ્યા.
એક આદર્શ આચાર્ય કેવા હોય! તે જાણ્યું, જોયું, શીખી!
ખૂબ શાંતિ અને પ્રેમ મેળવ્યો. 
ખૂબ પ્રેમાળ બાળકો મળ્યા! 
મારી Lucky School! 
ઘણાં સન્માન પ્રાપ્ત થયાં. 
ખૂબ આનંદ થયો! 
બાળકોએ ઘણું શીખવ્યું. 

    " આપણને પ્રાપ્ત થતી સારી વસ્તુ, વ્યક્તિ અને સ્થળ ખૂબ ઓછા સમય માટે મળે છે. " 
        *Miss you* 
My Lucky School,
My students,
My sir , 
And 
My friends.🙏





Saturday, 14 November 2020

🎇૧૪ મી નવેમ્બર, બાળદિન 🥰


બાળક એ વાસણ નથી.
 કે એમા બધું ભરી દઈએ
બાળક એ દીપક છે
એને કેવળ પ્રગટાવવાનો છે.

મેડમ મોન્ટેસરી
***

હું બાળક છું.

ભવિષ્ય મારું તમારા હાથમાં

સફળતા-વિફળતા મારી

નક્કી કરનાર છો તમે

નિર્દોષ-મૂક આખોની વિનંતી

સુખી થાવ તેવો મને બનાવો

વિશ્વ આશીર્વાદરૂપ બની જશે.

હે મારા પ્રિય બાળક ! તારું એકાદ સ્મિત નિરખવા માટે હું તને પ્રેમભર્યું ચુંબન આપું છું. ત્યારે જ મને સમજાયું કે પ્રભાતનું પહેલું કિરણ હિમાદ્રિના શિખરની ટોચને સ્પર્શતા સૌમ્ય મહાસાગરના કલ્પના શિશુ જેવું કેમ બની જાય છે ! નિત નિત આવતા સૂર્યકિરણને નિરખીને પૃથ્વીની કાયાને કેમ આનંદ આપે છે !

સ્વતંત્ર ભારતના વડા પ્રધાન અને પંચશીલ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના જગાડનાર ભારત રત્ન પંડિત જવાહરલાલ નેહરુંનો ૧૪ નવેમ્બર જન્મદિવસ છે. જે બાલદિન તરીકે ઉજવાય છે. વિશિષ્ટ ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નેહરુંમાં હંમેશાં બાળકો સાથે ભળી જવાનો સ્વભાવ હતો. તેમને બાળકો ખૂબ વહાલાં હતા. બાળકો પણ તેમને પ્રેમથી નહેરુચાચા કહેતાં હતા.

એકવાર એક બાળકે નહેરુ ચાચાને પ્રશ્ન પૂછયો કે આપની કઈ કઈ ઇચ્છાઓ હજુ અધૂરી છે ? નહેરુ ચાચાએ જવાબમાં લખ્યું (૧) મારા મનમાં એમ થાય છે કે હું છાનોમાનો કોઈ શેરડીના ખેતરમાં ઘૂસી જાઉં અને શેરડીના સાંઠા તોડીને ચૂસ્યા કરું (૨) ટાંગામાં બેસીને દિલ્હીના ચાંદની ચોકના દૃશ્યો નિહાળું. (૩) કોઈ ચાની હોટેલ પાસે ઊભા રહીને ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળ્યા જ કરું. (૪) રાત્રે છાનોમાનો ઘરમાંથી નીકળી જઈને કોઈક બગીચામાં બેઠો બેઠો કવિતા લખું (૫) એક મજાનું મસિક કાઢું જેના ઉપર લખેલું હોય સંપાદક-જવાહરલાલ નહેરુ.

બાળકોને કલ્પ અને કુમળા છોડ સમાન ગણવામાં આવે છે. જે રીતે કોઈપણ છોડને પૂરતાં પ્રમાણમાં ખાતર, પાણી અને પોષક દ્રવ્યો ન મળે ત્યારે તે અકાળે કરમાઈ જાય છે. તેવી જ રીતે કુમળી વયનાં બાળકોને મા-બાપ અને સમાજ તરફથી પૂરતો પ્રેમ અને હૂંફ પ્રોત્સાહન, તેમજ સમતોલ પોષણ મળતા નથી ત્યારે તેમનો વિકાસ રૃંધાઈ જાય છે.

