Saturday, 25 December 2021

⛄ સંતાક્લોઝ બન્યો , 🤩પ્યારો વિહાન !!👌

નાની મારી વાત : ૪૧ 

              જાગૃતિ પંડ્યા,આણંદ.

       આજે  પાંચ વર્ષનો નાનો વિહાન તેની મમ્મી સાથે સાંજના સમયે બજારમાં નીકળ્યો હતો. ત્રણ દિવસનું મીની વેકેશન મળવાથી સૌ ખુશ હતાં. ઘણાં બધાં સમય પછી આવી રજાઓ મળેલ હોઈ વિહાન અને સૌ લાંબુ લચક લિસ્ટ લઈને ખરીદી કરવા નીકળ્યાં હતાં , લિસ્ટમાં સૌથી વધુ વસ્તુઓ તો વિહાન માટેની હતી !!! 

     વિહાને જોયું કે, આજે મોટાભાગના સ્ટોરમાં લાલ કલરના કપડાં પહેરીને એક અંકલ બધાંને ચોકલેટ આપે છે. ફુગ્ગા આપે છે અને ડાન્સ કરીને ખુશ કરે છે. વિહાન તેની સમજણમાં આવ્યાં પછી આ પ્રથમવાર આ બધુ જોઈને ખૂબ જ ઉત્સાહિત હતો.  ઘણો સમય બધું જ જોવામાં વિતાવ્યો. તેણે એ પણ જોયું કે કેટલીક જગ્યાએ તો  વિહાન જેવાં નાનાં નાનાં બાળકો પણ આવો લાલ કોટ પહેરેલાં જોવા મળ્યાં. વિહાને હવે તેની મમ્મી ઉપર પ્રશ્નબાણોનો એક સામટો મારો ચલાવ્યો. 


   મમ્મી ! મમ્મી !! મમ્મી !!!

    

  શું છે આ બધું ? 


આ લાલ કલરનો  લાંબો કોટ અને સફેદ દાઢી વાળા અંકલ કોણ છે ? 


 આ અંકલ કેમ બધાંને ચોકલેટ આપે છે ?


       વિહાનની મમ્મી તેને સમજાવતાં કહે છે : " બેટા , એ અંકલ સંતાકલોઝ છે. આ આખુ અઠવાડિયું ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર નાતાલની  ઊજવણી કરવામાં આવે છે.  દર વર્ષે ૨૫મી ડિસેમ્બરના દિવસે નાતાલની ઊજવણી કરવામાં આવે છે. ૨૫ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. એમના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે નાતાલ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 


      જો બેટા , હવે આગળની વાત સાંભળ. "


 આ તહેવાર નું વિશેષ મહત્વ ખ્રિસ્તી ધર્મ ના લોકો માટે હોય છે, પરંતુ આજકાલ આ તહેવાર નું પ્રચાર અને પ્રસાર એટલું વધારે થઈ ગયું છે કે લગભગ બધા ધર્મ ના લોકો આ તહેવાર ઉજવે છે. ખાસ કરીને બાળકો ના મન માં ક્રિસમસ નો તહેવાર માટે ઉત્સાહ હોય છે, કારણ કે એ લોકો માને છે કે ક્રિસમસ ની રાત્રે સાન્તાક્લોઝ આવશે અને એમની બધી ઇચ્છા પૂરી કરશે. ભગવાન ઈસુ ના જ્ન્મ ના અવસર પર ક્રિસમસ તહેવાર મનાવવા માં આવે છે. હવે કેટલાક દશક પહેલા સુધી ક્રિસમસ વિદેશી લોકો ઉજવતાં હતાં પરંતુ ભારતીયો પણ આ તહેવાર બીજા તહેવારો ની જેમ ઉજવે છે. 


    પ્રાચીન કથા પ્રમાણે ઈસાઈ ધર્મ ની સ્થાપના કરવા વાળા ઇસુ નો જન્મ ક્રિસમસ ના દિવસે થયો હતો. એટલા માટે આખી દુનિયા માં એને ક્રિસમસ ડે કહીને સેલિબ્રેટ કરવા માં આવે છે. ઈસુ એ મરીયમ ના ત્યાં જન્મ લીધો. બતાવવા માં આવે છે કે મરિયમ ને સ્વપ્ન આવ્યું હતું, જેમાં ભવિષ્યવાણી થઈ હતી કે એમને પ્રભુ ના પુત્ર ઈસુ ને જન્મ આપવા નો છે.


