આજથી વીસ વર્ષ પહેલાં ' શિવ - તત્વ - ' પુસ્તક વાંચીને પાછળ આપેલા સરનામે મારો પ્રતિભાવ મોકલાવ્યા પછી મારા એક પેન ફ્રેન્ડ , એ પછી અવારનવાર પત્ર વ્યવહાર અને ફોન પર પણ વાત થતી.
દશ વર્ષ પહેલાં દંતાલી ભકિત નિકેતન આશ્રમ, પૂજ્ય શ્રી ના આશ્રમે બેસીને શિવ રુદ્રી / પુરુષ સુક્તમ ના ચાર - પાંચ શ્લોકોનું ગાન સાથે બેસીને કરેલું.
એ પછી ઘણી વખત આશ્રમે જવાનું થતું. ખાસ કરીને પુસ્તકો લેવાં જવાનું થતું. પણ દર વખતે સ્વામી શ્રી નાં દર્શન વિના જ પાછા ફરતાં.
આજે અચાનક જ ત્યાં જવાનું મન થયું. ગયાં . બહારથી જ ખબર પડી કે, સ્વામિ શ્રી છે. મારી ખુશી બમણી વધી.
દર્શન કરી, અમને બેસવા જણાવ્યું. તેમની સાથે બેસીને થોડી વાતો કરી. તબિયતના સમાચાર પૂછ્યા. એક તાકાત અને હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરી. સાથે સાથે પૂજ્યશ્રીનું ૯૦ વર્ષની ઉંમરે પણ તેમની સાથે વાતોમાં તેઓનો અવાજ જરાય વૃદ્ધ થયો નહોતો. અવાજમાં ઉંમરની અસર ના જણાઈ. તપનું તેજ જણાયું. ૯૦ વર્ષે અશક્ત અવસ્થામાં પણ લાકડાની સાદી પાટ પર જ સુતા હતા. ના કોઈ પંખો કે એ.સી. બસ એકદમ સાધારણ , સહજ, સરળ વ્યક્તિત્વ, તેમની પ્રતિભામાં વધારો કરતું હતું. એક તપસ્વી .જેઓ શરીરના કષ્ટો ને આનંદ સાથે ભોગવીને આ જન્મનો ભોગવટ
પૂર્ણ કરતા એક આત્મલક્ષી મહાત્મા. સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે.
ગયા અઠવાડિયે તખુભાઈ સાંડસુર સાથે વાત વાત માં સ્વામિ શ્રી નું 'મહાભારત ચિંતન' પુસ્તક વિષે ની થયેલ ચર્ચા યાદ આવી. તખુભાઇ ને કોલ પણ કર્યો. તે પુસ્તક અને અન્ય પુસ્તકો ખરીદ્યા.
સાથે મારી બેન કૌમુદી જોશી અને મારાં principal Mam કૌમુદીની જોશી પણ હતાં. તેઓ પણ પુસ્તકિયો કીડો. તેમણે પણ ઘણાં પુસ્તકો ખરીદ્યા. " ખાવાનુ ના મળે તો પણ આજે તો ચાલશે." : Mam said.
ખૂબ આનંદ અને આશીર્વાદ સાથે આજનો દિવસ ઉત્તમ બની રહ્યો.
હજું ફરી એકવાર મળવાની અને ખૂબ વાતો કરવાની ખૂબ ખૂબ ઈચ્છા સાથે....
દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય ની કામના સાથે ,, પરમાત્મા ને પ્રાર્થના.🙏
शतम जीव शरद :