પંડિત નહેરું ના મતે ‘ભારતનું ભાવિ ઘડાય છે આપણાં ઘરોમાં અને શાળાઓમાં’ ભારતના આ ભાવિ ઘડવૈયાઓ એવાં બાળકોને રમવા-કૂદવાની, કુદરતનો આનંદ માણવાની અને કુદરતને ઓળખવાની પૂરતી તકો આપવાથી જ તેની માનસિક અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય છે.

બાળકોના શિક્ષણ, પોષણ, શારીરિક, તંદુરસ્તી તેમજ સર્વાંગી વિકાસ પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સમગ્ર ભારત વર્ષમાંથી બાળ લકવા નાબૂદી માટે સને ૧૯૯૫થી સમાજના સહયોગથી સરકારે બાળ લકવા વિરોધી ઝુંબેશ ઉપાડી છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્યની તપાસણી માટેનો રાજ્યવ્યાપી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બાળકોના આરોગ્યની જરૂરી તપાસણી કરી બાળકોને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે.

દેશની સર્વોચ્ચ અદાલતે ભારતમાંથી બાળમજૂરીની સમસ્યાના નિરાકરણ માટે કાયદાકીય અમલને અગ્રતા આપી હતી. આપણા સમાજ માટે બાળમજૂરી પ્રથા કલંકરૂપ છે. તે પ્રથા નાબૂદ થાય તે માટે દેશભરમાં જુદા જુદા વ્યવસાયોમાં કામ કરતા બાળમજૂરોને શોધી કાઢી તેમના પુનઃ વસવાટ અને કલ્યાણ માટેના પ્રયાસો આદરવામાં આવેલ છે. વિશ્વ વ્યાપી યુનેસ્કો સંસ્થા દ્વારા પણ બાળ-કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

બાળકો માટે અનહદ પ્રેમની લાગણી ધરાવતા ભારતના નવયુવાનોના પ્રેરણામૂર્તિ સમાન પંડિત જવાહરલાલ નેહરું બાળકોને મળવાની રમાડવાની, એમની સાથે વાતો કરવાની એકેય તક જવા દેતા નહોતા. આવા બાળકોના વાત્સલ્યમૂર્તિ નેહરુ ચાચાના જન્મદિનને બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ‘બાળકો દેશના પાયાની ઇંટ છે.. તેમને બાળપણથી જ દેશ માટે એવી રીતે ઘડવા અને પકવવા જોઈએ કે જેથી રાષ્ટ્રની ઇમારત આલીશાન બને.’ ચાચા નહેરુના આ ઉચ્ચારણો સાર્થક બનાવવા ચાલો આપણે સૌ બાળકો પ્રત્યે સદ્ભાવ, પ્રેમ અને હૂંફની વિકાસ પ્રત્યે સભાનતા કેળવીએ.

‘આજનાં બાળકો જેવું જ આવતી કાલનું હિંદ બનશે, તેમની સાર સંભાળ રાખવામાં આવે તો આવતી કાલનું ભારત ઉત્તમ બનશે. જવાહરલાલ નહેરુના આ ઉચ્ચારણો સાંપ્રત સમયમાં એટલા જ યથાર્થ બની રહ્યાં છે.’

🪔" દિવાળી ક્યારે છે? "😘


અઘરો છે પ્રેમ;
અને,
અઘરા છે આશિષ.

 * રોડ પર થી સળગી ગયેલાં ફટાકડાં વીણતાં વીણતાં આ માસુમ બાળકો, કોઈકે આપેલા રૂપિયા માંથી દુકાને ખાવા માટે પડીકાં લેવાં જતાં હતાં. 

* ગયા વર્ષે વેણુ અને અંકુરે , બેંગ્લોર માં આવાં ગરીબ બાળકોની સાથે , તેઓને ફટાકડા ફોડવા આપી અને તેઓની સાથે જ ફટાકડાં ફોડીને  દીવાળી ઉજવી હતી. આવાં બાળકોના ચહેરાં પરની ખુશી એજ સાચી દિવાળી. 

* ઘણાં સમયથી વેણુંની ઈચ્છા આવા બાળકોને કંઇક આપવાની હતી. 