થોડા સમય પછી ભવિષ્યવાણી ના પ્રમાણે મરિયમ ગર્ભવતી થઈ. ગર્ભાવસ્થા ના સમયે મરિયમ ને પેથલહમ જવું પડ્યું. રાત હોવાથી ના કારણે એમણે ત્યાં રોકાવાનું વિચાર્યું. પરંતુ એમને ત્યાં રોકાવા ની કોઈ ખાસ જગ્યા દેખાય નહીં. થોડા સમય પછી એમને એક જગ્યા દેખાઈ, જ્યાં પશુ પાલન કરવાવાળા લોકો રહેતા હતા, મરીયમે ત્યાં રોકાવા નો નિર્ણય લીધો અને બીજા દિવસે ત્યાં ઈસુ ભગવાન ને જન્મ આપ્યો.


આ ક્રિસમસ નું પ્રાચીન ઇતિહાસ છે. જાણકારો ની માનીએ તો ક્રિસમસ શબ્દ ની ઉત્પત્તિ ક્રાઈસ્ટ શબ્દો ઉપર થી થઈ છે. દુનિયા માં ક્રિસમસ નો ખાસ તહેવાર રોમ માં ઈસવીસન 336 મનાવવા માં આવ્યો હતો. એના પછી આખી દુનિયા માં આ તહેવાર ની પ્રસિદ્ધિ વધી ગઈ અને આજે બીજા ધર્મ ના લોકો પણ આ તહેવાર ને ધામધૂમ થી ઉજવે છે.


        વિહાનને તો મમ્મીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો. પરંતું વાતો વાતોમાં કયા સમયે વિહાનની મમ્મીએ તેના માટે પણ લાલ કલરના કપડાં અને સફેદ દાઢી સાથેની વેશભૂષા ખરીદી લીધી તે વાતની વિહાનને ખબર નહોતી. મમ્મી સાથે ખૂબ જ મજાની જાણકારી મેળવ્યા બાદ, વિહાનને ઘરે આવીને મમ્મીએ સંતાના કપડાં  પહેરાવ્યા. વિહાનની ખુશીનો પાર ન રહ્યો. વિહાનને પણ આવાં કપડાં જોઈતાં હતાં, પણ  નાતાલની વાતોમાં એટલો બધો રસ પડ્યો હતો કે, તે વાત કરવી ભૂલી ગયો. 


       સંતા કલોઝ બની હવે વિહાન સુંદર મજાના ગીતો ગાય છે અને સૌને ચોકલેટ આપી ખુશ થાય છે. 



   તો, વહાલાં બાળકો ! તમને  પણ વિહાન અને નાતાલની વાત  ગમી ને ? તો ચાલો થઈ જાઓ તૈયાર અને આ વાત તમારાં ઘરે સૌને કરો. 


    સૌને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 


# વિહાનનો વીડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો  :


      ૧) https://youtu.be/IfcIx2GQShM

     ૨) https://youtu.be/RAmALrsIXxA








Saturday, 11 December 2021

ચંદુની બોલબાલા !

ચંદુની બોલબાલા !




        આજે અમારા ઘરે  પપ્પાના મરણ પ્રસંગ નિમિત્તે જમણવાર રાખેલ હતો. શનિવાર હોવાથી મોટા ભાઈ ભાભી શાળામાં ગયા હતા. પ્રસંગ નિમિત્તે ત્યાં વાડી પર સવારથી જ એક મજુર નામે ચંદુ રાખેલો. વાડીમાં સાફ સફાઈ કરવી, પાણી ભરવું, ખુરશીઓ ગોઠવવી, તથા અન્ય કામ હોઈ , ચંદુ સવારથી જ કામમાં વ્યસ્ત.


       ચંદુ ખૂબ જ મહેનતુ. એને કામ સોંપીએ એટલે કામ પાર પડે જ. આખો દિવસ કામ કરે પણ આરામની વાત નહીં, છતાં પણ સાંજ સુધીમાં એટલો જ ફ્રેશ. તેનાં ચહેરા પર કદી થાક જોવા મળે જ નહીં. હંમેશા હસતો ચહેરો. 


    પણ,,, ચંદુને  મોબાઇલ ન આવડે !!!!!


