Thursday, 3 August 2023

સામાજીક વિજ્ઞાન મંડળ, ન. પ્રા. શાળા નંબર 31, આણંદ. જૂન 2023/24થી,,,,



સમાજીક વિજ્ઞાન મંડળ 

- સામાજિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે, જેમાં મુખ્યત્વે 'માનવસમાજ અને માનવસબંધો'નો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. સામાજિક વિજ્ઞાનના ઉદભવ પાછળ ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને લીધે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપને કારણે ત્રીજા વિશ્વના દેશોમાં આવેલાં અનેકવિધ પરિવર્તનો વગેરે પરિબળોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સામાજિક વિજ્ઞાનના વિકાસ પહેલાં સમાજ અને માનવસંબંધો અંગે ધર્મશાત્રો અને તત્ત્વજ્ઞાનનાં મંતવ્યો મહત્ત્વના ગણાતાં હતાં, પરંતુ સામાજિક વિજ્ઞાનોએ પોતપોતાના ક્ષેત્રમાં સમાજની પરિસ્થિતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાનો અભ્યાસ કર્યો અને એમાં નિરીક્ષણ જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસપદ્ધતિનો તર્ક અપનાવ્યો.

સમાજશાસ્ત્રની શાખા તરીકે, વ્યક્તિના સામાજિક વર્તનને કેન્દ્રમાં રાખીને એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર સામાજિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ વીસમી સદીમાં થયો.સામાન્ય મનોવિજ્ઞાનમાં માનવ વ્યક્તિ અને તેના મનોવ્યાપારને તેના વર્તનો દ્વારા સમજવાના પ્રયાસોમાં વ્યક્તિના સામાજિક પાસાંની મોટાભાગે ઉપેક્ષા કરવામાં આવતી હતી. તે જ રીતે સમાજશાસ્ત્રમાં (અને અન્ય સામાજિક વિજ્ઞાનોમાં) વ્યક્તિના જૈવિક તેમજ માનસિક પાસાંની મોટાભાગે અવગણના કરવામાં આવતી હતી. આ ઉપેક્ષાને કારણે બંને વિજ્ઞાનોમાં કેટલીક ઉણપો અને સમસ્યાઓ રહી જવા પામી હતી. આ ઉણપો અને સમસ્યાઓના નિવારણ માટે તે સમયના મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓએ આ બંને પ્રકારનાં વિજ્ઞાનોનો સમન્વય કરીને સામાજિક મનોવિજ્ઞાન નામની અલગ શાખા વિકસાવી હતી.



સામાજિક વિજ્ઞાન વિકાસ


19 મી સમાજના જ્ઞાન ઝડપી વિકાસ - 20 મી સદીના પ્રારંભમાં ઈચ્છાને કારણે ઝડપથી બદલાતી વિશ્વમાં તેમના નિયંત્રણો શોધવા માટે હતું. વિજ્ઞાન, સમજૂતી મુકાબલો ન સામાજિક હકિકતોને અને પ્રક્રિયાઓ અસંગતતા અને મર્યાદિત જોવા મળે છે. રચના અને સામાજિક વિજ્ઞાનમાં વિકાસ બંને ભૂતકાળ અને વર્તમાન ઘણા પ્રશ્નોના જવાબો પૂરી પાડે છે. ન્યૂ પ્રક્રિયાઓ અને અસાધારણ ઘટના કે વિશ્વના થાય છે, અભ્યાસ અને તાજેતરની ટેકનોલોજી અને તકનીકો અરજી માટે નવા અભિગમ માટે કૉલ કરો. આ તમામ સામાન્ય રીતે બંને વૈજ્ઞાનિક જ્ઞાન અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિકાસ ઉત્તેજિત કરે છે.





ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.






સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન ) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકાર ની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે.


ભુમિ, જળ, જમીનો, ખનીજો, જંગલો, વન્ય પ્રાણીઓ વગેરે સંસાધનો કુદરતી છે, કારણ કે તે પ્રકૃતિએ આપેલાં છે. તે બે પ્રકારનાં હોય છે : જૈવિક અને અજૈવિક. જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે; હજ્યારે ભુમિ, જળ અને જમીનો અજૈવિક છે. ખનીજ તેલ અને કોલસા જેવાં ખનીજો જૈવિક છે, જ્યારે ધાતુઓના ખનીજો અજૈવિક છે.






પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ’ કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘સિલિકા’ (રેતી) અને ઍલ્યુમિના’ (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ’ [(SIAL) (S’ – સિલિકા અને ‘AL– ઍલ્યુમિના)] કહેવામાં આવે છે.