* ધનતેરસને  દિવસે  વેણુએ આ બાળકોને બોલાવ્યા અને સૌનો વાટકામાં નાસ્તો ભરી આપ્યો. બાળકો ખુશ ખુશ થઈ ગયા. બાળકોને ચોકલેટ અને મીઠાઈ પણ આપવી હતી. પરંતુ ઓચિંતા આવેલાં આ  બાલદેવો માટે થોડાં ઘણાં નાસ્તા સિવાય કાંઈ નહોતું. મનમાં દિવાળીના દિવસે આ બાળકોને મીઠાઈ અને નાસ્તો વહેચવાનું વિચારી ને બાળકોને વિદાઈ આપી અને ફરીથી દિવાળીના દિવસે આવવા જણાવ્યું. 

* દિવાળી  ક્યારે છે ! એ જ ખબર ના હોઈ, બાળકોએ પૂછ્યું,  

 "  દિવાળી ક્યારે છે ? "  

આ સાંભળી ખૂબ જ દયા આવી કે અરે રે!!!!! 
દિવાળી ક્યારે છે? તે પણ ખબર નથી!!!!!!!

* આજે દિવાળીના દિવસે આ બાળકો , ઘર આગળથી ફૂટેલા ફટાકડાં વીણતાં વીણતાં મસ્તીમાં જતા હતાં. બે દિવસ પહેલાંની  વાત પણ ભૂલી ગયા હતા. 

*  કેવાં નિજાનંદમાં મસ્ત બાળકો! 
 કે જેમને કંઇજ પરવા નથી. 
નથી , 
ભૂત, ભવિષ્યની ચિંતા કે નથી
આપેલા વાયદા ની ચિંતા.

ખરેખર બાળકો ભૂલી ગયા હતા,,,, કે બે દિવસ પછી દિવાળી છે અને અમને  અહીં થી કઈક મળવાનું છે.

* આપવાનુ હોય  તેને ચિંતા, અમે તો અમારી મસ્તીમાં મસ્ત.

* અને,,,,
     આજ સવારથી જ નજર થોડીથોડી વારે  બારીમાં ડોકાતી, આ બાળકોને જોવા,,, 
         બરાબર બાર વાગ્યાની આસપાસ ,,, 

કદાચ આ બાળકોને ભૂખ લાગવાના સમયે જ,,,

આશરે પંદરેક ( તે દિવસ કરતાં વધારે સંખ્યામાં) બાળકો ,,, દિવાળી પર કોઈકે આપેલા રૂપિયા માંથી મનપસંદ પડીકાં ખરીદવાં દુકાને જતાં હતાં. 

અમને આપેલો વાયદો ,,, અને અમને પણ ભૂલીને.

* આખું ટોળું જતું હતું,,, સૌનો બોલાવ્યા અને તેમની સાથે જ , ઉપાઘ્યાય સાહેબ દુકાને ગયા. બાળકોની મનપસંદ વસ્તુઓ , બિસ્કીટ અને પસદગીની  ચોકલેટ્સ ખરીદી અને ,,,, જેમ વાંસળી વાળાની પાછળ ઉંદરો નું ટોળું હતું , તેમ જ સાહેબની પાછળ આખું લંગર.

* વેણું ને આજે દિવાળીને દિવસે પણ રજા નથી,, ચાલુ કામ માં દસેક મિનિટનો બ્રેક લઈ ને બાળકોને મિજબાની આપી. 

* આજ સૌના ચહેરા પર એક અનોખી ખુશી હતી. 

* જેને ,,
દિવાળી ક્યારે છે? 
ફટાકડા કદી ફોડ્યા નથી,
મીઠાઈ કદી ખાધી નથી, 
નવા કપડાં પહેર્યા નથી,

આવાં ,,, અને આવાં જ,,

બાળકોને દિવાળીની  ખુશી આપી, અમે સાચા અર્થમાં ઉજવણી કર્યાની અનંતગણી ખુશી પામ્યા.

🙏 Thanks God !🙏
 હે પ્રભુ! 
આવાં ને આવાં ,, પુણ્ય કાર્યો કરાવજો, 
સૌની ઝોળી ખુશીઓ થી ભરજો. 🙏