     ચંદુ પાસે મોબાઈલ ખરો. કીપેડ  મોબાઈલ. પણ તેને ફોન કરતાં ન આવડે. 


       ચંદુ તો સવારે વાડીએ ગયો. ઘણો સમય વીત્યો. આવ્યો જ નહીં. મારી મમ્મીને ચિંતા થઈ. ભાવેશને  ચંદુનો સંપર્ક કરવા કહ્યું. ભાવેશ ચંદુને લઈને ઘરે આવ્યો. ચંદુએ માંડીને વાત કરી કે, વાડીમાં ટાંકીમાં પાણી ભરાતું નથી. પ્લંબરને બોલાવવો પડશે. ભાવેશ ચંદુની પૂરી વાત જાણ્યા પછી બોલ્યો, ' હું પલંબરને વાડીએ મોકલું છુ. તું ત્યાં જા અને પ્લમ્બર આવે એટલે મને કૉલ કર. ' બિચારો ચંદુ !!!!!! દયામણું મોં કરીને ભાવેશને કહે :" સાહેબ હું ફોન નહીં કરું, તમે મારો નંબર લો અને મને ફોન કરજો. " ભાવેશે પૂછયું , કેમ ? ચંદુએ જવાબ આપ્યો : " સાહેબ મને ફોન જોડતાં  ' થી  આવડતો !!!" 


      આમ,  ભાવેશે ચંદુનો નંબર લીઘો. મારી મમ્મી થોડી થોડી વારે ભાવેશને યાદ દેવડાવે. 

" ભાવેશ  ચંદુને ફોન કર, 

પ્લમ્બર આવ્યો ? 

કામ કેટલે આવ્યું ?

 પાણી ભરાયુ ?

 સફાઈ થઈ ગઈ ?" 

આવા વારંવારના ફોન ચંદુને કરવાં પડતાં. અંતે,,

 પ્લંબરને રૂપિયા ચૂકવ્યા ? 

એ બાબતે પણ કૉલ! અરે , આજે તો આખો દિવસ ચંદુ જ ચંદુ. બપોરે ચંદુ બાંઠીવાડા શાળામાં બાળકોને આજનાં દિવસે તિથિ ભોજન આપ્યું ત્યાં પણ કામે ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ રૂપલે ચા બનાવી આપી. ચા પીને તરત જ પાછો વાડીએ. આ બાજુ ફરી પછી ચંદુની બોલંબાલા શરૂ ! સાંજ થવા આવી હતી. ધીરે ધીરે  મહેમાનો પણ વધતાં ગયાં. બધાં જ ચંદુના નામથી પરિચીત થઈ ગયા. સાંજે પાછી મમ્મી ફરી ચંદુના નામની માળા રટવા લાગી.


 "હજુ ચંદુ ના આવ્યો. 

ક્યાં ગયો હશે ! 

ક્યારે આવશે! 

વાડીએ જવાનું ચંદુને મોડું થશે. "


એટલામાં રૂપલ આવી કહેવા લાગી, " ચંદુ તો ક્યારનોય ચા પીને વાડીએ જવા નીકળી ગયો છે. " હાસ્યનું મોજું ફરી વળ્યુ.


    હવે તો બધાં જ ચંદુને નામથી પરિચીત થઈ ગયા. રાતે બધાં વાડીએ જમવા ગયા. ચંદુની આખા દિવસની મહા મહેનતને પરિણામે ખૂબ જ સફળતા પૂર્વક  વાડીનું તમામ કામ પૂર્ણ થયું. છેલ્લે વાસણ સફાઈ અને ખુરશીઓ ગોઠવતી વખતે ,,, ફરી પાછી મમ્મીની બૂમ!!!


     ઓ ,,, ચંદુ !!!!!!

        

       બધાનું જ ધ્યાન ચંદુને જોવામાં. ચંદુ તો બા ની એક જ બુમે હાજર. બધાં જ હસી પડ્યા. 


  ચંદુ પણ. અંતે આજનાં આ યાદગાર દિવસને સફળ બનાવનાર અને આજનાં દિવસે મમ્મીએ સૌથી જેનું વધારે વાખત રટણ કર્યું, તે ચંદુનો ફોટો લેવો સૌને જરૂરી લાગતાં ચંદુનો ફોટો લીધો. ફોટો લેતી વખતે ચંદુ એકદમ અક્કડ થઈને તૈયાર. તે જોઈને ભાવેશને પણ ચંદુ સાથે ફોટો લેવાનું મન થયું. ભાવેશ કહે , મારી સાથે ફોટો લે તો યાદગીરી રહે !!!! 

   આમ, આજનો દિવસ ચંદુ સાથે આનંદમય પસાર થયો. 

  અને અંતે, સુંદર ફોટો લઈ મોકલનાર, ધનંજય જોશીનો ખૂબ ખૂબ આભાર.🙏😀👌


Friday, 29 October 2021

લોખંડી પુરુષ સરદાર પટેલ.



સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.
તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

Sunday, 3 October 2021

ध्यान क्या है ?



 _*"ध्यान" क्या हैं ?*_    

 *ध्यान है...खेलपूर्ण होना।*
   ध्यान है... सृजनात्मक होना।

 *ध्यान है...सजग होना।*
   ध्यान है.. तुम्हारा स्वभाव।

 *ध्यान है... कुछ ना करना।*
    ध्यान है... साक्षी भाव। 

 *ध्यान है... एक छलांग।*
   ध्यान है... वैग्यानिकता।

 *ध्यान है... एक प्रयोग।*
   ध्यान है... मौन।

 *ध्यान है... स्वर्ग।*
    ध्यान है... स्मरण। 
 
 *ध्यान है... परम स्वतंत्रता।*
   ध्यान है... संवेदनशीलता।

 *ध्यान है... विकसित होना।*
   ध्यान है... पलायनवादी न होना।

 *ध्यान है... एक स्वाभाविक या*
 *निर्दोष विधि (नैक)।*
   ध्यान है... पारदर्शिता।

 *ध्यान है... खाली होना।*
   ध्यान है... जानना।

 *ध्यान है... निर्मल होना।*
  ध्यान है... फूल की खिलावट।

 *ध्यान है... होशपूर्ण होना।* 
  ध्यान है... मजाक व एक हास-
  परिहास।

 *ध्यान है... गहरी समझ।*
  ध्यान है... आनंद को बांटना।

 *ध्यान है... तनावरहित या*
 *विश्रामपूर्ण होना।* 
    ध्यान है... उत्तेजनारहित होना।

 *ध्यान है... एकात्म होना।*
   ध्यान है... पुनर्सृजन ।

 *ध्यान है... विश्रामपूर्ण होना।*
   ध्यान है... मालिक बनना।

 *ध्यान है... अंतराल में बने रहना।*                 
    ध्यान है ...वर्तमान में रहना।

 *ध्यान है... एक घटना।*
  ध्यान है... एक रुपान्तरण।

 *ध्यान है... घर वापस लौटना।*
  ध्यान है... आनंदपूर्ण होना।

 *ध्यान है....होश आना।* 
  ध्यान है .... स्व मै स्थापित होना।

 *ध्यान है..... जन्म मरण से मुक्त*
 *होना।*
  ध्यान है.... बस होना।
 
🌹 _*ओशो*_  🌹

❣❣❣❣❣❣❣❣❣❣❣

Friday, 1 October 2021

ગાંધી બાપુ : નાના નાના પ્રસંગો.



1) ‘તેથી એકલો આવ્યો છું’
 
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
 
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે ગોરાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”

પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
 
2).સ્વચ્છતાનું મહત્વ
 
બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
 
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
 
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
 
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.
 
3. મનુબહેન ગાંધી
 
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
 
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
 
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
 
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
 
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”
 
“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
 
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
 
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
 
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
 
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.




4) નાની નાની બાબતો
 
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
 
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”
 
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
 
5) ગાંધીજી અને બાળકો
 
ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.
 
હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
 
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’
 
ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.

*****************************************

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતમાં પોરબંદર ખાતે એક સામાન્ય હિન્દુ પરિવારમાં થયો હતો.
તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રાજ્ય ના દિવાન હતા.
મહાત્મા ગાંધીએ મે 1883 માં કસ્તુરબાઈ માખણજી કાપડિયા સાથે લગ્ન કર્યા.
4 સપ્ટેમ્બર 1888 ના રોજ, તે ઉચ્ચ વકીલાત ના અભ્યાસ માટે લંડન ગયા.
તે રંગ ભેદભાવ સામે લડતા, 1893 થી 1914 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે લડ્યા હતા.
તે 1915 માં ભારત પાછા ફર્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
ગાંધીજીએ 1917 માં બ્રિટીશ શાસન સામે ચંપારણ સત્યાગ્રહ પ્રથમ આંદોલન શરૂ કર્યું હતું.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી તેમણે 01 ઓગસ્ટ 1920 ના રોજ અસહકાર આંદોલન શરૂ કર્યું.
તેમણે 12 મી માર્ચ 1930 ના રોજ મીઠા નો કાયદો તોડવા દાંડી માર્ચ શરૂ કરી હતી અને 06 મી એપ્રિલ 1930 સુધી ચાલુ રાખ્યું.
ગાંધીજી સાંજ ની આરતી કરવા જતા હતા ત્યારે, નાથુરામ ગોડસેએ નામના વ્યક્તિ એ 30 જાન્યુઆરી, 1948 ના રોજ ગાંધીની હત્યા કરી હતી.

Thursday, 9 September 2021

🎯 ઑનલાઇન ટેસ્ટ ✍️ ધોરણ :૩ થી ૫ પયૉવરણ. કન્યાશાળા બાકરોલ.

૧. મજાની ઇન્દ્રિયો

૨. સાપ અને મદારી 

 પાઠ :૩ સ્વાદ થી પાચન સુઘી

પાઠ :૫ બીજ, બીજ, બીજ

પાઠ :૬ જળ એ જ જીવન 



ધોરણ : ૪ 

પાઠ : ૧ રોજ નિશાળે જઇએ.

 પાઠ :૪ અમૃતાની વાર્તા.


ધોરણ :૩

 પાઠ :૧ પૂનમે શું જોયું ?

પાઠ :૨ વનપરી

પાઠ :૩ પાણી જ પાણી




Sunday, 5 September 2021

*क्षमा*





 *एक सेठ जी ने अपने छोटे भाई को तीन लाख रूपये व्यापार के लिये दिये। उसका व्यापार बहुत अच्छा जम गया, लेकिन उसने रूपये बड़े भाई को वापस नहीं लौटाये*
     
*आखिर दोनों में झगड़ा हो गया, झगड़ा भी इस सीमा तक बढ़ गया कि दोनों का एक दूसरे के यहाँ आना जाना बिल्कुल बंद हो गया। घृणा व द्वेष का आंतरिक संबंध अत्यंत गहरा हो गया। सेठ जी, हर समय हर संबंधी के सामने अपने छोटे भाई की निंदा-निरादर व आलोचना करने लगे*।
      
*सेठ जी अच्छे साधक भी थे, लेकिन इस कारण उनकी साधना लड़खड़ाने लगी। भजन- पूजन के समय भी उन्हें छोटे भाई का चिंतन होने लगा। मानसिक व्यथा का प्रभाव तन पर भी पड़ने लगा। बेचैनी बढ़ गयी। समाधान नहीं मिल रहा था। आखिर वे एक संत के पास गये और अपनी व्यथा सुनायी*।
     
*संतश्री ने कहाः- 'बेटा ! तू चिंता मत कर। ईश्वर कृपा से सब ठीक हो जायेगा। तुम कुछ फल व मिठाइयां लेकर अपने छोटे भाई के यहाँ जाना और मिलते ही उससे केवल इतना कहना, 'अनुज ! सारी भूल मुझसे हुई है, मुझे "क्षमा" कर दो*।'

     *सेठ जी ने कहाः- "महाराज ! मैंने ही उनकी मदद की है और "क्षमा" भी मैं ही माँगू* !"
     
*संतश्री ने उत्तर दियाः- "परिवार में ऐसा कोई भी संघर्ष नहीं हो सकता, जिसमें दोनों पक्षों की गलती न हो। चाहे एक पक्ष की भूल एक प्रतिशत हो दूसरे पक्ष की निन्यानवे प्रतिशत, पर भूल दोनों तरफ से होगी*।"
     *सेठ जी की समझ में कुछ नहीं आ रहा था। उसने कहाः- "महाराज ! मुझसे क्या भूल हुई* ?"

    *बेटा ! तुमने मन ही मन अपने छोटे भाई को बुरा समझा– यही है तुम्हारी पहली भूल*।
      *तुमने उसकी निंदा, आलोचना व तिरस्कार किया– यह है तुम्हारी दूसरी भूल*
     *क्रोध पूर्ण आँखों से उसके दोषों को देखा– यह है तुम्हारी तीसरी भूल*।
   *अपने कानों से उसकी निंदा सुनी– यह है तुम्हारी चौथी भूल*।
  * *तुम्हारे हृदय में छोटे भाई के प्रति क्रोध व घृणा है– यह है तुम्हारी आखिरी भूल*।
     *अपनी इन भूलों से तुमने अपने छोटे भाई को दुःख दिया है। तुम्हारा दिया दुःख ही कई गुना होकर तुम्हारे पास लौटा है। जाओ, अपनी भूलों के लिए "क्षमा" माँगों। नहीं तो तुम न चैन से जी सकोगे, न चैन से मर सकोगे। क्षमा माँगना बहुत बड़ी साधना है। ओर तुम तो एक बहुत अच्छे साधक हो*।"
     
*सेठ जी की आँखें खुल गयीं। संतश्री को प्रणाम करके वे छोटे भाई के घर पहुँचे। सब लोग भोजन की तैयारी में थे। उन्होंने दरवाजा खटखटाया। दरवाजा उनके भतीजे ने खोला। सामने ताऊ जी को देखकर वह अवाक् सा रह गया और खुशी से झूमकर जोर-जोर से चिल्लाने लगाः "मम्मी ! पापा !! देखो कौन आये हैं ! ताऊ जी आये हैं, ताऊ जी आये हैं*...।"
     
*माता-पिता ने दरवाजे की तरफ देखा। सोचा, 'कहीं हम सपना तो नहीं देख रहे !' छोटा भाई हर्ष से पुलकित हो उठा, 'अहा ! पन्द्रह वर्ष के बाद आज बड़े भैया घर पर आये हैं।' प्रेम से गला रूँध गया, कुछ बोल न सका। सेठ जी ने फल व मिठाइयाँ टेबल पर रखीं और दोनों हाथ जोड़कर छोटे भाई को कहाः- "भाई ! सारी भूल मुझसे हुई है, मुझे क्षमा करो ।"*

     *“क्षमा" शब्द निकलते ही उनके हृदय का प्रेम अश्रु बनकर बहने लगा। छोटा भाई उनके चरणों में गिर गया और अपनी भूल के लिए रो-रोकर क्षमा याचना करने लगा। बड़े भाई के प्रेमाश्रु छोटे भाई की पीठ पर और छोटी भाई के पश्चाताप व प्रेममिश्रित अश्रु बड़े भाई के चरणों में गिरने लगे।*

     *क्षमा व प्रेम का अथाह सागर फूट पड़ा। सब शांत, चुप, सबकी आँखों से अविरल अश्रुधारा बहने लगी। छोटा भाई उठ कर गया और रुपये लाकर बड़े भाई के सामने रख दिये। बडे भाई ने कहा "भाई! आज मैं इन कौड़ियों को लेने के लिए नहीं आया हूँ। मैं अपनी भूल मिटाने, अपनी साधना को सजीव बनाने और द्वेष का नाश करके प्रेम की गंगा बहाने आया हूँ* ।
     
*मेरा आना सफल हो गया, मेरा दुःख मिट गया। अब मुझे आनंद का एहसास हो रहा है।"*

    *छोटे भाई ने कहाः- "भैया ! जब तक आप ये रुपये नहीं लेंगे तब तक मेरे हृदय की तपन नहीं मिटेगी। कृपा करके आप ये रूपये ले लें।*

     *सेठ जी ने छोटे भाई से रूपये लिये और अपने इच्छानुसार अनुज बधू , भतीजे व भतीजी में बाँट दिये । सब कार में बैठे, घर पहुँचे।*

      *पन्द्रह वर्ष बाद उस अर्धरात्रि में जब पूरे परिवार का मिलन हुआ तो ऐसा लग रहा था कि मानो साक्षात् प्रेम ही शरीर धारण किये वहाँ पहुँच गया हो।*

  *सारा परिवार प्रेम के अथाह सागर में मस्त हो रहा था। "क्षमा" माँगने के बाद उस सेठ जी के दुःख, चिंता, तनाव, भय, निराशा रूपी मानसिक रोग जड़ से ही मिट गये और साधना सजीव हो उठी।*
...........